Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 250
________________ ૨૩૦ ચર્ચા – વિચારણું શ્રી પૂજાભાઈએ આની ચર્ચા-વિચારણા શરૂ કરતાં કહ્યું : “સ્વરાજ્ય પહેલાં બધા પક્ષે હોવા છતાં ભારતના લોકોના મનમાં કોંગ્રેસ અંગે જ માન હતું. સ્વરાજ્ય બાદ કોંગ્રેસમાંથી સમાજવાદી કેમ અલગ છૂટયા તે તે સવારે પ્રવચનમાં સ્પષ્ટ થઈ ગયું છે. કેટલાક પક્ષો તે ચૂંટણી પહેલાં દેખા દે છે અને ચૂંટણી જતાં નષ્ટ પામે છે. તેમાં જનસંઘ, રામરાજ્ય પરિષદ વગેરે પક્ષો તે સ્થાપિત હિતોને જ ઉત્તેજન આપે છે. હિન્દુ-મહાસભા મોટી મોટી વાત કરે છે પણ તેની નજર કહેવાતા હિન્દુઓ તરફ હોય છે અને ઊંડાણમાં મુસ્લિમોએ કરેલા ઝનૂની કુકૃત્યોને યાદ રાખે છે; તે બરાબર નથી. એ ખમય રેપ જેવો જોઈએ. બ્રિટિશ રાયે હિન્દુ-મુસ્લિમ એકતાને તોડી નાખી. પાકિસ્તાન થઈ ગયું છે. ત્યારે મુસ્લિમ-લીગવાદીઓએ ભારતનાં લાડકાં થઈને રહેવું જોઈએ. તેમણે પાકિસ્તાન તરફ માર્ગદર્શનની આશા ન રાખવી જોઈએ. સામ્યવાદનો જન્મ વિદેશને છે. સામ્યને અર્થ સમાનતા છે પણ તેમાં કુટુંબની એકતા જેવી સામ્યતા નથી. સાથે વાદ લાગી જતાં વિષમતા વધારે આવી ગઈ જણાય છે. એવી જ રીતે કેટલાક મિશનરીઓ સેવા કરે છે ત્યાં સુધી ઠીક છે પણ પછી તેઓ રાજનીતિનાં યાદ બને એ ઈચ્છનીય નથી. આર્યસમાજી પ્રથમ તે સામાજિક કાર્ય કરતા હતા, પણ એમના કેટલાંક કોંગ્રેસમાં ભળ્યા છે. બાકીના સીધા કે આડકતરા, કેગ્રેસવિરોધી અને સંકીર્ણ કોમવાદી પક્ષના ટેકામાં પડી ગયા છે. આપણુ દુર્ભાગ્યની વાત એ છે કે નાની નાની બાબતે અંગે પક્ષાપક્ષી ઊભી થાય છે અને તે પિતાને કંઈક ને કંઈક ચેપ મૂકતી જાય છે. દા. ત. સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ તેમ જ મહાગુજરાતમાં જનતા પરિષદે નાના કિશોરે અને વિદ્યાથીઓ ઉપર ત્રાસ ગુજાર્યો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com પાતાને તેમ જ ત્રાસ ગુ"

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276