Book Title: Dharm Ane Dharm Nayak
Author(s): Shantilal Vanmali Sheth
Publisher: Shantilal Vanmali Sheth

View full book text
Previous | Next

Page 216
________________ પ્રશાસ્તાસ્થવિર ૨૦૩ ઊગતી પ્રજાને પોતાના દેશ પ્રતિ શ્રદ્ધાભાવ પેદા થાય તેવી શિક્ષાપ્રણાલી હોવી જોઈએ. દેશદેશાન્તનાં ઇતિહાસ ગેખાવવામાં આવે અને પિતાના દેશના અને પિતાના ગામના ઇતિહાસની કશી ખબર ન હોય એ શિક્ષાપ્રણાલીનું દૂષણ છે. રાષ્ટ્રહિત સાધનારી જે શિક્ષા હોય તે જ વાસ્તવમાં શિક્ષા છે. રાષ્ટ્રન્નતિ પણ શિક્ષા ઉપર જ આધાર રાખે છે. જે શિક્ષા રાષ્ટ્રહિત ન સાધે તે કાંઈ શિક્ષા છે? અત્યારે ભારત દેશમાં શિક્ષાશૈલી અને શિક્ષાપ્રણાલી એટલી બધી દૂષિત છે કે ઊગતી પ્રજામાં રાષ્ટ્રીય ભાવના જ નષ્ટ થઈ જાય છે. શિક્ષણશાળાના અધિકારીઓ પણ એ જ ચાહે છે કે ઊગતી પ્રજા પરદેશી જીવન ગાળે અને રાષ્ટ્રીય ભાવનાથી ભીના ન થાય. અને આ હેતુને બર લાવવા માટે શિક્ષણશાળાના અધિકારીઓ રાષ્ટ્રીય ભાવનાને પિષે એવું શિક્ષણ ન આપતાં પરદેશના જ ગુણગાન ગાવામાં પિતાનું ગૌરવ માને છે, ખરેખર રાષ્ટ્ર માટે આ દુર્ભાગ્યનો વિષય છે. જે ભવિષ્યમાં ભારતના ભાગ્યવિધાતાએ બનવાના છે તેમને રાષ્ટ્રીય ભાવનાથી મુક્ત રાખવાનું જે શિક્ષણ આપવામાં આવે છે તે વાસ્તવમાં શિક્ષણ જ નથી. એ તે ઊગતી પ્રજાને ગુલામીની બેડીમાં. જકડાવવાની જાળ છે. આ જાળને તોડીફાડી ફેંકી દેવાનું કામ પ્રશાસ્તાસ્થવિરનું છે. જે વિદેશીઓ, જે દેશને પિતાના પગ તળે દબાવવા ચાહે છે ભલા! તે દેશને તેઓ રાષ્ટ્રીય શિક્ષા શા માટે આપે ! તેઓ જે ધ્યેય માટે ભારતમાં આવ્યા છે તે ધ્યેયની પૂર્તિ માટે ગુલામી શિક્ષા આપે એમાં શું આશ્ચર્ય ? પહેલાં આખા ભારતવર્ષમાં ઊગતી પ્રજાને રાષ્ટ્રીય શિક્ષા આપવામાં આવતી હતી એ કારણે રાષ્ટ્રનું મસ્તક ઊંચું રહેતું હતું. અને જનતા પણ સુખશાન્તિમાં રહેતી હતી. તાપહેલાના વ્યાપારીઓની પાસે એટલી ધનસંપત્તિ ન હતી જેટલી આજે છે. મારવાડ પ્રાન્તમાં હજારે લખપતિ રહે છે

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248