Page #1
--------------------------------------------------------------------------
________________
આકાશ ગંગા
-: આશીવદ :અધ્યાત્મયોગી પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. મધુરભાષી પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપ્રભસૂરીશ્વરજી મ.સા. પૂ.પં. શ્રી કલ્પતરુવિજયજી મ.સા.
- -: સંયોજન - સંપાદન :પૂજ્ય પંન્યાસજી શ્રી મુક્તિચંદ્રવિજયજી ગણિવર પૂજ્ય પંન્યાસજી શ્રી મુનિચંદ્રવિજયજી ગણિવર
-: સહાયક :પૂજ્ય મુનિશ્રી મુનિશ્રમણવિજયજી પૂજય મુનિશ્રી મુક્તિચરણવિજયજી
-: વિમોચન કર્તા :
શ્રીયુત રવજીભાઇ ધનજીભાઇ છેડા તા. ૨૪-૦૬-૨૦૦૭, મનફરા ચાતુર્માસ પ્રવેશ પ્રસંગ.
-: પ્રકાશન :શ્રી શાન્તિ જિન આરાધક મંડળ, મનફરા (શાન્તિનિકેતન) પો. મનફરા, તા. ભચાઉ, જી. કચ્છ, પીન - ૩૭૦ ૧૪૦.
-: આર્થિક સહાય :ધનજીભાઈ ડોસાભાઇ છેડાના સુકૃતોની અનુમોદનાર્થે...
- મંજુલાબેન રવજી ધનજી છેડા હ. રેખાબેન કેતન છેડા, અલ્પાબેન વિપુલ છેડા, ક્રિયા અને શ્રુત આદિ પરિવાર - ભચાઉ (કચ્છ), મુંબઇ.
Page #2
--------------------------------------------------------------------------
________________
| આકાશ ગંગા એટલે વિચાર ગંગા
# પુસ્તક : આકાશ ગંગા % સંયોજન - સંપાદન : પૂજ્ય પં. શ્રી મુક્તિચંદ્રવિજયજી પૂજ્ય પં. શ્રી મુનિચંદ્રવિજયજી # આવૃત્તિ : પહેલી : ઇ.સ. ૧૯૯૨, વિ.સં. ૨૦૪૯
બીજી : ઇ.સ. ૨૦૦૭, વિ.સં. ૨૦૬૩ # સંપર્ક સૂત્ર : ૧. ચંદ્રકાંત જે. વોરા
મહેતા ફર્નીચર, અરિહંત કોમ્પલેક્ષ, એસ. ટી. રોડ, પો. ભચાઉ (કચ્છ), પીન : ૩૭૦ ૧૪૦. ટીકુ સાવલા પોપ્યુલર પ્લાસ્ટીક હાઉસ ૩૯ બી, સીતારામ બિલ્ડીંગ, ડી. એન. રોડ, કેફોર્ડ માર્કેટ પાસે, મુંબઈ - ૪00 0૧.
ફોનઃ (૦૨૨) ૨૩૪૩૬૩૬૯, ૨૩૪૩૬૮૦૭, મો.૯૮૨૧૪૦૬૯૭૨ ૩. તેજસ પ્રિન્ટર્સ
૪૦૩, વિમલ વિહાર એપાર્ટમેન્ટ, ૨૨, સરસ્વતી સોસાયટી, જૈન મર્ચન્ટ સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ 99.
ફોન : (૦૭૯) ૨૬૬૦૧૦૪૫, મો. ૯૮૨૫૩ ૪૭૬ ૨૦ ૪. જસરાજ લૂંકડ
B. F. Jasraj Lunked N/3, Balkrishna Nagar, Po. Mannargudi (T.N.), Pin : 614 001. Ph. : (04367) 252479
પૃથ્વીની ગંગા શરીરના મેલને સાફ કરે, પણ મનની સફાઇ માટે કઇ ગંગા છે ? એ ગંગા છે : આકાશ ગંગા ! આકાશ ગંગા એટલે વિચાર ગંગા !
માણસના પગ ધરતી પર છે, પણ માથું આકાશમાં છે. આકાશમાં રહેલા એ મસ્તકમાં જો શુભ વિચારો પેદા થાય તો ખરેખર એ વિચારો જ એના માટે ગંગા બની જાય. શુભ વિચારો સિવાય પાપને હરનારી બીજી કઇ ગંગા છે ?
મનમાં શુભ અધ્યવસાયોને પેદા કરનાર અનેક વિચારબિંદુઓ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે. એના મનન દ્વારા ભવ્યાત્માઓ પોતાના મનના ગગનમાં એવી ગંગા પેદા કરે કે જેથી તેઓ પોતે જ નહિ, તેમના સમાગમમાં આવનારા બીજા પણ પ્રસન્ન અને પવિત્ર બને.
વિ.સં. ૨૦૪૯, અમદાવાદ (નવરંગપુરા) ચાતુર્માસમાં નવરંગપુરા સંઘના ભાઇઓના સહયોગથી આ પુસ્તક પ્રગટ થયેલું. ત્યાર પછી ઘણા જિજ્ઞાસુઓ તરફથી માંગ ચાલુ રહેતા બીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે છે.
આ પુસ્તકના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપનાર શ્રીયુત રવજીભાઇ ધનજીભાઇ ડોસા છેડા (ભચાઉ-કચ્છ) પરિવાર ધન્યવાદાઈ છે.
મનફરા, શાન્તિનિકેતન, તા. ભચાઉ, જી. કચ્છ, પીન : ૩૩૧૪.
- પં. મુક્તિચંદ્રવિજય
- . મુનિચંદ્રવિજય વિ.સં. ૨૦૬૩, ચૈત્ર સુદ-૯, મંગળવાર, તા. ૨૭-૦૩-૨૦0૭,
મનફરા (કચ્છ)
€ મુદ્રકે :
Tejas Printers 403, Vimal Vihar Apartment, 22, Saraswati Society, Nr. Jain Merchant Soc., Paldi, AHMEDABAD - 380 007. Phi : (079) 26601045 • M. 98253 47620
Page #3
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
0 a
••• ૧૩૮
=
સા
કરૂણા
........
૧૫૮
• ૧પ૯
ક્રમ વિષય
પાના નંબર ૨૩. વિવિધ ચિતન ...................................... ૧૦૩ ૨૪. જ્ઞાન .........
.................................... ૧૧૮ ૨૫. ગુરૂ .......... ૨૬. સંગ ................................................. ૧૩૩ ૨૭. કષાય . • • • • • • • • • •...................................* * * * * * * * ૧૩૪ ૨૮. ક્રોધ ...
૧૩૬ ૨૯. ક્ષમા ૩૦. સંગઠન – મૈત્રી – પ્રેમ .. દયા - કરૂણા ..
૧૫૭ ૩૨. અભિમાન ૩૩. નમ્રતા . ૩૪. લોભ - તૃષ્ણા - પરિગ્રહ .. ૩૫. દાન . ૩૬. નિંદા
નિંદા ............... ૩૭. ધર્ય - ઉતાવળ ... ૩૮, ગુણ – દોષ ૩૯.
.............. ૪૦. સાદુવાદ ,
સત્ત્વ ........ ૪૨. સાર ..
.............. ૪૩. બાળક , મન * * * *
.............. ૪૫. ભય ..........
............. ૪૬. દુ:ખ .........
.............
ક્રમ વિષય
પાના નંબર ૧. શ્રાવક ................................. ............. ૨. ધર્મ-શ્રવણ ........... ૩. ધર્મ અનુષ્ઠાન ......... ૪. પર્યુષણા કર્તવ્ય .......... ૫. સમ્યકત્વ-મિથ્યાત્વ .......... ૬. તપ ............ ૭. આરોગ્ય - ભૂખ – બળ ......... ૮. સંયમ
૯. વાણી – મૌન ........... ૧૦. ઉપદેશ .... ૧૧. માનવ .. ૧૨. જીવન ..... ૧૩. આયુષ્ય . ૧૪. દેવ......... ૧૫. નરક ...... ૧૬. પાપ....... ૧૭. પ્રતિજ્ઞા . ૧૮. ચારિત્ર ૧૯, ભક્તિ ................ ૨૦. નવપદ ૨૧. જાપ – ધ્યાન - યોગ .. ૨૨. ભાવના ..............
......
છે
છે
8
S
$
કર્મ + * * * * * * * *
$
$
$
6
6
6
Page #4
--------------------------------------------------------------------------
________________
પાના નંબર
૨૦૭
ક્રમ વિષય ૪૭. મહત્તા ..... ૪૮. નારી .......... ૪૯. લોકસંજ્ઞા ૫૦. નીતિ , ૫૧. પ્રકીર્ણક...... પ૨, રૂપક પ૩. કાવ્ય ...... પ૪. પદ્ય ...
• સાહિત્યને આવકાર .
Page #5
--------------------------------------------------------------------------
________________
૧. શ્રાવક
શ્રાવકના ત્રણ મનોરથો : ૧. ક્યારે હું થોડો કે ઘણો પરિગ્રહ છોડીશ? ૨. ક્યારે હું ગૃહવાસ છોડી અણગાર બનીશ ? ૩. ક્યારે હું સંલેખના દ્વારા (મરણની ઇચ્છા વિના) મૃત્યુને મંગળમય બનાવીશ ?
- હાસંગ ૩/૪/ર ૧0 * શ્રાવકના ચાર પ્રકાર : ૧. દર્પણ સમાન : મુનિએ બતાવેલા તત્ત્વનું તે રીતે જ
પ્રતિપાદન કરનાર. (દર્પણમાં મૂળ પુરુષ જેવું જ પ્રતિબિંબ પડે છે તેમ.) પતાકા સમાન : ધજાની જેમ આમ-તેમ ડોલતા,
અસ્થિર મનવાળા. ૩. સ્થાણુ સમાન : સૂકા લાકડાની જેમ કઠોર, પોતાનો
કદાગ્રહ નહિ છોડનાર. ૪. કંટક સમાન : સમજાવ્યા છતાં ન સમજનાર અને કુવચનરૂપી કાંટા ભોંકનાર.
- ઠાસંગ ૪/૩/૩૨૧ ક ચાર પ્રકારના શ્રાવકો : ૧. માતા-પિતા સમાન : માતા-પિતાની જેમ વાત્સલ્યથી
એકાંતમાં સાધુઓને સજાગ રાખનારા. ૨. ભાઇ સમાનઃ સાધુઓને પ્રમાદી જોઇ દેખાવથી ક્રોધ કરે, પણ હૃદયમાં હિત જ ઇચ્છનારા.
ન આકાશગંગા • ૧ -
#1 #.
PROOF : 2 (PAGE:HTo150) (DATE:13-04-07)
Page #6
--------------------------------------------------------------------------
________________
૩. મિત્ર સમાન : સાધુઓના દોષોની ઉપેક્ષા કરી માત્ર
ગુણ જ જોનારા. ૪. શોક્ય સમાનઃ સાધુઓના ગુણોમાં પણ દોષ જોનારા.
- હાણંગ ૪/૩/૩૨ ૧ - શ્રાવકના ચાર નિક્ષેપા : ૧. નામ શ્રાવક: માત્ર નામથી જ શ્રાવક, દા.ત. કોઇનું
નામ “શ્રાવક' હોય. ૨. સ્થાપના શ્રાવક : શ્રાવકની મૂર્તિ, ચિત્ર વગેરે. ૩. દ્રવ્ય શ્રાવક : શ્રાવકનો ભૂત-ભાવિ પર્યાય. ૪. ભાવ શ્રાવક : શ્રાવકના વાસ્તવિક ગુણોથી યુક્ત
શ્રાવક. છેભાવ શ્રાવકના ત્રણ પ્રકાર : ૧. દર્શન શ્રાવકઃ કૃષ્ણ-શ્રેણિકની જેમ અવિરત સમ્યગ્દષ્ટિ. ૨. વ્રતી શ્રાવક : પાંચ અણુવ્રતધારી. ૩. ઉત્તરગુણી શ્રાવક : સંપૂર્ણ બાર વ્રતધારી.
- શ્રાદ્ધવિધિ ગાથા-૪ છે તથાકથિત શ્રાવક : ચૌદહ ચૂકા બારહ ભૂલા, છ કાયકા ન જાના નામ; સારે ગાંવ મેં ઢંઢેરો પીટા, શ્રાવક હમારા નામ. (ચૌદ નિયમ, બાર વ્રત, છ કાય પૃથ્વીકાય આદિ.) ભાર વાહક મજૂરના ચાર વિશ્રામ : ૧. એક ખભાથી બીજા ખભા પર ભાર નાખવો. ૨. ભાર ઉતારીને લઘુનીતિ, વડીનીતિના કાર્ય પતાવવા. ૩. સાંજ પડતાં ભાર મૂકીને ધર્મશાળા આદિમાં રાત ગાળવી. ૪. મંઝિલ પ્રાપ્ત કરીને ભારથી સંપૂર્ણ મુક્ત થવું.
| આકાશગંગા • ૨ -
છે તે રીતે શ્રાવકોના પણ ચાર વિશ્રામ છે : ૧. પ્રથમ વિશ્રામ : પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત,
નવકારશી આદિ પચ્ચક્ખાણ સ્વીકારે તથા આઠમચૌદસ આદિ દિવસોએ ઉપવાસ આદિ કરે ત્યારે. દ્વિતીય વિશ્રામ : સામાયિક અને દેશાવકાશિક વ્રતનું
પાલન કરે ત્યારે. ૩. તૃતીય વિશ્રામ : આઠમ, ચૌદસ આદિ દિવસોમાં
અહોરાત્રિ, પૌષધ કરે ત્યારે. ૪. ચતુર્થ વિશ્રામ : મારણાન્તિક સંલેખના કરી માવજજીવ અનશન સ્વીકારી મરણની ઇચ્છા ન રાખે ત્યારે.
- ઠાણંગ ૪/૩/૩૧૪ શ્રાવકના એકવીસ ગુણો : અશુદ્ર, રૂપવાન, સૌમ્ય, લોકપ્રિય, અર, પાપભીરૂ, અશઠ (નિષ્કપટ), દાક્ષિણ્યયુક્ત, લજજાવાન, દયાળુ, મધ્યસ્થ , સૌમ્યર્દષ્ટિ, ગુણરાગી, સત્કર્થક (સારી કથા-વાત કહેનારો), ધાર્મિક પરિવારવાળો, દીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુયાયી, વિનીત, કૃતજ્ઞ, પરોપકારી, ધ્યેયનિષ્ઠ.
- ધર્મરત્વ પ્રકરણ શ્રાવક એટલે ? શ્રા : શ્રદ્ધા - સભ્ય દર્શન. વ : વિવેક – સમ્યગુ જ્ઞાન. ક : ક્રિયા - સમ્યકુ ચારિત્ર. રત્નત્રયીનો આરાધક તે શ્રાવક. શ્રી : શ્રદ્ધા વધારે, તત્ત્વચિંતન દ્વારા. વ : વાવે - સુપાત્રમાં ધનની વાવણી કરે. કે : કાપે – સુસાધુની સેવાથી કમને કાપે.
ને આકાશગંગા • ૩ -
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના નવ અલંકારો : (આધ્યાત્મિક અલંકારશાસ્ત્ર) cછે નિવૃત્તિમય ત્રણ અલંકારો :
૧. સામાયિક ૨. પ્રતિક્રમણ
૩. પૌષધ » પ્રવૃત્તિમય ત્રણ અલંકારો :
૧. પૂજા ૨. સ્નાત્ર
૩. યાત્રા Cછે આવૃત્તિમય ત્રણ અલંકારો :
૧. દાન ૨. જ્ઞાન ૩. તપ
યોગ્ય શ્રોતા :
ભક્ત, નિરભિમાની, શ્રવણ રૂચિવાળો, ચંચળતા રહિત, નિપુણ , પ્રશ્નને સમજનારો, બહુશ્રુત, અપ્રમાદી, નિંદાન કરનાર, જિતેન્દ્રિય, વિદ્વાન, દાતા, વ્યર્થ વાત ન કરનાર, ગુણગ્રાહી.
ત્રણ પ્રકારની સભા : ૧. જ્ઞાયિકા : હંસની માફક ગુણગ્રાહી. ૨. અજ્ઞાયિકા : મૃગબાળ, સિહબાળ કે કુર્કટબાળની જેમ
પ્રકૃતિથી ભદ્રિક. સહજમાં સમજી જાય તેવી . ૩. દુર્વિદગ્ધા : ગ્રામીણની જેમ ન જાણે, ન પૂછે.
ફૂટબોલની જેમ અભિમાનથી ફૂલાઈને ભટકે.
ધર્મશ્રવણ માટે અયોગ્ય. વિવિધ પ્રકારના શ્રોતા : ૧. પાષાણઃ પત્થર જેવો. સાંભળે, ભણે, પણ પાપબુદ્ધિ
ન છોડે. ૨. કાણાવાળો ઘડો : કાણામાંથી પાણી નીકળી જાય, તેમ
તેનામાંથી સાંભળેલું નીકળી જાય, તરત જ ભૂલી જાય. ૩. ઘેટું : ઘેટું પોતાના પાલકને જ માથું મારે. આવા શ્રોતા
પોતાના જ્ઞાનદાતા ગુરુનું જ બૂરૂં ચિંતવે. ૪. મસક : બહારથી જોતાં પાણીથી ભરેલી લાગે, પણ
અંદર તો હવા જ ભરેલી હોય. તેમ કેટલાક શ્રોતા બહારથી ધર્મિષ્ઠ લાગે, પણ અંદરથી ધર્મ ઇચ્છારહિત
તથા ક્રોધાદિથી ભરેલા. ૫. સર્પ દૂધ પીવડાવે તોય સાપ ઝેર જ બનાવે, તેમ ગમે તેટલું સારું જ્ઞાન આપો છતાં અવળો અર્થ લે તે.
ન આકાશગંગા • ૫ |
૨. ધર્મ-શ્રવણ
આ ત્રણ પ્રકારના શ્રોતા : ૧. પત્થરની ઢીંગલી જેવા : વાણીનું પાણી અંદર જરાય
ઉતરે નહિ.
વસ્ત્રની ઢીંગલી જેવાઃ થોડુંક ઉતરે, પણ પછી સૂકાઇ જાય. ૩. સાકરની ઢીંગલી જેવા : વાણીના પાણીમાં એવા ઓગળી જાય કે શોધ્યા પણ ના પડે !
| આકાશગંગા • ૪ |
Page #8
--------------------------------------------------------------------------
________________
૬. પાડો : પાડો સરોવરનું પાણી ડહોળી નાખે, તેમ
કેટલાક શ્રોતા ખોટા બરાડા પાડી સભા ડહોળી નાખે. આ છ મહા અશુભ છે. હવે છ પ્રકાર મિશ્રના ૧. બિલાડો ઃ દૂધ ઢોળીને પીએ, તેમ ઉપદેશકનું અનિષ્ટ
ચિંતવી સાંભળે. બગલો : બહારથી ઊજળો, અંદરથી મેલો, તેમ બહારથી વિનય બતાવી અંદરથી મલિન રહી સાંભળે. પોપટ: પરમાર્થ જાણ્યા વિના બોલાવીએ તેમ બોલે,
તેમ માત્ર ગોખેલું જ બોલનારો શ્રોતા. ૪. માટી: પાણી મળે ત્યાં સુધી ભીની, પાણી સૂકાયા સૂકી,
તેમ કેટલાક શ્રોતા સાધુનો સંગ મળે ત્યાં સુધી કોમળ... પણ તે જતાં જ પાછા હતા તેવાને તેવા જ - કઠોર ! ડાંસ : ચટકા ભરે તેમ કોઇ શ્રોતા અન્ય શ્રોતા સાથે
ઝગડી પડે. સભાને ખેદ પેદા કરાવે. ૬. જળોઃ અશુદ્ધ લોહી પીએ, તેમ જે માત્ર છીછરી વાતો
જ યાદ રાખે, તત્ત્વજ્ઞાન નહિ. ઉત્તમ શ્રોતાના ત્રણ પ્રકાર : ૧. ગાય : થોડું ઘાસ ખાઇને પણ દૂધ આપે, તેમ થોડું
સાંભળીને પણ વક્તાનો ઉપકાર માને. ૨. બકરી: નીચી નમીને ડહોળ્યા વિના પાણી પીએ, તેમ
વાતો કર્યા વિના શાંતિથી સાંભળે. ૩. હંસ : પાણી છોડીને માત્ર દૂધ જ પીએ, તેમ સાર ગ્રહણ કરે.
| આકાશગંગા • ૬ -
ધર્મ શ્રવણ બે કારણે મળે : ૧. કર્મના ક્ષયથી. ૨. કર્મના ઉપશમથી.
- હાસંગ ૨/૪ ક ધર્મ શ્રવણનું ફળ : ધર્મ શ્રવણથી તત્ત્વજ્ઞાન, તત્ત્વજ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી વિરતિ (પચ્ચક્ખાણ), વિરતિથી સંયમ, સંયમથી અનાશ્રવ, અનાશ્રવથી તપ, તપથી કર્મક્ષય, કર્મક્ષયથી મોક્ષ.
- ભગવતી ૨/૫ જ શ્રવણ વિધિ : cછે નિદ્રા, વિકથાનો ત્યાગ કરવો. છે મન, વચન, કાયાનું ગોપન કરવું. * બે હાથ જોડવા. Cછે ચેતનાને જાગૃત રાખવી. છે હૃદયમાં બહુમાન રાખવું.
- વિશેષાવશ્યક ૭૦૭ બુદ્ધિના આઠ ગુણ : ૧. શુશ્રુષા : સાંભળવા ઇચ્છવું. ૨. શ્રવણ : સાંભળવું. ૩. ગ્રહણ : સમજવું.
| આકાશગંગા .
Page #9
--------------------------------------------------------------------------
________________
૪.
ધારણ : યાદ રાખવું.
૫. ઊહા : યુક્તિપૂર્વક વિચારવું.
૬.
અપોહ : અયુક્તનું ખંડન કરવું.
૭.
અર્થ વિજ્ઞાન : અર્થબોધ કરવો.
૮.
* ત્રણને સમજાવવા મુશ્કેલ :
૧. દુષ્ટને ઃ જ્ઞાનીઓના દ્વેષીને.
૨. મૂઢને ઃ ગુણ-દોષ નહિ સમજી શકનારને. ૩. વ્યુાહિતને : કુગુરુથી ભરમાવાયેલાને.
તત્ત્વજ્ઞાન : તત્ત્વની સમજ સ્થિર કરવી.
- ઠાણુંગ
* સાંભળેલું વિચારો :
કાન સાંભળવા માટે, જીભ બોલવા માટે અને બુદ્ધિ વિચારવા માટે મળી છે. જે સાંભળેલું વિચારતો નથી, તેને સફળતા ક્યાંથી મળે ?
***
૩. ધર્મ અનુષ્ઠાત
* પાંચ પ્રકારના અનુષ્ઠાનો :
૧. વિષ અનુષ્ઠાન : આ લોક (કીર્તિ, લબ્ધિ આદિ)ની ઇચ્છાથી કરવામાં આવતું ધાર્મિક અનુષ્ઠાન. ૨. ગરલ અનુષ્ઠાન : પરલોક (સ્વર્ગાદિ)ની ઇચ્છાથી કરવામાં આવતું અનુષ્ઠાન. વિષ (સાપનું ઝેર) તત્કાળ મારે છે. ગરલ (હડકાયા કૂતરાનું ઝેર) કાલાંતરે મારે છે, તેમ આ લોકની ઇચ્છાથી થતો ધર્મ અહીં જ ભાવપ્રાણની કતલ કરે છે અને પરલોકની ઇચ્છાથી થતો ધર્મ પરલોકમાં (કાલાંતરે) કતલ કરે છે. - આકાશગંગા • ૮
૩. અનનુષ્ઠાન : ભાવ-ઉપયોગ શૂન્ય સમ્મશ્ચિમ તુલ્ય અનુષ્ઠાન.
૪. તદ્ભુતુ અનુષ્ઠાન : મોક્ષની ઇચ્છાથી આદરપૂર્વક કરાતું અનુષ્ઠાન.
અમૃત અનુષ્ઠાનઃ મોક્ષની ઇચ્છાથી અત્યંત આદરપૂર્વક કરાતું, વિસ્મય, રોમાંચ, આનંદ અને ભાવોલ્લાસ વૃદ્ધિથી વ્યક્ત થતું અત્યંત પરિશુદ્ધ અનુષ્ઠાન. - યોગબિન્દુ
૫.
* આરાધનાના પાંચ સોપાન :
૧.
પ્રણિધાન : રોમ-રોમમાં ધર્મારાધનાની રૂચિ. ૨. પ્રવૃત્તિ : ધર્મારાધનામાં પ્રવૃત્તિ કરવી. વિઘ્નજય : વચ્ચે આવતા વિઘ્નોને જીતવા.
૩.
૪. સિદ્ધિ : આરાધનાને જીવનમાં આત્મસાત્ કરવી. વિનિયોગ : એ આરાધનાનું બીજાને દાન કરવું. - પૂ. હરિભદ્રસૂરિ (ષોડશક)
૫.
* પાંચ પ્રતિક્રમણ :
2.
૧. આશ્રવદ્વાર પ્રતિક્રમણ : હિંસા આદિથી અટકવું તે. મિથ્યાત્વ પ્રતિક્રમણ : મિથ્યાત્વથી હટી સમ્યક્ત્વમાં આવવું.
૩.
કષાય પ્રતિક્રમણ : કષાયથી હટી અકષાયમાં આવવું. ૪. યોગ પ્રતિક્રમણ : અશુભ મન આદિ યોગોથી હટી શુભયોગમાં આવવું.
૫. ભાવ પ્રતિક્રમણ : બીજીવાર તે દોષોનું સેવન ન કરવું તે. (મિચ્છામિ દુક્કડં આપ્યા પછી ફરી જો એ જ દુષ્કૃત ચાલુ રહે તો તે દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય.)
આકાશગંગા . ૯
- ઠાણંગ ૫/૩/૪૬૭
Page #10
--------------------------------------------------------------------------
________________
છે ઉપોસથ અને પૌષધ :
બૌદ્ધ લોકોની પરંપરામાં ‘ઉપોસથ' કરવાનું વિધાન છે. અનેક બૌદ્ધો આઠમ, ચૌદસ, અમાસ, પૂનમ વગેરે દિવસોએ ‘ઉપોસથ’ કરતા હતા. ઉપોસથમાં નીચે બતાવેલા આઠ શીલનું પાલન કરવાનું હોય છે.
૧. પ્રાણાતિપાત વિરતિ, ૨. અદત્તાદાન વિરતિ, ૩. કાય ભાવના વિરતિ. ૪. મૃષાવાદ વિરતિ. ૫. માદક દ્રવ્યોનું સેવન નહિ કરવું. ૬. વિકાલ ભોજન ત્યાગ. ૭. નૃત્ય, ગીત, શરીર વિભૂષાનો ત્યાગ. ૮. ઉંચું આસન તથા કોમળ પથારીનો ત્યાગ.
- પેટાવત્યુ અટ્ટકથા ગા. ૨૦૯ (વિનય પિટક મહાવજઝા) (આ ‘ઉપોસથ' તે જૈનોના પૌષધનું અનુસરણ હોય તેવું નથી લાગતું?) - સામાયિકના બત્રીસ દોષ : છે દસ મનના : અવિવેક, યશ-કીર્તિ, લાભની ઇચ્છા,
ગર્વ, ભય, નિદાન, સંશય, રોષ, અવિનય, અબહુમાન. દસ વચનના : કુવચન, સહસાકાર, સ્વચ્છંદ, સંક્ષેપ, કલહ, વિકથા, હાસ્ય, અશુદ્ધ, નિરપેક્ષ, મુશ્મન (અસ્પષ્ટ વાણી). બાર કાયાના : કુઆસન, ચલ આસન, ચલ દૃષ્ટિ, સાવદ્ય ક્રિયા, આલંબન, આકુંચન પ્રસારણ, આળસ, અંગ મરડવા, મળ, વિમાસન, નિદ્રા, વેયાવચ્ચ.
આકાશગંગા • ૧૦ |
સામાયિકના પાંચ અતિચાર : ૧. મનની દુષ્ટ પ્રવૃત્તિ. ૨. વચનની દુષ્ટ પ્રવૃત્તિ. ૩. કાયાની દુષ્ટ પ્રવૃત્તિ. ૪. સામાયિકનું સ્મરણ ન રહેવું. ૫. સામાયિકને અવ્યવસ્થિત કરવું. સાચું સામાયિક : સર્વ જીવો પર સમતા, પાંચ ઇન્દ્રિયોનો સંયમ, શુભ ભાવનાથી ભરેલું હૃદય, આ-રૌદ્ર ધ્યાનનો ત્યાગ – આવા ગુણોપૂર્વક કરવામાં આવે તે સાચું સામાયિક છે. ધર્મથી શું શું ઘસાય ? છે સંસાર ઘસાય તેનું નામ ધર્મ. છે પૈસો (મૂચ્છ) ઘસાય તે દાન. cછે વાસના ઘસાય તે શીલ. ca ઇચ્છા ઘસાય તે તપ. Cછે મનની કુવૃત્તિ ઘસાય તે ભાવ. અહિંસા - સંયમ - તપ : Cછે પોતાના પ્રત્યે કઠોર રહેવું તે “તપ”. Cછે બીજા પ્રત્યે કોમળ રહેવું તે “અહિંસા'. cછે પોતાના પ્રત્યે કઠોર અને બીજા પ્રત્યે કોમળ રહેવું
તે ‘સંયમ'. જ ધર્મની ભિન્ન-ભિન્ન વ્યાખ્યા :
છે વ્યવહારમાં દુર્ગતિમાં પડતાને ધારી રાખે તે ધર્મ. Cછે પાંચમાં ગુણસ્થાનકે જયણાએ ધર્મ,
ન આકાશગંગા • ૧૧
Page #11
--------------------------------------------------------------------------
________________
છે છઠ્ઠા ગુણસ્થાનકે આણાએ ધર્મ, છે સાતમા ગુણઠાણે ઉપયોગે ધર્મ, છે આઠથી ૧૨ ગુણઠાણે અહિંસા, સંયમ, તપ તે ધર્મ. છે તેમાં ગુણઠાણે મોહક્ષયે ધર્મ.
છે ચૌદમાં ગુણઠાણે વત્થસહાવો ધમ્મો. જ જરૂરી છે :
છે સ્વામિત્વ માટે સૌજન્ય. એ તપ માટે ક્ષમા. છે સામર્થ્ય માટે સહનશીલતા. a ધર્મ માટે નિષ્કપટતા. ધર્મથી સાત ચીજ વધે : ૧. આયુષ્ય ૨. યશ ૩. પ્રજ્ઞા
સુખ ૫, સંપત્તિ ૬. સંતાન ૭. સુકૃત પાંચ પ્રકાર ચૂર્ણ : ૧. પૂજા ૨. પચ્ચક્ખાણ ૩. પ્રતિક્રમણ ૪. પૌષધ ૫. પરોપકાર
| આકાશગંગા • ૧૨ |
* માનવ જન્મમાં આઠ ફળ : ૧. પૂજયની પૂજા ૨. દયા ૩. દાન ૪. તીર્થયાત્રા ૫. જપ ૬. તપ ૭. શ્રુતજ્ઞાન ૮. પરોપકાર વિજ્ઞાન : cછે ટી.વી. આદિથી આંખનો વિષય વધાર્યો. ce રેડિયો આદિથી કાનનો વિષય વધાર્યો. Cછે કેક્યુલેટર, કોમ્યુટર આદિથી મગજનો વિષય વધાર્યો. cછે ટ્રેન-પ્લેન આદિથી પગ (યાત્રા)નો વિષય વધાય. છે પ્રિન્ટીંગ પ્રેસ આદિ મશીનોથી હાથનો વ્યાપ વધાર્યો.
આ પ્રમાણે વિજ્ઞાને બધું જ કર્યું, પણ છતાંય રોગ, જરા અને મૃત્યુ હજુ એમને એમ ઊભા છે એનું શું ?
ધર્મસિદ્ધિના લિંગો : cછે ઔદાર્ય
છે દાક્ષિણ્ય Cછે પાપ જુગુપ્સા છે નિર્મલ બોધ cછે લોકપ્રિયતા
- પૂ. હરિભદ્રસૂરિ (ષોડશક)
આકાશગંગા • ૧૩ -
Page #12
--------------------------------------------------------------------------
________________
પશુતાના નાશ માટે પાંચ કર્તવ્ય : ૧. અમારિ પ્રવર્તન : ક્રૂરતારૂપ પશુતાને નાથવા માટે. ૨. સાધર્મિક ભક્તિ સ્વાર્થોધતારૂપ પશુતાને ઓગાળવા
માટે. ૩. ક્ષમાપના : દુશ્મનાવટરૂપ પશુતાને હણવા માટે. ૪. તપ : આસક્તિરૂપ પશુતાનો નાશ કરવા માટે, ૫. ચૈત્યપરિપાટી: અહંકારરૂપ પશુતાનો છેદ ઉડાડવા માટે.
[ ૫. સમ્યકત્વ-
મિથ્યાત્વી
( ૪. પર્યુષણા કર્તવ્યો પર્યુષણાના પાંચ કર્તવ્ય : ૧. અમારિ પ્રવર્તન : હિંસાની આગ ઠારે. ૨. સાધર્મિક ભક્તિ : સ્વાર્થની આગ શમાવે. ૩. ક્ષમાપના : વેરની આગ શમાવે. ૪. અમનો તપ : સ્વાદની આગ શમાવે. ૫. ચૈત્ય પરિપાટી : અહંકારની આગ બુઝાવે. પાંચ કર્તવ્ય - પાંચ પરમેષ્ઠી : ૧. અમારિ પ્રવર્તન : મારું બરાબર પાલન કરવું હોય તો
સાધુ બની જાવ. કારણ કે સંપૂર્ણ અહિંસા સાધુ જ પાળી શકે છે. સાધર્મિક ભક્તિ: મારું સારી રીતે પાલન કરવું હોય તો ઉપાધ્યાયની ઉપાસના કરો. તેઓ સાધુઓને ભણાવતા રહીને કેવી સુંદર સાધર્મિક-ભક્તિ કરી રહ્યા છે. સાધુ
તેમના સાધર્મિક છે. અન્નદાનથી જ્ઞાનદાન મહાન છે. ૩. ક્ષમાપના : આચાર્ય ભગવંતની આરાધનાથી મારું
પાલન સારી રીતે થઇ શકે. આશ્રિતોની ભૂલ અંગે ટોકવા છતાં જે ક્ષમાશીલ રહી શકે, તે જ આચાર્ય
બની શકે. ૪. તપ : મારું પાલન કરવું હોય તો સિદ્ધ બની જાવ.
સિદ્ધો સદા માટે અણાહારી છે. ૫. ચૈત્ય પરિપાટી : સાચા અર્થમાં પ્રભુના દર્શન કરવા
હોય તો પ્રભુ બની જાવ. ‘દેવો ભૂત્વા દેવ યજેતુ’ જે દેવ બને છે, તે જ દેવને ઓળખી શકે, પૂજી શકે.
| આકાશગંગા • ૧૪ }
પાંચ મિથ્યાત્વ : ૧. આભિગ્રહિક : મિથ્યા ધર્મને સત્ય માનવો. જેમ કે
ખોટા રૂપિયાને પણ સાચો માનવો. ૨. અનાભિગ્રહિક : મિથ્યા ધર્મ અને સત્ય ધર્મ – બધાને
સમાન માનવા ! જેમકે ખોટા-સાચા રૂપિયા – બંનેને
સાચા માનવા ! ૩. આભિનિવેશિક : જાણવા છતાં અસત્યને ન છોડવું.
જેમ કે રિઝર્વ બેન્કની સહી વિનાના રૂપિયાને રૂપિયો
માનવો. ૪. સાંશયિક : સત્ય - ધર્મમાં પણ શંકા રાખવી, જેમકે
સાચા રૂપિયામાં પણ ખોટાની શંકા રાખવી ! ૫. અનાભોગિક : સત્ય કે અસત્યની જાણકારી જ ન
હોવી. જેમકે ભારતીય માણસને જાપાની યેન કે રશિયાના રૂબલ વિષે માહિતી ન હોય.
| આકાશગંગા • ૧૫
Page #13
--------------------------------------------------------------------------
________________
* શ્રદ્ધા પ્રમાણે ફળ :
છે મંત્ર અને ઔષધિમાં છે દેવ અને ગુરુમાં છે જયોતિષ અને સ્વપ્નમાં શ્રદ્ધા પ્રમાણે ફળ મળે છે.
ઉ. ત૫
દસ મિથ્યાત્વ : Cછે અધર્મમાં ધર્મ બુદ્ધિ અને ધર્મમાં અધર્મ બુદ્ધિ. છે ઉન્માર્ગમાં માર્ગની બુદ્ધિ અને માર્ગમાં ઉન્માર્ગની બુદ્ધિ. Cછે અજીવમાં જીવની બુદ્ધિ અને જીવમાં અજીવની બુદ્ધિ. છે અસાધુમાં સાધુની બુદ્ધિ અને સાધુમાં અસાધુની બુદ્ધિ. છે અમુક્તમાં મુક્તની બુદ્ધિ અને મુક્તમાં અમુક્તની બુદ્ધિ.
- ઠાણંગ ૧0/૭૩૪ શ્રદ્ધા રાખો : Cછે પ્રભુ પર છે ગુરુ પર છે વિદ્યાદાતા પર છે નિર્મળ કાર્ય પર » ધ્યેય પર Cછે આત્મા પર જ સમ્યકત્વના દસ ભેદ : ૧. નિસર્ગચિ ૨. આજ્ઞા રૂચિ ૩. ઉપદેશ રૂચિ ૪. સૂત્ર રૂચિ ૫. બીજ રૂચિ ૬. અભિગમ રૂચિ ૭. વિસ્તાર રૂચિ ૮. સંક્ષેપ રુચિ ૯, ક્રિયા રૂચિ ૧૦. ધર્મ રૂચિ
- ઉત્તરાધ્યયન ૨૮/૧૬ ન આકાશગંગા • ૧૬ |
* ઉપવાસ પહેલા ત્રણ ન કરો : ૧. ગરિષ્ઠ ભોજન ૨. અધિક ભોજન
૩. ચટપટુ સ્વાદિષ્ટ ભોજન * ઉપવાસમાં ત્રણ ન કરો :
૧. ક્રોધ ૨. અહંકાર ૩. નિંદા ઉપવાસમાં ત્રણ અવશ્ય કરો : ૧. બ્રહ્મચર્ય ૨. આત્મસ્વરૂપ ચિંતન ૩. સ્વાધ્યાય કે જાપ ત્રણને ઉપવાસ ન કરાવો : ૧. દુર્બળ રોગી ૨. ધાવણું બાળક ૩. ગર્ભવતી સ્ત્રી
ને આકાશગંગા • ૧૦ |
Page #14
--------------------------------------------------------------------------
________________
* વિવિધ તપ :
→ શારીરિક તપ : દેવ, ગુરુ, જ્ઞાની આદિની પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા વગેરેનું પાલન. વાચિક તપ : બીજાને ઉદ્વેગ ન થાય તેવી, સત્ય, પ્રિય, હિતકારી વાણી બોલવી તથા સુસાહિત્યનું અધ્યયન કરવું તે.
માનસિક તપ : મનની પ્રસન્નતા, શાંત સ્વભાવ, મૌન, આત્મસંયમ અને ભાવોની પવિત્રતા રાખવી તે. સાત્ત્વિક તપ : આ ત્રણેય તપ જો ભૌતિક ફળની ઇચ્છા વિના નિઃસ્પૃહ ભાવે કરવામાં આવે તો તે ‘સાત્ત્વિક’ કહેવાય છે.
રાજસ તપ : માન-સન્માન-પૂજા વગેરેની ઇચ્છાથી દંભપૂર્વક તપ કરવામાં આવે તે. (તેનાથી ક્ષણિક સુખ મળે છે.)
તામસ તપ : હઠાગ્રહથી માત્ર શરીરને કષ્ટ આપવું અથવા તો બીજાનો સત્યાનાશ વાળવા તપ કરવો તે.
ગીતા ૧૭
* તપથી...
તપથી સત્ત્વ વધે છે. સત્ત્વથી મન વશ થાય છે. મન વશ થતા આત્મા મળે છે અને આત્મા મળી જતાં સંસારથી છૂટકારો થઇ જાય છે.
- મૈત્રાયણી અરણ્યક ૧/૪
* દસ પચ્ચક્ખાણ :
૧.
રૂ.
અનાગત પ્રત્યાખ્યાન
અતિક્રાન્ત પ્રત્યાખ્યાન
આકાશગંગા • ૧૮
૩.
૪.
૫.
કોટિ સહિત પ્રત્યાખ્યાન
નિયંત્રિત પ્રત્યાખ્યાન
સાગાર પ્રત્યાખ્યાન
€.
અનાગાર પ્રત્યાખ્યાન
૭. પરિમાણકૃત પ્રત્યાખ્યાન ૮. નિરવશેષ પ્રત્યાખ્યાન સંકેત પ્રત્યાખ્યાન
૯. ૧૦. અઢા પ્રત્યાખ્યાન
* કાળની અપેક્ષાએ દસ પચ્ચક્ખાણ :
૧. નવકારસી
૨. પોરસી
૩.
પુરિમâ
૪.
એકાસણું
૫. એકલઠાણું
૬.
આયંબિલ
૭.
ઉપવાસ
૮.
૯.
ચરમ પચ્ચક્ખાણ અભિગ્રહ પચ્ચક્ખાણ ૧૦. નીવી
* કર્મક્ષયના ત્રણ માર્ગ :
૧.
૨.
૩.
- ઠાણંગ ૧૦/૭૪૮
- આવશ્યક નિયુક્તિ ૬/૧ ૬ ૧૧
સરળ કટ : દેવગુરુની ભક્તિ.
શ્રેષ્ઠ કટ : જ્ઞાન રમણતા.
શોર્ટ કટ : તપમાં લીનતા.
**
આકાશગંગા - ૧૯
Page #15
--------------------------------------------------------------------------
________________
૭. આરોગ્ય - ભૂખ - બળ છોડવા જોઇએ : છે શૂળવાળાએ દ્વિદળને. છે કોઢીયાએ મિષ્ટાન્ન (માંસ)ને. Cછે તાવવાળાએ ઘીને. છે અતિસારવાળાએ નવા ધાનને. છે નેત્રરોગીએ મૈથુનને છોડવા જોઇએ. સ્વાથ્ય પ્રાપ્તિના સૂત્રો : છે દર મહિને બે ઉપવાસ કરો. છે રોગને દવાથી દબાવશો નહિ. cછે નિયમિત યોગાસન-પ્રાણાયામ કરો.
છે વિધેયાત્મક સંકલ્પથી મનને સદા પ્રસન્ન રાખો. દીર્ધાયુષ્યનું રહસ્ય : ઓછું ખાવું, પ્રતિદિન ન ખાવું, એકાંતર ઉપવાસ કરવા. હૃદયના ધબકારાથી નહિ, પણ હૃદયને વિશ્રામ આપવાથી જીવાય છે. ક ભોજન અને ભજન :
છે સ્વાદ માટે ખાવું તે અજ્ઞાન છે. છે જીવવા માટે ખાવું તે આવશ્યકતા છે. છે ધર્માચરણ માટે ખાવું તે આરાધના છે. પાંચ ભ્રમણાઓ : Cછે ઓ ખાઉધરા ! વધુ ખાવાથી વધુ શક્તિ મળશે એમ તું
માનતો હોય તો તું મૂર્ખાઓના સ્વર્ગમાં જીવે છે. ખાવાથી નહિ, પણ તું જે પચાવીશ તેનાથી જ શક્તિ મળવાની છે.
| આકાશગંગા • ૨૦ |
Cછે ઓ લોભીઆ ! વધુ પૈસા કમાઇ લેવાથી ‘હુ વધુ સુખી
બની જઇશ' એમ તું માને છે ? પૈસાથી નહિ, પણ તેના સદ્વ્યયથી સુખ મળે છે.
ઓ પુસ્તકના કીડા ! ઘણું વાંચ-વાંચ શું કર્યા કરે છે ? ઘણું વાંચવાથી નહિ, પણ ઘણું વિચારવાથી પંડિત
થવાય છે. છે ઓ બોલકા વક્તા ! બોલ બોલ કરવાથી ધર્મી બનાતું
નથી, પણ જીવનમાં ઉતારવાથી બનાય છે. છે ઓ દવા ખાનારા દર્દી ! વધુ દવા ખાવાથી નહિ, પણ
કુદરતી નિયમોના પાલનથી આરોગ્ય જળવાય છે. પાણી :
છે અજીર્ણમાં પાણી ઔષધ છે. Cછે ખોરાકને પચાવવામાં પાણી પ્રબળ સહાયક છે. છે ભોજનની વચ્ચે પાણી અમૃત છે. cછે ભોજન પછી તરત જ પીવાનું પાણી ઝેર છે.
- ચાણક્ય નીતિ ૮/૭ ક વૈદ કબહૂ ન આવે : પ્રાતઃકાલ ખટિયા તે ઊઠિકે, પિયે તુરત જો પાની; તા ઘર વૈદ્ય કબહૂ ન આવે, વાત ‘ઘાઘ' કહે જાની. ફરક : અમીર અને ગરીબમાં શું ફરક? છે અમીર ભૂખ શોધે છે. Cછે ગરીબ રોટલી શોધે છે.
આકાશગંગા - ૨૧ -
Page #16
--------------------------------------------------------------------------
________________
ભૂખ રાંડ : ભૂખ રાંડ ભૂંડી, આંખ જાય ઊંડી; પગ થાય પાણી, આંસુ લાવે તાણી. પરિમિત ભોજીને છ ગુણો :
આરોગ્ય, આયુષ્ય, બળ, સુખ, સુંદર સંતાન અને લોકોના આક્ષેપ વિનાનું જીવન (આ ‘ખાઉધરો' છે – એવો આક્ષેપ મિતાહારીને સહવો પડતો નથી.) - આ છ ગુણો પરિમિત ભોજન કરનારને પ્રાપ્ત થાય છે. કોને ક્યારે ભૂખ લાગે ? છે નારક જીવોને અંતર્મુહૂર્તમાં ભૂખ લાગે છે. છે પૃથ્વી આદિ સ્થાવર જીવો દરેક સમયે આહાર લે છે. cછે વિકસેન્દ્રિયને અંતર્મુહૂર્તમાં ભૂખ લાગે છે. છે તિર્યંચ પંચેન્દ્રિયને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી
બે દિવસે ભૂખ લાગે છે. ce મનુષ્યને જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ
દિવસે ભૂખ લાગે છે. (અવસર્પિણીના પહેલા આરામાં યુગલિકોને ત્રણ દિવસે, બીજા આરામાં બે દિવસે, ત્રીજા આરામાં એક દિવસે, ચોથા આરામાં એક દિવસમાં એક વાર, પાંચમા આરામાં દિવસમાં બે વાર ભૂખ લાગે છે અને છઠ્ઠી આરામાં તો કોઇ મર્યાદા જ નથી.)
