Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
બંધ કરાવવામાં કેટલાક સુધારક તેને પણ ફાળો છે જેમાં નાનક, રામાનંદ અને કબીર મુખ્ય છે. આ બધા પ્રયને વ્યકિતગત થયા, જેની થોડીક અસર થઇ. સંસ્થાગત રીતે રાજ્યસંસ્થા ઉપર અસર પાડવાનો પ્રયત્ન ન થયા. પારણામે મુસ્લિમ બાદશાહે એ પિતાની રાજ્યસત્તા ટકાવવા, સત્તાના જોરે ધર્મપલટો કરાવો તેમજ બીજા અત્યાચાર ગુજારવાનું ચાલુ રાખ્યું.
૧૫૨૬ માં દિલ્હીના નમાલા બાદશાહ ઉપર બાબર નામના મોગલ સરદારે વિજય મેળવ્યો અને હિંદમ એક નવો યુગ આવ્ય; તેમજ મોગલ સામ્રાજ્યને આરંભ થયે. ૧૫ર૬ થી ૧૭૦૭ સુધી કુલ ૧૮૧ વર્ષ સુધી મોગલ સામ્રાજ્ય ૬ બાદશાહે વચ્ચે ટકયું. અને તે બાદશાહેઓએ ભારતને નવી કળા, સ્થાપત્ય વગેરેને વારસે આયે.
તેમાંનો પહેલો બાબર પિતાના બાપ પ્રમાણે લડવૈયો બન્ય. તેને બાપ ૧૧ વર્ષની ઉમ્મરે સમરકદની ગાદીએ આવ્યો હતો. તેથી બાબરને પણ નાનપણથી યુદ્ધોનું શિક્ષણ મળ્યું. તે ૧૫૬ માં હિંદ ઉપર મોટી સેના લઈને આવ્યા. તેમને ઘણું કષ્ટ સહેવા પડ્યાં અને એકવાર એવી કટોકટી આવી કે સૈનિકે એ પાછા વળવાનો આગ્રહ કર્યો પણ તેણે અહીં જ રહેવાનું નકકી કર્યું. તે બહુજ વિચારક હતો. તેણે હિંદમાં આવીને મોજશોખના ત્યાગ રૂપે દારૂને છેડી દીધા. તે બહુજ સમજ . કહેવાય છે કે પોતાના પુત્ર હુમાયુની માંદગી વખતે તેણે પિતાનું જીવન અર્પણ કર્યું. પરિણામે હુમાયુ સાજો થઈ ગયો અને તે મરણ પામ્યા.
હુમાયુ વિદ્વાન અને સંસ્કારી હતું પણ તેના ઉપર રાજય સંભાળવાનું કપરું કામ આવી પડ્યું. ૧૫૪૦ માં શેરખાને તેને હરાવ્યો અને તેને હિંદ છોડવું પડયું. તે ત્યાંથી રખો રઝળત ઈરાન પહો. ઇરાનના બાદશાહે તેને આવકાર આપે. તેની વહીવટી કાર્યકુશળતાથી તે રાજી થશે. ઇરાન આવતી વખતે તેની બેગમે મારવાડના રણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com