Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૧૧૭
વડે પ્રચારની સગવડ મળે છે. ત્યાં વિરોધ પક્ષ સાતત્ય રક્ષા તેમજ ઝડપી પરિવર્તન માટે છે.
અહીં વિરોધપક્ષની હદ બહારની બાલિશતા, અબંધારણીય રીતે વગેરે નજરે ચડે છે. અને તેમની પ્રેરણા પરદેશથી તેઓ મેળવે છે. આ દેશની સંસ્કૃતિ પ્રમાણે મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ કેવળ પ્રેરક અને પૂરક વર્ગો જ અનુકૂળ છે. અહીં સત્ય અને અહિંસા વન જેમ નહીં ચાલે તેમ કેવળ લેકશાહી પ્રતિનિધિત્વવાળી રાજ્ય વ્યવસ્થા પણ ચાલે છે. એટલે ગાંધીજીની કવાતીમાં હતા એના કરતાં જુદાં સત્ય અહિંસાના સાધને જુદા સંદર્ભમાં વાપરવાં જોઈશે.
તેથી કાયદા ભંગની વાતને ત્યાગ કરવો જોઈએ અને કાયદે સાચવવા માટે સમાજને નૈતિક દબાણ લાવવું પડશે. આપણે ચૂટેલા પ્રતિનિધિઓ કાયદો ઘડે અને આપણે જ તોડીએ તે આજે નહીં ચાલે ! આ બધી વાતે ઉપરથી ઊંડા વિચારીને ચાલવાનું છે.”
શ્રી દેવજીભાઈ : “પશ્ચિમની ક્રાંતિઓ અને ગાંધીજીએ બનાવેલ માર્ગ વચ્ચે ઘણું અંતર છે. પ્રાશ્ચિાત્ય અભ્યાસના કારણે અહીંના વિરોધ પક્ષના નેતાઓ એમ કહે છે કે તેમના પક્ષ અંકુશ રાખી ચકશે તે જરી પુરાણી વાત છે. ત્યાંની નાડમાં ધર્મ નથી. આપણે ત્યાં માધુ-પુરવા એ વાતને ઓછી સમજે છે અને તે પણ ઘણીવાર વિરોધ-પ્રચારના પ્રવાહમાં તણાઈ જતા લાગે છે. આ વિરોધ પક્ષ કઈક સક્રિય કાર્ય કરી શકે એ વધારે પડતી આશા રાખવા જેવું છે.
એમાં ગાંધીજીએ માર્ગદર્શનનો જે ચીલે પાડ્યો હતો તે માર્ગે સાધુ-સાધ્વીઓ પોતાની મર્યાદામાં રહીને આગળ વધે અને લોકોને સંસ્થા રૂપે નેનિક સંગઠિત બળ બનાવે તે ઘણું થઈ શકે. લેકીને અહીં હજ ધર્મ અને ધાર્મિક પુરૂષો ઉપર વધારે શ્રદ્ધા છે. બાકી પરદેશના હાથા રૂપ વિરોધ પક્ષ કંઇ પણ સક્રિય કરી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com