દશ હજાર વર્ષના આયુષ્યવાળાદેવને એક દિવસે, પલ્યોપમના આયુષ્યવાળા દેવને બે દિવસથી નવ દિવસ સુધીમાં, એક સાગરોપમ આયુષ્યવાળા દેવને એક હજાર વર્ષે અને તેત્રીસ સાગરોપમ આયુષ્યવાળા દેવને તેત્રીસ હજાર વર્ષે ભૂખ લાગે છે.
- પન્નવણા પદ-૨૮ | આકાશગંગા • ૨૨ F
જ અજ્ઞાન, આવશ્યકતા, સાધના :
છે સ્વાદ માટે ખાવું ‘અજ્ઞાન' છે. cછે જીવવા માટે ખાવું ‘આવશ્યકતા' છે. છે સંયમરક્ષા માટે ખાવું ‘સાધના’ છે. નારકોને ૪ પ્રકારનો આહાર : ૧. અંગાર સમાન : થોડી વાર સુધી બાળનાર. ૨. મુર્ખર સમાન : ઘણા સમય સુધી બાળનાર. ૩. શીતલ : શર્દી પેદા કરનાર. ૪. હિમશીતલ : બરફ જેવો અત્યંત ઠંડો. તિર્યંચોનો ચાર પ્રકારનો આહાર : ૧. કંક સમાનઃ સુભક્ષ્ય અને સુખકારી પરિણામ લાવનાર. ૨. બિલ સમાન : દરમાં ઉંદર જાય તેમ (૨સ-સ્વાદ
વગર) સીધો પેટમાં જાય તે. ૩. માતંગ માંસ સમાનઃ ચંડાળના માંસની જેમ ધૃણા પેદા
કરાવનાર. ૪. પુત્ર માંસ સમાન : પુત્રના માંસની જેમ અત્યંત
દુઃખપૂર્વક ખવાય તે. જે મનુષ્યોનો ચાર પ્રકારનો આહાર : ૧. અશન : રોટલી, શાક, દાળ, ભાત આદિ. ૨. પાન : પાણી વગેરે. ૩. ખાદિમ : ફળ, મેવો વગેરે. ૪. સ્વાદિમ : પાન, સોપારી વગેરે મુખવાસ. દેવોનો ચાર પ્રકારનો આહાર : ૧. સારા વર્ણવાળો. ૨. સારી ગંધવાળો.
| આકાશગંગા • ૨૩ -
Page #17
--------------------------------------------------------------------------
________________
સંસારના ત્રણ મહાન ડૉકટરો : ૧. ડૉ. શ્રી પથ્ય ૨. ડૉ. શ્રી શાંતિ ૩. ડૉ. શ્રી આનંદ
- સ્વિફ્ટ
જે શરીરના તેર વેગ : ૧. વાત ૨. મલ
૩. સારા સ્પર્શવાળો. ૪. સારા રસવાળો.
- ઠાણંગ ૪/૪/૩૪o ત્રણ પ્રકારનો આહાર : ૧. સાત્ત્વિક આહાર : આયુષ્ય, જીવનશક્તિ, બળ,
આરોગ્ય, સુખ, સ્નેહ આદિ વધારનાર, રસાળ, સ્નિગ્ધ, તરત ખરાબ ન થનાર અને હૃદયને પુષ્ટ
કરનાર છે. ૨. રાજસ આહાર : અતિ કડવો, અતિ ખાટો, અતિ
ખારો, અતિ ગરમ, અતિ ઠંડો, તીખો, રૂક્ષ, દાહ,
દુઃખ, શોક અને રોગ પેદા કરનાર છે. ૩. તામસ આહાર : ઘણા સમયથી રાખી મૂકેલો, રસ વગરનો, દુર્ગધવાળો, વાસી, ઐઠો અને અપવિત્ર છે.
- ગીતા અધ્યાય-૧૭ ...તો લાંબા કાળ સુધી વિકૃત બને નહિ :
સારી રીતે પચેલું અન્ન, સારી રીતે ભણાવેલો પુત્ર, સારી રીતે આજ્ઞાંકિત બનાવેલી સ્ત્રી, સારી રીતે સેવા કરાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલી વાણી અને વિચારપૂર્વક કરેલા કાર્ય - આ બધી વસ્તુઓ લાંબા કાળ સુધી પણ વિકૃત બનતી નથી.
- હિતોપદેશ ૧/૨ ૨ ભોજનનો ક્રમ : દુર્જનની મૈત્રી જેવો ભોજનનો ક્રમ છે.
છે પ્રથમ મધુર. Cછે પછી ખાટા, ખારા, તૂરા. છે અને અંતે કડવા પદાર્થો.
| આકાશગંગા • ૨૪ |
૫. તરસ ૬. ભૂખ ૭. નિદ્રા ૮. ખાંસી ૯. શ્રમનો શ્વાસ ૧૦. બગાસું ૧૧. આંસુ ૧૨. વચન ૧૩. વીર્ય
- અર્જંગ હૃદય સૂત્રસ્થાન વ્યાયામના લાભ : cછે હલકાપણું આ કાર્ય કરવાની શક્તિ Cછે સ્થિરતા cછે દુઃખ સહન કરવાની શક્તિ
આકાશગંગા • ૨૫ E
Page #18
--------------------------------------------------------------------------
________________
cછે રોગ-ક્ષય છે અગ્નિની વૃદ્ધિ
- ચરક સંહિતા શરીરમાં પાંચ ભૂત : ૧. પૃથ્વી : ચામડી, માંસ, હાડકા, મજ્જા , સ્નાયુ. ૨. અગ્નિ : તેજ, ક્રોધ, નેત્ર, ઉષ્મા, જઠરાનલ. ૩. આકાશ : કાન, નાક, મુખ, હૃદય, ઉદર. ૪. જલ : કફ, પિત્ત, સ્વેદ, ચરબી, લોહી. ૫. વાયુ : શ્વાસ, ઉચ્છવાસ, શબ્દ.
- મહાભારત શાંતિપર્વ જ ભાવ બળને વધારનારી તેર વાતો : ૧. બળવાન ક્ષેત્રમાં જન્મ (સિંધ-પંજાબ જેવા).
બળવાન કુળમાં જન્મ. ૩. બળવાન કાળમાં જન્મ.
સારું ક્ષેત્ર-શ્રેષ્ઠ બીજ વગેરેનો સંયોગ. પ, સુખકારી કાળનો સંયોગ. ૬. ઉત્તમ આહારનું સેવન. ૭. શરીરનું ઉત્તમ સંઘયણ. ૮. ઉત્તમ આહાર-વિહારનો અભ્યાસ. ૯. ઉત્તમ ગુણોમાં રમણતા. ૧૦. ઉત્તમ સ્વભાવ. ૧૧. થનગનતું યૌવન. ૧૨. વ્યાયામાદિ. ૧૩. મન-પ્રસન્નતા.
ન આકાશગંગા • ૨૬ F
ત્રણ પ્રકારના બળ : ૧. સહજ બળ : સ્વાભાવિક બળ, ૨. કાલજ બળ : બાળ-યુવાવસ્થામાં અથવા હેમંતાદિ
કાળમાં આવતું બળ. યુક્તિકૃત બળ : વ્યાયામ-પૌષ્ટિક આહાર આદિથી પેદા કરેલું બળ.
- ચરક સંહિતા દસ પ્રકારના બળ : cક પાંચ ઇન્દ્રિય. છે જ્ઞાન, દર્શન, ચારિત્ર. Cછે તપ અને વીર્ય.
- હાશંગ સ્વાશ્ય શી રીતે મળે ? છે શારીરિક સ્વાથ્ય : પંચભૂતની શુદ્ધિથી. cછે રાસાયણિક સ્વાથ્ય : સમરસી ભાવથી. છે માનસિક સ્વાચ્ય : સમતાથી. છે પ્રાકૃતિક સ્વાથ્ય : અહિંસાથી. છે સાંસ્કૃતિક સ્વાથ્ય : મૂલ્યોથી. છે આધ્યાત્મિક સ્વાશ્ય : ધ્યાનથી.
| ૮, સંયમ |
- ચાર પ્રકારની અંતક્રિયા : ૧. અલ્પવેદના દીર્ઘપર્યાય. દા.ત. ભરત ચક્રવર્તી. ૨. મહાવેદના અલ્પપર્યાય. દા.ત. ગજસુકુમાલ.
આકાશગંગા • ૨૦ -
Page #19
--------------------------------------------------------------------------
________________
૩. મહાવેદના દીર્ઘપર્યાય. દા.ત. સનત્કુમાર.
૪.
અલ્પવેદના અલ્પપર્યાય. દા.ત. મરુદેવી. * ચાર પ્રકારે દીક્ષા :
૧. સિંહની જેમ લે, સિંહની જેમ પાળે. ધન્ના-શાલિભદ્રની જેમ.
૨. સિંહની જેમ લે, શિયાળની જેમ પાળે. કંડરીકની જેમ.
શિયાળની જેમ લે, સિંહની જેમ પાળે. મેતાર્ય મુનિની જેમ.
૪. શિયાળની જેમ લે, શિયાળની જેમ પાળે
સોમાચાર્યની જેમ.
૩.
* દસ પ્રકારે દીક્ષા :
૧.
છંદા ઃ પોતાની ઇચ્છાથી ગોવિંદ વાચકની જેમ અથવા બીજાના દબાણથી ભવદેવની જેમ.
૨.
રોષા : રોષથી લેવી. વિશ્વભૂતિની જેમ.
૩. પરિઘૂના : ગરીબીથી હેરાન થઇને લેવી. કઠિયારાની જેમ.
૪. પ્રતિશ્રુતા : પડકાર ઝીલીને લેવી. ધન્નાજીની જેમ. ૫. સ્મારણિકા : પૂર્વભવનું સ્મરણ કરાવવાથી લેવી.
મલ્લિનાથના પૂર્વભવના છ મિત્રોની જેમ.
૬.
૭.
૮.
૯.
રોગણિકા ઃ રોગના કારણે લેવી. સનત્કુમારની જેમ.
અનાદેતા : અનાદર થવાથી લેવી. નંદિપેણની જેમ.
દેવસંજ્ઞપ્તિ : દેવના પ્રતિબોધથી લેવી. મેતાર્યની જેમ.
સ્વપ્ના : વિશિષ્ટ સ્વપ્ન આવવાથી લેવી.
પુષ્પચૂલાની જેમ.
આકાશગંગા • ૨૮
૧૦. વત્સાનુબંધિકા : પુત્ર સ્નેહના કારણે લેવી. વજ્રસ્વામીની માતા સુનંદાની જેમ.
* સાધુનું સુખ ઃ
એક માસના પર્યાયવાળા મુનિ વ્યંતર દેવોના
બે માસના પર્યાયવાળા અસુરેન્દ્ર સિવાયના ભવનપતિ દેવોના ત્રણ માસના પર્યાયવાળા અસુરકુમાર દેવોના ચાર માસના દીક્ષિત ગ્રહ-નક્ષત્ર-તારાઓના પાંચ માસના દીક્ષિત સૂર્ય-ચંદ્રના
છ માસના દીક્ષિત પહેલા-બીજા દેવલોકના સાત માસના દીક્ષિત ત્રીજા-ચોથા દેવલોકના આઠ માસના દીક્ષિત પાંચમા-છઠ્ઠા દેવલોકના નવ માસના દીક્ષિત સાતમા-આઠમા દેવલોકના
દસ માસના દીક્ષિત અગ્યારમા-બારમા દેવલોકના અગ્યાર માસના દીક્ષિત નવ ચૈવેયકના બાર માસના દીક્ષિત અનુત્તર વિમાનના સુખોને ઓળંગી જાય છે.
* પાંચ પ્રકારના રજોહરણ :
૧.
ઊનના
૨.
ઊંટના વાળના
૩.
શણના
૪.
નરમ ઘાસના
૫. મુંજ (એક જાતનું ઘાસ)ના
- ઠાગ
આકાશગંગા - ૨૯
- ભગવતી ૧૪/૯
- ઠાણંગ ૫/૩/૪૪૬
Page #20
--------------------------------------------------------------------------
________________
- સાધુ પ્રાયોગ્ય પાંચ પ્રકારના વસ્ત્ર : ૧. ઊનના ૨. રેશમના ૩. શણના ૪. કપાસના (સુતરાઉ). ૫. ઘાસ કે ઝાડની છાલના
- ઠાણંગ પ/૩/૪૪૫ છ કારણે આહાર : ૧. સુધા વેદનીયને શાંત કરવા. ૨. વેયાવચ્ચ-સેવા કરવા. ૩. ઇસમિતિ પાળવા. ૪. સંયમ પાળવા. ૫. પ્રાણ ધારણ કરવા. ૬. ધર્મચિંતન કરવા.
- હાસંગ ૬ ત્રણ ભિક્ષા : ૧. સર્વસંપન્કરી : સાધુને નિર્દોષ દાન. ૨. પૌરુષષ્મી : વેષધારીને દાન. ૩. વૃત્તિ ભિક્ષા : આંધળા, બહેરાને આપવું.
- અષ્ટક પ્રકરણ દશ સ્થવિર : ૧. ગ્રામ સ્થવિર : ગામમાં મોટો. ૨. નગર સ્થવિર : નગરમાં મોટો. ૩. રાષ્ટ્ર સ્થવિર : દેશમાં મોટો. ૪. પ્રશસ્ત સ્થવિર : પ્રશસ્ત-શ્રેષ્ઠ પુરુષોમાં મોટો.
ન આકાશગંગા • ૩૦ |
૫. કુલ સ્થવિર : કુલમાં મોટો. ૬. ગણ સ્થવિર : ગણમાં મોટો. ૭. સંઘ સ્થવિર : સંઘમાં મોટો. ૮. જાતિ સ્થવિર : જન્મથી (ઉંમરમાં) મોટો. ૯. શ્રુત સ્થવિર : જ્ઞાનથી મોટો. ૧૦. પર્યાય સ્થવિર : દીક્ષા પર્યાયથી મોટો.
- ઠાણંગ ૧૦/૭૬ ૧, સમવાયાંગ-૧૦ - સાધુને વિવિધ ઉપમાઓ : cછે સાપ: સાપની જેમ મુનિ પોતાના માટે ઘર ન બનાવે,
આહાર કરતાં સ્વાદ (આસક્તિ) ન લે, સંયમની જ
એક આંખ રાખે. Cછે પર્વત: પરિષદના પવનથી પવનની જેમ અડોલ રહે. છે અગ્નિ : અગ્નિની જેમ તપના તેજથી ઝળહળે.
સુત્રાર્થ રૂપી બળતણથી તૃપ્ત ન થાય. સારા-નરસા લાકડા રૂપી આહારને સમાન ભાવે આરોગે. સાગર : સમુદ્રની જેમ ગંભીર. જ્ઞાનાદિ રત્નોના ભંડાર તથા કદી મર્યાદાનું ઉલ્લંઘન નહિ કરનાર.
આકાશ : ગગનની જેમ નિર્લેપ અને નિરાલંબી રહે. છે વૃક્ષ : ઝાડની જેમ સુખ-દુ:ખમાં સમાન રહે. મુક્તિ
માર્ગના મુસાફરનો, છાયા (સાંત્વના) અને ફળો
આપી થાક ઉતારે. cછે ભમરો : ભમરાની જેમ અનિયત વૃત્તિથી આહાર
ગ્રહણ કરે. Cછે મૃગ : હરણની જેમ સંસારથી ભયભીત રહે. છે પૃથ્વી : ધરતીની જેમ બધું જ સહન કરે.
ન આકાશગંગા • ૩૧
Page #21
--------------------------------------------------------------------------
________________
રવિ : સૂર્યની જેમ સૌને ભેદભાવ વિના પ્રકાશ આપે. સન્માર્ગનું પ્રકાશન કરે. પાપ-અંધકાર દૂર કરે. કર્મકાદવનું શોષણ કરે. ભવ્ય-કમળોને ખીલવે.
કમળ ઃ ભોગના કાદવથી અલિપ્ત રહે. સંયમની સુગંધ રેલાવે. ધાર્મિક ભ્રમરોને આકર્ષે.
પવન : વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહારી બને. - દશવૈકાલિક નિયુક્તિ (અનુયોગદ્વાર-૫)
* મુનિનું કુટુંબ :
ઓ મુનિ ! તમે પણ કુટુંબવાળા નથી ?
ધૈર્ય તમારા પિતા છે.
ક્ષમા તમારી માતા છે.
પરમાર્થ તમારો મિત્ર છે. મોક્ષ રિચ તમારી માસી છે.
જ્ઞાન તમારો સુપુત્ર છે.
કરૂણા તમારી પુત્રી છે. મતિ તમારી પુત્રવધૂ છે. સમતા તમારી પત્ની છે.
ઉદ્યમ તમારો દાસ છે.
વિવેક તમારો ભાઇ છે.
* ચાર સંયમ :
૧.
૨.
૩.
૪. ઉપકરણ સંયમ
મન સંયમ
વચન સંયમ
શરીર સંયમ
આકાશગંગા - ૩૨
- ઠાણંગ ૪/૨/૩૧૦
* વિશ્વનો સાર :
જગતનો સાર ધર્મ
→ ધર્મનો સાર જ્ઞાન જ્ઞાનનો સાર સંયમ
→ સંયમનો સાર મોક્ષ
૪.
૫.
- આચારાંગ નિયુક્તિ ૨૪૪
* સંયમીના પાંચ નિશ્રા સ્થાન (આલંબન) :
૧. છ કાયના જીવો
૨. ગચ્છ-સમુદાય
૩.
રાજા
ગાથાપતિ (મકાન માલિક)
શરીર
- ઠાણંગ ૫/૩/૪૪૭
* ચાર પ્રકારની દીક્ષા :
૧. ઇહલોક પ્રતિબદ્ધા : આજીવિકા ચલાવવા માટે લેવામાં આવતી દીક્ષા.
૨. પરલોક પ્રતિબદ્ધા ઃ સ્વર્ગાદિ પારલૌકિક ભૌતિક સુખો મેળવવા લેવામાં આવતી દીક્ષા.
૩. ઉભયલોક પ્રતિબદ્ધા : આ ભવમાં આજીવિકા માટે તથા પરલોકમાં સ્વર્ગાદિના ભૌતિક સુખ માટે બંને માટે લેવામાં આવતી દીક્ષા.
૪. અપ્રતિબદ્ધા : આત્મવિશુદ્ધિ સિવાય કોઇ પણ જાતની ઇચ્છા રાખ્યા વિના લેવામાં આવતી દીક્ષા.
- ઠાણંગ ૪/૪/૩૫૫ આકાશગંગા - ૩૩
Page #22
--------------------------------------------------------------------------
________________
૩. અચૌર્ય : માયાને કાઢ્યા વિના તમે મારું પાલન નહિ
કરી શકો. માત્ર ચાર જ નહિ, દુકાન પર બેસનારા વેપારી પણ માયાનો આશ્રય લેતા હોય છે, તેથી તેઓ પણ ચોર જ છે. માયાવી માણસ ચાર જ છે. પોતાની જાતને તો એ અવશ્ય છેતરે જ છે. અપરિગ્રહ (બ્રહ્મચય) : મારું પાલન કરવું હોય તો લાભને લાત મારીને હડસેલી દેજો. કારણ કે લોભી માણસ કદી અપરિગ્રહી બની શકતો નથી અને
અકામી પણ બની શકતો નથી. (અબ્રહ્મ પરિગ્રહાન્તર્ગત જ એક દોષ છે. આથી જ મહાવિદેહ ક્ષેત્રમાં કે મધ્ય તીર્થકરોના કાળમાં એની જુદી ગણતરી કરવામાં આવી નથી.)
* * *
પાંચ વ્રતનું ફળ :
છે અહિંસાના પાલનથી સુંદર તન (શરીર) મળે. Cછે સત્યના પાલનથી સુંદર વચન મળે. છે અચૌર્યના પાલનથી સુંદર (ન્યાયયુક્ત) ધન મળે. છે બ્રહ્મના પાલનથી સુંદર ઇન્દ્રિય મળે. cછે અપરિગ્રહના પાલનથી સુંદર (અસંક્લિષ્ટ) મન મળે. પાંચ વ્રતમાં પાંચ સહાયક સમિતિ : ૧. ઇર્ષા સમિતિઃ અહિંસા વ્રતનું પાલન કરવામાં સહાયક. ૨. ભાષા સમિતિ : સત્યવ્રતનું પાલન કરવામાં સહાયક. ૩. એષણા સમિતિઃ નિર્દોષ આહાર લાવવાથી અચૌર્યવ્રત
પાળવામાં સહાયક. ૪. આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિઃ ચીજ-વસ્તુ લેતાં
મૂકતાં પૂજવા-પ્રમાર્જવામાં દૃષ્ટિ નીચે રહે તેથી
બ્રહ્મવ્રત પાળવામાં સહાયક. ૫. પારિષ્ઠાપનિકા સમિતિ : બિનજરૂરી ચીજોનો ત્યાગ
કરવાથી અપરિગ્રહવ્રતમાં સહાયક. ચાર વ્રતોથી ચાર કષાય જાય : ૧. અહિંસા: મારું સારી રીતે પાલન કરવું હોય તો ક્રોધને
કાઢજો . ક્રોધી માણસ કદી અહિંસક બની શકતો નથી. સત્ય: મારું પાલન કરવું હોય તો અભિમાનને અળગો રાખજો , કારણ કે અભિમાની માણસ સ્વ પ્રત્યે તીવ્ર રાગી અને પર પ્રત્યે તીવ્ર દ્વેષી હોવાથી કદી સાચું બોલી શકતો નથી. પોતાનામાં ન હોય તોય ગુણો દેખાય અને બીજામાં ન હોય તોય દોષો દેખાય, આવો માણસ સત્ય શી રીતે બોલી શકે?
ન આકાશગંગા • ૩૪ |
( ૯. વાણી - મૌત) * જિનવાણી છે પાણી :
છે પુદ્ગલની તૃષ્ણા મિટાવે. છે કષાયનો દાહ શમાવે. cછે કર્મની મલિનતા હટાવે. પુષ્પરાવર્ત મેઘ સમી પ્રભુની વાણી : છે પહેલા આરામાં દશ હજાર વર્ષે વરસાદ વરસે. Cછે બીજા આરામાં એક હજાર વર્ષે વરસાદ વરસે. Cછે ત્રીજા આરામાં સો વર્ષે વરસાદ વરસે. ce ચોથા આરામાં બાર વર્ષે વરસાદ વરસે. cછે પાંચમા આરામાં દર વર્ષે વરસાદ વરસે.
આકાશગંગા • ૩૫ F
Page #23
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ પ્રથાદિ આરામાં પડતો વરસાદ અને તેને ઝીલનારી ધરતી એટલી જોરદાર હોય કે વર્ષો સુધી વરસાદની જરૂર જ ન પડે.
પ્રભુની વાણી પુષ્પરાવર્ત મેઘ જેવી છે, પણ આપણી હૃદયની ધરતી કેવી છે ?
પહેલાના કાળમાં જંબૂસ્વામી, અભયકુમાર, મેઘકુમાર, આનંદ શ્રાવક આદિને એકાદવાર જિનવાણી શ્રવણ થઇ જતાં સંપૂર્ણ જીવનનું પરિવર્તન થઇ જતું, જયારે અત્યારે દર વર્ષના વરસાદની જેમ દરરોજ જિનવાણી સાંભળવા છતાંય હૃદયની ધરતી પર દુકાળ ને દુકાળ જ ! કેવી કઠોર ધરતી છે હૃદયની ! વાણીની તાકાત : છે કાણી ભાભી ! પાણી લાવ.
કૂતરાને આપીશ, પણ તને નહિ. છે રાણી ભાભી ! પાણી લાવ.
પાણી નહિ, તને તો શરબત આપીશ. વિનાશના આરે :
છે જેનો મંત્રી મીઠાબોલો, તે રાજા વિનાશના આરે. cછે જેના ગુરુ મીઠાબોલા, તેનો ધર્મ વિનાશના આરે.
છે જેનો વૈદ મીઠાબોલો, તેનું શરીર વિનાશના આરે. ચંદન તન હલકા ભલા : ચંદન તન હલકા ભલા, મન હલકા સુખકાર; પર હલકે અચ્છ નહિ, વાણી અરૂ વ્યવહાર, કુદરત કો ના મંજૂર હૈ : કુદરત કો નામંજૂર હૈ, સપ્તી જબાન મેં; પૈદા હુઇ ન ઇસલિએ, હડી જબાન મેં.
ન આકાશગંગા • ૩૬ +
વાણીમાં શિષ્ટતા પણ જરૂરી : વાણીમાં સત્ય સાથે શિષ્ટતા જરૂરી છે. રાંડને વિધવા, આંધળાને પ્રજ્ઞાચક્ષુ, જાટને ચૌધરી, હજામને ખવાસ -વગેરે શબ્દોથી સંબોધતાં ભાષામાં શિષ્ટતા પ્રગટ થાય છે.
ભાષણ ચાર રીતે શરૂ કરાય : ૧. પોતાની કમજોરી બતાવીને. ૨. પોતાની પ્રશંસા કરીને. ૩. પ્રશ્ન ઊભો કરીને. ૪. કથા કહીને. ભોજન અને ભાષણ : પ્રિયકર, હિતકર અને પરિચિત હોવા જોઇએ. શાંતિના ફળો. ક્યાં છે શાંતિનાં પાકાં-મીઠાં ફળો ? એ... પેલા મૌનના મહા તરુ પર લટકે છે શાંતિના મીઠાં ફળો... મૌનની મહત્તા : ખૂબ અવાજ કરનાર ઝાંઝરને પગે સ્થાન મળ્યું. થોડો અવાજ કરનાર હારને હૈયે સ્થાન મળ્યું. સંપૂર્ણ મૌન રહેનાર મુગટને મસ્તકે સ્થાન મળ્યું. મૌન રહે તેનો મહિમા વધે ! વાણીની ચાર વિશેષતા : ૧. મૌન ૨. સત્ય ૩. પ્રિય ૪. ધર્મ (ચારેય ઉત્તરોત્તર ચડિયાતી છે.)
ન આકાશગંગા • ૩૦
Page #24
--------------------------------------------------------------------------
________________
- વાણીનાં સ્થાન :
છે પરા વાણી : મનમાં. 8 પશ્યન્તી વાણી : હૃદયમાં. cછે મધ્યમાં વાણી : કંઠમાં.
છે વૈખરી વાણી : મુખમાં. વાણી-વાણીમાં ફેર : કોઇકની વાણી માત્ર ઘરમાં કોઇની ગામમાં કોઇકની દેશમાં તો કોઇકની વાણી આખી દુનિયામાં ફેલાઇ જાય છે. વક્તાના ૧૪ ગુણ : ૧. વેદ વ્યાસ સમાન વક્તા ૨. જ્ઞાની ૩. પ્રિય કથા કરવાવાળો ૪. અવસરશ ૫. સ્વલ્પભાષી ૬. સંશય છેદનારો ૭. અનેક શાસ્ત્રોનો જ્ઞાતા ૮. વિક્ષેપકારી વાતો ન કરનાર ૯. ભંગ ન કહેનાર ૧૦. જનતાને પ્રસન્ન રાખનાર ૧૧. સભાને જીતનાર ૧૨. નિરભિમાની ૧૩. ધાર્મિક ૧૪. સંતોષી
| આકાશગંગા • ૩૮ -
* છ પ્રકારના વાદ : ૧. રહસ્યવાદ ૨. છાયાવાદ ૩. પ્રગતિવાદ ૪. પ્રયોગવાદ ૫. રાષ્ટ્રવાદ ૬. હાલાવાદ (ખાઓ, પીઓ, મોજ કરો.) વિવાદ છ રીતે : ૧. પાછળ હટીને ૨. ઉત્સુક થઇને ૩. પ્રતિવાદીને અનુકૂળ થઇને ૪. પ્રતિવાદીને પ્રતિકુળ થઇને ૫. અધ્યક્ષની ભક્તિ કરીને ૬. અધ્યક્ષને પોતાનો પક્ષપાતી બનાવીને
- હાર્મંગ
જે ચાર વાદ : ૧. ક્રિયા વાદ ૨. અક્રિયા વાદ ૩. અજ્ઞાન વાદ ૪. વિનય વાદ પાંચ વાદ : ૧. કાલવાદ ૨. સ્વભાવવાદ ૩. ઉદ્યમવાદ
આકાશગંગા • ૩૯
Page #25
--------------------------------------------------------------------------
________________
૪. કર્મવાદ ૫. નિયતિવાદ છ પ્રકારની વાણી ન બોલો : ૧. અસત્ય ૨. તિરસ્કાર ભરી ૩. કઠોર ૪. ગામડિયાની જેમ વિચાર્યા વિના ૫. ઝગડો ઊભો થાય તેવી ૬. કષાયથી ભરેલી
- ઠાણંગ ૬/૫૨૭ ચાર પ્રકારના ઘડા અને માનવ : ૧. મધનો ઘડો, મધનું ઢાંકણ. ૨. મધનો ઘડો, ઝેરનું ઢાંકણ. ૩. ઝેરનો ઘડો, મધનું ઢાંકણ. ૪. ઝેરનો ઘડો, ઝેરનું ઢાંકણ. માણસ ૧. શુદ્ધ હૃદય, મધુર વાણી. ૨. શુદ્ધ હૃદય, કટુ વાણી.. ૩. કલુષિત હૃદય, મધુર વાણી. ૪. કલુષિત હૃદય, કટુ વાણી.
- ઠાણંગ ૪/૪ છે. ભાષાના પ્રકાર :
૧. આલાપ : થોડું બોલવું. ૨. અનાલાપ : કુત્સિત (ખરાબ) બોલવું.
| આકાશગંગા • ૪૦ |
૩. ઉલ્લાપ : મર્યાદા ઓળંગીને બોલવું. ૪. અનુલ્લાપ : મૌન રહેવું. ૫. સંલાપ : પરસ્પર બોલવું. ૬. પ્રલાપ : વ્યર્થ બબડાટ કરવો. ૭. વિપ્રલાપ : વિરુદ્ધ વાણી બોલવી.
- ઠાણંગ-૭ કાયર અને વીર :
» જીભનો દુરુપયોગ કરે તે કાયર. જેમ કે કૂતરો. ce જીભનો દુરુપયોગ ન કરતાં માત્ર કાર્ય કરે તે વીર.
જેમ કે સિંહ. વાણીના આઠ ગુણો : ૧. મધુરતા ૨. નિપુણતા ૩. અલ્પતા ૪. સકારણતા ૫. નમ્રતા ૬. અતુચ્છતા ૭. બુદ્ધિ યુક્તતા ૮. ધર્મ સંયુક્તતા
- ઉપદેશમાળા
ઓહ ! એક તમે તો મારી સભામાં શ્રોતા તરીકે રહ્યા. બહુ જ સરસ !'
જલ્દી તમારું ભાષણ પૂરું કરો. તમારા પછી મારે બોલવાનું છે.”
ન આકાશગંગા • ૪૧ |
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૦. ઉપદેશ આ ઉપદેશ : આપણે ઉપદેશ આપીએ છીએ ટન જેટલો, સાંભળીએ છીએ મણ જેટલો, ગ્રહણ કરીએ છીએ કણ જેટલો !
- અલજર
ઉપદેશકના દોષો તરફ લોકોનું ધ્યાન જલદી ખેંચાય છે.
- લુથર તમે કંદોઇની દુકાને મીઠાઇ લેવા જાવ છો, ત્યારે એવી ચિંતા નથી કરતા કે આ મીઠાઇ કંદોઇ પોતે ખાય છે કે નહિ ? તેમ ઉપદેશ પાસેથી ઉપદેશનો સાર ગ્રહણ કરી લો... તેના જીવનમાં ઊંડા ઊતરવાનું રહેવા દો.
ઉપદેશ કોને અપાય ? ‘ઉપદેશ પાપીને અપાય કે ધર્મીને ?'
‘બંનેને. પાપીને પાપ દૂર કરવા માટે અને ધર્મીને ધર્મમાં વધુ સ્થિર કરવા માટે.”
જેને બધા આપવા ઇચ્છે છે, પણ પ્રાયઃ કોઇ લેવા નથી, ઇચ્છતું તે કઇ ચીજ ? ઉપદેશ, સલાહ !
- રામતીર્થ
છે ઘડપણ ચારને દીન બનાવે છે : વેશ્યા, મલ્લ, ગાયક
અને નોકર. દેવાંશી મનુષ્ય કોણ?
જેનામાં દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્ય, દમ અને દક્ષતા હોય તે. કે આપણે કેવા? Cછે ભૂલ ન કરે તે ભગવાન.
છે ભૂલ કબૂલ કરે તે ઇન્સાન. Cછે ભૂલ કબૂલ ન કરે તે હેવાન,
છે ભૂલ બીજા પર નાખે તે શેતાન. જ ૪ પ્રકારના ધ્યાનથી ૪ પ્રકારના માણસ : ૧. આર્તધ્યાનથી માણસ હેવાન થાય છે. ૨. રૌદ્રધ્યાનથી શેતાન થાય છે. ૩. ધર્મધ્યાનથી ઇન્સાન થાય છે. ૪. શુક્લધ્યાનથી ભગવાન થાય છે. ૪ પ્રકારના મનુષ્ય : ૧. કલા કૌશલ્યથી રહિત કીડા કે પતંગ જેવા છે. ૨. પેટ ભરવા માટે કલા કૌશલ્ય શીખનારા પશુ-પક્ષી
૧૧. માનવ )
૩. ધર્મ કલા શીખનારા મનુષ્ય જેવા છે. ૪. બીજામાં ધર્મપ્રચાર કરનારા દેવ જેવા છે. • હે માનવી ! Cછે પુષ્ય કદી કહેતું નથી : હું ખીલીશ નહિ. Cછે સૂર્ય કદી કહેતો નથી : હું ઊગીશ નહિ. » ચંદ્ર કદી કહેતો નથી : હું ચમકીશ નહિ.
ન આકાશગંગા • ૪૩
- ઘડપણ : છે ઘડપણ ચારને શોભાવે છેરાજા, મંત્રી, વેદ અને યોગી.
ન આકાશગંગા • ૪૨ |
Page #27
--------------------------------------------------------------------------
________________
cછે સાગર કદી કહેતો નથી : હું ઘુઘવીશ નહિ. છે તો હે માનવી ! તું એમ કેમ કહે છે કે,
હવેથી હું કર્તવ્ય કરીશ નહિ ? ક્યાં કોણ વસે છે? છે આળસમાં પશુતા વસે છે. (તમોગુણ) છે ક્રિયામાં જીવન વસે છે. (રજોગુણ) Cછે વિવેકમાં મનુષ્યત્વ વસે છે. (સત્ત્વગુણ) માનવ દેહનું મૂલ્ય : મનુષ્યના શરીરની ચરબીથી સાત ગોટી સાબુ, કાર્બનથી નવા હજાર પેન્સિલ બની શકે અને તેમાં રહેલા પાણીથી દસ ગેલનનું વાસણ ભરી શકાય.
એટલે ભૌતિક દૃષ્ટિએ માનવ-શરીરનું ઝાઝું મૂલ્ય નથી, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તે અમૂલ્ય છે. સર્વ શાસ્ત્રોમાં માનવ ભવ અમૂલ્ય : & જૈનનો ઉત્તરાધ્યયનમાં cછે બૌદ્ધોના ધમ્મપદમાં cછે શંકરાચાર્યના વિવેકચૂડામણિમાં છે મુસ્લિમોના કુરાનમાં a વૈદિકોના વેદ-ઉપનિષદોમાં છે વૈષ્ણવોના રામાયણ-મહાભારતમાં છે ખ્રિસ્તીઓના બાઇબલમાં પેટ ભરી-ભરીને માનવ-અવતારની પ્રશંસા કરવામાં આવી છે અને માનવતાની માંગણી કરવામાં આવી છે.
| આકાશગંગા • ૪૪ |
તું “માણસ” તો થા :
હે માનવ ! તું વકીલ, ડૉકટર, સંગીતકાર, ન્યાયાધીશ, સેનાપતિ, મંત્રી કે પ્રધાનમંત્રી પછી બનજે, પહેલા તું “માણસ” બનજે. માત્ર આકૃતિથી માણસ તું બની ગયો છે, પણ પ્રકૃતિથી તું કદાચ “માણસ” નથી બન્યો. માણસાઇ મેળવવાની હજુ બાકી છે. પ્રભુ પાસે માંગણી કરતાં કહેજે : ‘હું માનવી માનવ થાઉં તો ઘણું !' - માનવતાના ૪ લક્ષણ : ૧. ધર્મ તરફ લઇ જનારી નીતિ ૨. નમ્રતા ૩. નિર્ભયતા ૪. પરોપકાર
- પ્લેટો જ માનવતાના ચાર અંગ : ૧. વિવેક શીલતા ૨. ન્યાયપ્રિયતા ૩. સહિષ્ણુતા ૪. વીરતા માનવ ભવ રૂપી શાલ : બાદશાહે મંત્રીને કિંમતી રેશમી શાલ ભેટ આપી. મૂર્ખ મંત્રીએ તેનાથી નાક સાફ કર્યું. રાજાને ખબર પડતાંતરત જ તેની પાસેથી મંત્રી મુદ્રા આંચકી લીધી.
મનુષ્યજન્મ રૂપી રેશમી શાલનો ઉપયોગ આપણે કેવો કરીએ છીએ?
દુર્લભ છ વસ્તુઓ : ૧. માનવ ભવ ૨. આર્યક્ષેત્ર
ન આકાશગંગા • ૪૫
Page #28
--------------------------------------------------------------------------
________________
૩. ઉત્તમકુળમાં જન્મ ૪. સદ્ધર્મ શ્રવણ ૫. સદ્ધર્મ પર શ્રદ્ધા ૬. સદ્ધર્મનું આચરણ આ છ વસ્તુઓ ખૂબ જ દુર્લભ છે.
- ઠાણંગ સૂત્ર ૬/૪૮૫ દુર્લભ ત્રણ તત્ત્વો : ૧. મનુષ્યતા ૨. મુમુક્ષુતા (કષાયાદિમાંથી મુક્ત થવાની ઇચ્છા) ૩. મહાપુરુષની નિશ્રા આ ત્રણ તત્ત્વો ખૂબ જ દુર્લભ છે.
- વિવેક ચૂડામણિ અંગોની સફળતા : ઓ જીભે ! તું ધર્મીજનના ગીત ગા. ઓ કાનો ! તમે મહાપુરુષોના ગુણો સાંભળો. ઓ આંખો ! તમે બીજાની ચડતી જોઇ નાચી ઊઠો. આ અસાર સંસારમાં તમારી પ્રાપ્તિનું આ જ મુખ્ય ફળ છે.
- ઉપા. શ્રી વિનયવિજયજી પશુ - માનવ - દેવ : છે સારા પદાર્થો લઇ લે તે ‘પશુ'. છે સારું કરવાની ઇચ્છા રાખે તે “માનવ'. Cછે સારા બનવાનો પ્રયત્ન કરે તે ‘દેવ'. * તમારા ત્રણ રૂપ :
તમે તમારી જાતને જેવા માનો છો તેવા તમને લોકો નથી માનતા અને લોકો તમને જેવા માની રહ્યા છે, એવા તમે હકીકતમાં હોતા નથી. તમારા એક નહિ, ત્રણ-ત્રણ રૂપ છે.
આકાશગંગા • ૪૬ }
છે પાંચ પ્રકારના પુરુષો : cછે પોતાના જ સ્વાર્થનો વિચાર કરનાર ધૂળ જેવો છે.
(ધૂળની જેમ તેની કોઈ જ કિંમત નથી.) છે કુટુંબના હિતને ઇચ્છનાર વૃક્ષ જેવો છે.
(ઝાડ પોતાની પાસે આવનારને ફળ-છાયા વગેરે
આપે છે.) છે સમાજનું હિત ઇચ્છનાર પશુ-પક્ષી જેવો છે. | (કાગડો પણ જમણવાર જોઇ કા... કા... કરીને
પોતાના જાતભાઇઓને બોલાવે છે.) છે દેશનું હિત ઇચ્છનાર મનુષ્ય જેવો છે. cછે આખી દુનિયાનું હિત ઇચ્છનાર ભગવાન જેવો છે. જ પતન-અવસ્થાન અને ઉન્નતિ : ૧. પતનશીલ : પાપની ખીણમાં ધસી પડનારો (રાક્ષસ). ૨. સ્થિતિશીલ : ત્યાં ને ત્યાં રહેનારી (માણસ),
૩. ઉન્નતિશીલ : ધર્મના શિખર પર ચડનારો (દેવ). ક અધમ - મધ્યમ - ઉત્તમ :
છે અધમ : પોતાની જ પ્રશંસા કરનારો. છે મધ્યમ : જેની પ્રશંસા મિત્રો કરે તે. ce ઉત્તમ : જેની પ્રશંસા શત્રુ પણ કરે તે. * ભર્તુહરિ કહે છે...
પોતાનો સ્વાર્થ છોડીને પરોપકાર કરે તે ઉત્તમ, પોતાના સ્વાર્થને વાંધો ન આવે તે રીતે પરોપકાર કરે તે મધ્યમ, જે પોતાના સ્વાર્થ માટે પરહિતને નષ્ટ કરે તે અધમ... મનુષ્યના આકારમાં રહેલો રાક્ષસ, પણ જે કોઇ સ્વાર્થ વિના જ પરહિત નષ્ટ કરે તે શું કહેવાય ? અમે તે જાણતા નથી.
- ભતૃહરિ નીતિશતક-૭૫ ન આકાશગંગા • ૪૦.
Page #29
--------------------------------------------------------------------------
________________
દશ અવસ્થાઓ : ૧. બાલા: ૧ થી ૧૦ વર્ષ, સુખ-દુ:ખની વિશેષ સમજણ
ન હોવાથી તે બાલ અવસ્થા કહેવાય છે. ૨. ક્રીડા : ૧૧ થી ૨૦ વર્ષ. આ ઉંમરમાં રમત-ગમત
વગેરે વધુ પ્રિય હોય છે. ૩. મંદા: ૨૧ થી ૩૦ વર્ષ. ભોગો ભોગવવામાં સમર્થ
હોવા છતાં નવા ભોગોનું અર્જન કરવામાં મંદ
હોવાથી આ અવસ્થા “મંદા' કહેવાય છે. ૪. બલાઃ ૩૧ થી ૪૦ વર્ષ જીવનનો આ કાળ સુવર્ણયુગ
છે. વધુમાં વધુ શક્તિ માણસ આ ઉંમરમાં બતાવી શકે
છે. માટે જ આ અવસ્થાને ‘બલા’ કહેવાય છે. ૫. પ્રજ્ઞા : ૪૧ થી ૫૦ વર્ષ. આ ઉંમરે બુદ્ધિ તેની
ચરમસીમાએ હોય છે. આ દિશામાં પોતાની તથા કુટુંબની પ્રતિષ્ઠા જમાવવા માણસ પ્રયત્નશીલ રહેતો
હોય છે. ૬. હાયની : ૫૧ થી ૬૦ વર્ષ. હવે જીવનશક્તિ
ક્ષીણતાના માર્ગે ગતિ કરે છે. કાન, આંખ વગેરે
ઇન્દ્રિય-શક્તિ ક્ષીણ બને છે. ૭. પ્રપંચા: ૬૧ થી ૭૦ વર્ષ. રોગોનો પ્રપંચ (વિસ્તાર)
ખાંસી વગેરે વધતા જાય છે. ૮. પ્રાગુભારા : ૭૧ થી ૮૦ વર્ષ. શરીર વાંકુ વળી જાય
છે. સ્ત્રીઓને અપ્રિય બને છે. ઘડપણ પૂરી રીતે ઘેરી
૧૦. શાયની : ૯૧ થી ૧૦૦ વર્ષ. મોટે ભાગે પથારીમાં પડ્યો રહે છે. તે દીન, હીન અને કંગાળ બની જાય છે.
- ઠાણંગ ૧ol૭૭૨ સર્વોપરિ માનવ : તિજોરીમાં રહેલા ચાંદીની વાટકી, સોનાની વાટકી, હીરા વગેરેમાં ચર્ચા ચાલુ થઇ.
ચાંદીની વાટકી : હું એટલે હું જ ! મારા જેવું જગતમાં કોઇ જ નથી.
સોનાની વાટકી : હવે રહેવા દે તું ! હું જો હાજર હોઉં તો તને કોણ પૂછે છે ?
હીરા : અય ! તુંયે બહુ બડાઇ ન ઠોક. અમારા તેજ પાસે તું સાવ ઝાંખી છે. સમજી ?
તિજોરી : અરે.. તમે બધા ઝગડો છો શા માટે ? આખરે તો તમે સૌ મારા જ પેટમાં રહેલા છો ને ?
તાળું : રહેવા દે... રહેવા દે... ઓ તિજોરી ! મારા વિના તારી કિંમત જ શી છે ?
ચાવી : તું પણ ડંફાસ મારવાનું રહેવા દે. આખરે તો તું મારા જ ઇશારે નાચે છે ને ?
આ ચર્ચા સાંભળી પાસે ઊભેલા શેઠનો હાથ બોલી ઊઠ્યો : ઓ ચાવી ! તું મારા વિના જરાય ચાલી શકતી નથી.... એ તો તને ખબર છે ને ? તને ઘૂમાવનાર હું હાથ છું... એ જરા યાદ કર.
શેઠ બોલ્યા : ઓ હાથ ! તું પણ તારું ડહાપણ રહેવા દે. આખરે તો તારો માલિક હું છું. હું જો તને આજ્ઞા કરું તો જ તું બધી પ્રવૃત્તિ કરી શકે... મારાથી જો તું છુટો પડી જાય તો તારો ભાવ પણ કોણ પૂછે છે?
