Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 240
________________ પક્ષેની હરિફાઈ ગ્રીસમાંથી આવી. ત્યાં એની શરૂઆત પણ થઈ ત્યાં બે પક્ષો હતા. (૧) જમીન ઉપર નભનારા જમીનદારો અને (૨) વેપારી. એટલે ગ્રીસનું રાજ્યતંત્ર ભદ્ર લોકોના હાથમાં હતું. એમાં કેટલાક વિચારક લોકો પાકવા. જેમણે રાજકારણની રીતે લોક ઘડતરમાં મોટો ફાળો આપ્યો. જમીનદારોની આપખુદી હતી. તેઓ લેકે ઉપર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરતા હતા. વેપારી અને કારીગર મળેલા હતા. તેમને પણ આ પ્રભુત્વ અકળાવતું હતું. પણ તેઓ બોલી શકતા ન હતા. આ પ્રભુત્વને દૂર કરવા માટે ગ્રીસમાં પક્ષ પદ્ધતિ ઊભી કરવામાં આવી, હવે પ્રશ્ન એ થયો કે ગ્રીસના રાજ્ય ઉપર પ્રભુત્વ કેવું રહે? એમાંથી પ્રતિનિધિ પ્રથા ચાલુ થઈ કે રાજ્ય પ્રજામાંથી ચુટેલા પ્રતિનિધિઓ ચલાવે. પણ જમીનદારોની આપખુદી દુર કરવી અને રાજ્ય પ્રતિનિધિઓને સોંપવું એ સરળ વાત ન હતી. પેટ્રન (મુરબ્બી) પેટ્રી એટ (દેશભકત) એ બન્નેને સાંકળીને રાજ્યના પ્રતિનિધિ તરીકે નીમવાને વિચાર થયે. ઉમરાવોની-જમીનદારોની રાજ્ય ઉપર જે પકડ હતી તેને તેઓ છોડવા માગતા ન હતા. એવામાં આમ જનતાએ હડતાલ પાડી. ઉમરાવોનું કામ આમ જનતા વગર ચાલી શકતું ન હતું એટલે તેમણે તાત્કાલિક તે નમતું જોખ્યું પણ પાછળથી લોકોના પ્રતિનિધિએમાંથી કેટલાકને ફાંસીએ ચડાવ્યા અને કેટલાકને ઝેર આપ્યું. એ જ અરસામાં રોમમાં પણ એ પ્રશ્ન ઊભું થયું કે નવી પરિસ્થિતિમાં જેમ ગ્રીસમાં રાજ્ય ઉપર આમજનતાનું પ્રતિનિધિત્વ રહે. કે જમીનદારોનું? તેમ રોમમાં રાજ્ય કેણ ચલાવે ધર્મગુરુ કે સમ્રાટ ધર્મગુરુ (પિપ)નું પ્રભુત્વ લોકો ઉપર ઘણું હતું પણ ધીમે ધીમે તેઓ રાજ્યાશ્રિત થતા જતા હતા; અને વિલાસ-આરામ પણ વધારે કરવા લાગ્યા હતા. તેથી તેમનું પ્રભુત્વ ઘટી ગયું અને તે વખતના સમ્રાટે કહ્યું : “ધર્મ કર્મ અને પરલોક સંબંધી તમારી સત્તા રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276