Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir
View full book text
________________
૩૧.
વેદાંતમાં પ્રકૃત્તિ અથવા ભાયા શબ્દ વાપરવામાં આવ્યો છે અને તેને મિથ્યા પણ ગણાય છે. મિથાનો અર્થ પલટાતી; જેને ઘાટ વારંવાર બદલાય તેજ પ્રકૃતિ. આ પ્રકૃતિનું સંશોધન માનવી કરી શકે છે. ચૈતન્યતા–ધારીઓમાં માનવ જ પ્રધાન વ્યક્તિ છે. સંસ્કૃતિ અને સંસ્કૃતિ-વિકાસ સાથે એને પણ સંબંધ છે. વિભૂતિઓમાં પણ માનવ મુખ્ય છે. એટલે સર્વપ્રથમ ટુંકમાં આપણે માનવ સ્વભાવનો વિચાર કરી લઈએ. (૧) જે દષ્ટા છે તેને દર્શન થાય છે અને તે દર્શન આપે પણ છે (૨) જે જ્ઞાતા છે, તે જાણે છે અને તે જણાવે છે. (૩) જે મુષ્ટા છે, તે કર્તા છે પ્રકૃતિએ ચંદ્ર બનાવ્યો તે તેણે કૃત્રિમ ચંદ્ર બનાવ્યા (૪) ને ભકતા છે. કારણ કે તે દરેક ચીજોને ભેગા કરી શકે છે. અને છેલે (૫) ને મુકત પણ છે, તે બધું છોડી શકે છે અને મુક્ત થઈ શકે છે, બીજાને મુક્ત કરી શકે છે.
આ બધા ગુણેના કારણે તે સંસ્કૃતિ બનાવનારે થાય છે. વેદત તેને લીલા કહે છે-અવનવી વિવિધતાઓ તેનામાં રહેલી છે તે છતાં તેનામાં એક્તા રહેલી છે. મુનિશ્રી સંતબાલજી કહે છે તેમ -
છે ભિન્નતા કેવળ વૃત્તિ કેરી,
સર્વત્ર જ્યોતિ પ્રસરે અનેરી.. સંસ્કૃતિ માટે જ્ઞાન જોઈ એ. વિઘા જોઈએ. અભેદભાવ વિશ્વમાં જોઈ શકે વિદ્યા અને બહારનાં ખોખાને પકડી રાખે, છોડી ન શકે તે અવિધા તેને ઉપયોગ ધર્મ-અર્થ-કાળ અને મેક્ષરૂ૫ ચાર પ્રકારના પુરૂષાર્થમાં અને જનસંગઠનેમાં સમ્યક અનુબંધ સાથે થવું જોઈએ. ટુંકમાં સાંજ્યારે કલ્યાણકારક પુરવાર્થ એ નસ્કૃતિ છે અને તેનું આલેખન એ ખો ઇતિહાસ છે.
કડી બહ ઇતિહાસ મળે છે તે પહેલાં સંસ્કૃતિ ઉપરથી જ ઇતિહાસનું તારણ કરી શકાય. વિશ્વમાં તે વખતે ચાર પ્રદેશમાં સંસ્કૃતિઓ વિકસિત થઈ હતી. ચીન, મિસર, બેબીલેનિયા (મેસા પોટે મિયા) અને તેમાં ભારતનું પતનું આગવું સ્થાન છે. સંસ્કૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com