આકાશગંગા • ૪૯
૯. મુમુહી : ૮૧ થી ૯૦ વર્ષ. જીવન તરફ ઉદાસીનતા આવે છે કે માણસ મૃત્યુની પ્રતીક્ષા કરતો રહે છે.
આકાશગંગા • ૪૮ F
Page #30
--------------------------------------------------------------------------
________________
ખરી વાત છે. આ જગતમાં સર્વોપરિ માણસ છે. માણસ છે માટે જ સોના-હીરાની કિંમત છે. જ્યાં માણસો નથી ત્યાં રહેલા હીરાઓનો ભાવ પણ કોણ પૂછે છે ? * ‘માણસ’ને વ્યવસ્થિત ગોઠવો :
દુનિયાના નકશાના ટૂકડે-ટૂકડા કરી પિતાજીએ છોકરાને આપ્યા અને કહ્યું : તું બધા ટૂકડાને વ્યવસ્થિત કરી નકશો ગોઠવી આપ.
છોકરો પ્રયત્ન કરતો રહ્યો... પણ કલાકો સુધી ઠેકાણું પડ્યું નહિ. અચાનક જ તેની નજર એક ટુકડા પાછળ રહેલા માણસના અંગ પર ગઇ. તેને ઝબકારો થયો : ચોક્કસ પાછળ માણસનું ચિત્ર છે અને તે માણસના ચિત્રને વ્યવસ્થિત ગોઠવતો ગયો અને આશ્ચર્ય ! બીજી બાજુ દુનિયા પણ વ્યવસ્થિત ગોઠવાઇ ગઇ.
હા... માણસ દુનિયાને કદી વ્યવસ્થિત નહિ બનાવી શકે, પણ જો પોતાની જાતને વ્યવસ્થિત બનાવશે તો તેના માટે દુનિયા તરત જ વ્યવસ્થિત બની જશે.
* જન - દુર્જન - મહાજન :
હે માનવ ! તું જન છે.
તું ધારે તો સજ્જન પણ થઇ શકે અને દુર્જન પણ થઇ શકે અને આગળ વધીને મહાજન પણ બની શકે.
મહાજન થવામાં તારી જીત છે.
સજ્જન થવામાં તારી સફળતા છે.
દુર્જન થવામાં તારી હાર છે.
• બીજાની ભલાઇમાં જ પોતાની ભલાઇ :
તમે વિદ્વાન છો ? તો તમે સરળતાથી બીજાને શીખવો. તમે શિલ્પી છો ? તો તમારી શિલ્પકળા નિઃસ્પૃહભાવે બીજાને આપો.
આકાશગંગા - ૫૦
તમે વક્તા છો ? તો પ્રવચનો દ્વારા નીતિમાર્ગનું પ્રકાશન કરો. તમે લેખક છો ? તો ઉન્નતિપ્રેરક વિચારો દ્વારા લોકોનું જીવન ઉન્નત બનાવો.
તમે ડૉકટર છો ? તો રોગગ્રસ્ત જીવોને આરોગ્ય આપો. તમે નવરા રહો તે ન ચાલે. તમારી પાસે જે કંઇ પણ છે, તે બીજાને આપતા રહો. બીજાને સુખી કરવાની ભાવનાથી જ્યારે તમે કંઇક પણ કરો છો, ત્યારે તમારો અંતરાત્મા અવશ્ય સુખી થાય છે. કારણ કે બીજાની ભલાઇમાં જ આપણી ભલાઇ છૂપાયેલી હોય છે.
* માનવ : વિચિત્ર ફળ :
કેરી પાકે ત્યારે મીઠી થાય. મોસંબી, સંતરા, સફરજન વગેરે ફળો પણ પાકે તેમ મીઠા થાય, પણ એક ફળ એવું છે કે જે પાકે તેમ કડવું થાય. કયું ફળ ? કહી દઉં ? સાંભળો. એ ફળનું નામ છે : ‘મનુષ્ય’. (અલબત્ત દુર્જન)
* હાય ! તારું જીવન !
હે માનવ ! તું જન્મ લેતો હતો ત્યારે તારા મુખ પર રૂદન હતું. તું અત્યારે જીવી રહ્યો છે, પણ તારી ફરિયાદો ચાલુ છે. તું મરીશ ત્યારે કદાચ તારા મુખ પર નિરાશા હશે ! જન્મમાં રૂદન જીવનમાં ફરિયાદ
મરણમાં નિરાશા
હાય માનવ ! તારું જીવન !
* જીવનમાં ગણિતના ચાર હિસ્સા :
ગણિતના ચારેય હિસ્સા જીવનમાં આવી જાય છે. આકાશગંગા - ૫૧
Page #31
--------------------------------------------------------------------------
________________
એવું કરો કે. એવું કામ કરો કે લોકો જોતા જ રહે. એવુ બોલો કે લોકો ધ્યાનથી સાંભળે. એવું વિચારો કે ફરીથી વિચારવું ન પડે. એવું આપો કે જે કંઇક કામનું હોય. એવું લો કે જેથી દાતાનું દિલ ઉલ્લશે. એવું લખો કે હમેશાં વંચાતું રહે. એવું ચાલો જેથી ધૂળ ન ઊડે. (જીવો ન મરે). એવી રીતે રહો કે બધા રાખવા ઇરછે. એવા બનો કે લોકો કહે : “આ અમારા છે.” ઉપકાર વિષે... ઉપકાર કરનાર કરતાં કરેલા ઉપકારને જાણનારા થોડા છે. ઉપકારને જાણનારા કરતાં તેનો બદલો ચૂકવનાર થોડા છે.
જીવનનો પ્રથમ તબક્કો (બ્રહ્મચર્યાશ્રમ) સરવાળો છે; જયાં વિદ્યા, કલા, વીર્ય આદિનો સંગ્રહ (સરવાળો) કરવાનો છે.
જીવનનો બીજો તબક્કો (ગૃહસ્થાશ્રમ) બાદબાકી છે; જયાં પ્રાપ્ત થયેલી શક્તિઓનો ખર્ચ કરવાનો છે.
જીવનનો ત્રીજો તબક્કો (વાનપ્રસ્થાશ્રમ) ગુણાકાર છે; જયાં દરેક પ્રકારના ગુણોની ખૂબ-ખૂબ વૃદ્ધિ કરવાની હોય છે.
જીવનનો ચોથો તબક્કો (સંન્યાસાશ્રમ) ભાગાકાર છે; જયાં પ્રાપ્ત કરેલા તપ-જપ આદિ ગુણોને વહેંચવામાં આવે છે... અર્થાતુ લોકોમાં તેનો પ્રચાર કરવામાં આવે છે. જ અંતરધરતીનો શણગાર : પાત્ર ત્યાગી ગુણે રાગી, ભોગી પરિજનૈઃ સહ / શાસ્ત્ર બોદ્ધા રણે યોદ્ધા, પુરુષઃ પચ્ચલક્ષણઃ ||
પાત્રને આપનાર, ગુણોને ચાહનાર, પરિવાર સાથે ઉપભોગ કરનાર, શાસ્ત્રનો જાણકાર, યુદ્ધ-મેદાનમાં લડનાર માણસ જ ધરતીનો શણગાર છે. એ લોકે કહેશે... જોઇને નહિ ચાલો તો લોકો કહેશે આંધળો છે. વિચારીને નહિ બોલો તો લોકો કહેશે પાગલ છે. ધ્યાનથી નહિ સાંભળો તો લોકો કહેશે બહેરો છે. સ્વચ્છતા નહિ રાખો તો લોકો કહેશે ગંદો છે. ઠગાઇ જશો તો લોકો કહેશે બદ્ધ છે. આડી-અવળી કરશો તો લોકો કહેશે નારદ છે. કામ વિના ફરશો તો લોકો કહેશે નવરો છે. બૈરા-છોકરાને મારશો તો લોકો કહેશે રાક્ષસ છે. ભલા થશો તો લોકો કહેશે દેવ છે.
આકાશગંગા • પર F
કોઇ ઉપકાર માને કે ન માને છતાં જે ઉપકાર કરે તે ઉત્તમ. ‘તે મારો ઉપકાર માને છે માટે જે ઉપકાર કરે તે મધ્યમ. ‘તે મારો ઉપકાર કરશે’ માટે જે ઉપકાર કરે તે જઘન્ય.
કરેલા ઉપકારો ગણવા-ગણાવવા તે ગુનો છે. લીધેલી સેવા ગણવી-ગણાવવી તે સગુણ છે. જ ચાર પ્રકારના પુત્ર : ૧. અતિજાત : બાપથી સવાયા. જેમ કે રામ-લક્ષ્મણ . ૨. અનુજાત : બાપ જેવા, મૂડી સાચવનારા. ૩. અપજાત : બાપની મૂડી ખલાસ કરનારા. ૪. કજાત (કુલાંગાર) : માથાના ગુમડા જેવા. સાતેય વ્યસને પૂરા.
ને આકાશગંગા • ૫૩ -
Page #32
--------------------------------------------------------------------------
________________
ઉપકાર કે બાદ. કિસીકા ઉપકાર કરકે ભૂલ જાઓ. કિસીસે ઉપકાર કરાકે મત ભૂલો; કિસીકો દેકર ભૂલ જાઓ. કિસીસે લેકર મત ભૂલો. દુર્ગુણો જોઇ શું કરવું? કોઇના દુર્ગણ ન જુએ તે ઉત્તમોત્તમ. દુર્ગણ જુએ પણ કહે નહિ તે ઉત્તમ. દુર્ગુણ જોઇ તેને જ કહે તે મધ્યમ. દુર્ગુણ જોઇ દુર્ભાવ કેળવે તે અધમ. દુર્ગુણની નિંદા ફેલાવે તે અધમાધમ. છે. વાસના :
બાળપણ : મીઠાઇની વાસના. યૌવન : સ્ત્રીની વાસના. ઘડપણ : લોભની વાસના. છે. પાંચ ચંડાળ : ૧. ફૂટ સાક્ષી ૨. મૃષાભાષી ૩. કૃતજ્ઞ ૪. દીર્ઘ રોષી ૫. જન્મ ચંડાળ પુરુષ અને વાણી : છે મહાપુરુષ : પહેલા હૈયું બોલે પછી વાણી. cછે મધ્યમ : પહેલા વાણી બોલે પછી હૈયું. છે અધમ : પહેલા વાણી બોલે અને પછી પણ વાણી .
આકાશગંગા • ૫૪
નિર્માણ કરે છે : અધ્યયન જ્ઞાનપૂર્ણ માનવ સંમેલન દક્ષ માનવ લેખન એક્ઝટ માનવનું નિર્માણ કરે છે.
- બેકન અધૂરો છલકાય : અલ્પ પાણીવાળો ઘડો ઘણો છલકાય છે. અલ્પ દૂધવાળી ગાય ઘણી ચંચળ હોય છે. અલ્પજ્ઞાની વધુ અભિમાની હોય છે.
અને કદરૂપો માણસ અધિક ચેષ્ટાવાળો હોય છે. ક સજ્જનના આંસુ : પ્રેમથી ઘાસ પર પડે તો હીરાથી અધિક ઝળકે. માણસ પરના જુલમ જોઇને પડે તો અંગારા બને. કોઇનું દર્દ જોઇને પડે તો આશ્વાસનના બિંદુ બને. ભૂખ્યાને જોઈને પડે તો ઘઉં બની જાય. તરસ્યાને જોઇને પડે તો અમૃતની ધારા બની જાય. ક દુજેનનાં આંસુ : પ્રેમ (?)થી ઘાસ પર પડે તો તે ભડથુ થઇ જાય. બીજા પર થતા જુલમ જોઇને પડે તો બરફ જેવી ઠંડક થાય. દર્દ જો ઇને પડે તો બંદુકની ગોળી બની જાય. ભૂખ્યાને જોઇને પડે તો ગુલામીનું દસ્તાવેજ બની જાય. તરસ્યાને જોઇને પડે તો વિષ-જવાળા બની જાય. સાપ ઝેરી કે માણસ ? સાપ ! તું સભ્ય તો થયો નથી. નગરમાં રહેતાં તો આવડતું નથી.
- આકાશગંગા • ૫૫ -
Page #33
--------------------------------------------------------------------------
________________
તો તે ડંખવાનું ક્યાંથી શીખ્યું ? (માણસ વિના)
તેં વિષ ક્યાંથી ખરીદ્યું ? (દુકાન વિના)
સાપ કરતાં પણ ઝેરી આજના માનવીને જોઇને કોઇએ કહ્યું છે :
માનવીના ઝેર માટે તું પૂછ મા;
સાપ પણ કાંઇ એટલા ડસતા નથી.
* આજના માનવ પાસે :
પ્રતિભા ખૂબ છે, શ્રદ્ધા નથી.
જ્ઞાન છે, પણ વ્યાવહારિક બુદ્ધિ નથી.
આડંબરયુક્ત સભ્યતા છે, પણ પ્રેમ કે સહાનુભૂતિ નથી.
સિદ્ધાંતોની ચર્ચાઓ છે, પણ આચરણ નથી.
* શાસન કરે છે :
૨૦ વર્ષે સંકલ્પ
૩૦ વર્ષે બુદ્ધિ
૪૦ વર્ષે નિર્ણયાત્મકતા
પછી ચરિત્રનો અંશ
* અંતિમ પ્રયાણ વખતે...
પૈસા બેન્કમાં
ગાડીઓ ગેરેજમાં
પત્ની મકાનમાં
પરિવાર સ્મશાનમાં
શરીર ચિત્તામાં પડ્યા રહે છે...
જીવ એકલો પોતાના કર્મ સાથે ચાલી નીકળે છે. * મૃત્યુ પછી :
પરિવાર પૂછશે : તે કેટલી સંપત્તિ મૂકીને ગયો ? જગત પૂછશે : તે કેટલા સારા કાર્યો કરીને ગયો ? - આકાશગંગા • ૫૬
ૐ કરવાવાળા કેટલા ? સાંભળનારા લાખો છે. સંભળાવનારા હજારો છે. સમજનારા સેંકડો છે. પણ કરવાવાળા વિરલા જ છે. * જીવનનું રહસ્ય :
જીવનનું રહસ્ય કર્તવ્યમાં છે.
‘સાગરમાં જઇને હું ફરવાનો આનંદ માણીશ' આવું કહેનાર નદીને શું કહેવું ?
‘માળામાં બેસીને જ ગગનનો આનંદ માણીશ' એવું કહેનાર પંખીને શું કહેવું ?
* કુલીન પુરુષના ચાર ગુણ :
હસમુખો ચહેરો
ઉદાર હાથે
મૃદુ ભાષણ
નમ્રતા
* ઉત્તમ કોણ ?
ભણેલાથી ગણેલો સારો
- તિરૂવલ્લુવર
ગણેલાથી ફરેલો સારો
ફરેલાથી કસાયેલો સારો
* મનુષ્ય-આયુષ્ય શી રીતે બંધાય ?
સરળ સ્વભાવ, વિનય, દયા અને ઇર્ષ્યાનો ત્યાગ આ ચાર ગુણોથી મનુષ્ય આયુષ્ય બંધાય છે.
*** આકાશગંગા - ૫૭
- ઠાણંગ ૪/૪/૩૭૩
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૨. જીવત
આડા અને ઊભા તારથી કપડું બને. અનુકૂળતા અને પ્રતિકૂળતાથી જીવન બને. કાર્યકર્તાઓ ! ટીકાથી ગભરાશો નહિ :
અનુચિત ટીકાથી ગભરાશો નહિ. એ તો ખરેખર તમારી પ્રશંસા (ભલે તેનું નામ ટીકા હોય) છે. કારણ કે તમે ટીકાકારોમાં ઇર્ષ્યા કે સ્પર્ધા ભડકાવી શક્યા છો... એટલું ભૂલશો નહિ કે મરેલા કૂતરાને કોઇ લાત મારતું નથી. તમારી ટીકા થાય છે એનો અર્થ એ થયો કે હવે તમે કાંઇક વજનદાર થયા છો.
ટીકાની ઉપેક્ષા કરી નક્કર અને ઉત્તમ કાર્યમાં મંડી પડો. તમારી ભૂલોનો હિસાબ રાખો. લાભકારી - રચનાત્મક ટીકાઓ તમારે જાણવી જોઇએ. તેની ઉપેક્ષા કરી શકાય નહિ.
જીવનનો આદર્શ : બટન દબાવતાં ફોટો પડી જાય, બીબામાં ઢાળતાં મશીન બની જાય, પણ જીવનનો આદર્શ આટલો જલ્દી નહી બને. એ તો ખીલતું ફૂલ છે. એને એની રીતે ખીલવા દો. એ તો પીંછી, કાગળ અને આંગળીઓની સાવધાનીપૂર્વકની કરામતથી નિર્માણ પામતું ચિત્ર છે. સાવધાનીપૂર્વક ચિત્રનું નિર્માણ કરો. જીવન - એક સંગીત : જીવન ગાયન છે. કલા તાલ છે.
| આકાશગંગા • ૫૮ -
મનના વિશેષ ભાવો ભિન્ન-ભિન્ન રાગ છે.
સમગ્ર બ્રહ્માંડ લય છે. જ આ વાક્યો તમારી જીંદગી બદલાવશે. અજમાવી જુઓ ! ૧. આજે હું પ્રસન્ન રહીશ. કોઇની તાકાત નથી કે મારી
પ્રસન્નતા ખંડિત કરી શકે. મારી પ્રસન્નતાનો હું જ
માલિક છું. ૨. આજે હું વર્તમાનને અનુકૂળ થવાનો પ્રયત્ન કરીશ.
બીજાને મારી ઇચ્છાનુસાર ઢાળવાનો પ્રયત્ન નહિ કરું. ૩. આજે યોગાસન આદિથી શરીરને કેળવીશ, બીડી,
દારૂ વગેરેના વ્યસનોથી શરીરનો દુરુપયોગ નહિ કરું. ૪. આજ મારા મનને સબળ બનાવવા પ્રયત્ન કરીશ. હું | ઉપયોગી વાતો શીખીશ. મારા વિચારોને ભટકવા
નહિ દઉં ! ૫. આજ મારો સ્વભાવ સારો રાખીશ. ધીરે બોલીશ. નમ્ર
રહીશ. બીજાની પ્રશંસા કરવામાં ઉદાર રહીશ.
કોઇની ટીકા નહિ કરું. ૬. આજે હું વર્તમાન સમસ્યા ઉકેલવામાં પ્રયત્ન કરીશ.
જીવનની બધી સમસ્યા એકી સાથે નહિ લઉં ! ૭. આજે હું કાર્યક્રમ બનાવીશ. ૮. આજે અર્ધા કલાક આરામથી બેસીને પરોપકારના
| વિચારો કરીશ. આંતરદૃષ્ટિ પ્રાપ્ત થાય માટે. ૯. આજે હું નિર્ભય રહીશ. એક મિનિટમાં.. Cછે વિશ્વમાં અંદાજે ૫૪૪૦ બાળકો જન્મે છે. cછે પ્રાયઃ ૪૬૩૦ લોકો મૃત્યુ પામે છે.
આકાશગંગા • ૫૯ -
Page #35
--------------------------------------------------------------------------
________________
છે ૮ લાખ કપ ચા-કોફી પીવાઇ જાય છે. છે હૃદય ૭૫ વખત આખા શરીરમાં લોહી મોકલે છે.
મહેનત વધે તો ૨૦ વખત પણ હૃદય લોહી મોકલે છે. છે એક વખતના લોહીના પરિભ્રમણમાં ૨ક્તકણો ૬૦
હજાર માઇલ ચાલે છે.
૧૮ વખત શ્વાસોચ્છવાસ ચાલે છે. Cછે ૩૭ અબજ ટન પાણી સૂર્ય-ગરમીથી વરાળ બને છે. જ દીર્ઘ આયુષ્યના કારણ : ૧. જીવહિંસા ત્યાગ ૨. મૃષાવાદ ત્યાગ ૩. નિદૉષ આહારનું દાન
- ઠાસંગ ક બુદ્ધિ અને ચરિત્ર : બુદ્ધિનો વિકાસ એકાંતમાં, ચરિત્રનો વિકાસ લોકો વચ્ચે.
૧૩. આયુષ્ય છે આયુષ્ય નાશના નિમિત્તો : ૧. સ્પર્શ ૨. પરાઘાત ૩. વેદના ૪. આહાર ૫. નિમિત્ત ૬. અધ્યવસાય
૭. શ્વાસોચ્છુવાસ જ અલ્પ આયુષ્યના કારણ : ૧. જીવહિંસા ૨. મૃષાવાદ ૩. અનેષણીય આહારનું દાન
- હાર્નંગ
એકેન્દ્રિયના કારણ : ૧. મોહ ૨. અજ્ઞાન ૩. રાગ
ક જીવન બે રીતે બને છે :
૧. તમારી વિચારધારાથી. ૨. સમય પસાર કરવાની તમારી પદ્ધતિથી.
- છે. હાવેજ * * * જયાં હો ત્યાં તમારા વાણી-વિચાર-વર્તનથી એવી હવા ઊભી કરો કે તમારા વિના બીજાને ખાલી-ખાલી લાગે. તેઓ બોલે : ‘એ કેમ ચાલ્યા ગયા ? કેવા મજાના માણસ હતા ?' તો જીવ્યું ‘જીવ્યું' કહેવાય.
*
*
*
૧૪. દેવ.
પાંચ દેવ : ૧. ભવ્ય દ્રવ્યદેવ ભવિષ્યમાં દેવગતિ ઉત્પન્ન થનાર જીવ. ૨. નરદેવ : ચક્રવર્તી.
ને આકાશગંગા • ૧
આકાશગંગા • ૬૦ |
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૫. નરક |
૩. ધર્મદેવ : સાધુ મહાત્મા. ૪. દેવાધિદેવ : અરિહંત પરમાત્મા. ૫. ભાવદેવ : વૈમાનિક વગેરે દેવ.
- ઠાણંગ ૫/૧ દેવ-આયુષ્યના કારણો :
સરાગ સંયમ, દેશવિરતિ, અજ્ઞાન તપ, મોક્ષ ઇચ્છા વિનાનો ધર્મ – આ ચાર કારણે દેવનું આયુષ્ય બંધાય છે.
- હાશંગ ૪/૪/૩૭૩ ઇન્દ્રની શક્તિ :
ઇન્દ્રમાં એટલી શક્તિ હોય છે કે તે જો ધારે તો માણસના મસ્તકના ટુકડે-ટુકડા કરી ચૂર્ણ બનાવી કમંડળમાં ભરી શકે છે અને પછી તરત જ તે ચૂર્ણમાંથી પાછું મસ્તક બનાવી માણસના ધડ સાથે ચોટાડી દે છે અને તે માણસ જીવતો જ રહે છે. આ કાર્ય એટલી કુશળતાથી અને શીવ્રતાથી કરે છે કે માણસને જરા પણ પીડાનો અનુભવ થતો નથી.
- ભગવતી ૧૪/૮/૧૮ ક દેવોની શક્તિ :
કેટલાક દેવો હજાર જાતના શરીર બનાવી જુદી જુદી હજાર જાતની ભાષા બોલી શકે છે.
- ભગવતી ૧૪/૯/૯
નરક આયુષ્યનાં કારણો :
મહા આરંભ, મહા પરિગ્રહ, પંચેન્દ્રિયની હત્યા, માંસાહાર - આ ચાર કારણોથી જીવ નરકનું આયુષ્ય બાંધે છે.
- ઠાણંગ ૪/૪/૩૭૩ નરકની દસ વેદનાઓ :
ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ખરજ, પરાધીનતા, ભય, શોક, વૃદ્ધત્વ, કોઢ-તાવ વગેરે રોગો - આ ૧૦ પ્રકારની વેદના નરકના જીવો અનુભવતા હોય છે.
- હાશંગ ૧૦/૭૫૩
( ૧૬. પાપ ] - સાપ-પાપ : ce નામથી : સાપનું નામ સાંભળતાં જ ભય લાગે. છે સ્થાપનાથી : અંધારામાં દોરડીમાં સાપની કલ્પના
(સ્થાપના)થી પણ ભય લાગે. છે દ્રવ્યથી : જે ઓરડામાં ત્રણ દિવસ પહેલા સાપ
નીકળ્યો હોય, ત્યાં જતાં પણ ભય લાગે. cછે ભાવથી : મદારીના ઝેર વગરના સાપથી પણ ભય
લાગે. સાપનું નામ, કલ્પના, સ્થાન વગેરે બધું જ ખરાબ, તેમ પાપનું સ્થાન, કલ્પના વગેરે બધું જ ખરાબ લાગવું જોઇએ.
ને આકાશગંગા • ૬૩
કેટલાક દેવો મનુષ્યની પાંપણ પર બત્રીસ જાતના નાટકો બતાવી શકે છે અને છતાં પણ તે માણસને જરા પણ તકલીફ પડતી નથી. આવા દેવો ‘અવ્યાબાધ દેવ' તરીકે ઓળખાય છે.
- ભગવતી ૧૪/૮/૧૭
| આકાશગંગા • ૨ |
Page #37
--------------------------------------------------------------------------
________________
* પાપથી નષ્ટ થતી ચાર ચીજ :
ચિત્તની પ્રસન્નતા
શરીરનું આરોગ્ય
૧.
૨.
૩. કુટુંબમાં સંપ
..
જીવનમાં શાંતિ
* સાધુ અને પશુ :
***
૧૭. પ્રતિજ્ઞા
બધા વગર ચાલે એ સાધુ,
બાધા વગર ચાલે એ પશુ.
* પ્રતિજ્ઞામાં ભય લાગે છે ?
તમે મેલા થવાના ભયથી વસ્ત્ર પહેરવાનું નથી છોડતા. ભિખારીઓના ભયથી રસોઇ કરવાનું નથી છોડતા. તીડના ભયથી ખેતી કરવાનું નથી છોડતા. અકસ્માતના ભયથી મોટરમાં બેસવાનું નથી છોડતા. નુકસાનીના ભયથી વેપાર કરવાનું નથી છોડતા. માખીઓના ભયથી દૂધ પીવાનું નથી છોડતા. તો તૂટી જવાના ભયથી
પ્રતિજ્ઞા લેવાનું કેમ છોડી દો છો ?
તૂટેલા યંત્ર, તૂટેલા વાસણ અને ફાટેલા વસ્ત્ર વગેરેની જેમ તૂટેલી પ્રતિજ્ઞાને પણ પ્રાયશ્ચિત્તથી નિર્મળ બનાવી શકાય છે. * પ્રતિજ્ઞાનું રક્ષણ :
ટીટોડી જેમ ઇંડાનું રક્ષણ કરે,
ચમરી ગાય જેમ પૂંછડીનું રક્ષણ કરે,
- આકાશગંગા • ૪
માતા જેમ પોતાના એકના એક પુત્રનું રક્ષણ કરે, કાણો માણસ જેમ પોતાની એક આંખનું રક્ષણ કરે, તેમ સદા પ્રતિજ્ઞાનું રક્ષણ કરો.
* પ્રતિજ્ઞાની વાતોથી ન ચાલે : લાડવાની વાતોથી મોઢું મીઠું ન થાય. ધાબળાની વાતોથી ટાઢ ન ઊડે. વેપારની વાતોથી ક્રોડપતિ ન થવાય. દીવાની વાતોથી અંધારું ન જાય. દવાની વાતોથી દર્દ ન મટે. લગ્નની વાતોથી વહુ ઘરે ન આવે. સત્તાની વાતોથી ખુરશી ન મળે. વિદ્યાની વાતોથી વિદ્વાન ન બનાય. પ્રતિજ્ઞાની માત્ર વાતોથી શ્રાવક ન બનાય.
પરંતુ તે જીવનમાં લાવવી પડે. આમોં સે આમ
કહાં સૂખી બાતોં સે હો રેલ-પેલ;
ખલી પેલને સે ન નીકલેગા તેલ.
- વિશુદ્ધિ માર્ગ ૧/૯૮
ન બાતેં બનાકર હી બહલાઓ જી;
કે પાની બિલૌને સે નીકલે ન થી. અમલ કે મુતાબિક સિલા હો મુદામ; કે ઇમલી સે ઇમલી હો, આમોં સે આમ.
આકાશગંગા • ૬૫
- ઉર્દૂ શાયરી
Page #38
--------------------------------------------------------------------------
________________
* બંધન :
બળદને નાથનું બંધન ઘોડાને લગામનું બંધન હાથીને અંકુશનું બંધન મોટરને બ્રેકનું બંધન જયોતને કોડિયાનું બંધન પાણીને પ્યાલાનું બંધન રૂપિયાને તિજોરીનું બંધન તિજોરીને તાળાનું બંધન તાળાને ચાવીનું બંધન ચાવીને હાથનું બંધન હાથને મગજનું બંધન મગજને આત્માનું બંધન આત્માને સદ્ગુરુનું બંધન સદ્ગુરુને શાસ્ત્રનું બંધન શાસ્ત્રને ભગવાનનું બંધન ભગવાનને વસ્તુસ્થિતિનું બંધન છે.
જે ભગવાનના બંધનથી બંધાય છે તે જ સંસારના બંધનથી છૂટી શકે છે.
* * *
પછી જીવન પરિવર્તન ત્યાર પછી સમાજ પરિવર્તન ને પછી દેશ પરિવર્તન ને છેલ્લે વિશ્વ પરિવર્તન શરૂઆત ઘર-આંગણેથી જ કરવી પડે. જ કોણ કોનાથી સારા ? અભણ કરતાં ભણેલા સારા, ભણેલા કરતાં યાદ રાખનારા સારા, યાદ રાખનારા કરતાં રહસ્ય જાણનારા સારા, રહસ્ય જાણનાર કરતાં તે મુજબ જીવનાર સારા.
- મનુસ્મૃતિ ૧૨/૧૦૩ સદાચારે આપઘાત કર્યો : ‘હાય ! હાય ! મારો એકનો એક જુવાનજોધ પુત્ર તો મરી ગયો. હવે મારે જીવીને કામ શું છે?” આમ વિચારી એક ઘરડા બાપે આપઘાત કર્યો. જાણો છો આ બાપ-બેટા કોણ ? બેટાનું નામ “સત્ય', બાપનું નામ ‘સદાચાર'..
ભ્રષ્ટાચારે સોગંદ લીધા : સાંભળ્યું છે કે લોકસભામાં નેતા સોગંધવિધિ કરી રહ્યા હતા ત્યારે યુવાનેતા લોકપ્રિયશ્રી અસત્યના લાડીલા પુત્ર શ્રી ભ્રષ્ટાચારે પણ રાષ્ટ્ર પ્રત્યે પૂરી ઇમાનદારીથી વર્તવાના સોગંદ લઇ લીધા છે.
- શ્રી રવિ દિવાકર
૧૮. ચારિત્ર
જગતનું પરિવર્તન કરવું હોય તો... પહેલા હૃદય પરિવર્તન
| આકાશગંગા • ૬
આકાશગંગા • દo |
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૯. ભક્તિ | (દર્શન, પૂજન, નમસ્કાર ઇત્યાદિ) - પરમાત્મા : નાસ્તિક માટે પરમાત્મા ઝીરો (0) છે. આસ્તિક માટે પરમાત્મા પૂર્ણવિરામ (.) છે. શૂન્ય અંદરથી પોલું છે. પૂર્ણવિરામ નક્કર છે. જ પાંચ કલ્યાણકથી પાંચ આશ્રવ જાય : ૧. ચ્યવન : મિથ્યાત્વ જાય. ૨. જન્મ : અવિરતિ જાય. ૩. દીક્ષા : પ્રમાદે જાય. ૪. કેવળ જ્ઞાન : કષાય જાય.
૫. મોક્ષ : યોગ જાય. જ પ્રભુ જન્મ વખતે આનંદ શા માટે ? પ્રભુ વીરના જન્મ વખતે આનંદનું કારણ બતાવતાં સૌએ કહ્યું : ઋજુવાલુકા નદી : મારા કિનારે કેવળજ્ઞાન થશે. કમળો : મારા પર પ્રભુના પગલા પડશે. મેરુ પર્વત : મને પ્રભુના ચરણનો સ્પર્શ થશે. વૃક્ષો : અમને નમસ્કાર કરવા મળશે. વાયુ : અમે અનુકૂળ બનીશું. પંખી ; અમે પ્રદક્ષિણા આપીશું. સૂર્ય-ચંદ્ર : અમે મૂળ વિમાને પ્રભુના દર્શન કરવા આવીશું. સૌધર્મેન્દ્રઃ હું પાંચ રૂપ કરી બળદ બની પ્રભુનો અભિષેક કરીશ. ચમરેન્દ્રઃ હું મચ્છર બનીને પ્રભુ ચરણનું શરણું સ્વીકારીશ. પૃથ્વી : અમારામાં વર્ષોથી દટાયેલા નિધાનોનો દાન માટે સદુપયોગ થશે.
માનવો : ધર્મતીર્થની સ્થાપના થશે.
પશુ-પંખીઓ : અમે પણ ધર્મદેશના સાંભળી શકીશું, સમજી શકીશું. ત્રિકાલાતીત બની પ્રભુ ભકિત કરો : ત્રણેય કાળથી મુક્ત થઇ ઇશ્વરને ભજો . ભૂતકાળને યાદ કરશો તો શોકાદિમાં ખૂંપી જશો. વર્તમાનને યાદ કરશો તો મોહ-માયામાં ફસાઇ જશો.
ભવિષ્યકાળને યાદ કરશો તો ચિંતાના કાદવમાં ખૂંપી જશો. જ ભક્તિ માપવા માટે :
દૂધની ઘનતા માપવા લેક્ટોમીટર, વીજળીનું દબાણ માપવા વોલ્ટમીટર, હવાનું દબાણ માટે બેરોમીટર, ગરમી માપવા માટે થર્મોમીટર, તેમ પ્રભુભક્તિ માપવા માટે ચિત્ત પ્રસન્નતા. To Live (જીવન) થી To Love (પ્રેમ) સુધી : જીવન શા માટે ? જીવવા માટે. જીવવું શા માટે ? કંઇક કરવા માટે. કંઇક કરવું શા માટે ? સત્કર્મ કરવા માટે. સત્કર્મ શા માટે ? જીવો સાથે પ્રેમ કરવા માટે. જીવોનો પ્રેમ શા માટે ? ભગવાન સાથે પ્રેમ કરવા માટે. Live (શિવ) અને Love (લવ)માં ફરક કેટલો ? અને 0 નો જ માત્ર ફરક. એ અહંનું, સ્વાર્થનું પ્રતીક છે. 0 એ શૂન્યનું – અહં રહિતતાનું પ્રતીક છે. તો વિશ્વનું વાસ્તવિક સત્ય આ જ છે કે આઇ-I (અહં)ને o - ઓ (શૂન્ય)માં પરિવર્તિત કરી દો. સ્વાર્થી મટીને પ્રભુપ્રેમી બનો.
ન આકાશગંગા • ૬૯ F
આકાશગંગા • ૬૮
Page #40
--------------------------------------------------------------------------
________________
* ભક્તિ માટે શું જોઇએ ?
તપસ્વી બનવા શરીરની શક્તિ અપેક્ષિત છે.
જ્ઞાની બનવા બુદ્ધિની શક્તિ અપેક્ષિત છે. દાની બનવા ધનની શક્તિ અપેક્ષિત છે.
પણ ભક્ત બનવા નિરપેક્ષ બનવું અપેક્ષિત છે. કોઇ પણ શક્તિ પર મગદૂર બનેલો માણસ કદી પણ ‘ભક્ત' બની શકતો નથી.
* આંસુ :
પ્રભુ-ભક્તિ, કરુણા અને સહાનુભૂતિથી થતા આંસુ પવિત્ર છે. શોક, ક્રોધ અને દંભથી થતા આંસુ અપવિત્ર છે.
* ઇસ્લામ ધર્મની ૭ જરૂરી વાતો :
૧.તોષા : પાપોનો પશ્ચાત્તાપ.
૨. જહ૨ : ઇચ્છાથી ગરીબી સ્વીકારવી.
૩.
સબ્ર : સંતોષ કરવો.
શુક : અલ્લા પ્રત્યે કૃતજ્ઞતા.
૪.
૫. રિજાઅ : દમન.
૬.
૭.
આ સાતેય વાતો દુષ્કૃત ગહં, સુકૃત-અનુમોદના અને શરણાગતિમાં સમાઇ જાય છે - એમ નથી લાગતું ? ♦ ... તો થાય :
ખોરાક સાથે પાણી મળે તો પચે.
તન સાથે મન મળે તો સાધના થાય.
પ્રકૃતિ સાથે પુરુષ મળે તો સંસાર મંડાય. કૃષ્ણ સાથે જો અર્જુન મળે તો મહાભારત જીતાય.
જ્ઞાન સાથે જો ભક્તિ (શ્રદ્ધા) મળે તો મોક્ષ થાય. – આકાશગંગા • ૦ -
તવક્કુલ : અલ્લાની કૃપા પર પૂરો ભરોસો.
રજ : અલ્લાની મરજીને પોતાની મરજી બનાવવી.
* મૂર્તિ :
આગમો શ્રદ્ધાથી સમજાય. નયવાદ બુદ્ધિની તીક્ષ્ણતાથી સમજાય. પણ હે પ્રભુ ! તારી આ મૂર્તિ તો
બાળકથી માંડીને સૌને સહેલાઇથી સમજાય.
* ત્રણ પ્રકારના બોર્ડ (આજના) :
૧. ઓફિસ પર : નો એડમીશન વિધાઉટ પરમીશન.
૨.
વિઘાલય પર : નો એડમીશન વિધાઉટ ડોનેશન.
૩.
સાધનાધામ પર : નો એડમીશન વિધાઉટ ડીવોશન. * વિશ્વાસ રાખો :
ભગવાનની ભક્તિ પર.
આત્માની શક્તિ પર.
૧.
૨.
૩.
* ટૂટે વો પાંવ...
શુદ્ધ આચારની અભિવ્યક્તિ પર.
ટૂટે વો પાંવ જિસકો ન તેરી તલાશ હો, ફૂટે વો આંખ જિસકો ન હો જુસ્તજૂ તેરી; વો ઘર હો બેચિરાગ જહાં તેરી જૂ ન હો,
વો દિલ હો દાગ જિસમેં ન હો આરજૂ તેરી.
૪.
૫.
* પાંચ મુક્તિ ઃ
૧. સાલોક્ય : ભગવાન સમાન લોકની પ્રાપ્તિ
૨.
સાષ્ટિ : ભગવાન સમાન ઐશ્વર્યની પ્રાપ્તિ.
૩.
સામીપ્ય ઃ ભગવાનની નજીક સ્થાનની પ્રાપ્તિ.
- મુનશી દુર્ગાસહાય
સારૂપ્ય : ભગવાન સમાન સ્વરૂપની પ્રાપ્તિ.
સાયુજ્ય ઃ ભગવાનમાં લયની પ્રાપ્તિ.
આકાશગંગા . ૧
- ભાગવત ૩/૨૯/૧૩
Page #41
--------------------------------------------------------------------------
________________
જ કોની ક્યારે મુખ્યતા?
ઔદયિક ભાવની ઘટનામાં ઉપાદાનની મુખ્યતા માનો.
ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિકમાં પુષ્ટ નિમિત્ત (પ્રભુ)ની મુખ્યતા માનો.
અરિહંતની ભક્તિ (ચાર નિક્ષેપોમાં નવધા ભક્તિ) નામ નિક્ષેપની (ભક્તિ) શ્રવણ, કીર્તન, સ્મરણ વડે. સ્થાપના નિક્ષેપની વંદન, પૂજન, અર્ચન વડે. દ્રવ્ય નિક્ષેપની દાસ્ય કે સખ્યભાવ વડે. ભાવ નિક્ષેપની આત્મ-નિવેદન વડે. લોગસ્સના ત્રણ પદમાં નવધા ભક્તિ : કિત્તિય વંદિય મહિયા ૧ શ્રવણ ૪ વંદન ૭ દાસ્ય ૨ કીર્તન ૫ અર્ચન ૮ સંખ્ય ૩ સ્મરણ ૬ પાદસેવન ૯ આત્મ-નિવેદન લોગસ્સની આરાધના :
‘લોગસ્સ કલ્પ'માં પ્રથમ ગાથા પૂર્વદિશામાં જિનમુદ્રાએ ૧૪ દિવસ તેના બીજ મંત્રો સહિત ૧૦૮ વાર ગણવાનું વિધાન છે. તે મુજબ ગણવાથી અને તેના ઉપસંહાર રૂપ છઠ્ઠી ગાથા બેસીને ૧૦૮ વાર ગણવાથી એક પ્રકારની અભુત શાંતિ અનુભવાય છે.
ક્યારે કોની આરાધના છે તપોવૃદ્ધિ માટે : વર્ધમાન સ્વામી – આદિનાથ છે શાંતિ માટે : શાંતિનાથ છે બ્રહ્મચર્ય માટે : નેમિનાથ છે વિઘ્ન વિદારણ માટે : પાર્શ્વનાથ
| આકાશગંગા • ૨ |
પ્રતિમા પૂજનનું તાત્કાલિક ફળ : છે યાદવોની જરા ચાલી ગઇ. છે ઝીંઝુપુર (ઝીંઝુવાડા)ના રાજા દુર્જનશલ્યનો કોઢ
ચાલ્યો ગયો. છે પાલનપુરના પ્રહ્માદન રાજાનો કોઢ ચાલ્યો ગયો. cછે શ્રીપાળ તથા ૭00 કોઢીયા નીરોગી થયા. ce નાગકેતુ કેવલી થયા. આ પાંચ નમસ્કાર : ૧. પ્રહાસ નમસ્કાર: મજાકથી કે ઇર્ષાથી નમસ્કાર કરવા તે. ૨. વિનય નમસ્કાર : માતા-પિતાદિને વિનયથી નમવું. ૩. પ્રેમ નમસ્કાર : મિત્રાદિને પ્રેમથી નમવું. ૪. પ્રભુ નમસ્કાર : સત્તાદિના કારણે રાજાદિને નમવું. ૫. ભાવ નમસ્કાર : મોક્ષ માટે દેવ-ગુરુ આદિને નમવું. ક ભજન અને ભોજન : ce ભોજન નીરસ તો ભજન સ-રસ. cછે ભોજન સ-રસ તો ભજન નીરસ. અહંકાર અને આત્મવિશ્વાસ : અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચેની સૂમ ભેદરેખા સમજો . રાવણ, દુર્યોધન, હિટલર કે ધવલ જેવો (બીજાને મારી નાખવાના આશયવાળો અને હુંકારથી ભરેલો) વિશ્વાસ આત્મવિશ્વાસ ન કહેવાય, પણ અહંકાર કહેવાય. પુણિઓ, અભયકુમાર, ચંપા શ્રાવિકા કે કપર્દી મંત્રી જેવો નમ્રતાયુક્ત આત્મવિશ્વાસ જોઇએ, જે એમ મનાવે કે અનંત શક્તિના સ્વામી પ્રભુ મારી સાથે છે.
આકાશગંગા • o E
Page #42
--------------------------------------------------------------------------
________________
આ જીવાત્મા અને પરમાત્મા :
છે રાગાદિ વિજેતા પરમાત્મા. cક રાગાદિથી વિજિત જીવાત્મા. બી જ ન વાવ્યું તો ?
ભણો, ગણો, તપ કરો પણ હૃદયમાં જો અનંત (પ્રભુ) પ્રત્યે પ્રેમ નથી પ્રગટ્યો તો બધું જ વ્યર્થ છે. કોઇ ખેડૂત ખેતરમાં માટી ખોદે, ખેડે, જમીન સમતલ કરે, પાણી સિંચે પણ બી જ ન વાવે તો? છે તેઓ ઝેરનાં બી વાવે છે :
આર્યભૂમિ, ઉત્તમકુળ, સત્સંગ આદિ પ્રાપ્ત કરીને જેઓ ઠંડીગરમી સહન કરતા ચાતક પક્ષીની જેમ ભગવાનનું સ્મરણ કરે છે, તે ચતુર છે. બીજા તો સોનાના હળમાં કામધેનુને જોડીને ઝેરનાં બી વાવી રહ્યાં છે. શુદ્ધ ભક્તિ :
આજે શુદ્ધ ભક્તિ પ્રાયઃ લુપ્ત થઇ ગઇ છે. ભક્તોએ ભક્તિને ઘણી સસ્તી બનાવી દીધી છે. ઇતિહાસ તો કહે છે કે ભક્ત તે જ બની શકે જે રાવણની જેમ પોતાની નસ કાપીને વીણામાં લગાડી શકે. જે કપર્દી મંત્રીની જેમ ઉકળતા તેલના કડાયામાં કૂદકો મારી શકે, જે હંટરનો માર ખાતાં પણ શ્રેણિકની જેમ ‘વીર... વીર...' પોકારી શકે. વિભક્તિ ત્યાં ભક્તિ નહિ : જીવો સાથે વિભક્તિ (જુદાઇ) જયાં નહિ પ્રભુની નહિ ભક્તિ ત્યાં. ભગવાનનું સરનામું : છે દેશ : સત્સંગ છે નગર : ભક્તિનગર
{ આકાશગંગા • ૦૪ |
છે ગલી : પ્રેમની ગલી cછે ચોકીદાર : વિરહતાપ નામનો ચોકીદાર & મહેલ : પ્રભુ મંદિર છે સીડી : સેવાની સોપાન પંક્તિ અહીં સુધી આવ્યા પછી શું કરવાનું ? દીનતાના પાત્રમાં મનના મણિને મૂકીને પ્રભુને ચડાવવું. અહં ભાવને બાજુએ મૂકી પ્રભુ શરણ સ્વીકારવું. ભક્તની ઇચ્છા : હું મરી જઇશ પછી મારું શરીર માટી તો બની જ જવાનું છે. હે પ્રભુ ! મારી એવી ઇચ્છા છે કે એ માટીમાંથી ઉત્પન્ન થયેલ વૃક્ષ દ્વારા કોઇ સુથાર આપના ચરણની પાદુકા બનાવે. આમ મને જો તારા ચરણમાં રહેવાનું મળશે તો હું મારી જાતને જગતમાં સૌથી સૌભાગ્યશાળી માનીશ.
- ગંગાધર ભક્તિ પૂર્ણ ક્યારે ? જ્ઞાનથી આલોકિત અને ચારિત્રથી નિયંત્રિત ભક્તિ જ દેઢ હોઇ શકે છે. જયાં સુધી ભક્તિ જ્ઞાન અને કર્મ (ચારિત્ર) બનતી નથી ત્યાં સુધી તે અપૂર્ણ છે.
