________________
૧૦૪ ધર્મ અને ધર્મનાયક ૧- ન-વ્યાયામ-સ્થા-સ્નાન મોગર-૩છન્જરિસ્ટિા
પશ્ચાતા ગૃહસ્થ શૌચ- વ્યાયામ – નિદ્રા – સ્નાન – ભેજન આદિ નિત્ય
આચારધર્મોનું શરીરની રક્ષા માટે કદાપિ ઉલ્લંઘન કરવું ન જોઈએ. १०-शरीरयासजननी क्रिया व्यायामः।
શરીરને કસવાવાળી ક્રિયા “વ્યાયામ’ કહેવાય છે. આ ११-शस्त्रवाहनाभ्यासेन व्यायाम सफलेत् ।
શસ્ત્ર – વાહન – દંડ – બેઠક આદિના અભ્યાસથી વ્યાયામ
સફલ થાય છે. १२ - आदेहस्वेदं व्यायामं कान्तमुशन्त्याचार्याः ।
જેથી શરીર પરસેવાથી તરબોળ થઈ જાય તેને વ્યાયામાચાર્યો
વ્યાયામ કહે છે. १३ - अव्यायामशीलेषु कुतोऽग्निप्रदीपनमुत्साहो देहदान्यंच
વ્યાયામ વિના જઠરાગ્નિ, ઉત્સાહ, તથા દેહની મજબુતાઈ જ વધતાં નથી. માટે ગૃહસ્થ અવશ્ય વ્યાયામ કરવી જોઈએ. ૨૪ - શ્રમવૈવાથવિમઃ જ્ઞાનચ
ગૃહસ્થ પરિશ્રમ, પરસેવો તથા આલસ્યને દૂર કરવા માટે તથા
શરીરફુર્તિ વધારવા માટે સ્નાન અવશ્ય કરવું જોઈએ. १५ - स्वच्छन्दवृत्तिः पुरुषाणां परमं रसायनम् । ગૃહસ્થો માટે સ્વછન્દવૃત્તિ પરમ રસાયનરૂપ છે. અહીં સ્વચ્છન્દવૃત્તિ એ સ્વચ્છદાચારના અર્થમાં નથી. અહીં સ્વ-છન્દવૃત્તિનો અર્થ સ્વ-આત્માના છંદ-વિષયમાં વૃત્તિ-વિચરવાને છે. ગૃહસ્થ આત્માના હિતાર્થે દેવ, ગુરુ અને ધર્મનું આસેવન અવશ્ય કરવું જોઈએ, કારણ કે ગૃહસ્થો માટે દેવ, ગુરુ અને ધર્મ એ એક જ શાન્તિનું સ્થાન છે. સાંસારિક દુઃખનિવારણનું એ એક માત્ર પરમ ઔષધ છે.