Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૨૯
સંકુદુમ પ્રદેશમાં રહેતા લોકો કઠિયારાને ધંધો કરે છે. એટલું જ નથી ઘણું ઉદ્યોગે જેમકે કાપડની મિલે, કલસે, વગેરે પણ આબોહવા ઉપર અવલંબે છે.
વસતિઃ આબોહવા ઉપર ધંધે અને ખેતીને આધાર છે અને તેના ઉપર વસતિનો આધાર છે. રણમાં ખેતી થતી નથી, તેથી ત્યાં વસતિ ઓછી હોય છે; અત્યંત ઠંડા પ્રદેશોમાં ખેતી થતી નથી ત્યાં વસતિ ઓછી હોય છે. સારા વરસાદ થાય ત્યાં સારે પાક થાય છે અને ત્યાં વસતિ વધુ હેય છે.
(૭) વિલક્ષણતાઓ : આબોહવાના કારણે માનવજીવનની વિલક્ષણતાઓ કેળવાય છે. ઠંડા પ્રદેશમાં કામ કરવાની સ્મૃતિ હેય છે. ગરમ પ્રદેશના લેક ગરમી અને પરસેવાથી થાકી જાય છે; જીવન આળસુ હોય છે. સમશીતોષ્ણ પ્રદેશનાં લોકો તંદુરસ્ત હોય છે અને તેનામાં નિયમિત કામ કરવાની ટેવ હોય છે. માસમાં પવનના પ્રદેશોમાં વરસાદને લીધે પાક સારા થાય છે, તેથી જીવન સરળ હોય છે પણ કેટલીક વખત અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનાં કારણે દુઃખી થઇ જાય છે. અફધાન લોકો પહાડોમાં રહે છે, તેથી ખૂબ મજબૂત અને લડાયક હેય છે. ભૂમધ્ય–પ્રદેશની આબોહવામાં રહેનારા લોકોનાં જીવન સુખી હોય છે. તેમને આરામ ખૂબ મળે છે.
(૮) સંસ્કૃતિનો વિકાસ: જ્યાં ખોરાક માટે ફાંફાં મારવા પડે, રહેવાના સાધનનાં ટાંચાં હોય, આરામ ન મળતું હોય ત્યાં સંસ્કૃતિ ખિલતી નથી. તેથી ટુંકા પ્રદેશના એસિકમો કે વિષુવવૃત્તના સીદીઓ અસંસ્કૃત છે. જ્યાં વરસાદ સારે પડે છે, સહેલાઈથી અનાજ પાકે છે, સારાં ઘરમાં રહેવા મળે, આરામ હોય ત્યાં સંસ્કૃતિ ખીલી ઊઠે છે. એટલે જુના કાળમાં નદી-ખીણની સંસ્કૃતિઓ વિકસી હતી. ભૂમધ્ય સાગરના પ્રદેશમાં પણ તેજ કારણે સંસ્કૃતિને વિકાસ થયે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com