ભક્તોની લઘુતા :
ભક્તોની એક વિશેષતા હોય છે કે તેઓ પોતાને સદા પ્રભુના દાસ તરીકે જ ઓળખાવે છે. પોતાના નામ પણ લઘુતા દર્શક રાખે છે.
દા.ત. : તુક્કા (તુકારામ), એકા (એકનાથ), નાનક, કબીરા વગેરે.
ન આકાશગંગા • કપ
Page #43
--------------------------------------------------------------------------
________________
છે ભગવાન ક્યાં છે ?
ફૂલની પાંખડીઓમાં સુગંધ રહેલી છે, તેમ હું (ભગવાન) શાસ્ત્ર-પંક્તિઓમાં રહેલો છું. જેઓ મને મળવા ઇચ્છે છે તેઓ મને શાસ્ત્રમાં જુએ.
પ્રેમ : રટત-રટત રસના રટી, તૃષા સુખિગે અંગ; ‘તુલસી’ ચાતક પ્રેમ કો, નિતનૂતન રુચિ રંગ. ચઢત ન ચાતક ચિત્ત કુ પ્રિય પયોદ કે દોષ; ‘તુલસી’ પ્રેમ પયાધિ કી, તા તે નાપ ન જોખ. જ ભગવાન આવે તો..
છે બુદ્ધિમાં ભગવાન આવે તો સમ્યગું જ્ઞાન મળે. છે હૃદયમાં ભગવાન આવે તો સમ્યગૂ દર્શન મળે.
છે હાથમાં (કાયામાં) ભગવાન આવે તો સમ્યફ ચારિત્ર મળે. આ સંસારમાં ધર્મ અને ધર્મમાં સંસાર : Cછે છાસમાં માખણ હોય તો વાંધો નહિ,
પણ માખણમાં છાસ ન જોઇએ. cછે કોલસામાં હીરો આવી જાય તો વાંધો નહિ,
પણ હીરા લેતાં કોલસો ન આવવો જો ઇએ. છે સિગારેટ પીતાં-પીતાં પ્રભુને ભજવામાં વાંધો નહિ,
પણ પ્રભુ-ભજન કરતાં કરતાં સિગારેટ ન જ જોઇએ. cછે ઝેરમાં ભેળ-સેળ હોય તો વાંધો નહિ,
પણ મીઠાઇમાં ઝેરની ભેળ-સેળ ન જ જોઇએ. છે પાણી પર હોડી હોય તો વાંધો નહિ, પણ હોડીમાં પાણી ન જોઇએ.
| આકાશગંગા • ૬ |
છે સંસારમાં પ્રભુ યાદ આવે તો વાંધો નહિ,
પણ પ્રભુ ભક્તિમાં સંસાર યાદ ન આવવો જોઇએ. જ મળે છે : cછે વિશ્વાસથી સાક્ષાત્કાર.
છે વિનયથી ઉન્નતિ. cક સત્યથી સમતા. cછે પ્રેમથી આનંદ.
a ધૈર્યથી શાંતિ. Cછે વૈરાગ્યથી જ્ઞાન. Cછે સમર્પણથી ભક્તિ. હે પ્રભુ! તું અંધકારમાં દીવો છે. તું ગરીબનું ધન છે. તું ભૂખ્યાને અન્ન છે. તું તરસ્યાનું પાણી છે. તું આંધળાની લાકડી છે. તું થાકેલાની સવારી છે. તું દુ:ખમાં ધીરજ છે. તું વિરહમાં મિલન છે. તું જગતનું સર્વસ્વ છે. જ પ્રભુને પામવાના ચાર સોપાન : ૧. પ્રીતિયોગ : પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ કેળવવો. ૨. ભક્તિયોગ : સર્વસ્વ સમર્પણની ભૂમિકાએ પહોંચવું. ૩. વચનયોગ : પ્રભુ આજ્ઞાને જીવન-પ્રાણ સમજી તેનું પાલન કરવું.
ને આકાશગંગા • too .
Page #44
--------------------------------------------------------------------------
________________
૪. અસંગયોગ : ઉપરના ત્રણેય યોગના ક્રમિક અને સતત
અભ્યાસથી એક એવી અવસ્થા આવે છે કે જેમાં આત્મા સર્વ ભંગથી નિર્લેપ બની અનુભવ ગમ્ય અપરિમેય આનંદ પામવા લાગે છે.
- પૂ. આ.વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી લિખિત “મિલે મન ભીતર ભગવાન' પુસ્તકમાંથી નયોની અપેક્ષાએ પ્રભુ-દર્શન : ૧. નૈગમનય : મન, વચન, કાયાની ચંચળતાપૂર્વક માત્ર
તમારી આંખોએ પ્રભુમૂર્તિ જોઇ ? તો પણ હું કહીશ
કે તમે પ્રભુ દર્શન કર્યા. ૨. સંગ્રહ નય : જો તમને સર્વ જીવો સિદ્ધ ભગવંતોના
સાધર્મિક બંધુઓ દેખાય તો જ હું ખરા દર્શન માનીશ. વ્યવહાર નયઃ આશાતનારહિત, વંદન-નમસ્કાર સહિત
જો તમે પ્રભુ-મુદ્રા જોશો તો જ હું દર્શન માનીશ. ૪. ઋજુસૂત્ર નય : સ્થિરતા અને ઉપયોગીપૂર્વકના દર્શનને
જ હું ‘દર્શન' તરીકે માન્ય કરું છું. ૫. શબ્દ નય : પ્રભુના અનંત ઐશ્વર્યને જોઇ તમારી
આત્મ-સંપત્તિને પ્રગટાવવાની ઇચ્છા થઇ હશે તો જ હું ખરા ‘દર્શન’ માનીશ. સમભિરૂઢ નય : તમે કેવળજ્ઞાની બનશો ત્યારે જ સાચા ‘દર્શન’ કરી શકશો – એમ હું માનું છું. એવંભૂત નય : તમે સિદ્ધ પરમાત્મા બનશો ત્યારે જ ખરેખરા ‘દર્શન કરી શકશો - એવી મારી માન્યતા છે.
- પૂ.આ.વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી લિખિત ‘મિલે મન ભીતર ભગવાન” પુસ્તકના આધારે
| આકાશગંગા • ૭૮ --
પ્રભુની પાંચ કૃપા : ૧. યાદ કરવા માત્રથી પ્રભુસ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી. ૨. પ્રભુ પાસે અશક્યની કોઇ ભાષા નથી. ૩. પ્રભુ કદી ના પાડતા નથી. ૪. પ્રભુ કદી મૂલતવી રાખતા નથી. ૫. પ્રભુ કદી ભક્તનો ભૂતકાળ યાદ રાખતા નથી. ક વસ્તુપાલની અંતિમ પ્રાર્થના : શાસ્ત્રનો અભ્યાસ પ્રભુચરણમાં વંદના સજજનોની સંગતિ સંતોના ગુણાનુવાદ નિંદામાં મૌન પ્રિય હિતકર વચન આત્મતત્ત્વમાં રમણતા હે પ્રભુ ! મને ભવોભવ મળજો .
વિદેશ પ્રવાસે જતા રાજા પાસેથી પ્રથમ ત્રણ રાણીઓએ ઝાંઝર, કડુ ને હાર મંગાવ્યા. ચોથી : “મને તો આપની જ જરૂર છે. બીજું કાંઇ ન જોઇએ.’ ત્રણને તેટલું જ મળ્યું. ચોથીને રાજા મળ્યા, એટલે કે બધું જ મળ્યું. તમે પ્રભુ પાસેથી માંગશો કે પ્રભુને જ માંગશો? મોટી માંગણીમાં નાની માંગણીઓ સમાઇ જાય છે, તે ભૂલશો નહિ.
| આકાશગંગા • હ૦૯
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૦. નવપદ
સાત ચક્ર : ૧. સંસાર ચક્ર ૨. અશોક ચક્ર ૩. સુદર્શન ચક્ર ૪. કાળ ચક્ર ૫. કર્મ ચક્ર ૬. ધર્મ ચક્ર ૭. સિદ્ધ ચક્ર (સાતમાં છેલ્લા બે શ્રેષ્ઠ છે.) સિદ્ધચક્રમાં દેવ - ગુરુ - ધર્મ :
દેવ : અરિહંત, સિદ્ધ
ગુરુ: આચાર્ય, ઉપાધ્યાય, સાધુ છે ધર્મ : દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ દેવ કરતાં ગુરુ નજીક. ગુરુ કરતાં ધર્મ નજીક.. માટે જ દેવના બે, ગુરુના ત્રણ અને ધર્મના ચાર પદો છે. તત્ત્વત્રયીથી રત્નત્રયી :
છે દેવ : દર્શન આપે Cછે ગુરુ : જ્ઞાન આપે
& ધર્મ : ચારિત્ર આપે સિદ્ધોનો ઉપકાર : કહેવાય છે કે... પરવાળાની માળાથી કમળો ટળે.
| આકાશગંગા • ૮૦ F
રૂદ્રાક્ષની માળાથી બી.પી. કંટ્રોલમાં રહે. પારાની ગોળીથી ધાન્ય સડે નહિ. ધ્રુવના તારાથી દિશાની ભાળ મળે.
આ બધા કંઇ કરતા નથી, છતાં તેમના અસ્તિત્વથી લાભ થાય છે. તો અનંત સામર્થ્યશાળી સિદ્ધોના અસ્તિત્વથી કેટલો લાભ થાય ?
એમની અસ્મિતાની શ્રદ્ધા પણ આપણી સાધનામાં પ્રાણ પૂરે છે. સિદ્ધો આપણને દિશા આપે છે, ધ્યેય બતાવે છે, તે જ તેમનો મોટો ઉપકાર છે. ગણપતિમાં આચાર્યના પ્રતીકો : છે મોટા કાન : સૌનું સાંભળવું (પણ કરવું વિચારીને). છે ઝીણી તેજસ્વી આંખો: ગચ્છની નાની-નાની બાબતોનો
ખ્યાલ રાખવો. છે લાંબું નાક : દીર્ધદર્શિની પ્રજ્ઞા, ક્રાન્તદશિની મેધા. cછે મોટું પેટ : સાગર જેવા ગંભીર રહેવું. cક વાહન ઉંદર : નાની વ્યક્તિની પણ ઉપેક્ષા નહિ કરવી. cક ગણ એટલે ગચ્છ - સમુદાય. Cછે તેના પતિ-સ્વામી તે ગણપતિ (આચાર્ય). આચાર્યના ચાર નિક્ષેપા : ૧. નામાચાર્ય : કોઇનું માત્ર નામ આચાર્ય હોય. ૨. સ્થાપનાચાર્ય : આચાર્યની મૂર્તિ, ફોટો, પગલા વગેરે. ૩. દ્રવ્યાચાર્યઃ દર્શનાચાર્ય, વ્યાકરણાચાર્ય, ન્યાયાચાર્યઆદિ. ૪. ભાવાચાર્યઃ પંચાચારને ભાવથી પાળે, પળાવે અને પ્રશંસે. નવની દોસ્તી અખંડ છે ! નવનો આંકડો મહાચમત્કારી છે, અખંડ છે. નવને ગમે તે અંકની સાથે ગુણો, એ અખંડ જ રહેશે.
આકાશગંગા • ૮૧ |
Page #46
--------------------------------------------------------------------------
________________
દા.ત. ૯ × ૨ = ૧૮ (૧ + ૮ = ૯), ૯ x ૩ = ૨૭ (૨ + ૭ = ૯).
કોઇ પણ સંખ્યાનો સરવાળો કરીને તેમાંથી તેટલી રકમ બાદ કરતાં નવનો આંકડો જ આવશે.
દા.ત. ૨૩, ૨ + ૩ = ૫, ૨૩ – ૫ = ૧૮, ૧ + ૮= ૯. સિદ્ધચક્રમાં નવ પદો છે. નવ લોકાંતિક દેવ છે. નવ રૈવેયક છે. નવ પુણ્ય છે. નવ વાડો છે. નવ મંગળ છે. નવ નિધાન છે.
આવી ઉત્તમ વસ્તુઓ નવ સંખ્યામાં છે.
નવની દોસ્તી એટલે સજજનની દોસ્તી... જે કદી તુટે જ નહિ, સદા અખંડ રહે.
આઠ (કર્મ)ની દોસ્તી એટલે દુર્જનની દોસ્તી... જે ખંડિત થતી જ જાય. દા.ત. ૮ x ૧ = ૮, ૮ x ૨ = ૧૬ , ૧ + ૬ = ૭, ૮ x ૩ = ૨૪, ૨ + ૪ = ૬, જુઓ સંખ્યા ઘટતી જાય છે ને? નવ કહે છે કે તમે નવપદ સાથે દોસ્તી કરો. મારી દોસ્તી અખંડ રહેશે... ઠેઠ મુક્તિ સુધી અખંડ...! ક નવપદ રૂપી કલ્પવૃક્ષ :
છે અરિહંત મૂળ છે. છે સિદ્ધ ફળ છે. છે આચાર્ય ફૂલ છે.
ઉપાધ્યાય પાંદડા છે.
સાધુ ડાળ છે. છે સમ્યગ્દર્શન જલસિચન છે.. છે સમ્યજ્ઞાન અનુકૂળ પવન છે. છે સમ્યકુચારિત્ર અનુકૂળ તાપ છે. છે સમ્યક્તપ ભૂમિ છે.
આકાશગંગા • ૮૨ |
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ તત્ત્વાર્થના આ પ્રથમ સૂત્રમાં નવકાર છૂપાયેલો છે. ચાલો, આપણે શોધીએ. માર્ગ:' પદથી અરિહંત (‘મગ્ગો’ અરિહંતનું વિશેષણ છે.) “મોક્ષ'થી સિદ્ધ ભગવંતો. ચારિત્ર'થી આચાર પાલક-પ્રચારક આચાર્ય ભગવંતો. ‘જ્ઞાન’થી જ્ઞાનદાતા ઉપાધ્યાય ભગવંતો. ‘દર્શન'થી શ્રદ્ધાપૂર્વક સંસાર ત્યાગ કરતા મુનિઓ. ‘સમ્યગુથી ભક્તિપૂર્વકનો નમસ્કાર (નમ:) સૂચિત થાય છે. “નમો અરિહંતાણં’ : » ‘નમો’ તત્ત્વરુચિ (સમ્યગ્દર્શન) છે ‘અરિહં’ તત્ત્વબોધ (સમ્યજ્ઞાન)
‘તાણુંતત્ત્વપરિણતિ (સમ્યકુચારિત્ર) ‘નમો'થી નમસ્કારનું ધ્યાન કરનાર ધ્યાતા.
‘અરિહંથી નમસ્કરણીય અરિહંત ધ્યેય. & ‘તાણું થી નમસ્કાર સ્વરૂપ ધ્યાન.
‘નમો'થી દુષ્કૃત ગહ, જે પોતાને પાપી સમજે તે જ
નમી શકે. Cછે અરિહં'થી સુકૃતાનુમોદના. અરિહંત સુકૃતના ઉત્કૃષ્ટ
ભંડાર છે. Cછે ‘તાણું'થી શરણાગતિ. ત્રાણ એટલે રક્ષણ. સંપૂર્ણ રક્ષણહારની જ શરણાગતિ સ્વીકારી શકાય છે.
| આકાશગંગા • ૮૩ |
Page #47
--------------------------------------------------------------------------
________________
cછે ‘નમો'થી નાદ » ‘અરિહંથી બિંદુ છે ‘તાણ'થી કલા. શબ્દાદિના મોહથી છુટવા : છે શબ્દના મોહથી છુટવા અરિહંતની વાણી સાંભળો. છે રૂપના મોહથી છૂટવા અરૂપી સિદ્ધોનું રૂપ જુઓ.
(ધ્યાન ધરો). છે ગંધના મોહથી છુટવા આચાર્યના આચારની સુગંધ માણો. છે રસના મોહથી છૂટવા ઉપાધ્યાયના જ્ઞાન-રસને ચાખો. Cછે સ્પર્શના મોહથી છુટવા સાધુના ચરણોનો સ્પર્શ કરો. પંચ પરમેષ્ઠીથી પંચાચારની શુદ્ધિ : ૧. અરિહંતના ધ્યાનથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે.
સિદ્ધના ધ્યાનથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. ૩. આચાર્યની આરાધનાથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ૪. ઉપાધ્યાયના ધ્યાનથી તપાચારની શુદ્ધિ થાય છે.
(સજઝાયસમો તવો નFિ). ૫. સાધુની આરાધનાથી વીર્યાચારની શુદ્ધિ થાય છે.
(વીર્યાચારની જેમ સાધુ બધે જ વ્યાપ્ત છે.) પંચ પરમેષ્ઠીથી ઉપશમાદિ પાંચ ગુણની પ્રાપ્તિ : ૧. અરિહંતની ભક્તિથી ઉપશમગુણની પ્રાપ્તિ થાય છે. ૨. સિદ્ધની ભક્તિથી સંવેગગુણની પ્રાપ્તિ થાય છે. ૩. આચાર્યની ભક્તિથી નિર્વેદગુણની પ્રાપ્તિ થાય છે. ૪. ઉપાધ્યાયની ભક્તિથી અનુકંપાગુણની પ્રાપ્તિ થાય છે. ૫. સાધુની ભક્તિથી આસ્તિષ્પગુણની પ્રાપ્તિ થાય છે.
ને આકાશગંગા • ૮૪ |
જે નવ લાખ નવકાર :
છે દરરોજ એક બાધી માળાથી ૯ લાખ જાપ ૨૫ વર્ષે થાય. છે દરરોજ ત્રણ બાધી માળાથી ૯ લાખ જાપ ૯ વર્ષે થાય. છે દરરોજ પાંચ બાધી માળાથી ૯ લાખ જાપ પાંચ વર્ષે થાય. છે દરરોજ દસ બાધી માળાથી ૯ લાખ જાપ અઢી વર્ષે થાય. ce દરરોજ પચીસ બાધી માળાથી ૯લાખ જાપ એક વર્ષે થાય. જીવન ઉત્થાન માટે ચાર ચીજો : ૧. સમજદારી (જ્ઞાન) ૨. ઇમાનદારી (દર્શન) ૩. જવાબદારી (ચારિત્ર) ૪. બહાદુરી (તપ) * નવકાર :
છે ૬૮ અક્ષરોથી ૬૮ તીર્થરૂપ. & ૯ પદથી નવગ્રહ પીડાશામક. ce ૮ સંપદાથી ૮ કર્મોનો નાશક, છે ૭ જોડાક્ષરોથી ૭ ભયોનો નાશક, છે ૫ ધ્યેયપદોથી પંચમી ગતિ આપનાર. મંત્ર, તંત્ર અને મંત્ર : Cછે જ્ઞાન મંત્ર છે. છે કર્મ (ચારિત્ર) તંત્ર છે. છે ભક્તિ (દર્શન) બંનેને જોડનાર યંત્ર છે. નવપદ :
છે અરિહંતો પરોપકારના ભંડાર છે. cક સિદ્ધો સુખના ભંડાર છે. & આચાર્યો આચારના ભંડાર છે.
આકાશગંગા • ૮૫ -
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય વિનયના ભંડાર છે.
સાધુ સહાયતાના ભંડાર છે. દર્શન સદ્ભાવનાનો ભંડાર છે. જ્ઞાન સદ્વિચારોનો ભંડાર છે. ચારિત્ર સર્તનનો ભંડાર છે. તપ સંતોષનો ભંડાર છે.
* નવપદથી નવ પ્રકારનો સંસાર ટળે :
- પૂ.પં.શ્રી ભદ્રંકર વિ.મ.
૧. અરિહંત સ્વાર્થમય સંસારથી મુક્ત બનાવે.
૨.
સિદ્ધ દુ:ખમય સંસારથી મુક્ત બનાવે.
૩.
આચાર્ય પાપમય સંસારથી મુક્ત બનાવે.
૪. ઉપાધ્યાય અવિદ્યામય સંસારથી મુક્ત બનાવે.
૫.
સાધુ વિષય-કષાયમય સંસારથી મુક્ત બનાવે.
૭.
૬. દર્શન રાગમય સંસારથી મુક્ત બનાવે. જ્ઞાન દ્વેષમય સંસારથી મુક્ત બનાવે. ૮. ચારિત્ર મોહમય સંસારથી મુક્ત બનાવે.
૯. ચારિત્ર મોહમય સંસારથી મુક્ત બનાવે. ૧૦. તપ સંજ્ઞામય સંસારથી મુક્ત બનાવે.
* તત્ત્વત્રયી :
દેવ : ઇચ્છારહિત
ગુરુ : મૂર્છારહિત
ધર્મ : હિંસારહિત
- પૂ.પં.શ્રી ભદ્રંકર વિ.મ.
આકાશગંગા ૭ ૮૬
* રત્નત્રયી :
દર્શન : નિર્ભ્રાત
જ્ઞાન ઃ નિર્મળ
ચારિત્ર : નિર્દભ
* નવકારનો જાપ શું કરે ?
∞ આભામંડળને નિર્મળ કરે. (લેશ્યા શુદ્ધિ) કષાય તંત્રને તોડી નાખે.
પૃથ્વીતત્ત્વથી ચેતનાને બહાર કાઢે.
∞ સત્યનું શોધન કરે.
દેહાધ્યાસ દૂર કરે.
∞ ચૈતન્યનો સ્પર્શ કરાવે.
* પંચ પરમેષ્ઠીના ધ્યાનથી :
∞ અરિહંતના ધ્યાનથી અહંનું મૃત્યુ. સિદ્ધોના ધ્યાનથી શબ્દનું મૃત્યુ. આચાર્યના ધ્યાનથી મોહનું મૃત્યુ.
∞ ઉપાધ્યાયના ધ્યાનથી અવિદ્યાનું મૃત્યુ. → સાધુના ધ્યાનથી અવિરતિનું મૃત્યુ.
* આર્હત્ત્વ કયા કયા રૂપે :
સાધુમાં સહાયતા રૂપે.
ઉપાધ્યાયમાં જ્ઞાનદાન રૂપે. આચાર્યમાં આચારદાન રૂપે.
સિદ્ધોમાં પૂર્ણ પ્રાકટ્ય રૂપે. અરિહંતોમાં સર્વના મૂળ રૂપે. આકાશગંગા - ૮
Page #49
--------------------------------------------------------------------------
________________
જ શાંતિપ્રદ પંચ પરમેષ્ઠી : Cછે અરિહંત : શાંતિદાતા.
છે સિદ્ધ : શાંતિભંડાર. cશ આચાર્ય : શાંતિદૂત. છે ઉપાધ્યાય : શાંતિ પ્રવક્તા. Cછે સાધુ : શાંતિની દીવાદાંડી. પંચ પરમેષ્ઠી શું કરે ? છે અરિહંત જીવનને નિર્મળ કરે.
સિદ્ધ જીવનને નિશ્ચલ કરે. છે આચાર્ય જીવનને સરળ કરે. છે ઉપાધ્યાય જીવનને સબળ કરે.
સાધુ જીવનને સફળ કરે. છે માધુર્ય :
છે દર્શનથી વિચાર માધુર્ય પ્રગટે. cછે જ્ઞાનથી ઉચ્ચાર માધુર્ય પ્રગટે. છે ચારિત્રથી આચાર માધુર્ય પ્રગટે.
છે તપથી સંતોષ માધુર્ય પ્રગટે. - રત્નત્રયી :
છે દર્શન આદર્શ છે. Cછે જ્ઞાન ઉપદેશ છે. cછે ચારિત્ર આલંબન છે. ક નવકાર મંત્ર શું કરે ?
છે સહજમળનો હ્રાસ કરે. cછે તથાભવ્યતાનો વિકાસ કરે. છે ભવ-ભયમાં ત્રાણ કરે.
ન આકાશગંગા • ૮૮ |
ce કર્મરોગની ચિકિત્સા કરે. » મોહવિષનો અપહાર કરે. છે વિષયરસથી વિમુખ કરે. છે પરમ તત્ત્વની સન્મુખ કરે. છે પ્રતિકૂળતાનું વિસર્જન કરે.
છે અનુકૂળતાનું સર્જન કરે. છે અક્ષય પાત્ર :
છે સમ્યગ્દર્શન : શાંતિનું અક્ષયપાત્ર. છે સમ્યજ્ઞાન : સમૃદ્ધિનું અક્ષયપાત્ર.
છે સમ્યફચારિત્ર : શક્તિનું અક્ષયપાત્ર. જ અપેક્ષાએ પાંચેય પરમેષ્ઠી રાજા : ૧. અરિહંત : સિદ્ધચક્રમાં વચ્ચે . ૨. સિદ્ધ : લોક-અલોકની વચ્ચે . ૩. આચાર્ય : પંચ પરમેષ્ઠીમાં વચ્ચે. ૪. ઉપાધ્યાયઃગુરુ પદો (આચાર્ય, ઉપાધ્યાય, સાધુ)માં વચ્ચે. ૫. સાધુ : નવપદોમાં વચ્ચે, વચ્ચે રહે તે રાજા . પંચ પરમેષ્ઠીથી પાંચ અંતરાય જાય : ૧. દાનાંતરાય : અરિહંતના વર્ષીદાનથી. ૨. લાભાંતરાય : સિદ્ધના અનંત લાભથી. ૩. ભોગાંતરાય : આચાર્યના વૈરાગ્યપૂર્ણ ઉપદેશથી. ૪. ઉપભોગાંતરાય : ઉપાધ્યાયના પુનરાવર્તનરૂપ
સ્વાધ્યાયથી. ૫. વીર્યંતરાય : સાધુના સંસાર ત્યાગના પુરુષાર્થથી. વીર્યાચાર પાંચેય આચારમાં છે, તેમ સાધુ પાંચેય પરમેષ્ઠીમાં છે.
ને આકાશગંગા • ૮૯
Page #50
--------------------------------------------------------------------------
________________
- રત્નત્રયી : Cછે સમ્યગ્દર્શન : મન પવિત્ર કરે. છે સમ્યજ્ઞાન : વચન પવિત્ર કરે. » સમ્મચારિત્ર : તન (કાયા) પવિત્ર કરે.
છે જ્ઞાન : ભૂતકાળમાંથી બોધ લો. છે દર્શન : ભવિષ્યકાળમાં શ્રદ્ધા રાખો. Cછે ચારિત્ર: વર્તમાનકાળમાં જીવો.
છે જ્ઞાન : મસ્તક (ઉર્ધ્વભાગ) પવિત્ર કરે. છે દર્શન : હૃદય (મધ્યભાગ) પવિત્ર કરે. Cછે ચારિત્ર : અધોભાગ પવિત્ર કરે. પાંચ પરમેષ્ઠીમાં પાંચ તીર્થો : ૧. અરિહંતનો ‘આ’ અષ્ટાપદ, ૨. સિદ્ધનો ‘સિ’ સિદ્ધાચલ, ૩. આચાર્યનો ‘આ’ આબુ, ૪. ઉપાધ્યાયનો ‘ઉ' ઉજજયંત (ગિરનાર), ૫. સર્વ સાધુનો ‘સ' સમેતશિખર સૂચવે છે. પાંચ ધર્મના લિંગ અને પાંચ પરમેષ્ઠી : ૧. ઔદાર્ય : અરિહંતોમાં પ્રકૃષ્ટપણે રહેલું છે. સર્વ
જીવોને તારવાની કરૂણાપૂર્ણ ઉદાર ભાવનાથી તેઓ ભગવાન બન્યા છે. દાક્ષિણ્ય : સિદ્ધોમાં ઉત્કૃષ્ટપણે રહેલું છે. તેઓ જગતના સર્વ જીવોને પૂર્ણ સ્વરૂપે જોઇ રહ્યા છે. કેટલું દાક્ષિણ્ય ?
| આકાશગંગા • ૯૦ F
૩. પાપ જુગુપ્સા : આચાર્ય ભગવંતોમાં જબરદસ્ત પાપ
જુગુપ્સા રહેલી છે. આથી જ તેઓ આચારના પાલન
અને ઉપદેશ દ્વારા જગતને પાપથી બચાવે છે. ૪. નિર્મલ બોધ: ઉપાધ્યાય ભગવંતોમાં ઉત્કૃષ્ટ રૂપે હોય
છે. તેઓ સ્વયં આગમના જાણકાર અને બીજાને પણ
પોતાના જેવા બનાવતા હોય છે. ૫. લોકપ્રિયતા : સજજન લોકોમાં સાધુઓ સદા પ્રિય હોય
છે. સાધુઓને લોકપ્રિયતા સ્વાભાવિક રીતે જ મળેલી છે. જ નવકાર સૌથી મહાન કલા :
અર્થશાસ્ત્રની દૃષ્ટિએ : “નમો અરિહંતાણં' બોલતાં જ ૨,૪૫,૦૦૦પલ્યોપમ દેવનું આયુષ્ય બંધાય. વિશ્વનો કોઇ કુબેરપતિ પણ એ દેવની મોજડીનું એક રત્ન પણ ખરીદી શકે ? માત્ર ચાર સેકન્ડના અલ્પ પ્રયત્ન બદલ કેટલો મહાન લાભ ? બંધારણશાસ્ત્રની દૃષ્ટિએ : દેશના બંધારણ શાસ્ત્ર બદલાઈ શકે છે, પણ અનંતકાળથી નવકાર મંત્રનો એક અક્ષર પણ બદલાયો નથી. નવકાર સૂત્ર અને અર્થથી શાશ્વત છે. રાજકીય દૃષ્ટિબિંદુથી : બધા રાજ્યો અશાશ્વત છે, પણ નવકારનું સામ્રાજય કાયમ છે. એની આજ્ઞામાં રહે તે ગરીબ પણ સદ્ગતિમાં જાય. આજ્ઞામાં ન રહે તે ચક્રવર્તી પણ નરકે જાય. રાજકીય કોર્ટમાં તો નિર્દોષ દંડાય અને દોષિત છૂટી જાય, પણ કર્મની કોર્ટમાં કોઈ છુટી શકે નહિ. રાજકીય કોર્ટની ફાંસીની સજામાંથી રાષ્ટ્રપતિ મુક્તિ અપાવી શકે, અહીં પણ
| આકાશગંગા • ૯૧
Page #51
--------------------------------------------------------------------------
________________
નવકારને શરણે જાય તે પાપી પણ મુક્ત બની શકે. (સલ્વ પાવપ્પણાસણો) ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ : નવકારથી પુણ્યનો સરવાળો, ધર્મનો ગુણાકાર, કર્મનો ભાગાકાર, પાપની બાદબાકી
થાય છે. Cછે માનસશાસ્ત્રની દૃષ્ટિએ : ભયસંજ્ઞાના કારણે માણસ
માનસિક રીતે પરેશાન છે. નવકાર મંત્ર અભય આપી સાધકને સ્વસ્થ બનાવે છે.
જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ : નવકાર મંત્રની ચૂલિકામાં સાધકનું ભવિષ્ય કથન છે. તમે પંચ પરમેષ્ઠીને નમ્યા એ પાપકમ ગયા જ, અને તમારો આત્મા વિશુદ્ધ બન્યો જ.
- ‘જીવનની સર્વશ્રેષ્ઠ કલા નવકાર'માંથી
કાઉસ્સગ્ન :
માનસશાસ્ત્રીઓ માને છે કે મસ્તકના ૧૦ ભાગમાંથી ૧ ભાગ જાગૃત છે, ૯ ભાગ સુમ છે. કાયોત્સર્ગથી સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે. “ઓમ્’માં જૈન પ્રવચન :
અ” એટલે વિષ્ણુ, વિષ્ણુ ‘ધ્રૌવ્ય'ના પ્રતીક છે. ઉ” એટલે ઉમાપતિ-શંકર. શંકર ‘વ્યય'ના પ્રતીક છે. મ” એટલે બ્રહ્મા. બ્રહ્મા ‘ઉત્પાદ'ના પ્રતીક છે. અ + ઉ + મ = ઓમ્
ઑકારમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ ત્રિપદી છૂપાયેલી છે અને ત્રિપદીમાં સંપૂર્ણ દ્વાદશાંગી છૂપાયેલી છે. આથી જ કહી શકાય કે કારમાં સંપૂર્ણ જૈન-પ્રવચન બીજરૂપે છૂપાયેલું છે. | (અકારો વાસુદેવઃ ચાતુ, ઉકારતુ મહેશ્વરઃ | મકારઃ પ્રજાપતિઃ ચાતુ, ત્રિદેવ ૐ પ્રયુજયતે ||) “ઓમ”માં પાંચ પરમેષ્ઠીઓ :
અરિહંતનો અ, અશરીરી (સિદ્ધ)નો અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ‘ઉ', મુનિનો મ મળીને ‘ઓમ્ બને છે.
અ + અ + આ + ઉ + મ = ‘ઓમ્'. આમ ‘ઓમ્'માં પાંચ પરમેષ્ઠીઓ છૂપાયેલા છે.
- બૃહ દ્રવ્યસંગ્રહ ટીકા અંતર્મુખી સાધક : જે સુખ મળતાં પોતાને સુખી ન માને અને દુઃખ મળતાં પોતાને દુઃખી ન માને તે જ અંતર્મુખી સાધક કહેવાય.
- યોગવાશિષ્ઠ ૬/ર/૧૬૯/૧ ન આકાશગંગા • ૯૩ |
૨૧. જાપ - ધ્યાત - યોગ “જપની નિયુક્તિ : ‘જ' જનમ-જન્મના “પ” પાપો જાય તે જાપ. ધ્યાન, જ્ઞાન, ભીન : Cછે ધ્યાન ભગવાનનું, Cછે જ્ઞાન જગતનું,
છે ભાન જાતનું કરો ! ક વિજ્ઞાન અને અધ્યાત્મમાં મૌલિક ભેદ :
હજાર વૈજ્ઞાનિક સંશોધન કરે... દરેકના અભિપ્રાયો જુદા... અરે... પોતાનો અભિપ્રાય પણ આગળ જતાં બદલાય. જયારે હજાર યોગીઓ સાધના કરે તેમ એક જ વાત પુષ્ટ થાય.
| આકાશગંગા • ૯૨ -
Page #52
--------------------------------------------------------------------------
________________
છે મુક્ત કોણ ?
સ્તુતિ-નિંદા નહિ જહિં, કંચન-લોહ સમાન; કહે ‘નાનક’ સુન રે મના ! તાહિ મુક્ત તૂ જાન. ચાર દ્વારપાળ : મોક્ષના દરવાજે ચાર દ્વારપાળ ઊભા છે. તેમની સહાયતા વિના તમે મુક્તિના મંગલ-મંદિરમાં પ્રવેશ કરી શકો નહિ.
૧. શાંતિ ૨. સુવિચાર ૩. સંતોષ ૪. સત્સંગ
- યોગવાશિષ્ઠ ૨/૧૬/૫૮ મોક્ષ મૂઠીમાં : સર્વ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરો. સર્વ જીવો પર સમતા રાખો. એકાગ્ર બની ચિત્તને સમાધિમાં લીન બનાવો. મોક્ષ તમારી મૂઠીમાં છે.
- બૃહત્કલ્પભાષ્ય ૪૫૮૫ કે ધ્યાન માટે આઠ અંગો :
ધ્યાન કરવા ઇચ્છનારે આ આઠ અંગોને બરાબર જાણવા જોઇએ. ૧. ધ્યાતા : ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરનાર આત્મા. ૨. ધ્યાન : જેનું ધ્યાન ધરવાનું છે તેમાં લીનતા. ૩. ફળ : સંવર અને નિર્જરા રૂપ, ૪. ધ્યેય : ઇષ્ટ દેવ આદિ. ૫. યસ્ય : ધ્યાનનો સ્વામી. ૬. યત્ર : ધ્યાનનું ક્ષેત્ર.
| આકાશગંગા • ૯૪ -
૭. યદા : ધ્યાનનો સમય. ૮. યથા : ધ્યાનની વિધિ.
- તવાનુશાસન-૩૭ હિતકારી ધ્યાન :
મોક્ષ જોઇએ છે? તો આત્માનો સાક્ષાત્કાર કરવો પડશે. આત્માનો સાક્ષાત્કાર શી રીતે થાય ? ધ્યાનથી. માટે જ ધ્યાન આત્માને હિતકારી છે.
- યોગશાસ્ત્ર ૪/૧૧૩ ધ્યાનના ચાર પ્રકાર : ૧. આર્ત ધ્યાન ૨. રૌદ્ર ધ્યાન ૩. ધર્મ ધ્યાન ૪. શુક્લ ધ્યાન ધર્મ ધ્યાનના ચાર પ્રકાર : ૧. આજ્ઞા વિચય ૨. અપાય વિચય ૩. વિપાક વિચય ૪. સંસ્થાન વિજય ધર્મ ધ્યાનના ચાર આલંબન : ૧. વાચના ૨. પ્રતિપૃચ્છના ૩. અનુપ્રેક્ષા ૪. ધર્મકથા
આકાશગંગા • ૯૫
Page #53
--------------------------------------------------------------------------
________________
ધર્મ ધ્યાનના ચાર લક્ષણ : ૧. આજ્ઞા રૂચિ ૨. નિસર્ગ રૂચિ ૩. સૂત્ર રૂચિ ૪. અવગાઢ રૂચિ જ ધર્મ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા : ૧. એકવાનુપ્રેક્ષા ૨. અનિત્યાનુપ્રેક્ષા ૩. અશરણાનુપ્રેક્ષા ૪. સંસારાનુપ્રેક્ષા
- હાણંગ ૪/૧/૨ ૪૭ ધ્યાનની સામગ્રી : સંગનો ધ્યાન, કષાયોનો નિગ્રહ, વ્રતોનું પાલન, મનઇન્દ્રિયોનો જય. જ ધ્યાનના પાંચ હેતુ : ૧. વૈરાગ્ય ૨. તત્ત્વવિજ્ઞાન ૩. નિગ્રંન્થતા ૪. સમચિત્તતા ૫. પરિગ્રહજય
- બૃહદ્ દ્રવ્યસંગ્રહ ટીકા ધ્યાયના ચાર પ્રકાર : ૧. પિંડ ૨. પદસ્થ ૩. રૂપસ્થ ૪. રૂપાતીત
ન આકાશગંગા • ૯૬ +
૧. પિંડસ્થ પિંડ એટલે શરીર... તેમાં રહેનાર આત્મા.
તેના આલંબનથી જે ધ્યાન કરાય તે પિંડી ધ્યાન છે. તેની પાંચ ધારણાઓ છે : પાર્થિવી, આગ્નેયી, મારુતી, વાણી અને તત્ત્વભૂ.
- યોગશાસ્ત્ર ૭/૮, ૭/૯ પદસ્થ : પવિત્ર મંત્રાક્ષરોનું આલંબન લઇ જે ધ્યાન કરવામાં આવે તે પદસ્થ ધ્યાન કહેવાય છે.
- યોગશાસ્ત્ર ૮/૧ ૩. રૂપસ્થ: અરિહંત પ્રભુના રૂપનો સહારો લઇ જે ધ્યાન
કરવામાં આવે તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. ૪. રૂપાતીત : નિરંજન, નિરાકાર, અરૂપી એવા સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.
- યોગશાસ્ત્ર ૧૦/૧ આ સાત કમલ ચક્ર : ચક્ર સ્થાન વર્ણ પાંખડી પાંખડીમાં કયા
અક્ષરો સ્થાપવા ? ૧. મૂલાધાર ગુદા અગ્નિ ૪ વ.શ.ષ.સં. ૨. સ્વાધિષ્ઠાન લિંગમૂળ સૂર્ય ૬ બે.ભં.મં.ય.૨.
૩. મણિપુર
નાભિ રક્ત ૧૦
૪. અનાહત હૃદય
સુવર્ણ
૧૨
ઇં.ઢ..ત.થ. દ ધ ન પ ફં. કે,ખ,ગ,ઘં.હું. ચં.છું.જે.ઝ.મં. ૮.ઠં.
આકાશગંગા • ૯૦
Page #54
--------------------------------------------------------------------------
________________
૫. વિશુદ્ધિ કંઠ ચંદ્ર ૧૬ એ.આ.ઇ.ઈ.ઉ.
ઊ ઋ .ઋ.લુ.. એ ઐ ઓ ઔ.
અં અઃ. ૬. આજ્ઞા ભૂમધ્ય લાલ ૨ દ્વ.સં. ૭. બ્રહ્મરંધ્ર દેશમદ્વાર સ્ફટિક ૧૦00 સચ્ચિદાનંદ
(મસ્તક શિખા) જયોતિસ્વરૂપ ઉપર બતાવેલ સ્થાનમાં કમળની સ્થાપના (કલ્પના) કરી તેની તેટલી પાંખડીમાં ઉપર બતાવેલા અક્ષરોનું ધ્યાન કરવાનું હોય છે.
ધ્યાનમુદ્રા : ચિત્તને અંતર્મુખ બનાવી, દૃષ્ટિ નીચે નાસિકામાં અગ્ર ભાગ પર સ્થાપી, શરીર ટટાર રાખી, સુખાસનપૂર્વક બેસવું તે ‘ધ્યાનમુદ્રા' છે.
- ગોરક્ષાશતક-૬૫ ખેચરી મુદ્રા :
જીભને ઉલટાવી તાળવામાં લગાવવી અને દૃષ્ટિને બે ભવોની વચ્ચે સ્થાપિત કરવી તે ખેચરી મુદ્રા કહેવાય છે. જે ખેચરી મુદ્રા જાણે છે તે ક્યારેય બીમાર પડતો નથી કે તેને ભૂખતરસ લાગતા નથી.
(પણ આના માટે ગુરુગમ જોઇએ. નહિ તો રોગ ન હોય તો પણ આવી જાય.)
- ગોરક્ષા શતક ૬૬-૬૭ | આકાશગંગા • ૯૮ -
માળાનો પ્રભાવ : Cછે લીલી માળાથી રોગ મટે. છે લાલ માળાથી લક્ષ્મી મળે, શત્રુ દૂર થાય. Cછે પીળી માળાથી યશ મળે , પરિવારે વધ.
- પુષ્પાવતી ચરિત્ર આવશ્યકમાં યોગના આઠ અંગ : cક પ્રત્યાખ્યાનમાં યમ-નિયમ cછે કાઉસ્સગ્નમાં આસન-પ્રાણાયામ
છે પ્રતિક્રમણમાં પ્રત્યાહાર Cણ ગુરુવંદનમાં ધારણા Cછે ચઉવિસત્થોમાં ધ્યાન ce સામાયિકમાં સમાધિ સમાવિષ્ટ થાય છે. છ આવશ્યકમાં સાધ્ય-સાધનનો ક્રમ : છે સામાયિક સ્વરૂપ આત્મા (સમાધિ) સાધ્ય છે. છે તેનું સાધન ચઉવિસત્થો (ધ્યાન) છે. છે ચઉવિસત્થોનું સાધન ગુરુવંદન (ધારણા) છે. છે ગુરુવંદનનું સાધન પ્રતિક્રમણ (પ્રત્યાહાર) છે. Cછે પ્રતિક્રમણનું સાધન કાયોત્સર્ગ (પ્રાણાયામ આસન) છે. છે કાયોત્સર્ગનું સાધન પ્રત્યાખ્યાન (યમ-નિયમ) છે. છ આવશ્યકોથી શું લાભ ? Cછે સામાયિકથી સમાધિ-શાંતિ મળે છે. છે ચતુર્વિશતિથી આશ્વાસ-પ્રકાશ મળે છે. છે ગુરુવંદનથી ધારણા બંધાય છે. cછે પ્રતિક્રમણથી ભૂતકાળથી પાછા ફરાય છે. Cછે કાયોત્સર્ગથી વર્તમાનમાં સ્થિર થવાય છે. cછે પ્રત્યાખ્યાનથી ભાવિ માટે નિર્ભય થવાય છે.
આકાશગંગા • ૯૯ -
Page #55
--------------------------------------------------------------------------
________________
* વિશ્વમાનવી :
દાર્શનિકનું મન મગજમાં
કવિનું હૃદયમાં
ગવૈયાનું ગળામાં
ખાઊધરાનું પેટમાં
નર્તકીનું અંગ-પ્રત્યંગમાં
પણ યોગીનું મન અખિલ બ્રહ્માંડમાં વસે છે.
યોગી કૂવાનો દેડકો નથી, પણ ગગનવિહારી ગરૂડ છે.
તે વિશ્વ માનવ છે, ક્ષુદ્ર માનવ નહિ.
આપણે પણ વ્યક્તિમાંથી વિશ્વ માનવ બનવાનું છે.
“વ્યક્તિ મટી હું બનું વિશ્વ માનવી;
માથે ધરૂં ધૂળ વસુંધરાની.’
* જપાત્ સિદ્ધિ :
જાપમાં મન નથી લાગતું ? ચિંતા ના કરો.
મન વિના પણ જાપ કર્યા જ કરો... કર્યા જ કરો. અભ્યાસ (પ્રયત્ન)થી મરચા પણ પ્રિય થઇ જાય છે.
જ્યારે ભગવાનનું નામ મરચા જેવું તો તીખું નથી જ ! * સીધી જ તન્મયતા ન આવે :
આરંભમાં જાપ અનિચ્છાથી પ્રાયઃ થતો હોય છે.
ત્યાર પછી તેમાં રૂચિ થાય,
પછી આસક્તિ આવે,
પછી શ્રદ્ધા જામે,
અને છેલ્લે તન્મયતા આવે.
આકાશગંગા = ૧૦૦
* રાત્રે જાગનાર :
૧. જોગી
૨. રોગી ૩. ભોગી
* અર્હમ્ :
‘અ’ કુંડલિની (તૈજસ)નું સ્વરૂપ છે.
‘૨’ અગ્નિબીજ છે. આથી બૂરા સંસ્કાર નષ્ટ થાય છે. ‘હ’ આકાશબીજ છે. આથી ચિદાકાશનો અનુભવ થાય છે. ‘મ્’ એક ઝંકાર છે. આથી જ્ઞાનતંતુ સક્રિય બને છે. * કોને કયો યોગ મુખ્ય ?
∞ જ્ઞાનયોગ : કુશાગ્ર બુદ્ધિવાળાને.
રાજયોગ : સંકલ્પ શક્તિવાળાને.
»
ભક્તિયોગ : હૃદયના પ્રેમાળ ગુણવાળાને. → કર્મયોગ : શારીરિક રીતે સશક્તને. * યોગી કોણ ?
દશ્ય વિના જ જેની દૃષ્ટિ સ્થિર બની ગઇ છે. પ્રયત્ન વિના જ જેનો વાયુ સ્થિર થઇ ગયો છે. આલંબન વિના જ જેનું મન સ્થિર રહે છે.
