Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૨૩૧
વળી તેમને આગળ કરીને હિંસા માટે ઉશ્કેર્યા. તેથી સરકારને ગોળીબાર કરવાની ફરજ પડી. પછી આદેલન કરનારના શબને મોટરોમાં કેરવી પ્રજાને ઉશ્કેરી. તેમ જ ખાંભી મૂકવાનું આંદોલન ચલાવ્યું. ટૂંકમાં તેઓ ભારતીય સંસ્કૃતિથી તદ્દન ઊંધું કરે છે. આમ જે લાભ લોકોને ખરેખર મળવો જોઈએ તે મળતો નથી. આમાં કોગ્રેસ સિવાયના પક્ષોનો પણ મોટા ભાગે વાંક છે; કોંગ્રેસીઓનો પણ છે ખરે! એટલું ખરું કે બીજા રાજકીય પક્ષના માણસે કરતાં કોંગ્રેસીઓ ભૂલ કરતાં પકડાય તે તેમને તેને પસ્તા વધારે થાય છે.
એટલે ભારતના રાજકીય ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષને શુદ્ધિ અને પુષ્ટિ વડે વધારે મજબૂત કરવા માટે પ્રયાસ આવી રીતે થાય તે જગત ખરેખર કંઈક નવું બની જાય !”
શ્રી દેવજીભાઈ “આજે ભારતમાં જે લેકશાહી આવી છે તેનું સ્થળ કલેવર બહારનું છે. અલબત્ત કોગ્રેસનું ઘડતર તપ, ત્યાગ અને બાપુની દેરવણથી થયું છે તેથી તેનામાં ચેતન બાકી છે, તે ભારતનું છે. એટલે પૂજ્ય મહારાજશ્રીની તેના ઉપરની જે આશા છે તે વધારે પડતી નથી. જો કે ભારતની પ્રજા તેની સંસ્કૃતિથી ઘડાયેલી છે પણ આજના બદલાતા જતા વિશ્વના વાતાવરણમાં કેટલાક ટોચના કાર્યકરો પણ એ ભ્રમણમાં પડયા છે કે સત્તા વડે આખા ભારતને ઉદ્ધાર થઈ જશે. જેમનામાં તપ-ત્યાગ વાળું નૈતિક આધ્યાત્મિક બળ છે તેવા લોકો આ ક્ષેત્ર તરફથી ઉદાસીન છે. તેથી પ્રજાઘડતરનું કામ થતું નથી.
ચૂંટણી વખતે જરૂર લેકને પ્રચાર વડે ઘડવાનું થોડુંક કામ ચાલે છે પણ તેથી પ્રજા મૂળથી ખરેખર ઘડાતી નથી. એ માટે રાજ્ય ઉપર ખરેખર તે રચનાત્મક કાર્યકરો અને ધર્મ-સતને અંકુશ હે જોઈએ. આ નેતિક કાર્યકરોએ લોકોને ઘડવાનું કામ નૈતિક ફરજ સમજીને ઉપાડી લેવું જોઇએ. તેમનામાં તપ, ત્યાગ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વિશ્વના
૭ એ બ્રમણ
ઉદ્ધાર