Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૯૩
ફરી રાષ્ટ્રીય એકતા સધાઈ અને અહીંના હિંદુ-મુસ્લિમ બધાએ મળીને તેમની વિરૂદ્ધ બળ કર્યો.
આમ હિંદ અને અરબસ્તાનના સંબંધે વચ્ચે હિંદ બધા ધર્મો માટેનું સ્થાન બની ગયું. મુસલમાને કરીને સ્થિર થયા કે અંગ્રેજો વસ્યા અને ઈસાઈએ પણ રહી શક્યા તેનું કારણ અહીંની સંસ્કૃતિ હતી; અને આજે પણ તે સહુને સાંકળી શકી છે. ૭. ૩યુરેપિયને અને હિંદ
ભારતમાં જેમ મુસલમાને ઠરીને ઠામ થયા તેમ ભારતની સમૃદ્ધિ યુરોપના ઘણા રાજ્યોને આકર્ષણનું કારણ બની. ૧૭ મી સદીમાં યુરોપમાં જે ફેરફાર થયા તેના કારણે પરદેશગમન અને વેપારવૃદ્ધિ એ બન્ને વસ્તુ ત્યાંની પ્રજા માટે સામાન્ય બની. તેમાં પણ હિંદ સહુ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.
ભારતને કિનારે સર્વપ્રથમ જોવામાં પોર્ટુગલ-ફિર ગીઓ હતા. વાસ્કો-ડી-ગામાએ હિંદમાં પહેલે પગ મૂક્યો હતો. અકબરના દરબારમાં તેના વંશજો-ફિરંગીઓનું સારૂં માન હતું. તે પછી અંગ્રેજો આવ્યા. ફિરગીઓએ તેમને પગ કાઢવા માટે ઘણાં પ્રયત્ન કર્યા પણ જહાંગીરના સમયમાં અગ્રેજ ડોકટર સર ટોમસ રોએ તેની સેવા કરી, ઈંગ્લાંડની સરકારેવતી ઈસ્ટ ઈડીયા કંપનીના નામે વેપાર કરવાની છૂટ મેળવી. તે ફિરંગીઓને ન રૂગ્યું પણ ઈગ્લાંડના લોકો ચાલાક હતા, તેમણે વલદા (ચ) લોક સાથે હાથ મેળવીને ફિરંગીઓને પૂર્વ સમુદ્રમાંથી લગભગ હાંકી કાઢ્યા હતા. તે ઉપરાંત શાહજહાંના સમયમાં પણ મોગલો સાથેના યુદ્ધમાં હારી તેમને હગલીથી ભાગવું પડ્યું હતું.
પક્ષ લઈને તડજોડ કરવાની નીતિ અંગ્રેજોની હતી. તેમણે એને પૂરે લાભ લીધો. તેમણે મોગલોની ખામદ કરીને કિનારાઓ ઉપર કેડીએ નાખી, જેમાં સુરત, મલસ તેમજ અન્ય બંદરના હેરાન સમાવેશ થાય છે. મુંબઈને ટાપુ પોર્ટુગલ પાસે હતે. ૧૬૨ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com