* ત્રણ યોગ :
- ગોરક્ષા શતક ૨૪
૧. જ્ઞાનયોગ (જ્ઞાન)
૨. કર્મયોગ (ચારિત્ર)
૩. ભક્તિયોગ (દર્શન)
આ ત્રણ સિવાય આત્મ કલ્યાણનો કોઇ ઉપાય નથી.
ભાગવત ૧૧/૨૦
આકાશગંગા = ૧૦૧
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૨. ભાવતા
ઉદ્વેગ
યોગની આઠ દૃષ્ટિ : આઠ દૃષ્ટિ આઠ દોષ આઠ ગુણ આઠ યોગના અંગ મિત્રા ખેદ અદ્વેષ યમ તારા
જિજ્ઞાસા
નિયમ બલા ક્ષેપ શુશ્રુષા આસન દીકા ઉત્થાન શ્રવણ, પ્રાણાયામ સ્થિરા ભ્રાન્તિ બોધ પ્રત્યાહાર કાત્તા અભ્યદય મીમાંસા ધારણા પ્રભા સંગ પ્રતિપત્તિ ધ્યાન પરા આસંગ પ્રવૃત્તિ સમાધિ યોગની આઠ દૃષ્ટિ પ્રાપ્ત થતાં ક્રમશ: આઠ દોષ ટળે છે. આઠ ગુણ અને આઠ યોગના અંગ મળે છે.
- યોગદૃષ્ટિ સમુચ્ચય ધ્યાન યોગ એટલે : નિઃસ્પંદ, નિતરંગ, નિર્વિશેષ, નિર્વિકાર, નિર્વિચાર અવસ્થા. છેધ્યાનથી સાત લાભ : ૧. પરહિત ચિંતા ૨. શક્તિ સ્રોત ૩. શાંતિ સ્રોત ૪. મંગળ સ્રોત ૫. સમૃદ્ધિ સ્રોત ૬. ગુણ ધારણ - અનુમોદન ૭. પ્રકૃતિનું પવિત્રીકરણ
છે ક્યાં શું જોઇએ ?
ce દાન આપવું હોય તો પૈસા જો ઇએ. Cછે શીલ પાળવું હોય તો સત્ત્વ જોઇએ. એ તપ કરવો હોય તો શરીર શક્તિ જોઇએ, છે જયારે ભાવના ભાવવી હોય તો શું જોઇએ ? કાંઇ જ નહિ, માત્ર તમારા હૃદયની ઉત્તમ ભાવના જ જોઇએ. ભાવ પ્રમાણે પુણ્ય :
છે ગાયને જેવો ખોરાક આપો તે મુજબ દૂધ મળે. cછે વરસાદ થાય તે પ્રમાણે પાક થાય. cક મૂડી હોય તે પ્રમાણે નફો થાય. Cછે ભાવ હોય તે પ્રમાણે પુણ્ય થાય. જ અભિવ્યક્તિ :
છે મૈત્રીની અભિવ્યક્તિ મન દ્વારા. cક પ્રમોદની અભિવ્યક્તિ વચન દ્વારા. cછે પ્રમોદ-કરુણાની અભિવ્યક્તિ કાયા દ્વારા. ત્રણ ભાવના : ૧. ‘હું સુખી થાઉં' કનિષ્ઠ ભાવના. ૨. ‘અમે સુખી થઇએ' ઉત્તમ ભાવના. ૩. “આપણે સુખી થઇએ? ઉત્તમોત્તમ ભાવના.
* * *
૨૩. વિવિધ ચિંતત] ક ...રક્ષા માટે : ૧. પ્રકૃતિ : જીવરક્ષા માટે.
આકાશગંગા ૧૦૩ -
| આકાશગંગા • ૧૦૨ -
Page #57
--------------------------------------------------------------------------
________________
૨. સંસ્કૃતિ : મૂલ્ય રક્ષા માટે અહિંસાદિ મૂલ્યો). ૩. નમસ્કૃતિ : આત્મરક્ષા માટે છે. વિજ્ઞાન શક્તિની સામે ધર્મ શક્તિ : ૧. યંત્ર શક્તિની સામે મંત્ર શક્તિ. ૨. ઊર્જા શક્તિની સામે યોગ શક્તિ. ૩. અણુ શક્તિની સામે આત્મ શક્તિ. ૪. શસ્ત્ર શક્તિની સામે અહિંસા શક્તિ. ૫. પરિગ્રહ શક્તિની સામે પરોપકાર શક્તિ. ૬. રાજય શક્તિની સામે અનેકાંત શક્તિ. ચિંતનની વિવિધ ભૂમિકાઓ : 2 વિચારી જ ન શકે તે મૂર્ખ છે. છે વિચારવાની ઇચ્છા જ ન થાય તે અંધવિશ્વાસુ છે.
વિચારવાની હિંમત ન હોય તે ગુલામ છે.
વિચારવાની ઇચ્છા કરે તે જિજ્ઞાસુ છે. Cછે વિચારવાની પ્રવૃત્તિ કરે તે બુદ્ધિશાળી છે. Cછે (સમ્યગુ) વિચાર્યા મુજબ આચરવાની હિંમત કરે તે
સત્ત્વશાળી છે. ક સુખનો માર્ગ : જગત આખુંય સુખ શોધી રહ્યું છે. સુખ ક્યાંથી મળે ? શાંતિથી મળે. શાંતિ ક્યાંથી મળે ? ચિત્તની સ્થિરતાથી મળે. ચિત્તની સ્થિરતા ક્યાંથી મળે? આશાઓ છોડી દેવાથી મળે . આશા શી રીતે છૂટે ? અનાસક્તિ આવવાથી. અનાસક્તિ શી રીતે મળે ? બુદ્ધિમાંથી મોહ હટાવવાથી મળે .
| આકાશગંગા • ૧૦૪ -
* ચિંતનના સાત ફળ : ૧. વૈરાગ્ય ૨. કર્મક્ષય ૩. વિશુદ્ધ જ્ઞાન ૪. ચારિત્રના પરિણામ ૫. સ્થિરતા ૬. આયુષ્ય ૭. બોધિ પ્રાપ્તિ ચારેય યુગ અહીં જ છે : ૧. તમે સૂતા રહો છો ત્યારે કલિયુગ. ૨. બેઠા થાવ છો ત્યારે દ્વાપર યુગ. ૩. ઊભા થાવ છો ત્યારે ત્રેતા યુગ. ૪. ચાલતા થાવ છો ત્યારે સતુ યુગ. ચાર માતા : ૧. શબ્દ : જ્ઞાનની માતા. ૨. અર્થ : પુણ્યની માતા. ૩. ચિંતન : ચારિત્રની માતા. ૪. ધ્યાન : ધ્યાનની માતા. (શબ્દથી અર્થ ચડિયાતો છે. અર્થથી ચિંતન ચડિયાતું છે. ચિંતનથી ધ્યાન ચડિયાતું છે.
શબ્દાદિ ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે.) જ ભૌતિકતા - આધ્યાત્મિકતા :
ભૌતિકતાનું આકર્ષણ ભૂમિ (નરક) તરફ લઇ જાય. અધ્યાત્મનું આકર્ષણ આકાશ (સિદ્ધ) તરફ લઇ જાય.
| આકાશગંગા • ૧૦૫
Page #58
--------------------------------------------------------------------------
________________
આત્માના મૂળભૂત પાંચ ગુણો : ૧. સતુ (જીવવાની ઇચ્છા) ૨. ચિતુ (જાણવાની ઇચ્છા) ૩. આનંદ (સુખની ઇચ્છા) ૪. ઇશિત્વ (સ્વતંત્રતાની ઇચ્છા) ૫. વશિત્વ (સત્તાની ઇચ્છા) જીવન સંગીત : સા : સાધુની સંગતિ કરો. રે : રે જીવો ! અરિહંતમાં રતિ કરો. ગ : ગુરુ તરફ ગતિ કરો. મ : મંત્ર (શાસ્ત્રોમાં મતિ કરો. ૫ : પુણ્યમાં પ્રીતિ કરો. ધ : ધર્મમાં ધૃતિ કરો.
ની : અર્થ-કામમાં નીતિ રાખો. - ચાર માતા : ૧. વર્ણમાતૃકા (બારાખડી) : જ્ઞાનની માતા. ૨. નમસ્કાર મહામંત્ર : પુણ્યની માતા. ૩. અષ્ટપ્રવચન માતા : ધર્મની માતા. ૪. દ્વાદશાંગી (ત્રિપદી) : ધ્યાનની માતા. - સાત ઉત્તમ ભાવ : ૧. પુદ્ગલ પ્રત્યે ઉદાસીન ભાવ. દા.ત. સુબુદ્ધિ મંત્રી ૨. જીવો પ્રત્યે સ્નેહ ભાવ. દા.ત. : ધર્મરુચિ અણગાર ૩. વિષયો પ્રત્યે વૈરાગ્ય ભાવ. દા.ત. : જંબૂસ્વામી ૪. કષાયો પ્રત્યે ઉપશમ ભાવે. દા.ત. : ગજસુકુમાલ ૫. સુખ-દુ:ખ પ્રત્યે સમભાવ. દા.ત. : દમદંત મુનિ
ન આકાશગંગા • ૧૦૬ -
૬. ભગવાન પ્રત્યે ભક્તિભાવ. દા.ત. : શ્રેણિક રાજા ૭. મન પ્રત્યે સાક્ષીભાવ. દા.ત. : ભરત ચક્રવર્તી,
પ્રસન્નચંદ્ર ઋષિ આદિ.. - સાત રોગથી છુટવા... ૧. સ્વની વિસ્મૃતિથી છુટવા સ્વરૂપ જાગૃતિ કેળવો. ૨. બીજા સાથે ખંડિત મૈત્રીથી છુટવા મૈત્રીનો મંત્ર સ્વીકારો. ૩. સમાજ તરફની નિરપેક્ષવૃત્તિથી છુટવાપરોપકાર આદરો. ૪. મર્યાદાના ઉલ્લંઘનથી બચવા પ્રતિજ્ઞાબદ્ધજીવન અપનાવો. ૫. કુદરત સાથે ક્રૂરતાથી બચવા અનુકંપાભર્યું હૃદય બનાવો.
નિસ્તેજ કર્મ (ઉદરલક્ષી જીવન)થી બચવા પરહિત
ચિંતા કેળવો. ૭. પરમ તત્ત્વની ઉપેક્ષાથી છુટવા શુદ્ધ ચૈતન્યનો સ્પર્શ
કરો, શરણાગતિ સ્વીકારો. સાત “ન’ અપનાવો : ૧. નમ્રતા ૨. નિર્મળતા ૩. નિશ્ચિતતા ૪. નિઃસ્પૃહતા ૫. નિર્બદ્ધતા ૬. નિર્વિકારતા
૭. નિર્વિચારતા * સાત “સકાર ચૂર્ણ’ : ૧. સદાચાર ૨. સાદગી ૩. સેવા
ન આકાશગંગા • ૧૦૦ F
Page #59
--------------------------------------------------------------------------
________________
૪. સમતા ૫. સમન્વય ૬. સંસ્કાર ૭. સુકૃત - સાધનાથી મળતી સાત ભેટ : ૧. અભીપ્સા (અમૃત તત્ત્વની) ૨. પ્રેમ ૩. જ્ઞાન ૪. અનાસક્તિ ૫. અદ્વૈત ૬. પ્રમોદ
૭. અહંવિસર્જન આ સાત વ્યક્તિગત સમસ્યા : ૧. અજંપો ૨. અસંતોષ ૩. ઇન્દ્રિય લોલુપતા ૪. ઉત્તેજનાપૂર્ણ જીવન ૫. ભાગેડુ વૃત્તિ ૬. અમાપ ઇચ્છાઓ ૭. બુદ્ધિ (વિવેક)ની બધિરતા સાત સામાજિક સમસ્યા : ૧. માનવતાહીન વિજ્ઞાન ૨. ધર્મહીન શિક્ષણ ૩. નીતિહીન વ્યવસાય ૪. શ્રમહીન ધન
ન આકાશગંગા • ૧૦૮ +
૫. વિવેકહીન ભોગ ૬. સિદ્ધાંતહીન સમાજ ૭. સમર્પણહીન પૂજા સાત સ્તર : ૧. શારીરિક સ્તર ૨. રાસાયણિક સ્તર ૩. માનસિક સ્તર ૪. સામાજિક સ્તર ૫. સાંસ્કૃતિક સ્તર ૬. પ્રાકૃતિક સ્તર ૭. આધ્યાત્મિક સ્તર સાત આંતર વ્યસન : ૧. જુગાર : અશુભભાવથી શુભ ભાવ હારી જવો. ૨. માંસ ભક્ષણ : દેહભાવની જ પુષ્ટિ. ૩. મદિરા : મિથ્યાત્વરૂપ મદિરાનું પાન. ૪. વેશ્યાગમન : કુમતિરૂપી વેશ્યાનો સહવાસ. ૫. શિકાર : આરંભની હિંસા. ૬. પરસ્ત્રી ગમન : પરભાવમાં રમણતા.
૭. ચોરી : પર ભાવની ચોરી. - સાત ચક્રોના ધ્યાનનું ફળ : ૧. મૂલાધારના ધ્યાનથી વાસના જાય, પ્રાકૃતિક ચેતનાનું
ઉત્થાન થાય. ૨. સ્વાધિષ્ઠાનના ધ્યાનથી ભય, દ્વેષ, ખેદ જાય, અભયઅષ-અખેદ પ્રગટે.
ન આકાશગંગા • ૧૦૯ -
Page #60
--------------------------------------------------------------------------
________________
૩. મણિપૂરના ધ્યાનથી સંશય-વિચાર જાય, શ્રદ્ધા-વિવેક પ્રગટે.
૪. અનાહતના ધ્યાનથી સંકલ્પ-વિકલ્પ જાય, પ્રેમ પ્રગટે. ૫. વિશુદ્ધિચક્રના ધ્યાનથી મૂર્છા જાય, અદ્વૈત પ્રગટે.
૬. આજ્ઞાચક્રના ધ્યાનથી અહં-મમ જાય, નાહ ન મમજન્ય આનંદ પ્રગટે.
૭. સહસ્રારના ધ્યાનથી શિવ-શક્તિનું મિલન થાય. * સાત દર્શન :
૧. અણુ દર્શન
૨.
જીવ દર્શન
કર્મ દર્શન
ધર્મ દર્શન
તત્ત્વ દર્શન
આત્મ દર્શન
૩.
૪.
૫.
૬.
૭.
પરમાત્મ દર્શન
* વિજયી બનો :
દિવ્યજીવી બનો, અહિંસા પાળીને. → દીર્ઘજીવી બનો, જીવદયા પાળીને.
→ ધનંજયી બનો, ન્યાયબુદ્ધિથી.
→ શત્રુંજયી બનો, મૈત્રીની મધુરતાથી.
દિગ્વિજયી બનો, અનેકાંતના આદરથી. મૃત્યુંજયી બનો, સત્યના સાક્ષાત્કારથી. ચિરંજીવી બનો, આત્માની અનુભૂતિથી. આકાશગંગા - ૧૧૦ -
* મનોનિગ્રહ માટે આટલું કરો : → વાણીનો વ્યર્થ વ્યય છોડો. નકારાત્મક વલણ છોડો. વિચારોનો ખળભળાટ છોડો.
.
∞ ભૂત-ભાવિનો વળગાડ છોડો. વિચારોમાં અપ્રમાણિકતા છોડો. અજંપો છોડો. અસંતોષ છોડો.
* છોડવા જેવા સાત દોષો :
૧. અભિમાન
C
૨. ક્રોધ
૩. અદેખાઇ
૪. અબ્રહ્મ
૫. ખાઉધરાપણું
.. આળસ
૭.
ધન-લોભ
* આધુનિક યુગની સાત ગેરસમજ :
૧. ટેકનોલોજીથી કુદરતને નાથી શકાશે.
૨. માણસને પશુ જ ગણો, જેથી તેના ભૌતિક આનંદની
અમર્યાદ ઝંખના સંતોષવામાં કોઇ બાધા નહિ.
૩.
૪.
માણસ પશુ છે માટે યંત્ર છે. (અલબત્ત જીવતું યંત્ર)
માણસમાં કામવૃત્તિ મુખ્ય છે, એટલે તેને સંતોષવી એ જ મુખ્ય કાર્ય છે : ફ્રોઇડ
૫. પ્રકૃતિને ગુલામ કરી તેનો ગમે તેટલો ઉપભોગ કરી
શકાય.
આકાશગંગા - ૧૧૧ -
Page #61
--------------------------------------------------------------------------
________________
૬. હવે માણસ ટેકનોલોજીની આડ-પેદાશ છે. માટે તેને
વળી તત્ત્વજ્ઞાન કેવું ? ૭. ભગવાન મરી પરવાર્યો છે. ફાવે તેમ જીવો. ધર્મનાં સાત ફળ : ૧. રોગ રહિત તન ૨. સંક્લેશ રહિત મન ૩. ક્લેશ રહિત વચન ૪. ભય રહિત હૃદય ૫. વાસના રહિત ઇન્દ્રિય ૬. સ્વાર્થ રહિત સંબંધ ૭. હિંસા રહિત જીવન - સાત શૂન્યાવકાશ : ૧. જગત સાથે સહજીવનનો અભાવ. ૨. ધર્મ સાથે સાચા જ્ઞાનનો અભાવે. ૩. પ્રકૃતિ સાથે અનુકંપાનો અભાવ. ૪. સમાજ સાથે સુયોગ્ય વર્તનનો અભાવ. ૫. પ્રભુ સાથે આજ્ઞાપાલનનો અભાવ. ૬. યુવાનો સાથે સાચી સમજણનો અભાવ. ૭. પોતાની સાથે સંપૂર્ણ ઓળખનો અભાવ. છ સ્થાનોમાં છ આવશ્યક : ૧. આત્મા છે : પ્રત્યાખ્યાન મારું નથી તેનો ત્યાગ.
પચ્ચકખાણ ત્યારે જ લેવાય, જયારે શેષ બચી રહેલી
વસ્તુ (આત્મા)ની શ્રદ્ધા હોય. ૨. આત્મા નિત્ય છે : કાયોત્સર્ગ : દેહનો ત્યાગ કાયાના ઉત્સર્ગ (ત્યાગ) પછી બચે છે તે નિત્ય .
ન આકાશગંગા • ૧૧૨ |
૩. આત્મા કર્મનો કર્તા છે : પ્રતિક્રમણ : પાપથી પાછા
હટવું. પોતે કરેલાં કર્મ ભોગવવા જ પડે છે. માટે પ્રતિક્રમણ દ્વારા પાપથી પાછા પોતાને જ ફરવું પડે. આત્મા કર્મનો ભોક્તા છે : ગુરુવંદન : જેમ ગુરુ ભગવંત પોતાના સ્વરૂપના ભોક્તા છે, તેમ તે જ વંદન, વંદન કરનારને સ્વરૂપનું ભોક્તાપણું આપે અથવા ગુરુવંદન કર્મના ભોગવટામાંથી છુટકારો આપે. મોક્ષ છે : ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ): સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ = સિદ્ધો મને મોક્ષ આપે. સિદ્ધને નમસ્કાર તો જ થઇ શકે જો મોક્ષ હોય. મોક્ષનો ઉપાય છે : સામાયિક = સમતા : સમતાથી કર્મનો ક્ષય, કર્મક્ષયથી નિર્જરા, નિર્જરાથી મોક્ષ.
સમતા એ મોક્ષનો ઉપાય છે. જ માનવ જો... cછે બોલાવ્યું શાંત થાય છે કહ્યું ક્ષમાવાન થાય
પ્રસંગે ધૈર્યવાન થાય
જરૂરિયાતે વિશાળ થાય 8 ભૂમિકાએ સંયમી થાય છે વિચાર્યું સંસ્કારી થાય & ઔચિત્ય સાત્ત્વિક થાય Cછે અધિકારે પ્રૌઢ થાય છે ચારિત્ર્યબળે સૌનો વિશ્વાસુ થાય તો જીવન નંદનવન બને.
ને આકાશગંગા • ૧૧૩F
Page #62
--------------------------------------------------------------------------
________________
cou
મોહ અને મોક્ષ : છે મો = મોક્ષને
હ = હણે તે મોહ. છે મો = મોહનો
ક્ષ = ક્ષય ત્યાં મોક્ષ. પાંચ પ્રકારના જીવો : ૧. થોર જેવા : કાંટા લગાડનારા. ૨. ઘાસ જેવા : પવન પ્રમાણે મૂકનારા. ૩. વાદળ જેવા : પવન લઇ જાય ત્યાં વરસનારા. ૪. ઠુંઠા જેવા : સદા અક્કડ રહેનારા. ૫. ઘેઘૂર વડ જેવા : સ્વ-પરનું હિત કરનારા. ચાર ગતિમાં ક્યાં શું ? ૧. દુઃખ બહુ ત્યાં ક્રોધ બહુ. જેમ કે નારક. ૨. ભૂખ ઘણી ત્યાં માયા ઘણી. જેમ કે તિર્યંચ. ૩. બુદ્ધિ ઘણી ત્યાં માન ઘણું. જેમ કે માણસ. ૪. લાભ ઘણો ત્યાં લોભ ઘણો, જેમ કે દેવ. જ ચાર કથા ચાર સંજ્ઞા વધારે : ૧. સ્ત્રીકથા : મૈથુનસંજ્ઞા વધારે. ૨. ભક્તકથા : આહારસંજ્ઞા વધારે. ૩. દેશકથા: ભયસંજ્ઞા વધારે. (પાડોશી દેશોના લશ્કરની
વાત સાંભળતાં યુદ્ધાદિનો ભય લાગે.) ૪. રાજકથા : પરિગ્રહ સંજ્ઞા વધારે. (રાજાઓના વૈભવનું વર્ણન સાંભળીને તેવી-તેવી ચીજો લાવવાની ઇચ્છા થાય.)
| આકાશગંગા • ૧૧૪ -
આ ચાર શરણનો ચાર કષાય ટાળવા માટેનો સંદેશ : ૧. અરિહંત : ક્રોધને છોડી ક્ષમાશીલ બનો. જુઓ... મેં
મારા જીવનમાં દુશ્મનો તરફ પણ ક્રોધ કર્યો નથી. ૨. સિદ્ધ : માન છોડી નમ્ર બનો. નાનાને પણ બહુમાન
ભાવથી જુઓ. હું નિગોદના જીવને પણ મારો
સાધર્મિકબંધુ ગણું છું. ૩. સાધુ: માયા છોડી સરળ બનો. સરળ હોય છે તે જ
સાધુ બને છે ને તેની જ શુદ્ધિ થાય છે. ૪. ધર્મ : લોભ છોડી સંતોષી બનો. હું જ પરલોકમાં
ચાલનાર વાસ્તવિક ધન છું. મને જે અપનાવશે તે
સંતોષી બનશે. ચાર સંજ્ઞાની રાજધાની : ૧. આહાર સંજ્ઞા : મારી રાજધાની તિર્યંચ ગતિ છે. ૨. ભય સંજ્ઞા : મારી રાજધાની નરક ગતિ છે. ૩. મૈથુન સંજ્ઞા : મારી રાજધાની માનવ ગતિ છે. ૪. પરિગ્રહ સંજ્ઞા : મારી રાજધાની દેવગતિ છે. ચાર સંજ્ઞાથી મુક્ત થવા ચાર ધર્મ : ૧. દાનઃ પરિગ્રહ સંજ્ઞામાંથી મુક્ત થવા મને અપનાવો. ૨. શીલ : મૈથુન સંજ્ઞાથી છુટવા મને સ્વીકારો. ૩. તપ : આહાર સંજ્ઞાથી બચવા મને સેવો. ૪. ભાવ : ભય સંજ્ઞાથી મુક્ત થવા મને ભજો . ચાર ધર્મ - ચાર પુરુષાર્થ : ૧. દાન : હું અર્થ પુરુષાર્થને સફળ બનાવું છું. ૨. શીલ : હું કામ પુરુષાર્થને નિયંત્રિત બનાવું છું. ૩. તપ : હું ધર્મ પુરુષાર્થને ગતિશીલ બનાવું છું. ૪. ભાવ : હું મોક્ષ પુરુષાર્થને ઝડપી બનાવું છું.
ન આકાશગંગા • ૧૧૫F
Page #63
--------------------------------------------------------------------------
________________
ચાર ધર્મથી જ્ઞાનાદિ વૃદ્ધિ : ૧. દાન : સમ્યજ્ઞાનનું દાન કરીને તેને દેઢ બનાવો. ૨. શીલ : સમ્યક ચારિત્રનું પાલન કરીને દઢ બનાવો. ૩. તપ : સમ્યક્ તપનું પાલન કરીને દઢ બનાવો. ૪. ભાવ : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરીને સર્વ અનુષ્ઠાનો
સફળ બનાવો. વિરામ :
છે સફેદ ધજાથી યુદ્ધવિરામ. Cછે સફેદ ભાતથી ભોજન-વિરામ. છે સફેદ વાળથી પાપ-વિરામ.
છે સફેદ (શુક્લ) ધ્યાનથી સંસાર-વિરામ ! છે આદિનાથ અને શિવજી - એક તુલના : શિવજી
આદિનાથ # જટાવાળા
* પાંચમી મૂઠી બાકી
હોવાથી જટાવાળા » ગંગાવતરણ
* આ યુગમાં ધર્માવતરણ # ત્રિશૂલ
& જ્ઞાન-દર્શન ચારિત્ર છે ત્રિશૂલથી દૈત્ય હત્યા & રત્નત્રયીથી સંસાર નાશ # સ્વર્ગથી પડતી ગંગા છે એક હજાર વર્ષ સુધી
જટામાં જ હજાર વર્ષથી પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં વધુ સમય સુધી રહી. રહ્યા. 8 ત્રીજા નેત્રથી કામ એ કેવળજ્ઞાનથી કર્મ બાળ્યો.
બાળ્યા. છે શરીર પર ભભૂતિ વૈરાગ્ય # પોઠીયો નંદી (બળદ) : લંછન બળદ
| આકાશગંગા • ૧૧૬ |
cછે મહાશિવરાત્રિ
મેરુ તરસ (પ્રભુ નિર્વાણ) * કૈલાસ પર્વત પર cછે અષ્ટાપદ પર્વત પર નિવાસ
મોક્ષ (કૈલાસનું બીજું નામ
અષ્ટાપદ છે.) (શિવજીમાં આદિનાથનું સ્વરૂપ શી રીતે ?
એવી કલ્પના થઇ શકે છે કે કચ્છ-મહાકચ્છ વગેરે જે જટાધારી તાપસો બની ગયેલા અને આદિનાથનું ધ્યાન ધરતા રહેલા, તેમના જ તાપસ-વંશજો આદિનાથનું ધ્યાન ધરતા રહ્યા હોય અને મૂળ આદિનાથના સ્થાને ધીરે ધીરે શિવજીનું સ્વરૂપ થઇ ગયું હોય.) જ ત્રણ પ્રલય : ૧. નિત્ય પ્રલય : મનમાં સતત પેદા થતા સંકલ્પ-વિકલ્પો
આયુષ્યને હણે છે. ૨. નૈમિત્તિક પ્રલય : પ્રમાદના કારણે થતો વિનાશ.
૩. પ્રાકૃતિક પ્રલય : સહજ રીતે નાશ પામતા પદાર્થો. • ભ્રાંતિ - શ્રાંતિ - ક્રાંતિ - શાંતિ : Cછે ભ્રાંતિના નિવારણ માટે જિનવાણી. Cછે શ્રાંતિના નિવારણ માટે જિનપૂજા . cછે ક્રાંતિના સર્જન માટે મૌન, છે શાંતિના અવતરણ માટે સમાધિ. સાત મહાન સત્ય : ૧. એક જ આત્મા છે. (જાતિની અપેક્ષાએ) (એગે આયા) ૨. એક જ ધર્મ છે; પ્રેમનો. ૩. એક જ કાયદો છે; કર્મનો. ૪. એક જ આજ્ઞા છે; સત્યાચરણની.
આકાશગંગા • ૧૧૦
Page #64
--------------------------------------------------------------------------
________________
૫. એક જ ભાષા છે; મૌનની. ૬. એક જ ઘર છે; પૃથ્વીનું. ૭. એક જ સ્રામાજય છે; શુદ્ધ ચૈતન્યનું. ચાર પ્રકારના જીવો : ૧. બીજાને સુખી કરીને રાજી થાય તે ઉત્તમોત્તમ. ૨. બીજાને સુખી જોઇને રાજી થાય તે ઉત્તમ. ૩. બીજાને દુ:ખી જોઇને રાજી થાય તે અધમ. ૪. બીજાને દુઃખી કરીને રાજી થાય તે અધમાધમ. ચારેય વર્ણ તમારામાં જ છે : ૧. સ્વાધ્યાય કરો ત્યારે બ્રાહ્મણ. ૨. ધર્મ રક્ષાર્થે કે કર્મ સાથે જંગે ચડો ત્યારે ક્ષત્રિય. ૩. ધર્મમાં લાભાલાભ વિચારો ત્યારે વૈશ્ય. ૪. ધર્મમાં દૂષણો કે પોતાના પાપો સાફ કરો ત્યારે તમે
શૂદ્ર છો. ચાર વર્ણ (આધ્યાત્મિક) : ૧. વિશ્વના હિતની વિચારણા કરનારો બ્રાહ્મણ. ૨. દેશના હિતની વિચારણા કરનારો ક્ષત્રિય, ૩. કુટુંબના હિતની વિચારણા કરનારો વૈશ્ય. ૪. પોતાના જ હિતની વિચારણા કરનારો શૂદ્ર.
* * *
જ્ઞાની બે પ્રકારે : ૧. શબ્દ જ્ઞાની ૨. આત્મ જ્ઞાની શબ્દજ્ઞાની બીજાનું લખેલું વાંચે છે, આત્મજ્ઞાની આત્માને વાંચે છે.
છતાં આશ્ચર્યની વાત છે કે ઉધારનો માલ વેચનારા અભિમાન કરે છે. વિદ્યાર્થીના પાંચ ગુણો : ૧. વિનય ૨. વિવેક ૩. વિચક્ષણતા ૪. વિલાસત્યાગ ૫. વિદ્યા વ્યાસંગ * મીંડાની મહાભારત : નીચેના શબ્દોના પહેલા અક્ષર પર મીંડું લગાવી જુઓ !
ઉદર, વદન, બગડી, વડી, ભાગ, રંગ, માદા, કપાસ, ઘટ, કદ, કુતી, બગલો, ચિતા, ખત, નદી, કાગ, બદરીનાથ, દગો, બાડો, ખાડો, ગાડું, કપ, જપ, લપ, ખડ, ગાડી, જગ, રાડ, ઢગ. વિદ્યા માટે ૪ અપાત્ર : ૧. અવિનીત (અભિમાની) ૨. સ્વાદેન્દ્રિયમાં વૃદ્ધ (લોભી) ૩. ક્રોધી ૪, કપટી
| આકાશગંગા • ૧૧૯ |
[ ૨૪. જ્ઞાત ] જ મરે છે :
છે જ્ઞાની અહંકારથી છે ધ્યાની દંભથી
ન આકાશગંગા • ૧૧૮ +
Page #65
--------------------------------------------------------------------------
________________
* વિદ્યા માટે ૪ યોગ્ય :
૧. વિનીત (અભિમાન નહિ)
૨. જિતેન્દ્રિય (લોભ નહિ)
૩. ક્ષમાશીલ (ક્રોધ નહિ)
૪. સરળ (માયા નહિ)
* સ્વાધ્યાય :
જાપથી થાક લાગે તો ધ્યાન કરો. ધ્યાનથી થાક લાગે તો જાપ કરો. પણ બંનેથી થાક લાગે તો શું કરવું ? તો સ્તોત્ર બોલો અને સ્વાધ્યાય કરો.
* જ્ઞાન માટેના છ દ્વાર :
૧. ક્યાં ?
૨.
ક્યારે ?
૩.
શું ?
૪.
શા માટે ?
૫.
કેમ ?
૬. કોણ ?
* વિદ્યાના અર્થીએ આ ૮ ચીજો છોડી દેવી જોઇએ :
૧. કામ
૨.
ક્રોધ
લોભ
૩.
૪.
૫.
૬.
સ્વાદિષ્ટ ચીજ
શ્રૃંગાર
ખેલ તમાશા
- શ્રાદ્ધવિધિ
આકાશગંગા ૭ ૧૨૦
૭.
અતિનિદ્રા ૮. અતિસેવા
* બુદ્ધિમાન બનવું હોય તો આટલું કરજો : રખડજો થોડું પણ વાંચજો ઘણું. વાંચજો થોડું પણ વિચારજો ઘણું. વિચારજો થોડું પણ આચરજો ઘણું. બોલજો થોડું પણ સાંભળજો ઘણું.
સાંભળજો થોડું પણ ઊતારજો ઘણું.
શિખામણ આપજો થોડી પણ લેજો ઘણી.
*
C
* કામ લાગે છે :
∞ અગ્નિનો અંશ હોય તો ફૂંક કામ લાગે છે.
શ્વાસ ચાલુ હોય તો દવા કામ લાગે છે.
કાન હોય તો શબ્દો સાંભળી શકાય છે.
C
આંખ હોય તો રૂપ જોઇ શકાય છે.
વિવેક (જ્ઞાન) હોય તો ધાર્મિક કે વ્યાવહારિક ઉન્નતિ થઇ શકે છે.
* ત્રણ કારણે અંધારું :
(સૂર્ય આથમવાથી અંધારું થાય છે ? ના... ખરું અંધારું તો નીચેના આ ત્રણ કારણોથી થાય છે.)
૧. અરિહંત ભગવાનનો વિચ્છેદ થવાથી.
૨. અરિહંતે કહેલ ધર્મનો વિચ્છેદ થવાથી. ૩. પૂર્વોના જ્ઞાનનો વિચ્છેદ થવાથી.
(સૂર્યની ગેરહાજરીમાં થયેલું અંધારું દીવા વગેરે દ્વારા દૂર કરી શકાશે... પણ આ ભાવ-અંધારું શે હટાવવું ?)
- ઠાણંગ ૩/૧
આકાશગંગા - ૧૨૧ -
Page #66
--------------------------------------------------------------------------
________________
* સાહિત્યમાં કોનું શું ?
સંગ્રહ તો ઉમાસ્વાતિજીનો.
કાવ્ય તો સિદ્ધસેન દિવાકરસૂરિજીના. વ્યાકરણ તો હેમચંદ્રાચાર્યનું. તર્કશક્તિ તો યશોવિજયજીની. અનુભવના ઉદ્ગાર તો આનંદઘનજીના.
→ ચોપાઇ તો તુલસીદાસની.
ભજન તો મીરાબાઇના.
પ્રભાતીયા તો નરસિંહ મહેતાના.
કાફી તો ધીરાની.
ચાબખા તો અખાના.
છપ્પા તો શામળના.
શૌર્યગીત તો નર્મદના. આખ્યાન તો પ્રેમાનંદના. ગરબી તો દયારામની.
ગરબા તો વલ્લભના. રાષ્ટ્રગીત તો મેઘાણીના.
» દૂહા તો બિહારીના.
* પ્રતિલિપિ :
મનના વિચારો જગતની પ્રતિલિપિ શબ્દો વિચારોની પ્રતિલિપિ
લેખન-મુદ્રણ શબ્દોની પ્રતિલિપિ
આકાશગંગા - ૧૨૨ -
એડીસન
• વિદ્યાર્થીઓમાં ત્રણ ગુણ જરૂરી :
૧. ધાર્મિક-નૈતિક સિદ્ધાંત.
૨. સજ્જનોચિત વ્યવહાર. ૩. બૌદ્ધિક ક્ષમતા.
* હું આંધળા પાસેથી શીખ્યો છું : ‘આપે વિદ્વત્તા ક્યાંથી શીખી ?’
‘આંધળાં પાસેથી, જે ક્યારેય ચોક્કસાઇ કર્યા પહેલા પગ મૂકતો નથી અને ઘૂસ્યા પહેલા બહાર નીકળવાની તૈયારી રાખે છે.' લુકમાને પંડિતે કહ્યું .
- શેખ સાદી
♦ વિદ્વતા અને અનુભવ :
અનુભવ ૨૦ વર્ષમાં જેટલું શીખવે, વિદ્વત્તા તેટલું એક વર્ષમાં શીખવી દે.
* જ્ઞાનના ચાર ભેદ :
૧.
ભાષાજ્ઞાન (વ્યાકરણ)
૨.
સાહિત્યિક જ્ઞાન
૩.
નય જ્ઞાન
૪.
આત્મજ્ઞાન
(ચારેય ઉત્તરોત્તર ચિડિયાતા છે.) * બુદ્ધિ ચાર પ્રકારે :
૧. તીર્થંકરોની સમુદ્ર સમી.
૨. ગણધરોની સરોવર સમી.
૩.
૪.
ઉત્તમ મુનિની કૂવા સમી.
સામાન્ય મુનિની ખાબોચિયા સમી.
આકાશગંગા - ૧૨૩
- રોગર એસ્કમ
Page #67
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનરૂપી વૃક્ષ : છે પૈર્ય મૂળ છે. A બુદ્ધિ થડ છે. છે સ્મૃતિ ડાળ છે. છે ક્ષમા વડવાઈ છે.
ચારિત્ર ફૂલ છે. છે ધર્મ ફળ છે.
- અશ્વઘોષ - જ્ઞાન અને માહિતી : જ્ઞાન વજન આપે છે. માહિતી ચમક (ઉપરનો ઝળહળાટ) આપે છે. મોટા ભાગના લોકો ચમકને જ જોનારા હોય છે. તોલનારા નથી હોતા. - જ્ઞાન અને ચિંતન : Cછે ચિંતન વગરનું જ્ઞાન નિરર્થક, Cછે જ્ઞાન વગરનું ચિંતન ખતરનાક.
- કન્ફયુશિયસ જાણકાર અને જ્ઞાની : cછે બીજાને જાણે તે જાણકાર. છે પોતાને જાણે તે જ્ઞાની.
- લાઓત્સ કેવલી થયા : છે અઇમુત્તા : ઇરિયાવહીયે કરતાં. છે મૃગાવતી : ગુરુણીને ખમાવતાં. છે ચંદનબાળા : શિષ્યાને ખમાવતાં.
| આકાશગંગા • ૧૨૪ -
છે નાગકેતુ : પુષ્પપૂજા કરતાં. છે વલ્કલચીરી : પાત્ર પ્રતિલેખન કરતાં. છે માપતુષ : “માષતુષ' જપતાં. છે ૫૦૦ તાપસ : સમવસરણ જોતાં. cછે પ00 તાપસ : તીર્થંકરને પ્રદક્ષિણા દેતાં. Cછે પ00 તાપસ : ગુરુ-મહિમા જોતાં.
ગૌતમસ્વામી : વિલાપ કરતાં. Cછે બાહુબલી : વંદનાર્થે પગલું મૂકતાં. છે પ્રસન્નચંદ્ર : મુગટ શોધતાં.
ઇલાચી : દોરડા પર નાચતાં. છે અર્ણિકાપુત્ર : ત્રિશૂલથી વીંધાતાં. છે પુષ્પચૂલા : ગોચરી લાવતાં. છે જીંદકાચાર્ય શિષ્યો : ઘાણીમાં પીલાતાં. Cછે ભરત ચકી : વીંટી ઊતારતાં.
કૂરગડુ : એકાસણું કરતાં. સ્વાધ્યાય માટેના ત્રણ ગુણો : ૧. એકાગ્રતા ૨. નિયમિતતા ૩. નિર્વિકારતા છ પ્રકારના પ્રશ્ન : ૧. સંશય પ્રશ્ન : સંદેહ થવાથી પ્રશ્ન પૂછવો.
ગૌતમસ્વામીની જેમ. ૨. વ્યગ્રહ પ્રશ્ન : કલહ માટે પૂછવું. ૩. અનુયોગી પ્રશ્નઃ પોતાના ભાવને સ્પષ્ટ કરવા માટે પૂછવું.
ન આકાશગંગા • ૧૨૫E
Page #68
--------------------------------------------------------------------------
________________
૪. અનુલોમ પ્રશ્ન : ‘તમે કુશળ છો ને ?' આવા
ક્ષેમકુશળના પ્રશ્ન પૂછવા. ૫. જ્ઞાન પ્રશ્નઃ જાણવા માટે પૂછવું. કેશી ગણધરની જેમ. ૬. અતથા જ્ઞાન : અજ્ઞાનીનો અજ્ઞાનીને પ્રશ્ન. શિક્ષા પ્રાપ્ત કરવા યોગ્ય આઠ ગુણોવાળો : ૧. હાસ્ય નહિ કરનાર. ૨. ઇન્દ્રિય દમન કરનાર. ૩. શ્રેષ્ઠ આચાર પાળનાર. ૪. મર્મ ન બતાવનાર. ૫. અખંડિત આચાર ધરનાર.
રસમાં આસક્ત ન થનાર. ૭. ક્રોધ નહિ કરનાર. ૮. સત્યમાં રક્ત રહેનાર. શિક્ષા માટેની અયોગ્યતાના પાંચ કારણ : ૧. અભિમાન ૨. ક્રોધ ૩. પ્રમાદ, ૪. રોગ ૫. આળસ છે જ્ઞાન માર્ગની સાત ભૂમિકા : ૧. શુભેચ્છા : વૈરાગ્યપૂર્વક મોક્ષની ઇચ્છા. ૨. વિચારણા શાસ્ત્રાધ્યયન-સત્સંગાદિ સદાચારમાં પ્રવૃત્તિ. ૩. તનમાનસાઃ ઉપરના બંનેના માધ્યમથી અનાસક્ત રહેવું. ૪. સત્ત્વાપત્તિ : આત્મસ્વરૂપમાં રમણ કરવું.
આકાશગંગા • ૧૨૬F
૫. સંસક્તિ : ઉપરની ચારેય ભૂમિકામાં સ્થિર થયા પછી
અંતઃકરણની સમાધિમાં આરૂઢ થવું. ૬. પદાર્થ ભાવના : પૂર્વ અભ્યાસ પછી બાહ્ય-અત્યંતર
પદાર્થો પ્રત્યે બેભાન જેવા બની જવું. ૭. તુર્યગા : બીજા ગમે તેટલો પ્રયત્ન કરે છતાં અભિમાન ન થવા દેવો.
- યોગવાશિષ્ઠ, ઉત્પત્તિપ્રકરણ સર્ગ ૧૧૮/૫-૧૫ છે જ્ઞાન ત્રણ પ્રકારે મળે : ૧. મનથી : સર્વોત્કૃષ્ટ છે. ૨. અનુસરણથી : જે સર્વથી સરળ છે. ૩. અનુભવથી : જે સર્વથી કડવું છે. જુદા જુદા ધર્મોના ધર્મગ્રંથો : છે જૈનોના અગ્યાર અંગ, બાર ઉપાંગ, દસ પયજ્ઞા, છ
છેદગ્રંથ, ચાર મૂળસૂત્ર, અનુયોગ દ્વાર, નંદી – આ પીસ્તાલીસ આગમ તથા તેના નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા. બૌદ્ધોના : ત્રણ પિટક ગ્રંથ ૧. વિનય પિટકમાં સાધુઓના નિયમ. ૨. સુત્ત પિટકમાં દીર્ઘનિકાયાદિ પાંચ નિકાય
(બૌદ્ધ સિદ્ધાંત). ૩. અભિધમ્મ પિટકમાં ધાર્મિક ક્રિયાકાંડ. છે વૈદિકોનાઃ વેદ, ઉપનિષદ્, શ્રુતિ, સ્મૃતિ, મહાભારત,
રામાયણ, પુરાણ આદિ. છે યહૂદીઓના : જૂના બાઇબલ (ઓલ્ડ ટેસ્ટામેન્ટ)ના ત્રણ ભાગ (તોરા, નવી, નવિસ્ત) તથા તાલમુદ.
- આકાશગંગા • ૧૨૭ |
Page #69
--------------------------------------------------------------------------
________________
* સ્વાધ્યાય : સુ + આ + અધ્યાય (અધ્યયન) = સ્વાધ્યાય
સુ = સારી રીતે, આ = મર્યાદાપૂર્વક, અધ્યાય = અધ્યયન કરવું તે સ્વાધ્યાય.
- ઠાણંગ વૃત્તિ પ/૩
* * * સ્વાધ્યાયથી ઇષ્ટ દેવનો સાક્ષાત્કાર થાય છે.
- પાતંજલ યોગદર્શન ૨/૪૪
છે ખ્રિસ્તીઓના: બાઇબલના ચાર વિભાગ છે : મરકૂસ,
મત્તી, લૂકા તથા યહૂનાના સુસમાચાર. છે તાઓ તથા કન્ફયૂશિયસ (ચીન)ના : તાઓ તેહકિંગ
(તાઓ ઉપનિષદ્) છે મુસ્લિમોના : કુરાન, હદીસ શરીફ, બુખારી આદિ. Cછે શીખોના : ગુરુ ગ્રંથ સાહિબ, જયુજી સાહેબ તથા
સુખમણિ સાહેબ, છે પારસીઓના : ‘અવેસ્તા” ગ્રંથના યત્ન, વીસ્પરંતુ,
યસ્ત, બેંદીદાદ વગેરે અનેક ભાગો છે. છે આર્ય સમાજીઓનો: ‘સત્યાર્થ પ્રકાશ’ મુખ્ય ગ્રંથ છે. આ પુસ્તક : વિચારોના યુદ્ધમાં પુસ્તકો શસ્ત્ર છે.
- બનાર્ડ શો * * * કોટ જૂનો પહેરો, પણ પુસ્તક નવું ખરીદો.
- થોરો
સ્વાધ્યાય સમાન તપ કોઇ છે નહિ અને થશે નહિ.
- ચંદ્રપ્રજ્ઞપ્તિ ૮૯ વાંચન : વાંચન કરતાં કોઇ સારું મનોરંજન નથી અને કોઇ સ્થાયી પ્રસન્નતા નથી.
- લેડી મોટેચ્યું - અધ્યયન :
વ્યાયામ : શરીર માટે જરૂરી. અધ્યયન : મગજ માટે જરૂરી .
