Book Title: Dharm Ane Dharm Nayak
Author(s): Shantilal Vanmali Sheth
Publisher: Shantilal Vanmali Sheth

View full book text
Previous | Next

Page 213
________________ ૨૦૦ ધર્મ અને ધર્મનાયક યુવાનને યુવાને પગી, પ્રૌઢને પ્રોઢ પગી અને વૃદ્ધોને વૃદ્ધોપયોગી તથા બાળાઓને બાળોપયોગી, કન્યાઓને કપયોગી, યુવતીઓને યુવતી–ઉપયોગી, પ્રૌઢાઓને પ્રોઢ-ઉપયોગી અને વૃદ્ધાઓને વૃદ્ધાઉપયેગી શિક્ષાદીક્ષા આપવી, શિક્ષણની સાધનસામગ્રી પૂરી પાડવી અને બધી પ્રકારની શિક્ષાની સમુચિત વ્યવસ્થા કરી આપવી એ વિષે પ્રશાસ્તાસ્થવિરે ખાસ ધ્યાન આપવાની જરૂર છે; કારણકે જે બાળકને યુવાને પગી, યુવાનોને કિશોપયોગી, કુમારને વૃદ્ધોપયોગી અને વૃદ્ધોને બાળપયોગી શિક્ષા અને બાળાઓને યુવતી–ઉપયોગી, યુવતીઓને વૃદ્ધા-ઉપયોગી કે પ્રૌઢાઓને કુમારી-ઉપગી આ પ્રમાણે યોગ્યતાનુસાર શિક્ષાનું વિભાજન ન કરતાં બધાને એક જ શિક્ષાપ્રણાલીએ શિક્ષાદીક્ષા આપવામાં આવે તે શિક્ષામાં મેટે વિસંવાદ ઉભો થઈ જશે અને શિક્ષણનું સુંદર પરિણામ આવવાને બદલે અનિષ્ટ પરિણામ આવવાને પૂરેપૂરો સંભવ રહેશે શિક્ષણમાં જરા પણ વિસંવાદ ન આવે એ રીતે યોગ્યતાનુસાર શિક્ષાનું વિભાજન કરવું એ પ્રશાસ્તાઓનું મુખ્ય કર્તવ્ય છે. પ્રશાસ્તાઓનું બીજું મહત્ત્વનું કર્તવ્ય એ છે કે જેમ ઊગતી પ્રજાને માનસિક અને ધાર્મિક શિક્ષા આપવી જરૂરી છે તેમ તેમને શારીરિક-વાચસિક, ઔદ્યોગિક શિક્ષા પણ અવશ્ય આપવી જોઈએ. કેવળ માનસિક શિક્ષા આપવાથી શારીરિક અને વાચસિક શક્તિ વિકસિત થઈ શકતી નથી અને તેથી માનસિક શિક્ષા ફળતી પણ નથી. પ્રશાસ્તાઓનું ત્રીજું કર્તવ્ય એ છે કે, કુમાર-કુમારિકાઓને, બૌદ્ધિક શિક્ષાની સાથે ઔદ્યોગિક-શિક્ષા આપવાને પણ પ્રબંધ કરે જોઈએ. કારણકે બૌદ્ધિક શિક્ષા અને આદ્યોગિક શિક્ષાને જ્યારે સુમેળ મળશે ત્યારે શિક્ષાને વાસ્તવિક ઉદ્દેશ પાર પડશે. કેવળ બૌદ્ધિક શિક્ષા આપવાથી શિક્ષા એકાંગી-પાંગળી બની જશે. શિક્ષાનાં પ્રત્યેક અંગે સર્વાંગસંપૂર્ણ હેવાં જોઈએ.

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248