- જે. એફ. એડીસન પુસ્તક પ્રેમ :
અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ટાગોર વગેરે સ્કુલમાં બહુ ભણ્યા ન્હોતા. ડાર્વિન, વિલિયમ સ્કોટ, ન્યૂટન, એડીસન, આઇન્સ્ટાઇન વગેરે સ્કુલમાં ઢબુના ઢ હતા. નેપોલિયન ૪૨મા નંબરે હતો, પણ આ બધાએ પુસ્તકોના અધ્યયન દ્વારા અદ્ભુત યોગ્યતા મેળવી હતી.
ન આકાશગંગા • ૧૨૯ -
તમારી પાસે બે રૂપિયા હોય તો એકથી રોટલી અને બીજાથી પુસ્તક ખરીદો. રોટલી જીવન આપે છે, તો સુંદર પુસ્તક જીવન જીવવાની કળા આપે છે.
હું નરકમાં પણ સુંદર પુસ્તકોનું સ્વાગત કરીશ. કારણ કે તેમાં એવી તાકાત છે કે એ જ્યાં હશે ત્યાં સ્વયં સ્વર્ગ બની જશે.
- લોકમાન્ય તિલક | આકાશગંગા • ૧૨૮ -
Page #70
--------------------------------------------------------------------------
________________
મારા સાત અજ્ઞાન : ૧. હું સર્વોપરિ ચૈતન્યનો અંશ છું, તે હું જાણતો નથી. ૨. હું અહંમાં પૂરાયેલ છું, તે હું જાણતો નથી. ૩. મને નામ-રૂપ ખૂબ ગમે છે, પણ વસ્તુતઃ તે જ દુ:ખ
દાયી છે, તે હું જાણતો નથી. ૪. દશ્યમાન જગત જ મને સારું લાગે છે.
અદૃશ્યમાન વિશ્વ કેવું હશે ? તેનો હું કદી વિચાર
કરતો નથી. ૬. હું શરીર છું – એ જ ખ્યાલમાં હું રાચતો રહું છું. ૭. જગતના જીવોની સાથે મારો સંબધ હું જુદો માનું છું.
નેપોલિયન અને સિકંદર જેવા તો લડાઈ વખતે પણ પુસ્તકો વાંચતા હતા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રૂઝવેલ્ટ મુલાકાત વખતે પણ સમય મળતાં પુસ્તક વાંચવાનું છોડતા નહિ. એક મુલાકાતી જાય અને બીજો આવે ત્યાં સુધીના સાવ થોડાક સમયનો પણ તેઓ આ રીતે સદુપયોગ કરી લેતા હતા. - કલમ : કલમ ! એ તો મગજની જીભ છે.
- સર્વેન્ટિસ - કલમ અને તલવાર : જગતમાં બે તાકાત છે : તલવાર અને કલમ ! આખરે તલવારને પણ કલમ પાસે ઝૂકવું પડે છે.
- નેપોલિયન લેખક કોણ બની શકે? તે લોકો લખી શકે છે જેમના હૃદયમાં કંઇક દર્દ હોય છે, અનુરાગ હોય છે, વિચાર હોય છે. જેઓ પૈસા અને ભોગવિલાસમાં ડૂબી ગયા છે તેઓ શું લખવાના ?
- પ્રેમચંદ વિચારો, બોલો, લખો... પણ... વિચારો ખૂબ પણ બોલો થોડું અને લખો એનાથી પણ થોડું !
- ઇટાલિયન કહેવત જ્યાં સાહિત્ય નથી... અંધકાર હૈ વહાં, જહાં આદિત્ય નહિ હૈ; મુર્દા હૈ વહ દેશ, જહાં સાહિત્ય નહિ હૈ.
- મૈથિલી શરણ ગુપ્ત | આકાશગંગા • ૧૩૦ -
ત્રણ ભણેલાઓએ મંત્રથી સિંહને જીવિત કર્યો. ચોથો અભણ ઝાડ પર રહ્યો. ત્રણને સિંહ ખાઇ ગયો. અભણ બચી ગયો. ગણતર વિનાનું ભણતર નકામું છે.
૨૫. ગુરૂ
* ન થાય :
છે ડૉકટર પાસે કપટ કરનારો દર્દી નીરોગી ન થાય. cક વકીલ પાસે કપટ કરનારો અસીલ વિજયી ન થાય.
છે શિક્ષક પાસે કપટ કરનારો વિદ્યાર્થી પાસ ન થાય. cછે પિતા પાસે કપટ કરનારો પુત્ર યશસ્વી ન થાય. છે ગુરુ પાસે કપટ કરનારો શિષ્ય ભવપાર ન થાય.
ન આકાશગંગા • ૧૩૧ -
Page #71
--------------------------------------------------------------------------
________________
* ગુરુના આઠ પ્રકાર :
૧.
૨.
૩.
ભ્રમર સમઃ દેખાવમાં અસુંદર, આચરણ શુદ્ધ, વાણી અસ્પષ્ટ. સુગુરુ. પ્રત્યેક બુદ્ધ. મુનિવેશ રહિત. ક્રિયાથી શુદ્ધ. ઉપદેશ ન આપનાર. કરકંડુ વગેરે. મયૂર સમ : દેખાવમાં-વાણીમાં સુંદર, પણ આચરણ અશુદ્ધ. મુનિવેષમાં રહેલા કુગુરુ. મંગુ આચાર્ય વગેરે. કોયલ સમ : દેખાવ અસુંદર. વાણી મીઠી. ૬. હંસ સમ : દેખાવ સુંદર, ક્રિયા પણ પ્રાયઃ શુદ્ધ, વાણી નહિ. ઉપદેશાધિકારી નહિ. જેમકે ધન્ના-શાલિભદ્ર.
૫.
નીલ ચાસ પક્ષી સમ : દેખાવમાં સુંદર, આચરણમાં હીન. મિથ્યાત્વી કુગુરુ.
ક્રૌંચ પક્ષી સમ : દેખાવમાં અસુંદ૨, આચરણમાં હીન પણ વાણી મધુર. વેશ-ક્રિયા રહિત, શુદ્ધ પ્રરૂપકે. મરીચિ જેવા.
૪.
૭. શુક સમ : દેખાવ, વાણી અને આચરણ – ત્રણેય શુદ્ધ. સુગુરુ. જેમકે જંબૂસ્વામી.
.. કાગડા સમ : દેખાવ, વાણી અને આચરણ – ત્રણેય અશુદ્ધ. જેમકે પાખંડી.
* પ્રથમ ગુરુ :
માતા : જ્ઞાનના પ્રથમ ગુરુ.
પિતા : કર્મના પ્રથમ ગુરુ.
પત્ની : પ્રેમની પ્રથમ ગુરુ. પુત્ર : કર્તવ્યનો પ્રથમ ગુરુ.
***
આકાશગંગા = ૧૩૨
૨૬. સંગ
* કબીરા... બિગડ ગયો...
મિટ્ટી કે સંગ બીજ ભી બિગડો
બિગડ બિગડ કે પેડ ભયો... કબીરા... ૧ દહીં કે સંગ દૂધ ભી બિગડો,
બિગડ બિગડ કે મખ્ખન ભયો... કબીરા... ૨
સાધુ કે સંગ સંસારી ભી બિગડો,
બિગડ બિગડ કે સંત ભયો... કબીરા... ૩
* સજ્જન સાથે ચાલતાં...
સજ્જનની સાથે ૭ ડગલા ચાલો તો તે મિત્ર બની જાય. ૧૨ ડગલા ચાલો તો તે સહાયક બની જાય. મહિનો સાથે રહેવાથી શાંતિબંધુ બની જાય. * સજ્જનની સંગતિ :
માછલી દર્શનથી પોતાના બચ્ચાનું પાલન કરે છે.
કાચબી ધ્યાનથી પોતાના બચ્ચાનું પાલન કરે છે.
પક્ષી સ્પર્શથી પોતાના બચ્ચાનું પાલન કરે છે.
તેમ સત્સંગતિ દર્શન, ધ્યાન અને સ્પર્શથી વ્યક્તિનું રક્ષણ કરે છે.
* ખોવાઇ ગયા :
→ ઝરણોમાં એક સ્ત્રોત.
ચોરોમાં એક સંત.
મૂર્ખાઓમાં એક ગુરુ. કાગડાઓમાં એક હંસ.
આકાશગંગા : ૧૩૩
Page #72
--------------------------------------------------------------------------
________________
સોબતથી યોગ્ય-અયોગ્ય થાય છે : છે ઘોડો અને હાથી. » શસ્ત્ર અને શાસ્ત્ર. છે વીણા અને વાણી. છે નર અને નારી.
* * *
[ ૨૭. કષાય)
આત્માની વિકૃતિ : cછે ક્રોધ : આત્માના પરમ તેજની વિકૃતિ. છે માન: આત્માની ત્રિલોક-પ્રભુતારૂપ પરમ ગરિમાની
વિકૃતિ. છે માયા : આત્માની સ્વ-પર-પ્રકાશ્ય શક્તિની વિકૃતિ. છે લોભ : આત્માના અનંત કેવળજ્ઞાનની વિકૃતિ. જ્ઞાનનો અંત નથી તેમ લોભને થોભ નથી.
અનંત જ્ઞાનની વિકૃતિ એટલી જ ખતરનાક હોય ને ? - ચાર કષાય : ૧. ક્રોધ :
અનંતાનુબંધી : પર્વતમાં પડેલી તિરાડ જેવો (જીવનભર રહે). અપ્રત્યાખાની : પૃથ્વીમાં પડેલી તિરાડ જેવો (એક વર્ષ રહે). પ્રત્યાખ્યાની : રેતીમાં પડેલી રેખા જેવો (ચાર મહિના રહે).
ન આકાશગંગા • ૧૩૪+
સંજ્વલન : જલમાં કરેલી રેખા જેવો (પંદર દિવસ રહે). માન : અનંતાનુબંધી : પત્થરના થાંભલા જેવો. અપ્રત્યાખાની : હાડકાના થાંભલા જેવો. પ્રત્યાખ્યાની : લાકડાના થાંભલા જેવો. સંજ્વલન : નેતરની સોટી જેવો. માયા : અનંતાનુબંધી : વાંસના મૂળ જેવી. અપ્રત્યાખાની : ઘેટાના શિંગડા જેવી. પ્રત્યાખ્યાની : ગાયના મૂત્રની ધાર જેવી.
સંજ્વલન : વાંસની છાલ જેવી. ૪. લોભ :
અનંતાનુબંધી : કિરમજીના રંગ જેવો. અપ્રત્યાખાની : ગાડાની કીટ જેવો. પ્રત્યાખ્યાની : કાજળ જેવો.
સંજવલન : હળદરના રંગ જેવો. કષાય આઠ પ્રકારે : ૧. નામ કષાય : કોઇનું તેવું નામ. ૨. સ્થાપના કષાય : કોઇની તેવી મૂર્તિ કે ફોટો. ૩. દ્રવ્ય કષાય : ભગવા કપડા વગેરે. ૪. આદેશ કષાય : દેખાવો કષાય. જેમ કે પિતાનો પુત્ર
પર નર જેવો ક્રોધ. ૫. ઉત્પત્તિ કષાય : અન્ય નિમિત્તે થતો કષાય.
ન આકાશગંગા • ૧૩૫
Page #73
--------------------------------------------------------------------------
________________
૬. પ્રત્યય કષાયઃ નિમિત્ત વિના જ અંદરથી થતો કષાય. ૭. રસ કષાય : હરડે આદિનો કષાય (તૂરો) રસ. ૮. ભાવ કષાય : ક્રોધ, માન વગેરે.
- વિશેષાવશ્યક ભાષ્ય * * *
૨૮. ક્રોધ | ક જરા જુઓ, તમારો ક્રોધ કેવો છે? છે ઉત્તમોત્તમ : જીવનમાં કદી ક્રોધ ન કરે.
માનસરોવર જેવો. છે ઉત્તમ : ક્ષણમાં જાય. વીજળીના ઝબકારા જેવો.
મધ્યમ : ઘડી-બેઘડી રહે. નાના દીવા જેવો. છે વિમધ્યમ : ૨૪ કલાક રહે. સગડી જેવો. છે અધમ : ૫-૬ દિવસ રહે. નિભાડા જેવો. છે અધમાધમ : જીવનભર રહે. કારખાનાની ભઠ્ઠી જેવો. ક્ષમાના શરણથી... ક્ષમાથી કૂરગણું, ગજસુકુમાલ, અર્ણિકાપુત્રાચાર્ય, દમદંત મુનિ, સ્કંધ મુનિ, મેતાર્ય, ઝાંઝરીયા મુનિ, ચંડરુદ્રાચાર્યશિષ્ય, મૃગાવતી વગેરે અનેક મહાત્માઓ કેવળજ્ઞાની બની મોક્ષે ગયા છે.
વેર પાંચ કારણે : ૧. સ્ત્રીના કારણે. જેમકે સીતાના કારણે રામ-રાવણ. ૨. સ્થાવર-જંગમ મિલ્કતના કારણે. જેમકે કોણિક
હલ્લ-વિહલ્લ. ૩. વાણીના કારણે. જેમકે દ્રૌપદીની વાણીથી દુર્યોધનને.
| આકાશગંગા • ૧૩૬ +
૪. સામી વ્યક્તિના અપરાધથી. જેમકે દુર્યોધનના અપરાધથી
કૃષ્ણને અથવા નમુચિના અપરાધથી વિષ્ણુકુમારને. પ. વંશાનુગત વેરના કારણે. જેમકે સાપ-નોળીયો. કષાય ચાર પ્રકારે : ૧. સ્વપ્રતિષ્ઠિતઃ પોતાના ગુનાથી પોતાના પર કષાય કરવો. ૨. પરપ્રતિષ્ઠિત : બીજાના ગુનાથી બીજા પર કષાય કરવો. ૩. ઉભયપ્રતિષ્ઠિત : સ્વ અને પરના ગુસ્સાથી બંને પર
કષાય કરવો. ૪. અપ્રતિષ્ઠિત : એમને એમ ગુસ્સે થવું. (કોઇના પર પણ નહિ.)
- વિશેષાવશ્યક ભાષ્ય ચંડકોસીઆના જીવનમાં ક્રોધના સંસ્કારનો ગુણાકાર : છે દ્રવ્યથી : સાધુના ભવમાં મારવા માટે માત્ર ઓઘો
હતો. તાપસના ભવમાં મારવા માટે કુહાડી મળી. સાપના ભવમાં મારવા માટે વિશ્વભરી આંખ મળી. ક્ષેત્રથી : સાધુના ભવમાં મારવાનું સ્થાન માત્ર ઉપાશ્રય હતો. તાપસના ભવમાં આશ્રમ મળ્યો. સાપના ભવમાં આખું જંગલ મળ્યું. કાળથી: સાધુના ભવમાં છેલ્લો થોડો સમય, તાપસના
ભવમાં યુવાવસ્થાથી, સાપના ભવમાં જન્મથી. cછે ભાવથી : સાધુના ભવમાં પોતાનો દોષ કહેનાર
મુનિને મારવાનો વિચાર. તાપસના ભવમાં આશ્રમમાંથી ફળો લઈ જાય તેને મારવાનો વિચાર. સાપના ભવમાં જે આવે તેને (ભગવાનને પણ) મારવાનો વિચાર.
ન આકાશગંગા • ૧૩૦ -
Page #74
--------------------------------------------------------------------------
________________
કર્મ સત્તાએ જાણે પડકાર કર્યો : ઓ સાધુ ! તને ક્રોધ બહુ ગમે છે ? હવે હું તને વધુને વધુ ક્રોધ થઇ શકે – એવી અનુકૂળતા કરી આપીશ... દરેક ભવમાં ચડિયાતી સગવડ !!
* * *
ક્ષમાં શોભતી ઉસ ભુજંગ કો, જિસકે પાસ ગરલ હો, ઉસકો ક્યા? જો દંતહીન, વિષરહિત વિનીત સરલ હો; જહાં નહિ સામર્થ્ય શોધકી, ક્ષમા વહાં નિષ્ફલ હૈ, ગરલ ઘૂંટ પી જાને કા, મિષ હૈ વાણીકા છલ હૈ.
| ૨૯. ક્ષમા
તમારી ભૂલોની કોઇ ઉદારતાથી માફી આપી દે, એવું તમે ઇચ્છો છો ને ? તો તમે બીજાની ભૂલોને માફ કરતાં શા માટે અચકાઓ છો ?
મનુષ્યનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.
ક્રોધની આગથી જીવન રેગિસ્તાન બને છે. ક્ષમાના અમૃતથી જીવન વસંત બને છે. તમારે જીવનને કેવું બનાવવું છે ?
જેણે જીવનમાં શત્રુને ક્ષમા આપી નથી, તેણે હજુ જીવનનો શ્રેષ્ઠ રસ ચાખ્યો જ નથી. બીજો જોડો આવવા દો !
એક સંત ભાષણ કરી રહ્યા હતા, ત્યાં તેમના પર કોઇએ જોડો ફેંક્યો. સંતે સ્વસ્થતાથી કહ્યું : મહાનુભાવ ! હજુ બીજો જોડો આવવા દો. જેથી મને પહેરવામાં કામ લાગે. ક સહનશક્તિનું રહસ્ય.. ‘તમારામાં આટલી બધી સહનશક્તિ ક્યાંથી આવી ?” ‘ઉપર, નીચે અને વચ્ચે જોવાથી.’
એટલે ?' ઉપર જોઉં છું ત્યારે મોક્ષ યાદ આવે છે. નીચે જોઉં છું ત્યારે ધરતી દેખાય છે ને હું વિચારું છું : મારે કેટલા ફૂટ જમીન જોઇએ ? નાહક ઝગડા શાના ? અને આસપાસ જોઉં છું તો તે લોકો દેખાય છે, જેઓ મારાથી પણ વધુ દુઃખો સહન કરી રહ્યા છે. આ છે મારી સહનશક્તિનું રહસ્ય ! માથા પર ટકોરા... વાત કરતાં-કરતાં ગરમ થઇ ગયેલા એક ભાઇએ એક સંતના માથે ઠોલો માર્યો. ભક્તો ખીજાઈ ગયા.
| આકાશગંગા • ૧૩૯ |
ક્રોધની આગને ઠારનારું ક્ષમાનું શસ્ત્ર જેના હાથમાં છે, તેનો હંમેશા જય થતો જ રહે છે. ક્ષમાશીલને પરાજીત કરવાની તાકાત કોની છે ?
શૂરવીરની ક્ષમા સાચી ક્ષમા છે. કાયરની ક્ષમા મજબૂરી છે.
| આકાશગંગા • ૧૩૮ -
Page #75
--------------------------------------------------------------------------
________________
સંતે કહ્યું : ખીજાવવાની કોઇ જરૂર નથી. માણસ જ્યારે માટલું લેવા જાય છે ત્યારે તેના પર ટકોરા મારે જ છે ને ? સંભવ છે કે આ માણસ પણ મને ટકોરા મારીને ગુરુ તરીકે પસંદ કરવાનો હોય !
અને કમાલ ! પેલો માણસ ખરેખર તેમનો શિષ્ય બની ગયો !
* હોય તો આપું ને ?
“તમને પેલો આટલી બધી ગાળો આપે છે, છતાં તમે મૌન કેમ છો ? તમે પણ સામે ડબ્બલ ગાળો આપો ને ?”
“તમારી સલાહ ઠીક છે, પણ હું ગાળો શી રીતે આપી શકું ? મારી પાસે હોય તો આપી શકું ને ? એ તો જાણીતી વાત છે કે જેની પાસે જે હોય તે જ તે આપી શકે. ગધેડાનું શિંગડું હોય જ નહિ પછી ક્યાંથી આપી શકાય ?”
* નીલકંઠનું રહસ્ય :
ઝેર પીને શંકર નીલકંઠ મહાદેવ બનીને પૂજાયા એનું રહસ્ય જાણો છો ? જે લોકો તરફથી મળતા ધિક્કાર અને અપમાનના ઝેરને પી શકે છે તે જ ‘મહાદેવ’ બને છે. * પત્થર મારનારને કેરી :
બાળકે કેરી તોડવા ફેંકેલો પત્થર મહારાજા રણજીતસિંહને વાગ્યો. બાળકને ફટકારતા સેવકોને અટકાવીને મહારાજાએ કહ્યું : એક વૃક્ષ પણ પોતાને પત્થર મારનારને કેરી આપે તો હું તો માણસ છું... માણસોમાં પણ રાજા છું. જાવ... આ છોકરાને ઇનામ આપો અને છોડી મૂકો.
ૐ ...તો શું કરશો ?
“કોઇ ગાળો આપશે તો શું કરશો ?’”
“તો વિચારીશ કે તે લાકડી તો નથી મારતો ને ?’’
– આકાશગંગા ૬ ૧૪૦
“લાકડી મારશે તો ?''
“તો વિચારીશ કે તે તલવાર તો નથી મારતો ને ?’’ “તલવાર મારશે તો ?”
“તો વિચારીશ કે તે જાનથી તો નથી મારતો ને ?” “જાનથી પણ મારશે તો ?'
“તો વિચારીશ કે મારા ધર્મને તો નથી મારતો ને ? મારા અમર આત્માને તો નથી મારતો ને ?” આક્રોશ તર્જના ઘાતના, ધર્મભ્રંશને ભાવે રે; અગ્રીમ અગ્રીમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે. - પૂ. ઉપા. યશોવિજયજી
* ભૂષણ અને દૂષણ :
શત્રુ કે મિત્ર પર ક્ષમા રાખવી તે સાધુનું ભૂષણ છે. પણ અપરાધી પર ક્ષમા રાખવી તે રાજાનું દૂષણ છે. * પાંચ ક્ષમા :
૧. ઉપકાર ક્ષમા : માતા-પિતા, શેઠ વગેરે ઉપકારી છે, એમ સમજી તેમનું સહન કરવું તે.
અપકાર ક્ષમા : જો હું ક્રોધ કરીશ તો સામેવાળો મારો લોથ વાળી નાખે તેવો બલિષ્ઠ છે. માટે તેની સામે ક્ષમા રાખવામાં જ મજા છે - એમ વિચારીને સહન કરવું તે.
૩. વિપાક ક્ષમા : જો હું ગુસ્સો કરીશ તો મને જ નુકશાન થવાનું છે. સમાજમાં ‘ક્રોધી’ તરીકેની છાપ પડશે. પરલોકમાં દુર્ગતિમાં જવું પડશે - એમ વિચારીને સહન કરવું તે.
આકાશગંગા - ૧૪૧ |
૨.
Page #76
--------------------------------------------------------------------------
________________
વચન ક્ષમા ઃ મારા પ્રભુની આજ્ઞા છે કે ક્ષમા રાખવી. આજ્ઞામાં બીજો કશો વિચાર હોય જ નહિ. આવા વિચારપૂર્વક રાખવામાં આવતી ક્ષમા.
સ્વભાવ ક્ષમા : ક્ષમા એ તો મારો ધર્મ છે, સ્વભાવ છે. એને હું કઇ રીતે છોડી શકું ? શું ચંદનને કોઇ કાપે, ઘસે કે બાળે છતાં તે કદી સુગંધ રેલાવવાનું કામ છોડી દે છે ? સુવાસ ચંદનનો સ્વભાવ છે. ક્ષમા મારો સ્વભાવ છે. આવી ભાવનાથી રહેતી સહજ ક્ષમા. * આટલું સહન નહિ કરો ?
સેવાભાવી માણસનો ગુસ્સો તમે સહન કરો છો. કમાઉ દીકરાનો રોફ સહન કરો છો.
દૂઝણી ગાયની લાત સહન કરો છો.
૪.
૫.
દર્દ દૂર કરતી દવાની કડવાશ સહન કરો છો. તો ભાવિમાં અનંત લાભ આપનાર
તપ આદિ ધર્મનું થોડું કષ્ટ સહન નહિ કરો ?
થોડા કડવા વેણ સહન નહિ કરો ?
* ક્ષમાપના :
આપણો આચાર-વૈભવ છે. ચૈતન્યની પ્રતિષ્ઠા છે.
→ સમાજનું ચાલક બળ છે. પ્રકાશનો-પ્રેમનો અરૂણોદય છે. વ્યક્તિગત જીવનનું અમૃત છે.
જીવિત યજ્ઞ છે, જેમાં અહંકારની આહુતિ અપાય છે. વિષય મુક્તિ, કષાય મુક્તિ, ઋણ મુક્તિ, જીવન મુક્તિ કરાવીને છેલ્લે ભવ-મુક્તિ કરાવે છે.
આકાશગંગા = ૧૪૨
* ક્ષમાપના આપે છે :
શાંતિ, સુખ અને પ્રશાંતવાહિતા સંબંધોમાં મધુરતા, સૌમ્યતા અને સુચારૂતા. ભયથી રક્ષણ.
***
30. સંગઠન - મૈત્રી - પ્રેમ
* ત્રણ તાર...
તંબૂરામાં ત્રણ તાર હોય છે.
એક તાર બોલે છે : ડ... ... ... હું... બીજો તાર બોલે છે : ભ... ... ... ભૂં
ત્રીજો તાર બોલે છે : ટર્... નન... નન...
એકેક તાર અવાજ કરે છે ત્યારે શ્રોતાઓને આનંદ નથી આવતો, પણ જ્યારે ત્રણેય સાથે મળીને વાગે છે ત્યારે સાંભળનારા આનંદથી ઝૂમી ઊઠે છે.
આ છે સંગઠનનો પ્રભાવ !
* શરીરનું સંગઠન :
સંગઠનનો મહિમા બીજે ક્યાં જોવા જઇએ ? આપણા શરીરમાં જ જુઓ ને ! હાથ-પગ-નાક-આંખ વગેરે કેવા સંપીને કામ કરે છે ?
જો કે બધા અંગો જુદા-જુદા છે. પોતાનું નક્કી કરેલું કાર્ય જ કરે છે. આંખ જોવાનું જ કામ કરે છે, સાંભળવાનું કે ચાખવાનું કામ નથી કરતી. તે રીતે સર્વ અંગો પોત-પોતાના કાર્યમાં તલ્લીન છે, છતાં આ બધા જ શરીરમાં રહીને કાર્ય કરી શકે છે, જુદા થઇને નિહ.
આકાશગંગા = ૧૪૩
Page #77
--------------------------------------------------------------------------
________________
કપાયેલું નાક સૂંઘી શકશે ? તૂટેલો દાંત ચાવી શકશે ? કપાયેલો પગ ચાલી શકશે ?
તો આપણે વિશ્વથી જુદા પડીને આરાધના કરી શકીશું ? બીજા બધાની ઉપેક્ષા કરીને કલ્યાણના માર્ગે આગળ વધી શકીશું ? નહિ, આ કદી પણ શક્ય નથી. કલ્યાણનો માર્ગ જગતના સર્વ જીવોને સાંકળીને ચાલવામાં જ છે. શરીરમાંથી એક પણ અંગ છૂટું પડે તો શરીર ખામીવાળું કહેવાય તેમ આપણા ચિત્તમાંથી પણ જો એક પણ જીવ મૈત્રીભાવથી બાકાત રહ્યો તો આરાધના ખામીવાળી જ ગણાશે. એવી આરાધના મોક્ષ નહિ આપી શકે.
શરીરના અંગોમાં હજુ એક બીજી વિશેષતા જુઓ. તેઓ પરસ્પર એક-બીજાના કાર્યમાં કેવો સહકાર આપે છે ? પગમાં કાંટો વાગે કે તરત જ હાથ મદદે આવે છે. દાંતમાં કણીઓ ભરાય તો જીભ મદદે આવે છે. ડાબા હાથમાં વાગે તો જમણો હાથ સહાય કરે છે.
આંખમાં કચરો ઘૂસી જાય તો હાથ મદદ કરે છે. કદી કોઇ અભિમાન નથી કરતું કે હું મોટો છું, તું નાનો છે. હું આ કામ નહિ કરું. દાંતે ચાવેલું અન્ન જીભ ચાખે છે. જીભે ચાખેલું હોજરી પચાવે છે. હોજરીએ પચાવેલું લીવર લોહી બનાવે છે.
આમ બધા જ અવયવો નાના-મોટાનો વિચાર કર્યા વિના સંગઠિત થઇને કામ કરે છે.
ન આકાશગંગા • ૧૪૪ -
પગ કદી કહેતા નથી કે મારે જમીન પર ચાલવાનું ? ધૂળ અને કાદવથી ખરડાવાનું ? કાંટાઓ સહવાના ? અને તમારે સૌએ લીલા લ્હેર કરવાની ? જાઓ... આટલા વર્ષો સુધી આ કામ મેં કર્યું. હવે નહિ કરું. નહિ... પગ કદી હડતાલ પર ઊતરતા નથી. બધા જ અંગો કોઇના નેતા બન્યા વિના એકબીજાને આશ્રિત થઇને રહે છે.
વિશ્વમાં પણ આપણે એકના દુ:ખમાં મદદ કરવા દોડી જવાનું છે. બીજા દુ:ખમાં હોય ત્યારે લીલા લ્હેર કરનારો કદી ધર્મી બની શકે નહિ.
શરીરના અંગો પોતાનું કર્તવ્ય છોડતા નથી. સાચે જ કર્તવ્યભ્રષ્ટ માનવી સભ્ય નાગરિક પણ બની શકતો નથી. ધર્મી બનવાની તો વાત જ ક્યાં ? સાચો ધર્મી બીજાનો નેતા બનવા ઇચ્છતો નથી, બીજા પર પોતાનો અધિકાર ચલાવવા ઇચ્છતો નથી. કોઇના હક કે અધિકાર પર તરાપ મારતો નથી. સૌને સુખપૂર્વક જીવવા દે છે અને શરીરમાં હજુ એક વિશેષતા જોઇ ? બાળકોને લાગેલા ઘા જલ્દી રૂઝાઈ જાય છે, ઘરડાને જલ્દી રૂઝાતા નથી. આવું શા માટે ? બાળકોના અંગોમાં સહાનુભૂતિ વધારે હોય છે, જયારે ઘરડાઓના અંગો અક્કડ અને રૂક્ષ હોય છે.
ખરેખર પરસ્પરની હાર્દિક સહાનુભૂતિથી જ માનવીના મનના ઘા રૂઝાતા હોય છે. શરીરના અંગો પાસેથી આપણે સંગઠન શીખી લઇએ તો કેટલું સારું ?
હમ એક ડાલ કે પંખી :
સમુદ્રમાં ચાલતા ભયંકર ખળભળાટથી કંટાળી ગયેલા બે બિંદુઓ છૂટા પડીને કિનારે ચાલ્યા ગયા. એકે કહ્યું : દોસ્ત ! જોયું ? કેટલો આનંદ છે સ્વતંત્રતાનો? સાગરમાં રહીને તો મરી
| આકાશગંગા • ૧૪૫
Page #78
--------------------------------------------------------------------------
________________
ગયા. વર્ષો સુધી નકામા હેરાન થયા. અહીં તો કોઇ જાતની ડખલ નથી. કોઇ ખળભળાટ નથી. મોજાઓ તરફથી કોઇ તકલીફ નથી. ખરેખર આપણે ફાવી ગયા.
બીજો કંઇક ઠરેલ હતો. તે વિચારીને બોલ્યો : બંધુ ! તારી વાત સાચી છે, પણ સંપૂર્ણ રીતે સાચી નથી. આથી જ તારી વાત કદાચ ખોટી છે. આપણે સાગરમાંથી બહાર આવ્યા તો થોડીક આઝાદી મળી, પણ સલામતી કેટલી ? થોડીવારનો આનંદ... પણ પછી શું ? મને તો આપણો નાશ દેખાઇ રહ્યો છે. મારું માનતો હોય તો ચાલ... આપણે સમુદ્રમાં પાછા જતા રહીએ.' ‘ના... મારે તો નથી જ આવવું. તારે જવું હોય તો જા. તને તો પરતંત્રતા જ ગમતી લાગે છે. બેડીમાં જ તને આભૂષણ દેખાય છે. હું તો આઝાદીમાં માનનારો છું. આવી આઝાદી છોડી હવે હું હેરાન થવા નથી માંગતો.’
બીજો બિંદુ જતો રહ્યો અને પેલો કિનારે જ રહ્યો. પણ થોડીવારમાં જ તેના અંગેઅંગ ઓગળવા લાગ્યા. ઉપરથી સૂર્યના હજાર હજાર કિરણો તેને સૂકવવા લાગ્યા. નીચેથી ધરતીના કણ-કણ તેને શોષવા લાગ્યા. માંડ માંડ તે પોતાનું અસ્તિત્વ ટકાવવા મથતો હતો, ત્યાં જ એક ત્રણ વર્ષનો બાળક આવ્યો ને તેના પગ નીચે તે છુંદાઇ ગયો. તેના સોએ વરસ ત્યાં જ પૂરા થઇ ગયા. આઝાદી એના માટે બરબાદી બની.
સમુદ્રમાં ગયેલા બિંદુનું શું થયું ? અરે... એ તો સિંધુ બની ગયો. હવે તેને ન ધરતી શોષી શકે કે ન સૂર્ય સૂકાવી શકે. ત્રણ વર્ષના બાળકના પગ તળે ચગદાઇ જવાની વાત તો જવા દો, પણ હવે તે પોતાની છાતી પર હજારો ટનની સ્ટીમર આવી જાય તો પણ ગભરાતો નથી. આ છે સંગઠનની તાકાત ! – આકાશગંગા ૨ ૧૪૬
આ છે જગતના જીવો સાથે મૈત્રી ભાવથી જોડાઇ જવાની તાકાત !
જે જગતના જીવોથી છુટો પડી જાય છે, વેર-વિરોધ ઊભો કરે છે, પોતાનો અહંકાર અકબંધ રાખવા પ્રયત્ન કરે છે, તે આખરે ફેંકાઇ જાય છે, નષ્ટ થઇ જાય છે.
ધર્મી આત્માએ તો સર્વ જીવોની સાથે મૈત્રી રાખવાની છે. તેનું હૃદય તો હંમશા પોકારતું હોય : આપણે સૌ એક જ ફૂલની પાંખડીઓ છીએ. આપણે સૌ એક જ સૂર્યના કિરણો છીએ. આપણે સૌ એક જ વસ્ત્રના તાણા-વાણા છીએ. આપણે સૌ એક જ વૃક્ષના ફૂલો છીએ. આપણે સૌ એક જ ડાળના પંખીઓ છીએ. આપણે સૌ એક જ વહાણના મુસાફરો છીએ. આપણે સૌ એક જ હાંડલીના ચોખા છીએ. આપણે સૌ એક જ શરીરના અવયવો છીએ. આપણે સૌ એક જ ઘડિયાળના સ્પેરપાર્ટો છીએ. આપણે સૌ એક જ સંગીતના સૂરો છીએ. આપણે સૌ એક જ સૂત્રના તંતુઓ છીએ. આપણે સૌ એક જ સાગરના બિંદુઓ છીએ. આટલી વાત જેને સમજાઇ ગઇ તે અંત સાથે જોડાઇ ગયો,
તે અક્ષય બની ગયો, તેનો નષ્ટ થવાનો ભય ચાલ્યો ગયો.
આપણે બધા જુદાપણાની કલ્પનાથી ભયભીત છીએ. બિંદુ બનીને કિનારા પર રહીએ છીએ માટે ભયભીત છીએ. જેણે મૈત્રીના મહાસાગરમાં ડૂબકી લગાવી તે તો અક્ષય-અનંત બની ગયો. તેને નાશ પામવાનો ભય કેવો ?
આકાશગંગા - ૧૪૦
Page #79
--------------------------------------------------------------------------
________________
* દૂધ અને પાણી :
દૂધ અને પાણીની મૈત્રી તો જુઓ ! પાણીએ દૂધ સાથે મૈત્રી કરી તો બદલામાં દૂધે પાણીને પોતાનો સફેદ રંગ આપ્યો.
દૂધ જયારે ગરમ થવા લાગ્યું ત્યારે મિત્રના દુ:ખથી પાણી વરાળ બનીને ઊડી જવા લાગ્યું ! મિત્રને જતો જોઇ દુઃખી બનેલા દૂધે ઊભરાઇને તપેલામાંથી અગ્નિમાં પડવા માંડ્યું. ગૃહિણીએ પાણી નાખ્યું અને દૂધે ઊભરાવાનું બંધ કર્યું. મિત્ર મળી જાય પછી શાંતિ થઇ જ જાયને ?
દૂધ અને પાણી જેવા જડમાં પણ આટલી મૈત્રી તો માણસની મૈત્રી કેવી હોવી જોઇએ ?
* આજકી દોસ્તી :
આજ કલકી દોસ્તી, કાગજ કા ફૂલ હૈ;
દેખને મેં ખૂબસૂરત, સૂંધને મેં ધૂલ હૈ. * સાચી મૈત્રી :
સાચી મૈત્રી તો પાણીની સાથે કાદવની છે. જુઓ, પાણી સૂકાતાં જ સૂકાઇ ગયેલા કાદવનું (ધરતીનું) મોઢું કેવું ફાટી જાય છે ? * મૈત્રી :
હંસા પ્રીતિ કાહે કી, વિપત પડે ઊડ જાય; સાચી પ્રીતિ સેવા કી, જળ સાથે સૂકાય.
***
મિત્ર ઐસા કીજિએ, ઢાલ સરિખા હોય; સુખમેં પીછે પડ રહે, દુઃખમેં આગે હોય. * ફોતરાનું મૂલ્ય :
ફોતરા જેવાની દોસ્તી નકામી છે, એમ માનો છો ? તમે હજુ મૂર્ખના સ્વર્ગમાં જીવી રહ્યા છો. પોતાના કુળનો અનુકૂળ માણસ આકાશગંગા ૦ ૧૪૮ -
ફોતરા જેવો હોય તો ય તેની દોસ્તી તોડાય નહિ. તમે ડાંગર જોઇ છે ? એ જ્યારે પોતાને લાગી ગયેલા ફોતરા હટાવી દે છે, ત્યારે શું ગુમાવે છે ? ફરીથી ઊગવાની શક્તિ ગુમાવી બેસે છે.
ફોતરાની પણ કિંમત છે મારા ભાઇ ! આ વિશાળ વિશ્વમાં ફોતરા પણ નકામા નથી તો કોઇ માણસ શી રીતે નકામો હોઇ શકે ?
આ જગતમાં કોઇ એવું પાંદડું નથી કે જેમાં ઔષધીય ગુણ ન હોય, કોઇ એવો અક્ષર નથી કે જેમાં મંત્ર ન હોય, કોઇ એવો પુરૂષ નથી કે જેમાં કોઇ જ યોગ્યતા ન હોય. માત્ર તે યોગ્યતા શોધી કાઢવાની જરૂર છે. કહેવાય છે કે અળસીયા ન હોત તો ધરતીએ ક્યારનાય રસ-કસ ગુમાવી દીધા હોત. ધરતીને રસાળ રાખવામાં અળસીયાનું ખૂબ જ મોટું યોગદાન છે.
અળસીયા પણ નકામા નથી તો કોઇ માણસ કઇ રીતે નકામો હોઇ શકે ?
* કણ-કણ મીલ કર...
→ એક સળીથી નહિ, પણ સળીઓના સમૂહથી બનેલી સાવરણીથી ઘર સાફ થાય છે.
એક તંતુથી નહિ, પણ તંતુઓથી બનેલા દોરડાથી હાથી બાંધી શકાય છે.
એક બિંદુથી નહિ, પણ બિંદુઓના સમૂહથી સિંધુ બને છે. એક કણથી નહિ, પણ કણોના સમૂહથી પર્વત બને છે. એક ક્ષણથી નહિ, પણ ક્ષણોના સમૂહથી સદીઓ બને છે. કણ-કણ મીલ કર, બન ગઇ નદીયાં; ક્ષણ-ક્ષણ મીલ કર, બન ગઇ સદીયાં.
આ બધા સંગઠન માટેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આકાશગંગા - ૧૪૯
Page #80
--------------------------------------------------------------------------
________________
આટલાથી દોસ્તી ન કરો : & બાળક અને બૂઢો. ce લોભી અને મૂર્ખ. છે દુ:ખી અને નપુંસક. છે મૈત્રીનો ભાવ બધાની સાથે હોવા છતાંય બધાયની
સાથે મૈત્રીનો વ્યવહાર ન થઇ શકે. છે દૂધ સાકર સાથે દોસ્તી કરે તો વાંધો નહિ, પણ લીંબુ
સાથે કરે તો? નાદાન કી દોસ્તી, જીવન કા ખતરા ! મૈત્રી ટકાવવી હોય તો... છે મિત્ર સાથે વિવાદ ના કરશો. છે મિત્ર સાથે ધનનો સંબંધ ના રાખશો. cછે મિત્ર પાસે કોઇ ચીજની માંગણી ના કરશો. છે મિત્રની સ્ત્રી સાથે સંસર્ગ ના કરશો. છે મિત્રથી આગળ ના બેસશો. # મિત્રની ભૂલની સ્પષ્ટ ચર્ચા ના કરશો અને
પોતાની ભૂલ તરત સ્વીકારી લેશો. મિત્ર શી રીતે બનાવશો ?
છે તે મળે ત્યારે સ્મિત આપો. Cછે તેનું નામ યાદ રાખો. Cછે તેની વાત દિલપૂર્વક સાંભળો. છે તેના ગુણની પ્રશંસા કરો.
- ડેલ કાર્નેગી કોની કઇ રીતે મૈત્રી ? છે પશુ-પંખીઓની મૈત્રી : આકસ્મિક નિમિત્તથી. cછે મૂર્ખાઓની મૈત્રી : ભય કે લોભથી.
આકાશગંગા • ૧૫૦
છે સામાન્ય લોકોની મૈત્રી : ઉપકાર થવાથી. છે સજજનોની મૈત્રી : માત્ર દર્શનથી. ધૂપ અને ધૂમાડો : પ્રેમીની તો વાત જ ન્યારી છે.
બીજાના મુખમાંથી નીકળેલી જે વાત ‘નિંદા'માં ગણાય, તે જ વાત જો પ્રેમીના મુખમાંથી નીકળે તો ‘મજાક' ગણાય છે. જુઓ ને ! લાકડામાંથી નીકળતો ધૂમાડો ‘ધૂમાડો' કહેવાય છે. જ્યારે અગરમાંથી નીકળતો ધૂમાડો ‘ધૂપ’ કહેવાય છે. અમે વ્હાલા કેમ લાગતા નથી ? ઘણા માણસોની એવી ફરિયાદ હોય છે કે અમે કોઇને વ્હાલા નથી લાગતા... અમને કોઇ પ્રેમ નથી કરતું. જરા ઊંડાણથી નિરીક્ષણ કરવામાં આવે તો જણાશે કે તેમાં ખામી બીજાની નહિ, પણ મારી જ છે. મારા હૃદયમાં જ બીજા પ્રત્યે ધિક્કાર ભરેલો છે. અંદર ધિક્કાર હોય તો કોઇના તરફથી સત્કારની આશા શી રીતે રાખી શકાય? આ ચોક્કસ વાત છે કે પૂર્વભવમાં કે પૂર્વ જીવનમાં આપણે બીજાનો ધિક્કાર જ કર્યો છે. માટે જ આપણને બીજા તરફથી ધિક્કાર મળી રહ્યો છે. કર્મ શાસ્ત્રની પરિભાષામાં આવો માણસ ‘દુર્ભગ’ કહેવાય છે. આ જીતના હૈ તો.... કલી કો જીતના હૈ તો મધુર મનુહાર સે જીતો, હિરન-મન જીતના હૈ તો મધુર ઝંકાર સે જીતો; કિસીકો જીતના ક્યા હૈ? ખડ્રગ સે તોપ સે બમ સે ? કિસીકો જીતના હૈ તો હૃદય કે પ્યાર સે જીતો.
| આકાશગંગા • ૧૫૧
Page #81
--------------------------------------------------------------------------
________________
* પ્રેમનાં સ્વરૂપ :
પ્રેમના ચાર સ્વરૂપ છે : (૧) ભક્તિ (૨) મૈત્રી (૩) કરૂણા (૪) તટસ્થતા.
પોતાનાથી અધિક ગુણવાળા મહાપુરુષો પ્રત્યે ભક્તિ રાખો. સમાન ગુણવાળા સાથે મૈત્રી રાખો.
હીન ગુણવાળા પર કરૂણા રાખો. તદ્દન ગુણહીન પર તટસ્થતા રાખો.
પ્રેમના આ ચાર સ્વરૂપને જ શાસ્ત્રમાં ચાર (મૈત્રી, પ્રમોદ, કરૂણા, ઉપેક્ષા) ભાવનાઓ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. આખરે બધાની સાથે પ્રેમ જ કરવાનો છે, ધિક્કાર કે દ્વેષ કદાપિ નહિ.
* પ્રેમનું અધઃપતન :
મા પરથી હટીને પત્ની પર જાય.
પત્ની પરથી હટીને પુત્ર પર જાય.
પુત્ર પરથી હટીને શરીર પર જાય. * પ્રેમનું ઊારોહણ :
મા પરથી સંતો પ૨ જાય.
સંતો દ્વારા જગતના સર્વ જીવો પર જાય. જગતના જીવો દ્વારા જગદીશ (ભગવાન) પર જાય. * પ્રેમ :
જબ મૈં થા તબ હિરે નહીં, અબ હિર હૈં મેં નાંય; પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાય.
દેખો કરણી કમલ કી, જલ સોં કીન્હો હેત; પ્રાણ તયો પ્રેમ ના તજ્યો, સૂખો સહિ સમેત.
આકાશગંગા : ૧૫૨ -
- કબીર
- સૂરદાસ
જૈસો બંધન પ્રેમ કો, પૈસો બંધન ન ઔર; કાસિંહ ભેદે કમલ કો, છેદ ન નિકલે ભૌર.
પોથી પઢ-પઢ જગ મુવા, પંડિત હુઆ ન કોય; ઢાઇ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.
- વૃંદ કવિ
- કબીર
* વનસ્પતિ દ્વારા પ્રેમનો પ્રતિભાવ :
જીવન જો ફૂલ છે તો પ્રેમ તેની સુગંધ છે. પ્રેમથી માણસો જ નહિ, પશુઓ પણ વશ થાય છે. અરે... વનસ્પતિ પણ પ્રેમથી પ્રભાવિત બને છે.
અમેરિકાનો એક વનસ્પતિશાસ્ત્રી ખૂબ જ વૃક્ષપ્રેમી હતો. ત્યાં થતા કેકટસ વૃક્ષ (જેની દરેક ડાળ બાવળીઆની જેમ કાંટાવાળી હોય છે) પાસે તે દરરોજ પ્રેમપૂર્વક વિનંતી કરવા લાગ્યો : હે પ્રિય વૃક્ષ ! મને એક ડાલ કાંટા વિનાની આપ ! શું તું મારી આટલી વાત નહિ સ્વીકારે ? હું હૃદયથી તને ચાહું છું.
અને ખરેખર કેટલાક સમય પછી એ વૃક્ષમાંથી એક ડાળ કાંટા વિનાની નીકળી. જોનારા મોંમાં આંગળા નાંખી ગયા. એક વૃક્ષ પણ પ્રેમનો આવો પ્રતિભાવ આપતો હોય તો માણસ ન આપે ? * પ્રેમમાં ભાર કેવો ?
‘કેમ છોકરી ! તું તો નાની છે. દશ વર્ષની છે ને છ વર્ષના આ છોકરાને ઉપાડીને ઉપર ચડી રહી છે તે તને ભાર નથી લાગતો ?’
‘ભાર ? શાનો ભાર લાગે ? આ તો મારો ભાઇ છે. ભાઇને ઉપાડવામાં ભાર કેવો ?’
આકાશગંગા - ૧૫૩
Page #82
--------------------------------------------------------------------------
________________
સાચી વાત છે. જયાં પ્રેમ હોય છે, ત્યાં ભારેમાં ભારે ચીજ પણ હલકી ફૂલ લાગે છે. પ્રેમ અદ્દભુત ચીજ છે. તે કઠોરને પણ મધુર, અસતું ને પણ સતુ અને અંધકારને પણ પ્રકાશમય બનાવી દે છે.
અંતરમેં લાગી નહિ... પઢ પઢ પઢ પત્થર ભયા, લિખ લિખ લિખ ભયા ઇંટ; અંતરમાં લાગી નહિ, નૈક પ્રેમ કી છીંટ.
- પાનપદાસ
પ્રેમ અને મોહ : પરમાર્થમાં તત્પર રહે તે પ્રેમ. સ્વાર્થમાં જ મસ્ત રહે તે મોહ. પ્રેમ પાવક : પ્રેમ પંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને; માંહિ પડ્યા તે મહાસુખ મહાલે, દેખનારા દાઝે જોને.
- પ્રીતમદાસ પ્રેમ-મોહ: જડ પદાર્થોનો રાગ તે મોહ. પરમાત્મા પ્રત્યેનો રાગ તે પ્રેમ. કિસવિધ છૂટ્યા પ્રાણ? ‘નિકટ ન દીસે પારધિ, લગ્યા ન દીસે બાણ; હું તને પૂછું હે સખી ! કિસ વિધ છૂટ્યા પ્રાણ ?' જલ થોડા નેહા ઘણા, લગ્યા નેહ કા બાણ; ‘તૂ પી ! તૂ પી ! તૂ પિયે” ઇસવિધ છૂટ્યા પ્રાણ .
એક હરણીએ પોતાની સખીને પૂછયું : “સખી ! તારો પ્રિયતમ કેમ કરતાં મરી ગયો? બાજુમાં શિકારી દેખાતો નથી.
| આકાશગંગા • ૧૫૪ +
બાણ લાગ્યું હોય તેમ પણ જણાતું નથી. કારણ કે શરીર પર ક્યાંય ઘા દેખાતો નથી, લોહીના ડાઘ પણ જણાતા નથી, તો ઓ સખી ! તારો પ્રિયતમ શી રીતે મૃત્યુ પામ્યો ?”
“પ્રિય સખી ! વાત એમ છે કે જંગલમાં રખડતાં-રખેડતાં અમને ખૂબ જ તરસ લાગી. ખૂબ ફરતાં-ફરતાં એક સ્થળે થોડુંક પાણી મળી આવ્યું. પણ ખાબોચીયામાં રહેલા તેટલા પાણીથી એકની જ તરસ છીપે તેમ હતી. મેં કહ્યું : પ્રિયતમ ! તમે પી લો. મને ચાલશે. પણ તેમણે મને કહ્યું : ‘પ્રિયે ! પહેલાં તું પી. તારે જ પીવું પડશે.' હું ન માની અને આમ રકઝક કરતાં તરસથી વ્યાકુલ થયેલા મારા પ્રિયતમ મૃત્યુ પામ્યા !”
આવો પ્રેમ જયારે પ્રભુ માટે પ્રગટે ત્યારે ‘સુલતા’, ‘મયણા' કે “રેવતી’ બની શકાય. જ મને પ્રેમનો ફૂવારો બનાવ :
હે પ્રભો ! તું મને પ્રેમનો ફૂવારો બનાવ. જેથી જયાં વેર છે ત્યાં વ્હાલ વહાવી શકું. જયાં આક્રમણ છે, ત્યાં પ્રતિક્રમણ કરી શકું. જ્યાં ઝગડાના બાવળ ઊગ્યા છે, ત્યાં ક્ષમાના કલ્પતરુ વાવી શકું. જયાં ભૂલો છે ત્યાં ફૂલો ઉગાડી શકું. જયાં અંધારા છે ત્યાં અજવાળા રેલાવી શકું. જ્યાં ઉદાસીનતા છે ત્યાં પ્રસન્નતા પાથરી શકે !
શાંતિનો રાજમાર્ગ : ૧. તારી નહિ, બીજાની ઇચ્છા પૂરી કરવા પ્રયત્ન કર. ૨. ઘણાથી નહિ, થોડાથી સંતુષ્ટ થા. ૩. મોટો નહિ, નાનો બનીને બધાની સાથે વસ. ૪. અને પ્રભુ-ચરણોમાં પ્રાર્થના કર :
હે પ્રભુ ! તારી ઇચ્છા મારા દ્વારા પૂર્ણ બનો !” આ શાંતિનો રાજમાર્ગ છે.
આકાશગંગા • ૧૫૫ -
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૧. દયા - કરુણા
છે તું ગજબનો છે : તું ગજબનો માણસ છે. તે કેટલીયે મીઠાઇ ખાધી, પણ તારામાં મીઠાશ ન આવી. તે કેટલુંય ઘી પીધું, પણ તારામાં સ્નિગ્ધતા ન આવી. તે કેટલુંય દૂધ પીધું, પણ તારામાં ઉજજવળતા ન આવી. તે કેટલુંય સંગીત સાંભળ્યું, પણ તારામાં ‘સંગીત’ પેદા ન થયું. તે કેટલીયે સુગંધ માણી, પણ તારામાં ‘સુગંધ’ ન આવી.
હે માનવ ! એવું તો નથી કે તું અંદરથી મીઠાશ, સ્નિગ્ધતા, ઉજ્જવળતા, સંગીત, સૌંદર્ય કે સુંગધથી શૂન્ય છે, એટલે જ બહારથી તે મેળવવા ઝંખી રહ્યો હોય ? સાફ.. સાફ સાફ.... છે એક જ ઝગડો અને ઘર સાફ. છે એક જ ગાળ અને મિત્રતા સાફ . છે એક જ ભૂલ (વહીવટ આદિ સંબંધી) અને રાષ્ટ્ર સાફ. છે એક જ કલંક અને યશ સારું. ભાઇચારો : Cછે ઇસ્લામ ઃ જે કુરાનને માને તે સૌની સાથે ભાઇચારો
ત્રણ આંસુ : ૧. પાપો પર પશ્ચાત્તાપના આંસુ. ૨. સુકૃતો પર હર્ષના આંસુ. ૩. દુઃખીના દુઃખ પર દર્દના આંસુ. ચડિયાતું બિંદુ : ગંગાબિંદુથી વર્ષાબિંદુ ચડિયાતું છે. વર્ષાબિંદુથી ઝાકળબિંદુ ચડિયાતું છે. ઝાકળબિંદુથી હર્ષાશ્રુબિંદુ ચડિયાતું છે. પણ આ બધાથી ભ. મહાવીરની કરૂણાથી છલકાતી આંખોમાંનું અશ્રુબિંદુ ચડિયાતું છે. સિમ્પથી : રોગ મટાડવા માટે એલોપથી, હોમિયોપથી, નેચરોપથી, વગેરે ઘણી ‘પથીછે. પણ તમામ દર્દી માટેની ‘પથી’ કઇ ? સિમ્પથી (સહાનુભૂતિ - હમદર્દી) દયાના આઠ પ્રકાર : ૧. દ્રવ્ય દયા ૨. ભાવે દયા ૩. સ્વ દયા ૪. પર દયા
આકાશગંગા • ૧૫૦ +
કેળવો.
છે ખ્રિસ્તી : માનવ માત્ર સાથે ભાઇચારો કેળવો. છે વૈદિક (હિન્દુ): માનવથીયે આગળ વધીને ગાયને પણ
પૂજો . નદી, તુલસી, પીપળા આદિ વૃક્ષને પણ પૂજો . છે જૈન: નિગોદથી માંડી અનુત્તર સુધી તમામ જીવો સાથે
પ્રેમ - બહુમાનભાવ કેળવો.
| આકાશગંગા • ૧૫૬ +
Page #84
--------------------------------------------------------------------------
________________
૫, સ્વરૂપ દયા ૬. અનુબંધ દયા ૭. વ્યવહાર દયા ૮. નિશ્ચય દયા છે. માતા : Cછે અરિહંતની માતા કરૂણા. છે સંસારની માતા નિગોદ. Cછે સાધુની માતા અષ્ટપ્રવચન માતા.
ધર્મની માતા અહિંસા. Cછે અધર્મની માતા હિંસા. Cછે પતનની માતા અભિમાન.
ઉત્થાનની માતા નમ્રતા. cછે શ્રાવકની માતા જયણા. Cછે રોગની માતા રસના. છે દુ:ખની માતા સ્નેહ. છે પાપની માતા લોભ.
કોનાથી ? છે દ્વેષથી દોષ. છે પ્રેમથી આબાદી. છે મદથી પતન. છે નમ્રતાથી ઉન્નતિ. અહંકારના પાંચ અભિશાપ : ૧. વિભાવોના વૈભવમાં રાચવું. ૨. મહત્ત્વાકાંક્ષાની વ્યાધિ. ૩. અહંકારની દરિદ્રતા. ૪. ઉદર-લમીમય જીવન. ૫. સંખ્યા-ક્ષેત્રમાં પૂરાવું.
* * *
33. નમ્રતા
[ ૩૨. અભિમાન
માર ખાવો પડે છે... cછે હવાથી ભરેલા ફૂટબોલને ચારેબાજુથી ફટકા ખાવા
પડે છે. cછે હવાથી ભરેલા નગારાને ડાંડીનો માર ખાવો પડે છે. અહંકારથી ભરેલા જીવને પણ કર્મનો માર ખાવો પડે છે.
| આકાશગંગા • ૧૫૮ +
જ નમ્રતાના ૩ લક્ષણ : ૧. કડવી વાતનો મીઠો જવાબ. ૨. ક્રોધ વખતે મૌન !
૩. ગુનેગારને શિક્ષા આપતી વખતે કોમળતા ! છે નમસ્કાર :
છે ધન ત્યાં નમસ્કાર. છે સત્તા ત્યાં નમસ્કાર. Cછે ગુણ ત્યાં નમસ્કાર. Cછે જ્ઞાન ત્યાં નમસ્કાર. છે ચમત્કાર ત્યાં નમસ્કાર.
| આકાશગંગા • ૧૫૯ |
Page #85
--------------------------------------------------------------------------
________________
તમે ક્યાં નમસ્કાર કરો છો ? ગુણ અને જ્ઞાન છોડીને બાકીના નમસ્કાર નકામા છે.
૩૪. લોભ - તણા - પરિગ્રહ) પાપનો દાદો કોણ? લોભની દીકરી માયા (પૈસા કમાય ત્યારે માયા પ્રાયઃ હોય જ). માયાનો દીકરો માન (માયાથી કમાયેલા પૈસા પર અભિમાન થાય જ). ક્રોધનો દીકરો દ્રોહ (ક્રોધી માણસ દ્રોહ કરતો જ હોય છે). દ્રોહની દીકરી દુર્ગતિ (દ્રોહી માણસ દુર્ગતિમાં જાય જ). દુર્ગતિનો પરિવાર સંસાર (એકવાર દુર્ગતિમાં ગયેલો જીવ પ્રાયઃ સંસારમાં રખડ્યા જ કરે).
એટલે લોભ બધા પાપોનો ‘દાદો' થયો. ખરુંને ? ક્રોધથી પ્રેમનો, માનથી વિનયનો, માયાથી મિત્રનો નાશ થાય. જ્યારે લોભથી બધાનો નાશ થાય.
લોકો સવવિણાસણો”. અસંતોષ :
અસંતોષ બાહ્ય પદાર્થો માટે મોટું દૂષણ, આંતર ગુણો માટે મોટું ભૂષણ.
જયારે માણસ ગુણ-પ્રાપ્તિમાં સંતોષી બની જશે ત્યારે તેનો વિકાસ સ્થગિત બની જશે. આંતર-વિકાસમાં સંતોષ કેવો ?
ન આકાશગંગા • ૧૬૦+
સંતોષ ક્યાં ? અસંતોષ ક્યાં? cછે ત્રણ સંતોષમાં રાખો : સ્વ-પત્ની, ભોજન, ધન. cછે ત્રણમાં અસંતોષ રાખો : દાન, તપ, જ્ઞાન. તૃપ્ત થયો નથી.. પુત્રાદિ પરિવારથી સગર ચક્રવર્તી તૃપ્ત નથી થયો. ગાયોના ધણોથી કુચિકર્ણ તૃપ્ત નથી થયો. ધાન્યના ઢગલાથી તિલક શેઠ તૃપ્ત નથી થયો. સોનાના ડુંગરોથી નંદરાજા તૃપ્ત નથી થયો.
- પૂ. હેમચંદ્રાચાર્ય જ સુખી થવું હોય તો...
પાપનું મૂળ શું? લોભ. રોગનું મૂળ શું? સ્વાદ. દુ:ખનું મૂળ શું ? સ્નેહ. તારે સુખી થવું છે ? તો લોભ, સ્વાદ અને સ્નેહ છોડી દે. જ સૌને બીજાને ત્યાં જ સુખ દેખાય છે :
કોયલ વિચારે છે : હાય ! હાય ! હું કેટલી કાળી છું? પેલો મોર કેટલો સુંદર છે ? હું મોર હોત તો કેટલું સારું.
મોર વિચારે : વાહ ! કોયલનો કેવો મીઠો ટહૂકાર છે? મારા અવાજના કોઇ ઠેકાણા છે ? કાશ ! હું જો કોયલ હોત !
પંખી વિચારે છે : હું વાદળ હોત તો કેટલું સારું ? પાંખો હલાવી હલાવીને હું તો થાકી ગયો. વાદળને કાંઇ જ ચિંતા નહિ. પાંખો હલાવવાની જ નહિ. બસ... એમને એમ આકાશમાં તરવાનું. મને એવું સૌભાગ્ય ક્યારે મળશે ?
| આકાશગંગા • ૧૬૧
Page #86
--------------------------------------------------------------------------
________________
વાદળ વિચારે છે : આપણું તે કાંઈ જીવન છે? પવન નચાવે તેમ નાચવાનું. એ જયાં લઇ જાય ત્યાં જવાનું... ધાર્યું કશું જ ન થાય. પેલા પંખીઓ કેવા સ્વતંત્ર છે ? ધારે ત્યાં ઊડે છે. કાશ ! હું જો પંખી હોઉં !
નદીનો આ બાજુનો કિનારો વિચારે છે : અહીં તો કાંઈ સુખ નથી. નય કાદવ કાદવ જ છે. પેલો કિનારો કેટલો રળિયામણો છે ? સાચે જ બધું સુખ પેલી બાજુ જ છે.
નદીનો પેલી બાજુનો કિનારો વિચારે છે : સાલું આપણા ભાગ્યમાં જરાય સુખ જ નથી. માત્ર કાદવ ને કીચડ જ છે. બધા જ સુખો ત્યાં છે.
પણ ના... કોયલ, મોર કે વાદળ કોઇ કશું વિચારતું નથી, પણ માણસો ચોક્કસ આવું વિચારી રહ્યા છે. છગન વિચારે છે : મગનને કેટલી સુંદર નોકરી મળી છે? અને પેલો મગન વિચારે છે : છગનને કેટલું સુંદર ઘર મળ્યું છે ?
છ છોકરાને લઇને ફરતી વાઘરણ વિચારે છે : પેલી ક્રોડપતિ બાઇ કેટલી સુખી છે ? આપણે તો ભટક્યા જ કરવાનું ! પેલી વાંઝણી ક્રોડપતિ બાઇ વિચારે છે : શું કરવા'તા ક્રોડ રૂપિયાને? મારાથી તો પેલી વાઘરણ પણ સારી ! કેટલા બાલ-બચ્ચા સાથે આનંદ-કિલ્લોલ કરે છે ?
આમ દરેક માણસ બીજામાં સુખ જોઇ રહ્યો છે. પણ માણસ ભૂલી જાય છે કે આ માણસ વળી તમને સુખી માની રહ્યો છે.
જે મળતી સ્થિતિનો સાનંદ સ્વીકાર કરતો નથી અને હૈયાબળાપામાં જ વખત વીતાવે તે સુખી શી રીતે ? સુખ સ્વમાં રહેવામાં છે, સ્વસ્થતામાં છે. જે સ્વકેન્દ્રમાં સ્થિર બની જાય છે, એના ચરણે સુખોના ઢગલે-ઢગલા આવી પડે છે.
ન આકાશગંગા • ૧દર
સંતોષીનું સુખ :
ધન મેળવીને તમે તમારા અહંકારને તૃપ્ત કરી શકો છો, ‘હું સુખી છું' એવો ભ્રમ બીજા લોકોમાં ફેલાવી શકો છો, પણ વાસ્તવિકમાં તમે કદી સુખી બની શકતા નથી.
સંતોષના અમૃતથી તૃપ્ત થયેલા શાંત ચિત્તવાળાને જે સુખ હોય છે, તે આમતેમ દોડતા ધન લોભી ક્ષુબ્ધ ચિત્તવાળા માણસોને ક્યાંથી હોય ?
સંતોષી માણસ છ ફૂટની જમીનથી પણ ખુશ બની શકે છે, જયારે અસંતોષી માણસ આખી દુનિયાના રાજયથી પણ રાજી થઇ શકતો નથી ! દમન અને શમન :
સંતોષના ત્રણ માર્ગ : (૧) દાન, (૨) બુદ્ધિપૂર્વક શમન, (૩) જબરદસ્તીથી દમન.
દા.ત. : શર્દીના દર્દી નાના બાળકે શીખંડ ખાવાની હઠ પકડી. જયારે તે ના પાડવા છતાં ખાવા લાગ્યો, ત્યારે તેના પપ્પાએ ધડ... દઇને એક તમાચો ઠોકી દીધો. બાળક ખાતો બંધ થઇ ગયો, પણ મનમાં ધંધવાતો રહ્યો. પછી મમ્મીએ તેને શીખંડ શર્દીમાં કેટલું નુકસાન કરે વગેરે પ્રેમથી સમજાવ્યું. બાળકનું મન શાંત થઇ ગયું. પપ્પાએ દમનનો માર્ગ અપનાવ્યો. મમ્મીએ શમનનો માર્ગ અપનાવ્યો. દમન કરતાં શમન સદા શ્રેષ્ઠ છે. * સંતોષ ધન : ગોધન ગજધન વાજિધન, ઔર રતનધન ખાન; જબ આવે સંતોષધન, સબ ધન ધૂલ સમાન.
- રોમ સતસઈ ને આકાશગંગા • ૧૬૩ –
Page #87
--------------------------------------------------------------------------
________________
- સંતોષ : નંદન-વન
છે ક્રોધ યમરાજ છે. cછે તૃષ્ણા વૈતરણી નદી છે. છે વિદ્યા કામધેનુ ગાય છે. છે સંતોષ નંદન-વન છે.
- ચાણક્ય નીતિ ૮/૧૩ સંતોષની ચાવી...
જયારે બધા જ કામોના બધા જ દ્વાર બંધ થઇ જાય, ત્યારે સંતોષરૂપી ચાવીનો ઉપયોગ કરજો . બધા જ દરવાજા ખૂલી જશે.
સંપત્તિ અને ગરીબી : સંતોષ સ્વાભાવિક સંપત્તિ છે. પૈસા કૃત્રિમ ગરીબી છે.
- સોક્રેટીસ - હાય ! મમતા !
છે ખોટો તોય ગાંઠનો રૂપિયો. Cછે ભાંગ્યુ તોય ભરૂચ. છે ઘેલો તો પણ પેટનો દીકરો. છે ખારો તો પણ બાપનો કુવો. છે હાય ! મમતા ! રે, મમતા !
શેઠે માલ ખરીદીને ત્રણ મજૂરો પાસેથી આઠ-આઠ પેટી ઉપડાવી. રસ્તામાં મજૂરોને થાકેલા જોઇ શેઠે કહ્યું : બહુ ભાર લાગતો હોય તો અર્ધી પેટી નીચે મૂકી દો. બે મજૂરોએ ચારચાર પેટી નીચે મૂકી દીધી. ત્રીજા મજૂરે એક પણ પેટી ન મૂકી. ઘેર પહોંચતાં દયાળુ શેઠે જે જેટલી પેટી ઉપાડી લાવેલો, તે તમામને તે પેટીઓ ભેટ આપી દીધી. હવે પેલા બે મજૂરો પોક
ને આકાશગંગા • ૧૬૪ -
મૂકીને રડવા લાગ્યા. અરેરે ! આઠેય પેટીઓ ઉપાડી હોત તો કેટલું સારું ! (પહેલા પેટી પર મમતા ન્હોતી, હવે થઇ ગઇ. હવે એ પોતાની થઇ ગઈને ?) કરડો છો કેમ ?
શેઠજી ! રડો છો કેમ ?' ‘દુકાનમાં આગ લાગી છે.' ‘તો પણ શું વાંધો છે ? ગઈ કાલે જ દુકાનદારે તમારા દીકરાને વીમો કઢાવતાં જોયેલો.'
અને શેઠ રાજી થઈ ગયા. થોડી વારે દીકરો દોડતો-દોડતો આવ્યો અને બોલી ઊઠ્યો : ‘પિતાજી ! આમ નચિંત થઇને શું ઊભા છો ? દુકાનમાં આગ લાગી છે, તે દેખાતી નથી ?'
‘હવે મને બનાવ નહિ. તે વીમો ઊતરાવ્યો છે ને? હવે શી ચિંતા ?'
‘પિતાજી ! વીમો કઢાવવા ગયેલો... બધા કાગળીઆ તૈયાર થઇ ગયા, પણ સહી-સિક્કા કરવાના બાકી રહી ગયા. અને શેઠજી ફરી રડી પડ્યા ! નિર્મમત્વથી... નિર્મમત્વથી નિઃસંગ ભાવ પ્રગટે છે. નિઃસંગથી ચિત્ત એકાગ્ર બને છે. આથી અનાસક્ત સાધક અસંગનો આનંદ માણતો વિચરે છે.
- ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯/૩૦ આસક્તિનો ટૂકડો : કુર પક્ષી માંસનો ટૂકડો લઇને ઊડ્યું. કાગડા વગેરે તેની પાછળ દોડ્યા અને ઝપાઝપી કરવા લાગ્યા. કંટાળીને કુરરે
આકાશગંગા • ૧૫F
Page #88
--------------------------------------------------------------------------
________________
માંસનો ટૂકડો ફેંકી દીધો અને ઝાડ પર શાંતિથી બેઠું. હવે કાગડા વગેરેએ તેનો પીછો છોડી દીધો.
હા... જયાં સુધી આસક્તિનો ટૂકડો નહિ છૂટે, ત્યાં સુધી ક્રોધ વગેરેના કાગડા પીછો નહિ છોડે.
- ભાગવત ૧૧/૯/૧ ...અને ભૂત પકડાઇ ગયું !
હઠીસિંહ પટેલ સવારના પહોરમાં પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યા હતા. પોતાના લાંબા પડછાયાને ભૂત સમજી તેને પકડવા દોડવા લાગ્યા. પણ આ ‘ભૂત’ તો આગળ ને આગળ ! પકડાય જ નહિ ! ‘આ ભૂત જબરું' પટેલ બબડી ઊઠ્યો.
દૂરથી આ દેશ્ય જોઈ રહેલા, પટેલની મૂર્ખતા પર હસી રહેલા સહજાનંદ સ્વામી (સ્વામીનારાયણ પંથના પ્રવર્તકોએ કહ્યું : પટેલ ! ઈ ‘ભૂત’ એમ તમારા હાથમાં નહિ આવે. તમે એમ કરો. પૂર્વ દિશા તરફ ચાલવા માંડો. પછી જુઓ કે ઇ ‘ભૂત’ તમારો દાસ બનીને તમારી પાછળ-પાછળ ફરે છે કે નહિ ? તેમ કરતાં ‘ભૂત’ પાછળ ચાલવા લાગ્યું. પટેલ રાજીરેડ થઇ ગયા!
ખરી વાત છે. જે માણસ તૃષ્ણાને પીઠ આપીને ચાલે છે, તેની પાછળ-પાછળ પડછાયાની જેમ લક્ષ્મી ચાલતી આવે છે. છે તૃષ્ણા - ઇચ્છા - સ્પૃહા - વાસના : cછે ધન વધારવાની ઇચ્છા તે ‘તૃષ્ણા'. છે જરૂરી વસ્તુની ચાહના તે ‘ઇચ્છા'. છે અતિ આવશ્યક વસ્તુની ઝંખના તે ‘સ્પૃહા'. છે મળેલી વસ્તુને સ્થિર કરવાની ભાવના તે ‘વાસના'.
| આકાશગંગા • ૧૬૬ -
છે તૃષ્ણા ! તું આંધળી :
ઓ તૃષ્ણા ! તું પણ આંધળી છે. નહિ તો તું રોગી, વાંઝિયા કે ઘરડાઓમાં શી રીતે રહી શકે ? તારે તો રહેવાની ઘણીયે જગ્યા છે... છતાં આવા લોકોને પણ તું કેમ છોડતી નથી ? નક્કી તું પણ આંધળી જ છે. હવે છોડ ઓ તૃષ્ણા !
ઓ તૃષ્ણા ! તેં મને ખરેખરો નચાવ્યો છે. તારા પ્રભાવથી અત્યાર સુધી મેં શું શું કર્યું છે તે બતાવું ? સાંભળ. સોનાના ચારૂની શંકાથી મેં કેટલેય ઠેકાણે ધરતી ખોદી. સુવર્ણસિદ્ધિ મેળવવા કેટલીયે ધાતુઓ ઓગાળી, કેટલીયે વનસ્પતિના મૂળીયા ઊકાળ્યા. રત્નો મેળવવા દરિયામાં ડૂબકી લગાવી અને ઝટ ઝટ ક્રોડપતિ બનવા દરિયા પાર પણ જઇ આવ્યો. કેટલાય શેઠિયાઓની દાઢીમાં હાથ નાખ્યો. કેટલાય રાજાઓની ચરણચંપી કરી. મંત્ર-તંત્રની સાધના કરવા કેટલીયે કાળી ચૌદસો મસાણમાં કાઢી. પણ અત્યાર સુધીમાં મને ફૂટી કોડી પણ મળી નથી. ઓ તૃષ્ણા ડાકણ ! હવે તો તું મારો કેડો છોડ.
- ભતૃહરિ વૈરાગ્ય શતક-૪ વિરોધી ઇચ્છા થશે :
તમારી એક વૃત્તિ સંતુષ્ટ થશે કે તરત જ તેનાથી વિરોધી બીજી વૃત્તિ પેદા થવાની.
માન-સન્માનની ઇચ્છા પૂરી થઇ ? તો ભોગની ઇચ્છા જાગશે.
દાન (કીર્તિ દાન) દેવાની ઇચ્છા પૂરી થઇ ? તો કદાચ લોભની વૃત્તિ જાગશે .
| આકાશગંગા • ૧૬૭
Page #89
--------------------------------------------------------------------------
________________
શરીર તગડું કરવાની ઇચ્છા પૂરી થઇ ? હવે બીજાને પછાડવાની વૃત્તિ જાગશે. (તૃષ્ણાનો અંત ક્યાં છે ?)
- વિલિયમ જેમ્સ માનસશાસ્ત્રી તૃષ્ણા અને દરિયાનું પાણી : તૃષ્ણાનું પાણી અને દરિયાનું ખારું પાણી... જેમ પીઓ તેમ તરસ વધે. શું ધૂળ સંતોષ ?
તમે જગતના સૌથી ધનાઢ્ય છો... ૧૦ અબજ ડોલર તમે કમાયા છો. હવે તમે સંતોષથી વિદાય લઇ રહ્યા હશો ?” મૃત્યુ પથારીએ પડેલા એન્ડ્રુઝ કાર્નેગીને પત્રકારોએ પૂછ્યું.
“શું ધૂળ સંતોષ ? મારે તો ૧૦૦ અબજ ડોલર કમાવવાના હતા... પણ માત્ર ૧૦% જ કમાઈ શક્યો છું.” એન્ડ્રુઝ કાર્નેગીના જવાબથી પત્રકારો સ્તબ્ધ થઇ ગયા. નાણાંભીડમાં કેમ જીવાય ?
યુરોપના એક ધનવાને આત્મહત્યા કરેલી. તેની ચિઠ્ઠીમાં લખેલું જોવા મળ્યું : “હવે મારી પાસે માત્ર બે ક્રોડ પાઉન્ડ જ ધન રહ્યું છે. આવી કારમી ‘નાણાં-ભીડ'માં શી રીતે જીવી શકું?” 8 તૃપ્ત થતા નથી...
છે લાકડાથી કદી અગ્નિ તૃપ્ત થતો નથી. છે નદીઓથી સાગર તૃપ્ત થતો નથી. છે જીવોને મારવાથી યમરાજ તૃપ્ત થતો નથી. છે પુરુષોથી સ્ત્રીઓ કદી તૃપ્ત થતી નથી.
- વિદુર નીતિ ૮/૭ | આકાશગંગા • ૧૬૮ -
જ ઉપદ્રવ રહિત કોણ ?
છે રૂપમાં ઉંમરનો ઉપદ્રવ છે. એ ભોગમાં રોગનો ઉપદ્રવ છે. છે સત્તામાં ખસી જવાનો ઉપદ્રવ છે. cછે ધનમાં જતા રહેવાનો ઉપદ્રવ છે. cછે આરોગ્યમાં વ્યાધિઓનો ઉપદ્રવ છે.
જીવનમાં મરણનો ઉપદ્રવ છે. છે તો ઉપદ્રવ-રહિત કોણ ? એક માત્ર તુણા ! એને કદી કોઇ ઉપદ્રવ નડતો નથી. છે તૃષ્ણા સદા તરુણી : મોઢે કરચલી પડી. માથે ટાલ પડી. મોં દાંત વગરનું બોખું બન્યું. હાથ-પગ ધ્રુજવા માંડ્યા. કાને ધાકો ને આંખે ઝાંખપ આવી. શરીર આખું બન્યું ખખડધજ. તોય તૃષ્ણા તો એવીને એવી જ સજજ ! શરીર વૃદ્ધ બન્યું પણ તૃષ્ણા સદા તરુણી ! - બે દુ:ખ :
જીવનમાં બે દુઃખ છે. ૧. ઇચ્છા પૂરી ન થવી તે. ૨. ઇચ્છા પૂરી થઇ જવી તે.
- બનાર્ડ શો
| આકાશગંગા • ૧૬૯
–
Page #90
--------------------------------------------------------------------------
________________
* દેશ આશંસા :
૧.
૨.
આ લોકની ઇચ્છા ઃ જેમ કે હું રાજા, ચક્રવર્તી વગેરે બનું. પરલોકની ઇચ્છા : જેમ કે હું ઇન્દ્ર કે મહર્દિક દેવ બનું. ૩. ઉભયલોકની ઇચ્છા ઃ જેમ કે અહીં ચક્રવર્તી અને પરભવમાં ઇન્દ્ર બન્યું.
૪. જીવનની ઇચ્છા : જેમ કે હું સુખપૂર્વક લાંબો કાળ જીવ્યા કરું.
૫. મરણની ઇચ્છા ઃ જેમ કે હું ખૂબ હેરાન થઇ રહ્યો છું. હવે મરી જાઉં તો સારું !
કામની ઇચ્છા ઃ જેમકે મને સારા શબ્દો સાંભળવા મળે - સારા રૂપ જોવા મળે.
૭.ભોગોની ઇચ્છા ઃ જેમ કે મને સારા ગંધ-રસ-સ્પર્શ મળે.
(શબ્દ-રૂપનો સમાવેશ કામમાં અને ગંધ-રસ-સ્પર્શનો સમાવેશ ભોગમાં કર્યો છે. કામ અને ભોગ બેમાં આટલો ફરક છે.)
૬.
૮. લાભનીઇચ્છાઃ જેમકેમનેયશ-કીર્તિ વગેરેની પ્રાપ્તિ થાવ. ૯. પૂજાની ઇચ્છા : જેમ કે જગતમાં ફૂલ વગેરેથી મારી પૂજા થાવ.
૧૦. સત્કારની ઇચ્છા : જેમ કે વસ્ત્ર, આભૂષણ વગેરેથી મારો સત્કાર થાવ.
- ઠાણંગ સૂત્ર ૧/૭૫૯
• ઇચ્છે છે...
દરિદ્ર પુરુષો ધન ઇચ્છે છે. પશુઓ વાણી ઇચ્છે છે.
આકાશગંગા - ૧૭૦ -
માણસો સ્વર્ગ ઇચ્છે છે. દેવો (ડાહ્યા) મોક્ષ ઇચ્છે છે.
ચાણક્ય નીતિ ૫/૧૮
* ઇચ્છાની નદીને ઓળંગો :
તમે ઇચ્છાઓની નદી ઓળંગીને પેલે પાર પહોંચી જાવ. પછી જુઓ કે તમારી ઇચ્છિત ચીજો તમને શોધતી-શોધતી આવે છે કે નહિ ? જો કે, ત્યારે જોવાની ઇચ્છા પણ ચાલી ગઇ હશે ! * ઇચ્છા પૂરી નહિ થાય :
દુનિયામાં દરેક માટે આવશ્યકતા કરતાં વધારે પદાર્થો છે. પણ એક પણ માણસની ઇચ્છા પૂર્તિ કરવા માટે દુનિયાના તમામ પદાર્થો પણ ઓછા છે. આવશ્યકતા પૂરી થઇ શકે છે, ઇચ્છા નહિ.
* ચાહ ચમારી :
ચાહ ચમારી ચોરટી, સૌ નીચન કી નીચ; મૈં થા પૂરન બ્રહ્મ યદિ, ચાહ ન હોતી બીચ.
- રહીમ
* ચાહ ત્યાં આહ :
જહાં ચાહ વહાં આહ હૈ, બનીયે બેપરવાહ; ચાહ જિન્હોં કી મિટ ગઇ, વે શાહન કે શાહ. ૐ આશાનું આશ્ચર્ય !
પેલી મધમાખી તો ફલોના સહારે મધ બનાવે છે, પણ આ આશા નામની મધમાખી તો ગજબની છે ! ફૂલો વિના જ મધ બનાવી દે છે.
આશા ખરેખર કોઇ અજબની સાંકળ છે. એનાથી માણસ જ્યાં સુધી બંધાયેલો હોય ત્યાં સુધી દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. પણ જ્યાં એ સાંકળ છૂટી કે માણસ તરત જ સ્થિર થઇ જાય !
આકાશગંગા = ૧૦૧ -
Page #91
--------------------------------------------------------------------------
________________
આશા નામની આ દેવી અદ્ભુત છે ! એની સેવા કરો તો એ શોક આપે અને સેવા કરવાનું છોડી દો તો સુખના ઢગલેઢગલા આપે.
આશા ન હોય તો... રોગ-શોક સંતાપ સે, ભરા પડા સંસાર; જો આશા હોતી ન તો, હો જાતા સંહાર. આશા ! કેટલું નચાવીશ ?
ઓ આશા ! તું મને કેટલું નચાવીશ ? દુષ્ટ માણસોને ખુશ કરવા માટે મેં તેમના કર્કશ વાક્યો સહન કર્યા છે. અંદર હું રડતો હતો... છતાં તે દુષ્ટોને ખુશ કરવા તેમની સાથે હસતો રહ્યો છું. મારા પર હસનારને પણ મેં સલામો ભરી છે. ઓ આશા ! હજુ ક્યાં સુધી નચાવીશ ?
- ભતૃહરિ વૈરાગ્ય શતકછે શ્વાસ સુધી આશ : જબ તક સાંસા તબ તક આશા આશા એ જ આપદા : આશા સો હી આપદા, સાંસો સોહી સોગ; કહે કબીર' કૈસે મિટે, યે દો જાલિમ રોગ ? આ ત્રણ પરિગ્રહ : ૧. કર્મ પરિગ્રહ ૨. શરીર પરિગ્રહ ૩. ઉપકરણ પરિગ્રહ
- ભગવતી સૂત્ર ૧૮/૭ | આકાશગંગા • ૧૦૨
બાહ્ય-આંતર પરિગ્રહ : બાહ્ય પરિગ્રહ : ૧. ક્ષેત્ર : ખેતર વગેરે ખુલી જમીન. ૨. વાસ્તુ : દુકાન મકાન આદિ. ૩. હિરણ્ય : ચાંદી. ૪. સુવર્ણ : સોનું. ૫. ધન : દાગીના અથવા રોકડા રૂપિયા. ૬. ધાન્ય : અનાજ. ૭. દ્વિપદ : બે પગવાળા દાસ-દાસી આદિ. ૮. ચતુષ્પદ : ચાર પગવાળા ગાય ભેંસ આદિ. ૯. કુષ્ય : ધાતુના વાસણો તથા અન્ય ઘરવખરી, ક ૧૪ આત્યંતર પરિગ્રહ : ૧. હાસ્ય ૨. રતિ ૩. અરતિ ૪. ભય ૫. શોક ૬. જુગુપ્સા
૮. માન ૯. માયા ૧૦. લોભ ૧૧. સ્ત્રીવેદ ૧૨. પુરુષવેદ
ન આકાશગંગા • ૧૦૩
-
Page #92
--------------------------------------------------------------------------
________________
ઓહ ! યાદ આવ્યું. એ કંજૂસનો આત્મા તિજોરીમાં છે, તેને ઊઠાવી લાવ ઓ ચિત્રગુપ્ત.”
ત્રણેયને ૫૦ હજારની લોટરી લાગી. એક : હું પાંચ ટકા ગરીબને આપીશ. બીજો : હું પચાસ ટકા મંદિરમાં વાપરીશ. કંજૂસ ત્રીજો : હું તો બદા જ રૂપિયા પોટલીમાં બાંધીને આકાશમાં ઉછાળીને કહીશ : ભગવાન તમને ખપે તેટલા રૂા. લઇ લેજો .
૧૩. નપુંસક વેદ ૧૪. મિથ્યાત્વ
- બૃહત્કલ્પ ભાષ્ય-૮૩૧ પરિગ્રહના પર્યાયવાચી નામો : મહેચ્છા, પ્રતિબંધ, લોભાત્મા, ભાર, કલિકરંડ, અનર્થ, અગુપ્તિ, તૃષ્ણા, આસક્તિ, અસંતોષ.
- પ્રશ્ન વ્યાકરણ-૫ પરિગ્રહની સિદ્ધિથી...
અપરિગ્રહ વ્રતની સિદ્ધિ થવાથી માનવ પોતાના પૂર્વ જન્મોને જાણી શકે છે.
- પાતંજલ યોગ ૨/૩૯ પાણીનો ગ્લાસ = ક્રોડોની સંપત્તિ : ક્રોડપતિ શેઠ ઓટોમેટિક બંધ થતી મોટી તિજોરીમાં ઘૂસી. ગયા. ભૂલથી ચાવી બહાર રહી ગઇ. પાણી અને આહાર વિના અંદર અને અંદર જ ગૂંગળાઇને મરી ગયા. મરતાં પહેલા ચિઠ્ઠીમાં લખ્યું : “અત્યારે જો મને કોઇ પાણીનો એક ગ્લાસ અને એક રોટલો આપે તો હું તેને મારી બધી જ સંપત્તિ આપી દઉં !' - આ ચીજો ધનથી નથી મળતી : આંખ, મુખ, જ્ઞાન. નીરોગિતા, સત્સંગ, નિદ્રા. આધ્યાત્મિક શાંતિ, બુદ્ધિ, બળ.
[ ૩૫. દાત ]
વાક્યોમાં તારતમ્ય : છે ‘આપ’ જઘન્ય વાક્ય. છે ‘નથી' તેના કરતાં પણ અધમ વાક્ય. Cછે ‘લો’ વાક્યોનો રાજા.
ce ‘નથી જ જોઇતું' વાક્યોમાં ચક્રવર્તી. - તેરા-મેરા (૪ પ્રકારના મનુષ્ય) :
2 અધમ કહે છે : મેરા સો મેરા, તેરા ભી મેરા. Cછે મધ્યમ કહે છે : મેરા સો મેરા, તેરા સો તેરા. છે ઉત્તમ કહે છે : તેરા સો તેરા ઔર મેરી ભી તેરા. # ઉત્તમોત્તમ કહે છે : ન કુછ તેરા, ન કુછ મેરા, જગ કા યહ સબ ઝૂઠ ઝમેલા. (બ્રહ્મજ્ઞ)
| આકાશગંગા • ૧૦૫ |
યમરાજજી ! એ કંજૂસમાં તો આત્મા છે જ નહિ. શી રીતે લાવું ?'
ન આકાશગંગા • ૧૦૪ -
Page #93
--------------------------------------------------------------------------
________________
છે તમે કેવા? કૃપણ કે ઉદાર ? છે તમે ન ખાવ અને બીજાને પણ ન ખાવા દો તો તમે
મખીચૂસ છો. cછે તમે ખાવ પણ બીજાને ન આપો તો કંજૂસ છો.
છે તમે ખાવ અને બીજાને પણ ખવડાવો તો દાની છો. cછે તમે ન ખાઇને બીજાને ખવડાવો તો ઉદાર છો. વાદળ જેવા આપનારા માણસો : છે ગરજે પણ વરસે નહિ, બોલે પણ આપે નહિ. Cછે ગરજે નહિ પણ વરસે, બોલે નહિ પણ આપે. છે ગરજે પણ ખરો અને વરસે પણ, બોલે અને આપે. છે ગરજે પણ નહિ અને વરસે પણ નહિ, બોલે ય નહિ
ને આપે ય નહિ. છે દાન ક્યારે કરશો ? તંદુરસ્તીમાં કરેલું દાન સોનું. માંદગીમાં કરેલું દાન ચાંદી. મરતાં કરેલું દાન તાંબું. અને દાન જ ન કરવું તે લોઢું. (ના... લોઢું પણ નહિ.) છે હથેળીમાં વાળ કેમ નહિ ? રાજા : “મારી હથેળીમાં વાળ કેમ નથી ઊગ્યા ?” મંત્રી : “આપ એટલું બધું આપો છો કે તે ઘસાઇ ગયા.' ‘તારી હથેળીમાં વાળ કેમ નથી ?' ‘લેતાં-લેતાં ઘસાઇ ગયા.' ‘સભામાં બેઠેલાઓની હથેળીમાં વાળ કેમ નથી ?' કંઇ નહિ મળવાથી તેઓ હાથ ઘસતા જ રહી ગયા.'
આકાશગંગા - ૧૦૬
છે ધન વૃદ્ધિ શી રીતે ? cક વ્યાજમાં ધન બેવડું. Cછે વેપારમાં ધન ચાર ગણું. છે ક્ષેત્રમાં ધન સો ગણું. છે સુપાત્રમાં ધન અનંતગણું . કલિયુગમાં દાન શ્રેષ્ઠ : Cછે સત્યયુગમાં તપ. cશ ત્રેતાયુગમાં જ્ઞાન. Cછે દ્વાપર યુગમાં યજ્ઞ. છે કલિયુગમાં દાન શ્રેષ્ઠ છે.
- મનુસ્મૃતિ કમાવ અને આપો : સો હાથે કમાવ, હજાર હાથે આપો.
- ઋગ્વદ જ આપો... આપો... Cછે શ્રદ્ધાથી કે અશ્રદ્ધાથી. છે આબાદીમાં કે ગરીબીમાં . Cછે પ્રેમથી કે ભયથી. છે લોકલાજથી કે ગમે તે રીતે પણ આપો.
- તૈતરીય ઉપનિષદ્ જ ન આપો :
છે યશ માટે ન આપો. Cછે ભયથી ન આપો. છે અપકાર કરનારને ન આપો.
ન આકાશગંગા • ૧૦e |
Page #94
--------------------------------------------------------------------------
________________
Cછે નાચ-ગાનવાળાને ન આપો. ભાંડોને ન આપો.
- મહાભારત શાંતિ પર્વ નિષ્ફળ જાય છે : Cછે જૂઠથી યજ્ઞ
છે વિસ્મયથી તપ Cછે સાધુનિંદાથી આયુષ્ય છે પ્રશંસાથી દાન
- મનુસ્મૃતિ આ દાનના ભેદ : ૧. અનુકંપા દાન ૨. સંગ્રહ દાન
ભય દાન ૪. કારુણિક દાન ૫. લજજા દાન ૬. ગૌરવ દાન ૭. અધર્મ દાન ૮. ધર્મ દાન ૯. કાહી દાન (હું દાન આપીશ તો તે પણ કરશે.) ૧૦. કંતતિ દાન (તેણે મને આપેલું છે માટે હું પણ આપું.)
- ઠાશંગ - દાનના ત્રણ પ્રકાર : ૧. સાત્ત્વિક: દેશ, કાળ, પાત્ર જાણીને “દાન એ કર્તવ્ય છે' એમ માનીને અપાય તે.
| આકાશગંગા • ૧૦૮
૨. રાજસ: ફ્લેશપૂર્વક, પ્રત્યુપકારની આશાથી, ફળના
ઉદ્દેશ્યથી અપાય તે. ૩. તામસ : અયોગ્ય દેશ-કાળમાં, અપાત્રામાં તિરસ્કારપૂર્વક નીચકાર્ય માટે અપાય તે.
- ગીતા અ. ૧૭ ધર્મરસ - ધર્મદાન : રસમાં ધર્મરસ શ્રેષ્ઠ. દાનમાં ધર્મદાન શ્રેષ્ઠ. ધર્મદાનના ત્રણ પ્રકાર : ૧. અભય દાન ૨. સંયતિ દાન ૩. જ્ઞાન દાન
- ધમ્મ પદ ૪ તીર્થકરોએ શું આપ્યું?
તીર્થકરોએ આપવાલાયક બધું જ આપ્યું છે. સમ્યગુ દર્શન જ્ઞાન અને ચારિત્ર એ જ સમગ્ર દાન છે. “આપો’ કહેતાં જ..
મને કંઇક આપો” આટલું બોલતાં જ લજજા, ધી, કાંતિ, કીર્તિ, શ્રી – એ પાંચેય દેવતા ભાગી જાય છે.
- શાકુંતલ છે મર્દ :
છે પૂરો મર્દ : આપે, પણ લે નહિ. છે અધ મર્દ : લે, પણ આપે નહિ.
| આકાશગંગા • ૧૦૯ |
Page #95
--------------------------------------------------------------------------
________________
આ ચાર પ્રકારના આપનારા : ૧. ખાબોચીયા જેવા : દુર્જન : પગ-વસ્ત્ર બગાડે તેવા. ૨. તળાવ જેવા : સજ્જન : સામે ચડીને માંગો તો ના ન
પાડે. ૩. નદી જેવા : સંત : સામે ચડીને આપવા જાય. ૪. સાગર જેવા : અરિહંત : કદી ખૂટે જ નહિ. (સાગરમાંથી વાદળ બને, વાદળમાંથી નદી-તળાવ વગેરે બને. બધાનું મૂળ સાગર છે, તેમ બધા દાનનું મૂળ સાગર જેવા અરિહંત છે.) - સુપાત્ર દાન :
છે પૃથ્વીનો શણગાર : પુરુષ. cછે પુરુષનો શણગાર : લમી.
છે લક્ષ્મીનો શણગાર : દાન. Cછે દાનનો શણગાર : સુપાત્રદાન.
* * *
[ ૩૬. નિંદા છે ચાર ચંડાળ : ૧. જન્મથી ચંડાળ હોય તે જન્મચંડાળ. ૨. કામથી ચંડાળ હોય તે કર્મચંડાળ. ૩. ક્રોધ કરવાથી ચંડાળ જેવો લાગે તે ક્રોધચંડાળ, ૪. નિંદા કરીને ચંડાળ બને તે નિંદાચંડાળ. - ૨સાધિરાજ :
કહેવાય છે કે ભોજનના છ રસોમાં મધુર રસ રાજા છે. શૃંગારાદિ નવ રસોમાં ‘શાંત રસ’ રાજા છે, પણ દુનિયા જોતાં
ન આકાશગંગા • ૧૮૦ -
એમ લાગે છે બધા રસોનો ચક્રવર્તી નિંદાનો રસ છે. કારણ કે – પડ રસ ભોજનનો ત્યાગ કરનારા પણ નિંદાના રસનો ત્યાગ કરી શકતા નથી. આ ચેન ન પડે..
છે કૂતરાને ભસ્યા વિના ચેન ન પડે. @ કવિને કવિતા લખ્યા વિના ચેન ન પડે. છે વક્તાને વ્યાખ્યાન વિના ચેન ન પડે.
ગવૈયાને ગીત વિના ચેન ન પડે. ce લેખકને લખ્યા વિના ચેન ન પડે.
છે વેપારીને વેપાર વિના ચેન ન પડે. Cછે જુગારીને જુગાર વિના ચેન ન પડે. Cછે દારૂડિયાને દારૂ વિના ચેન ન પડે. છે તેમ નિદકને નિંદા વિના ચેન ન પડે. સાવધાન !
જો કોઇ માણસ તમારી પાસે આવીને બીજાની નિંદા કરતો હોય તો તરત જ સાવધાન થઇ જજો . કારણ કે એ માણસ બીજાની પાસે તમારી નિંદા પણ કરવાનો જ.
તમે ચાર-પાંચ જણ ગપ્પા મારતા હોય ત્યાં ગયા છો ? શું ચાલતું હોય છે ત્યાં ? નિંદાના જામ ભરી-ભરીને પીવાતા હોય છે. તમે બરાબર ધ્યાન રાખશો તો જણાશે કે પાંચમાંથી જે ચાલ્યો જાય છે, બાકી રહેલા ચાર જણા તેની જ નિંદા કરવાનું શરૂ કરી દેતા હોય છે. તો તમારે સમજી લેવું જોઇએ કે જો હું ચાલ્યો જઇશ તો મારી ગેરહાજરીમાં આ લોકો મારી પણ નિંદા કરવાના જ ! સલામ આ નિંદકોની ટોળીને ! તમે જો ડાહ્યા હશો તો એ ટોળીમાંથી અવશ્ય ભાગી છૂટશો.
ન આકાશગંગા • ૧૮૧ |
Page #96
--------------------------------------------------------------------------
________________
નિર્ગુણનું લક્ષણ : છે સ્વશ્લાઘા છે પરનિંદા નિંદાનો કીડો : નિંદાના કીડાનો જન્મ કાનમાં થાય છે. તેનો ઉછેર જીભ પર થાય છે. કે ત્રણ આંગળી તારી તરફ : બીજાના દોષ તરફ આંગળી ચીંધનાર ઓ અભાગી !
બાકીની ત્રણ આંગળીઓ તારી તરફ ઝૂકેલી છે - તે તું કેમ ભૂલી જાય છે ?
(૩૭. ધૈર્ય - ઉતાવળ
નિંદા કરવી જ હોય તો ? નિંદા કરવી જ હોય તો પોતાની કરો. સામો માણસ ગાળો આપે તો પણ તેને ભાંડશો નહિ, નિંદશો નહિ. વિજય તમારો જ છે.
આવત ગાલી એક હૈ, ઉલટત હોત અનેક; કહે કબીર નહિ ઉલટીએ, વહી એક કી એક. ઇર્ષાળુથી અકળાશો નહિ : કોઇ તમારી ઇર્ષ્યા કરે છે ? અકળાશો નહિ. આ તમારી ચડતીની નિશાની છે. તમારી ઇર્ષા કરનારો તમને પોતાનાથી મોટો ગણે છે. ઇર્ષાળુથી અકળાશો નહિ. તેનો નાશ કરવા મથશો નહિ. તમે શું તેનો નાશ કરવાના છો ? ઇર્ષ્યા પોતે જ તેનો નાશ કરી નાખશે.
પ્રસન્ન બનો : કોઇની ઇર્ષ્યા શા માટે ? બીજાના સુખને અને ગુણને જોઇ અકળામણ શા માટે ? જેમ ખીલેલા ફૂલને જોઇને તમે પ્રસન્ન બનો છો, તેમ બીજાના સુખો અને ગુણો જોઇ પ્રસન્ન બનો. લખીએ છીએ : બીજાના દુર્ગુણો આપણે તાંબાની પ્લેટ પર લખીએ છીએ અને સગુણો પાણીની સપાટી પર લખીએ છીએ.
- શેક્સપીઅર બે કામ : આપણા બે જ મુખ્ય કામ છે : ૧. જીવતા પ્રસિદ્ધ માણસની નિંદા કરવી. ૨. મરી ગયા પછી તેની પ્રશંસા કરવી.
| આકાશગંગા • ૧૮૨ |
ધીરજ ન રાખો : Cછે ધર્મ કરવામાં . છે કરજ ઉતારવામાં . છે કન્યા આપવામાં. Cછે શત્રુતાના ઘાતમાં. છે અગ્નિ શમાવવામાં .
છે રોગ દબાવવામાં. * ઉતાવળ :
આગ, ઝેર કે કાંટાનો ઇલાજ થઇ શકે, પણ ઉતાવળથી કરાયેલા કાર્ય બદલ પસ્તાવાનો કોઇ ઇલાજ નથી.
ન આકાશગંગા • ૧૮૩ -
Page #97
--------------------------------------------------------------------------
________________
. ધીરે ધીરે :
છે કંથા : જૂનું વસ્ત્ર ધીરે ધીરે પહેરાય. છે પંથા : માર્ગ ધીરે ધીરે કપાય. છે પર્વત : ડુંગર પર ધીરે ધીરે ચડાય. 2 વિદ્યા : ધીરે ધીરે ભણાય (વિદ્વાન થવાય)..
છે વિત્ત : ધીરે ધીરે પૈસાદાર થઇ શકાય. જ “ધીરજ ધીરજની વાત કરો છો... પણ કાંઇ એનીયે કાંઇ મર્યાદા ખરી કે નહિ? ધીરજથી ચાળણીમાં પાણી ભરી શકાય ?”
‘હા... ભરી શકાય. પણ પાણી બરફ બની જાય ત્યાં સુધી, તમારી ધીરજ રહેવી જોઇએ.” સ્વામી રામતીર્થે કહ્યું.
* * *
3૮. ગુણ - દોષ | - છ રાક્ષસો :
ઘુવડ, રીંછ, કૂતરો, ચક્રવાક, ગરૂડ અને ગીધ - આ છ રાક્ષસોને નષ્ટ કરી નાખો. નહિ તો તેઓ તમને નષ્ટ કરી નાખશે, એમ કોઇક શાસ્ત્રમાં લખ્યું છે.
આ વાતને બરાબર સમજીએ. ધૂવડ મોહનું પ્રતીક છે. રીંછ દ્વેષનું પ્રતીક છે. કૂતરો ઇર્ષ્યા અને ખુશામતનું પ્રતીક છે. ચક્રવાક કામનું પ્રતીક છે. ગરૂડ અભિમાનનું પ્રતીક છે. ગીધ લોભ (આસક્તિ)નું પ્રતીક છે.
આકાશગંગા • ૧૮૪ /
એટલે મોહ, દ્વેષ વગેરે છ રાક્ષસોને મારવાના છે, ઘુવડ વગેરેને નહિ, એમ સમજવાનું છે. જ રત્નોથી પણ મૂલ્યવાન :
મિત્રતા, પ્રેમ, શાંતિ, સંયમ અને સંતોષ - આ પાંચને રત્નોથી પણ અધિક મૂલ્યવાન ગણજે.
આઠ પ્રકારના પુરુષો : ૧. આસન્ન દૃષ્ટિ: કીડી, વાનર કે બાળકની જેમ નજીકનું
(તાત્કાલિક બનતું) જ જોનાર (વિચારનાર). ૨. દૂર દૃષ્ટિ : પ્રૌઢ વ્યક્તિની જેમ દૂરનું વિચારનાર. ૩. રાગ દૈષ્ટિઃ જેના પર પોતાને પ્રેમ છે તે પુત્રો, પતિ,
જમાઇ, પત્ની વગેરેને (સેંકડો દુર્ગુણો હોવા છતાંય)
જેને ખૂબ જ સારા લાગે છે. ૪. તેષ દૃષ્ટિ : ગુણોને પણ દોષરૂપે જોનાર. ૫. ગુણ દૃષ્ટિ: માત્ર ગુણને જ જોનાર, ગંધાતા કૂતરીના
ક્લેવરમાંથી પણ શ્રીકૃષ્ણની જેમ સફેદ દાંત જોનાર. દોષ દૃષ્ટિ : માત્ર દોષને જ જોનાર. જેમ કાગડા, માખી વગેરે શરીરના સુંદર ભાગ છોડી ચાંદા પર જ
બેસે તેમ ગુણો છોડી માત્ર દોષો જ જુએ તે. ૭. ગુણ-દોષ દૃષ્ટિ : કોઇ લેખક, કવિ, વક્તા કે
તપસ્વીની પ્રશંસા કરી પછી એક એવો દોષ બતાવે કે જેથી બધા જ ગુણો દબાઇ જાય. આત્મ દૃષ્ટિ: લોકો પ્રશંસા કરે છતાં પણ પોતાના દોષો જોઇને રડે. પેલો મોર જોયો છે ને? કહેવાય છે કે એના નૃત્ય વખતે જોનારા ભલે પ્રસન્ન થતા હોય, પણ તે તો પોતાના પગની કદરૂપતા જોઇ રડતો હોય છે.
| આકાશગંગા • ૧૮૫ |
Page #98
--------------------------------------------------------------------------
________________
છ દોષથી માણસ બરબાદ : ૧. અતિનિદ્રા ૨. પરસ્ત્રી ગમન ૩. અનર્થકારી કાર્ય ૪. ઝગડો ૫. ખરાબ મિત્રની સોબત ૬. અતિ કંજૂસાઇ
- દીર્ઘ નિકાય
છેત્રણ સદ્ગુણ : ૧. આશા ૨. વિશ્વાસ ૩. દાન તેમાં પણ સર્વશ્રેષ્ઠ દાન.
- બાઈબલ દોષને નાનો ન સમજો : Cછે નાનો કાંટો મોટા પગને થંભાવી દે. Cછે નાનું રજકણ આંખને બંધ કરી દે, છે નાની ફોડકી શાંતિ હરી લે.
નાની ચિનગારી લાખો મણ ઘાસ સળગાવી દે. cછે થોડીક ખટાશ મણીબંધ દૂધ બગાડી દે.
નાનું કાણું મોટી સ્ટીમર ડૂબાડી દે. Cછે નાની મર્મઘાત વાત મોટો ઝગડો ઊભો કરી દે.
છે નાનો મચ્છર મોટા હાથીને ઊંચો-નીચો કરી દે. Cછે નાનું છિદ્ર મોટા બંધને તોડી દે. છ દોષ છોડો : ૧. નિદ્રા
જન્મસ્થાન તુચ્છ, પણ ગુણથી મહાન :
છે રેશમ કીડાથી Cછે સોનું પત્થરથી છે નીલકમલ છાણથી છે કમલ કાદવથી cક ગોરોચન ગાયથી cક મોતી છીપથી છે કસ્તુરી મૃગની નાભિથી છે અંબર મગરથી પેદા થયેલા છે,
છતાં ગુણથી પૂજાય છે. જ ચાર કારણે ગુણો નષ્ટ થાય : ૧. ક્રોધથી ૨. ગુણ સહન ન થવાથી ૩. અકૃતજ્ઞતાથી ૪. મિથ્યા ધારણાથી
| આકાશગંગા • ૧૮e +
૨. તંદ્રા
૩. ભય ૪. ક્રોધ ૫. આળસ ૬. વિલંબ (પછીથી કામ કરવાનો સ્વભાવ)
- વિદુર નીતિ | આકાશગંગા • ૧૮૬
Page #99
--------------------------------------------------------------------------
________________
ચાર કારણે ગુણો પ્રગટે : ૧. વિદ્યાભ્યાસથી ૨. બીજાને અનુકૂળ બનાવવા માટે ૩. પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે ૪. કૃતજ્ઞતા પ્રગટ કરવાથી
- ઠાણંગ કક્યુશિયસના પાંચ સદ્દગુણ : ૧. જેન : સદાચારી થવું. ૨. ચુન જુ : સારો વ્યવહાર, દિલમાં દયા. ૩. લી : સજજ્ઞાન, વિવેક, આત્મવિશ્વાસ. ૪. તે : ઇમાનદારી, ૫. બેન : ગુણો પર ચીપકી રહેવું. ચાર સહજ ગુણ : ૧. ઉદારતા ૨. મીઠી વાણી ૩. ધીરતા ૪. ઔચિત્યનું જ્ઞાન
- ચાણક્ય નીતિ તેર માનસિક ગુણો : ૧. ઉદારતા : બીજાને પોતાનામાં સમાવી શકે. ૨. અનુકરણ પ્રિયતા : મહાપુરુષોમાંથી ગુણ લે. ૩. આકૃતિ જ્ઞાન : બીજાને ઓળખી શકે. ૪. વ્યવસ્થા જ્ઞાન : આયોજન કરી શકે. ૫. અવલોકન ગુણ : નવી નવી ચીજોનું જ્ઞાન પામી શકે. ૬. પ્રસાદ ગુણ : બીજાને સરળતાથી સુધારી શકે.
આકાશગંગા • ૧૮૮ |
૭. ઇતિહાસ ગુણ : ભૂતકાળમાંથી બોધ લઇ શકે. ૮. ગણિત જ્ઞાન : એકાગ્રતા વધારી શકે. ૯. સમય જ્ઞાન : સમયનો સદુપયોગ કરી શકે. ૧૦. વસ્તૃત્વ જ્ઞાન : આકર્ષણ શક્તિ મળી શકે. ૧૧. સ્વર જ્ઞાન : નિકટ ભવિષ્યની જાણકારી મળી શકે. ૧૨. તુલના શક્તિ : સમાલોચના કરી શકે. ૧૩. સૌજન્ય ગુણ : વિનય, વિવેક, સભ્યતા કેળવી શકે. નાની ચીજનું મહત્ત્વ :
છે નાનો અંકુશ હાથીને નિયંત્રિત કરી શકે. Cછે નાનો દીપક ઘોર અંધકારને ભેદી શકે. છે નાનો વજ મોટા પર્વતને તોડી શકે. છે નાનું રત્ન લાખોપતિ બનાવી શકે. cછે નાનો મંત્ર દેવતાને ખેંચી શકે. Cછે નાનો યંત્ર કલાકો બચાવી આપે. છે નાની સોય મોટા બેને જોડી આપે. & થોડુંક અમૃત બેહોશી દૂર કરી દે. છે નાની કવિતા મોટી સભાને સ્તબ્ધ બનાવી દે.
છે નાનો ગુણ પણ મહાન બનાવી દે. ક ભૂષણ સમાં આઠ ગુણો : ૧. બુદ્ધિ ૨. કુલીનતા ૩. ઇન્દ્રિય સંયમ ૪. જ્ઞાન ૫. મિતભાષણ ૬. દાન
ન આકાશગંગા • ૧૮૯ –
Page #100
--------------------------------------------------------------------------
________________
૭.
ક્રૂરતા
૮. કૃતજ્ઞતા
* પશુઓમાં પણ ગુણો શોધો : સિંહથી એક :
નાનું મોટું કોઇ પણ કામ પૂરા પ્રયત્નથી કરવું.
→ બગલાથી એક :
દેશ, કાળ, બળને અનુસારે ઇન્દ્રિય સંયમ કરી કામ કરવું. → કૂકડાથી ચાર ઃ
જલ્દી ઊઠવું.
૧.
૨. યુદ્ધ માટે તૈયાર કરવું.
૩. ભાઇઓને હિસ્સો આપવો.
૪.
આક્રમણ કરી ભોજન કરવું.
→ કાગડાથી પાંચ
૧. ગુપ્ત મૈથુન
૨.
સાવધાની
૩.
૪.
૫. અવિશ્વાસ
કૂતરાથી છ ઃ
૧. ઘણું ખાઈ શકવું.
૨. થોડામાં પણ સંતોષ.
૩. સુખેથી સૂવું.
જલ્દી જાગવું.
- વિદુરનીતિ
ધૃષ્ટતા
સમય પર સંગ્રહ
૪.
૫. માલિકની વફાદારીપૂર્વક ભક્તિ કરવી.
૬.
બહાદૂરી.
આકાશગંગા • ૧૯૦ -
D
ગધેડાથી ત્રણ :
૧. થાકવા છતાં ભાર ઉપાડવો.
૨.
ઠંડી-ગરમીની પરવા નહિ કરવી. 3. સદા સંતોષી રહેવું.
* પાંચમા આરાના પાંચ ‘મહાન ગુણો’ :
૧. સેવકજન વત્સલ : રાગ-દ્વેષાદિ અનાદિના અમારા સેવકો છે. એમને અમે શી રીતે કાઢીએ ? શરણાગત વત્સલ માણસ કદી શરણે આવેલાને કાઢી મૂકે ?
૨. અચલચિત્ત : મિથ્યાત્વાદિ માન્યતામાં સંપૂર્ણ દંઢ રહેનારા છીએ. એ તો ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે ભોળા હતા એટલે ફરી ગયા. . . બાકી અમે એવા કાચા-પોચા નથી કે ફરી જઇએ !
૩. નિર્લોભી : જુઓ તો ખરા ! અવંતી સુકુમાલ, શાલિભદ્ર વગેરે કેટલા લોભી હતા ? પાસે ઘણું હોવા છતાં હજુ ઘણું મેળવવાની લાલસા છોડી શક્યા નહિ. અમે તો ખૂબ જ સંતોષી છીએ. પાંચ-પચીસ લાખ મળી જાય એટલે બહુ થયું ! સંતોષ !
૪. ઉદાર : ચોથા આરાના લોકો તો બહુ કંજૂસ ! કમાયેલું જરાય છોડે નહિ ! અમે તો ખૂબ જ ઉદાર ! ગમે તેટલો તપ ત્યાગ કમાયેલો હોય, પણ ક્ષણવાર ક્રોધ કરીને જવા દઇએ છીએ. ચિંતા શી ? ફરી કમાઇ લઇશું !
૫. સાહસિક : ચોથા આરાના લોકો કેટલા બીકણ ?
મૃત્યુ, રોગ, પરાજય, આથમતો સૂરજ, ઘરડો માણસ કે કરમાયેલું ફૂલ - આવા સાદા નિમિત્તોથી ગભરાઇને આકાશગંગા - ૧૯૧ |
Page #101
--------------------------------------------------------------------------
________________
દીક્ષા લઇ લેતા. અમે તો ખૂબ મજબૂત ! ગજવેલની છાતીના ! પેપરોમાં રોજ હજારોની હત્યા વાંચીએ છીએ. રૂંવાડું યે ફરકતું નથી.
સાચે જ મોહરાજા આ સંસાર-નગરમાંથી નિર્ગુણી અને તોફાની (મહાવીર, શાલિભદ્ર જેવા) લોકોને કાઢી મૂકે છે. પણ અમને ન કાઢે... કારણ કે અમે તો પરમ ‘સદ્ગુણી’ છીએ.
***
૩૯. ક
* આઠ કરણ :
૧. બંધન કરણ
૨.
સંક્રમ કરણ
૩. ઉર્દૂર્તના કરણ
૪. અપવર્તના કરણ
૫.
૬.
ઉપશમન કરણ
ઉદીરણા કરણ
૩.
નિતૃત્તી કરણ
૮. નિકાચિત કરણ
* કર્મના ઉપકાર :
કર્મ આમંત્રણ આપે છે, તેને જ ચોંટે છે, બીજાને નહિ જ. બંધાયા પછી તરત ઉદયમાં આવતા નથી. અબાધાકાળ પૂરો થાય ત્યાં સુધી શાંત રહે છે.
જ્યારે ઉદયમાં આવે છે ત્યારે કપાળમાં લખતા નથી કે તમે પૂર્વભવમાં કોઇનું ગળું દબાવ્યું હતું માટે કેન્સર થયું છે.
આકાશગંગા - ૧૯૨ -
C▸ તે એકદમ ન્યાયી છે. નાનો પણ સારા કાર્ય કરે તો મહાન બનાવી દે. (સંગમ જેવા ભરવાડને શાલિભદ્ર બનાવી દે) મોટા પણ જો ખોટું કરે તો છોડે નહિ. (મહાવીરસ્વામી જેવાને પણ છોડ્યા નથી.)
* એક વાર્તામાં આઠ કર્મ :
જ્ઞાનચંદજી દર્શન કરવા ગયા. રસ્તામાં વેદના ઊપડી. સામે આવેલા મોહનભાઇએ કુશળતા પૂછી ત્યારે તેણે વિહ્વળ થઇ જવાબ આપ્યો : ‘આયુષ્ય ખૂટતું જણાય છે.’ અરે... એમ ના બોલશો, ભગવાનનું નામ લો. ગોત્રદેવીની પૂજા કરો. તમારા અંતરાય દૂર થશે.’
***
૪૦. સ્યાદ્વાદ
* તર... તર... તરકત...
વૃક્ષ પર બેઠેલું પંખી બોલતું હતું : તર... તર... તરકત... નીચે બેઠેલા દરેક લોકોએ તેમાં પોતાનો અભિપ્રાય સાંભળ્યો.
મુસલમાને કહ્યું : આ પંખી બોલે છેઃ અલ્લા ! તેરી કુદરત... ! ખ્રિસ્તીએ કહ્યું : નહિ... આ તો બોલે છે ઃ ઇસુ ! તેરી અરજ ! ગાંધીવાદીએ કહ્યું : મને તો સંભળાય છે ઃ ચરખો પુણી ચમરખ... !
પહેલવાને કહ્યું : આ પંખી તો મારી જ વાત કરી રહ્યું છે. એ બોલે છે : દંડ મગદળ કસરત.
વેપારી બોલ્યો : ખોટી વાત ! આ તો મારા વેપારની જ વાત છે. સાંભળો : હલ્દી મિરચ અદરખ !
આકાશગંગા ૰ ૧૯૩ -
Page #102
--------------------------------------------------------------------------
________________
ભક્ત બોલ્યો : મને તો આમાં પ્રભુનું ગુંજન સંભળાય છે : રામ સીતા દશરથ... !
જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ ! ક ગુણદર્શી - દોષદર્શી : Cછે ગુણદર્શી : વાહ ! ગુલાબ કેવું સુગંધી છે ! Cછે દોષદર્શી : હાય ! હાય ! ગુલાબમાં પણ કાંટા ?
તિલકધારી ધર્મિષ્ઠને દારૂ પીતો જોઇ દોષદર્શી બોલ્યો : અરેરે... હવે તો ધાર્મિક લોકો પણ દારૂ પીતા થઇ ગયા !
ગુણદર્શી : વાહ ! હવે તો શરાબી લોકો પણ ધર્મના માર્ગે વળતા લાગે છે !
ઘોડાનું ચિત્ર ઉલ્ટાવો :
દોડતા ઘોડાનું ચિત્ર ઉલ્ટાવો. એટલે કે ઘોડાનું મોટું ડાબેથી જમણી તરફ રાખો. શું ફરક પડ્યો? પહેલા ઘોડો આગળ ધપી રહેલો દેખાતો હતો, હવે ઘોડો પીછેહઠ કરી રહેલો દેખાય છે. જ ધાર્મિક પુસ્તકને જોઇ...
છે ધાર્મિક બોલ્યો : આ અમારું પૂજનીય શાસ્ત્ર છે. 8 બુદ્ધિવાદી બોલ્યો : આ પુસ્તક છે. cછે રદીવાળો બોલ્યો : આ દોઢ કિલોની પસ્તી છે. છે બકરી બોલી : કોઇ ન જુએ તો હું આને ખાઇ જાઉં ! છે ઊધઇ બોલી : આ તો અમારો ખોરાક છે ! જેવી જેની દષ્ટિ ! પાણીથી અર્થો ભરેલો ગ્લાસ જોઇ... છે નિરાશાવાદી : હાય... હાય... અર્ધા ગ્લાસ તો
ખાલી છે. Cછે આશાવાદી : અરે... વાહ ! અર્ધો ગ્લાસ ભરેલો છે.
ન આકાશગંગા • ૧૯૪ |
નદી કિનારે રૂપવતી અલંકૃત સ્ત્રીનું મડદું જોઇ...
યોગી : અરેરે... કેવો અનિત્ય સંસાર છે? જયાં
ભરબપોરે સૂર્યાસ્ત થાય છે. યૌવનમાં જ મોત આવે છે. છે કામી: આ જો જીવતી હોત તો હમણા જ એને પકડીને... છે ચોર : લોકો અત્યારે ન હોત તો હું આના શરીર પર
એક પણ ઘરેણું રહેવા દેત નહિ. છે કાગડો : ચાલો... આપણે સાથે મળીને મિજબાની
ઊડાવીએ. કા... કા... કા... વિરોધી ઉક્તિઓ : છે સદા સત્ય બોલો : અપ્રિય લાગે તો સત્ય પણ ન બોલો. છે અહિંસા પરમો ધર્મ : આપત્કાલે મર્યાદા નાસ્તિ. છે બોલે તેના બોર વહેંચાય : મૌન સર્વાર્થ સાધનમ્. છે અતિ સર્વત્ર વર્જયેત્ : અધિકસ્ય અધિક ફલમ્. ક્યારે કઇ ઉક્તિનો પ્રયોગ કરવો તેમાં જ કર્તવ્યની કસોટી છે. દર્શનનો ઉદ્ભવ :
છે બૌદ્ધ દર્શન ઋજુ સૂત્ર નયથી cછે વેદાંત-સાંખ્ય સંગ્રહ નયથી # વૈશેષિક નૈયાયિક શબ્દનથી.
- ઉપા. યશોવિજયજી કૃત અધ્યાત્મસાર ક સપ્ત ભંગી :
એક માણસ પૈસા લેવા ગયો છે, તે વિચારે છે : ૧. પૈસા હોઇ શકે. (સ્યાદ્ અસ્તિ) ૨. ન પણ હોઇ શકે. (સાદૂ નાસ્તિ)
આકાશગંગા • ૧૯૫E
Page #103
--------------------------------------------------------------------------
________________
૩. કોઇ પણ શકે, ન પણ હોઇ શકે. (સ્યા અસ્તિ-નાસ્તિ) ૪. કાંઇ કહેવાય નહિ. (સ્યાદ્ અવક્તવ્યમેવ) ૫. હોઇ પણ શકે, કાંઇ કહેવાય નહિ. (સાદું અસ્તિ
અવક્તવ્યમેવ) ૬. ન પણ હોઇ શકે, કાંઈ કહેવાય નહિ. (યાદ નાસ્તિ
અવક્તવ્યમેવ). ૭. હોઇ શકે. ન પણ હોઇ શકે. કાંઇ કહેવાય નહિ.
| (સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવક્તવ્યમેવ) એક મૂર્તિના ત્રણ રૂપ :
જુદા-જુદા ત્રણ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરી ત્રણે જણ પરસ્પર ઝગડવા લાગ્યા. એક કહે : આ બ્રહ્માનું મંદિર છે. બીજો કહે : આ વિષ્ણુનું મંદિર છે. ત્રીજો કહે : આ મહેશનું મંદિર છે. ચર્ચા એકદમ વધી પડી.
આ સાંભળી પૂજારીએ હસતાં હસતાં કહ્યું : મહાનુભાવો ! તમે ત્રણેય સાચા છો. શિલ્પીની કારીગરીથી ત્રણેય દરવાજે એક જ મૂર્તિના જુદા-જુદા રૂપ દેખાય છે. હકીકતમાં એક જ મૂર્તિ છે. તમે વ્યર્થ વિવાદ ના કરો. ત્રણેય બાજુ તપાસીને જોઈ લો. તેમ કરતાં તરત જ વિવાદ શાંત થઇ ગયો. દ્રાક્ષના શબ્દ ભેદથી વિવાદ : ટ્રેનમાં જુદી જુદી ભાષાવાળા ચાર જણ બેટા હતા. દરેકને દ્રાક્ષ ખાવાની ઇચ્છા થઇ. આરબે કહ્યું : “એનબ'. તુર્કસ્તાનીએ કહ્યું : ‘ઉજમ'. અંગ્રેજે કહ્યું : “ગ્રેસ'. હિન્દુસ્તાનીએ કહ્યું : ‘નહિ હમેં અંગૂર ખાના હૈ'. સૌ પોત-પોતાની ખાવાની ઇચ્છા વ્યક્ત કરતા રહ્યા અને બીજાની વાતનું ખંડન કરતા રહ્યા, પણ સ્ટેશન આવતાં જયારે દ્રાક્ષ જોઇ ત્યારે બધા જ એકીસાથે બોલી
ન આકાશગંગા • ૧૯૬ |
ઊડ્યા : હા... એ જ એ જ ! શબ્દના ભેદથી પદાર્થમાં કોઇ ફરક પડતો નથી.
નિશ્ચય-વ્યવહારથી સમકક્ષી આરાધના છોડશો નહિ. વ્યવહાર નહિ માનો તો તીર્થનો ઉચ્છેદ થઇ જશે. નિશ્ચય નહિ માનો તો તત્ત્વનો ઉચ્છેદ થઇ જશે. આ સાત નયો : ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર
* જુસૂત્ર ૫. શબ્દ ૬. સમભિરૂઢ ૭. એવંભૂત
- ઠાશંગ ૭/૫૫૨ * * *
૪૧. સર્વે આ સાહસ પ્રમાણે સિદ્ધિ : સિંહની ગુફામાં માણસ જાય તો હાથીના કુંભસ્થળના મોતી મળે. શિયાળની ગુફામાં જાય તો વાછરડાના પૂંછડા અને ગધેડાના ચામડા જ મળે.
પણ સિંહની ગુફામાં પ્રવેશવાની હિંમત જોઇએ. સાહસ મોટું તેમ ઇનામ પણ મોટું ! મરજીવો બનીને માણસ જો સાગરના તળીયે જાય તો મોતી મળે, કિનારે તો શંખલા અને છીપલા જ મળે !
આકાશગંગા • ૧૯૦ -
Page #104
--------------------------------------------------------------------------
________________
* સંકટોમાં કૂદી પડો :
→ મોતી સપાટી પર મળતા નથી.
સૂર્યકાંત મણિ અંધારામાં ઝળકતું નથી. ચકમક પત્થર પોચી વસ્તુના ઘર્ષણથી ચિનગારી ફેંકતું
નથી.
સફળતા સરળતાથી મળતી નથી. ઘોર સંકટોમાં કૂદી પડો.
→ નિષ્ફળતાથી ડરો નહિ.
અન્યાયથી પીસાયેલા મનને બેચેન બનવા દો.
તો જ તમારી અંદર આગ પેદા થશે.
* જીવન - એક યુદ્ધ :
જીવન કો કિસને પહિચાના ?
યુદ્ધ જહાં હૈ જીવિત રહેના,
ઔર સંધિ હી હૈ મર જાના.
* ચાર શૂર પુરુષો :
૧. ક્ષમાશૂર : અરિહંત.
૨.
તપ:શૂર : અણગાર.
૩.
દાનશૂર : વૈશ્રવણ.
૪. યુદ્ધશૂર : વાસુદેવ
- સાવર
- ઠાણંગ ૪/૩/૩૧૭
* કવિ ગંગ અને તેનો પુત્ર : અકબરે કવિ ગંગને “સો હી આશ કરો અકબરકી'ની સમસ્યાપૂર્તિ કરવા આપી. ખુમારીથી થનગનતા કવિ ગંગે સમસ્યાપૂર્તિ કરતાં કહ્યું : “જિનકો હરિ કી પરતીત નહિ, સો – આકાશગંગા ૦ ૧૯૮ -
હી આશ કરો અકબરકી.” આટલેથી ન અટકતાં અકબરના
ગાલ પર જાણે તમાચો મારતાં કહ્યું : અકબર બે અકબર ! નરાંહંદા નર;
કે હો જા મેરી સ્ત્રી, કે હોજા મેરા વર. (એક હાથ મેં ઘોડા, એક હાથ મેં ખર;
કહના હૈ સો કહ દિયા, અબ કરના હૈ સો કર.) અને ખીજાયેલા અકબરે કવિ ગંગને હાથીને પગતળે છૂંદાવી નાખ્યો. આ વાતના સમાચાર જ્યારે તેના પુત્રને આપવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું : ‘દેવોના દરબારમાં પિંગલે છંદ બનાવીને સંભળાવ્યો, પણ કોઇને તેનો અર્થ ન આવડતાં નારદે કહ્યું : અત્યારે પૃથ્વીલોક પર આવા અર્થનો જાણનાર એકમાત્ર ગંગ કવિ છે, તેને અહીં બોલાવીએ તો અર્થ સમજાય અને તરત જ ભગવાને ગંગને દેવલોકના દરબારમાં બોલાવવા ગણેશ (હાથી)ને મોકલ્યા !’
આ સાંભળી લોકો સ્તબ્ધ થઇ ગયા. કેવી ખુમારી ?
***
૪૨. સાર
* સારમાં સાર ઃ
અસાર સંસારમાં સાર શું ? ‘જિનશાસન’
વિશાળ જિનશાસનમાં સાર શું ? ‘સિદ્ધચક્ર’
સિદ્ધચક્રમાં સાર શું ?
‘નવપદ’
આકાશગંગા - ૧૯૯ -
Page #105
--------------------------------------------------------------------------
________________
નવપદમાં સાર શું ? ‘અરિહંત’
અરિહંતમાં સાર શું ?
‘કરૂણા’
* ચાર શાસ્ત્રનો સાર :
૧. આયુર્વેદશાસ્ત્રનો સાર : પહેલાનું ખાધેલું પચ્યા પછી જ જો.
૨. ધર્મશાસ્ત્રનો સાર : પ્રાણીમાત્ર પર કરૂણાભાવ રાખો.
૩. અર્થશાસ્ત્રનો સાર : ક્યાંય વિશ્વાસમાં રહેશો નહિ. ૪. કામશાસ્ત્રનો સાર : સ્ત્રીઓ પર કોમળ રહો.
* લઇ લો :
→ વિષમાંથી પણ અમૃત લઇ લો.
-
બાળક પાસેથી પણ સારી વાત લઇ લો.
શત્રુ પાસેથી પણ સારું આચરણ શીખી લો. ઉકરડામાંથી પણ સોનું લઇ લો.
* લઇ લો :
છાસમાંથી માખણ.
કાદવમાંથી કમળ.
સમુદ્રમાંથી અમૃત.
વાંસમાંથી મોતી.
માટીમાંથી સોનું.
ફૂલમાંથી સુગંધ.
વૃક્ષમાંથી ફળ.
આકાશગંગા - ૨૦૦
- મનુ સ્મૃતિ
→ ફળમાંથી રસ. » દેહમાંથી ધર્મ.
* બાળક જન્મે છે ત્યારે :
બાળક જન્મે ત્યારે રડતાં-રડતાં બોલે છે : આ... આ... આ...
પછી એ બોલે છે : ઊ... ઊ... ઊ...
મોટો થાય પછી બોલે છે : મ... મ... મ...
આ + ઊ + મ = ઓમ્
ધરતી પર જન્મ લેતો બાળક જાણે કહે છે : ‘ઓમ્’. ઓ જીવન ! હું તારો સ્વીકાર કરું છું. ‘ઓમ્’ એટલે હા, સ્વીકાર.
* બાળકના છ ગુણ :
કોમળતા
વિનોદ પ્રિયતા
૧.
૨.
૩.
૪.
***
૪૩. બાળક
૫.
૬. જિજ્ઞાસાવૃતિ
* આદર્શ બાળકો :
અનુકરણ પ્રિયતા
ચંચળતા
સ્વતંત્રતા
ભક્ત બાળક : નાગકેતુ, ધ્રુવ, પ્રહ્લાદ, શુકદેવ, મીરાં. ગુરુભક્ત બાળક : વજ્રમુનિ, મનકમુનિ, અર્જુન, એકલવ્ય.
મા-બાપના ભક્ત : ગણેશ, રામ, ભીષ્મ, શ્રવણ, યશોવિજયજી, હેમચંદ્રસૂરિજી.
આકાશગંગા - ૨૦૧
Page #106
--------------------------------------------------------------------------
________________
દેશ અને કાળ જેટલા નડતા નથી, તેટલું મન નડે છે.
મન સુધર્યું એટલે શક્તિ-સંયોગ-સામગ્રી-દેશકાળ બધું જ સુધર્યું, આત્મા તથા ભવ પણ સુધર્યા !
૪૫, ભય |
છે વીર બાળક લવ-કુશ, અભિમન્યુ, પ્રતાપ, દુર્ગાદાસ. છે ઇમાનદાર બાળક : ગોપાલકૃષ્ણ ગોખલે. છે સત્યવાદી બાળક : સોક્રેટીસ, નેપોલિયન. છે બલિદાન આપનાર : ગોવિંદસિંહના પુત્ર.
મેઘાવી બાળકઃ અભયકુમાર, રોહક, વજ, ચાંગદેવ (હેમચંદ્રસૂરિજી), જસવંત (યશોવિજયજી), બપ્પભટ્ટસૂરિ, બીરબલ, ઇશ્વરચંદ્ર, વિદ્યાસાગર,
સુભાષચંદ્ર બોઝ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર. છે બાળકના ચાર દોષ : ૧. રડવું ૨. લડવું ૩. રખડવું ૪. બીજાની ફરિયાદ કરવી.
૪૪. મત
જ ભય અને ઉત્સાહ : દુઃખના વર્ગમાં જે સ્થાન ભયનું આનંદના વર્ગમાં તે જ સ્થાન ઉત્સાહનું. છે બધે જ ભય : cછે ભોગમાં રોગનો. cછે સુખમાં ક્ષયનો.
છે સત્તામાં ભ્રષ્ટ થવાનો. cછે પૈસામાં સરકાર આદિનો. છે કીર્તિમાં નિંદાનો. & રૂપમાં ઘડપણનો. cછે દેહમાં મૃત્યુનો. cક શાસ્ત્રમાં વાદનો.
ગુણમાં દુર્જનોનો. Cછે શેઠમાં મજૂરોનો. Cછે મજૂરોમાં શેઠનો. છે સાધનામાં વિદનનો. છે ઉદ્યમમાં પ્રમાદનો. # તપમાં ક્રોધનો.
આકાશગંગા • ૨૦૩F
» મન અને બાળક :
છે અજ્ઞાન : હિતાહિત ન સમજે. છે નાદાન : ના કહીએ તો કરે. કહીએ તો ન કરે.
» ચંચળ : વાંદરાની જેમ સતત કૂદાકૂદ ચાલુ. કશું નડે છે? જેટલી વાત અશક્તિની નડતી નથી. જેટલા કપરા સંયોગો નડતા નથી. જેટલો સામગ્રીનો અભાવ નડતો નથી.
આકાશગંગા • ૨૦૨ /
Page #107
--------------------------------------------------------------------------
________________
ક્રિયામાં નિંદાનો.
જ્ઞાનમાં અભિમાનનો.
→ આહારમાં અજીર્ણનો.
વિજયમાં શત્રુનો.
***
૪૬. દુઃખ
* અગ્નિમાં ઝળકે તે સોનું ! સમાજે તમારો તિરસ્કાર કર્યો ? શાસકોએ તમને કડક શિક્ષા કરી ? પરિવારે તમારી ઉપેક્ષા કરી ? સ્ત્રીએ તમારો અનાદર કર્યો ? ચિંતા ના કરો.
સમાજથી તિરસ્કૃત થયેલા કેટલાય લોકો તત્ત્વદ્રષ્ટા થાય છે. શાસકોથી તિરસ્કૃત થયેલા કેટલાય લોકો ક્રાંતિકારી થયા છે. પરિવારથી ઉપેક્ષિત થયેલા કેટલાય લોકો મહાત્મા થયા છે. સ્ત્રીથી અનાદર પામેલા કેટલાય વૈરાગી થયા છે.
જો તમારામાં સત્ત્વ હશે તો મુશ્કેલીથી ગભરાવાની કોઇ જરૂર નથી. દરેક મુશ્કેલી તમારી પ્રગતિનું નવું દ્વાર ખોલનારી બનશે. માર્ગમાં આવેલો દરેક પત્થર તમારા માટે પગથિયું બનશે.
મુશ્કેલી તો વંટોળ જેવી છે. જો તમે દીવા જેવા કાયર હશો તો તમને બુઝવી નાખશે અને જો તમે દાવાનળ જેવા પ્રચંડ હશો તો તમને વધુ મજબૂત બનાવશે.
મુશ્કેલી તો આગ જેવી છે. તમે કથીર હશો તો તમને બાળી નાખશે અને તમે કંચન હશો તો વધુ ચમકાવશે.
– આકાશગંગા • ૨૦૪ -
* પ્રતિકૂળ પરિસ્થિતિમાં...
પરિસ્થિતિ પ્રતિકૂળ છે એમ સમજીને બેસી ન રહો. મુશ્કેલીભર્યા સંયોગોમાંથી પણ માર્ગ કાઢનારા માનવોને જુઓ. પુણીઓ ગરીબ હતો છતાં અદ્ભુત સામાયિકનો આરાધક થયો. ભીમો કુંડલીઓ નિર્ધન હતો છતાં અજોડ દાની થયો. અઇમુત્તા નાના હતા છતાં કેવળી બની ગયા. મેતાર્ય આદિ મુનિઓ જીવલેણ કષ્ટમાં હતા છતાં કેવળી થયા. ભૌતિક દુનિયામાં પણ જુઓ...
આંધળાં હોમરે પ્રખ્યાત મહાકાવ્ય રચ્યું.
તોતડો ડેમોસ્થનીઝ દુનિયાનો પ્રભાવશાળી વક્તા થયો. આંધળી-બહેરી-મૂંગી હેલનકેલર પીએચ.ડી. થઇ વિશ્વવિખ્યાત લેખિકા થઇ.
પગે લકવો છતાં રૂડોલ્ફ ઓલિમ્પિક રમતમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા.
ઠોઠ પાણિનિ મહાન્ વૈયાકરણી બન્યો.
બફેલોનો સ્પેલિંગ નહિ લખી શકનાર મોહન ‘ગાંધીજી’ થયો. બચપણમાં ડફોળ ગણાતા એડિસન-આઇન્સ્ટાઇન આદિ મહાન વૈજ્ઞાનિક બન્યા.
બહેરો બીથોવન મહાન સંગીતશાસ્ત્ર રચયિતા બન્યો. ગરીબ લિંકન અમેરિકાનો પ્રમુખ બન્યો. આધ્યાત્મિક વિશ્વમાં કે ભૌતિક વિશ્વમાં સફળતા માટેનું એક
જ સૂત્ર છે : હિંમત હારો નહિ. પ્રયત્ન ચાલુ જ રાખો. કલ્પના દોડાવવાથી મનની શક્તિ નષ્ટ થાય છે. જ્યારે આદર્શ-સેવનથી શક્તિનો સંચાર થાય છે.
આકાશગંગા - ૨૦૫ -
Page #108
--------------------------------------------------------------------------
________________
દુ:ખમાં ઓળખાય : છે મિત્ર છે સ્વજન છે પોતાની બુદ્ધિ
દુઃખ કોને વધુ આવે ? ગ્રહણ ગ્રહ, નક્ષત્ર, તારા કે ચૌદસના ચંદ્રનું નહિ. પણ પૂર્ણિમાના ચંદ્રનું જ થાય. મોટા દુ:ખ મહાપુરુષોને જ આવે, નાનાને નહિ. દુઃખ - પાપ : દુઃખના ઉદયમાં દુશ્મન પણ દોસ્ત બને. પાપના ઉદયમાં દોસ્ત પણ દુશ્મન બને. ભયંકર દુઃખો પણ અહીં જ રહી જાય. પાપો ભવાંતરમાં પણ સાથે ચાલે.
[ ૪૭. મહેતા
દુઃખ આગ છે. તમે કથીર છો કે કંચન ? દુઃખ શિલ્પી છે. તમે માટી છો કે પત્થર ? દુ:ખ ધરતી છે. તમે બી છો કે કાંકરા ? દુ:ખ કુંભાર છે. તમે રેતી છો કે માટી ?
જો તમે સુવર્ણ છો તો દુઃખની આગથી તમારે ગભરાવાની કોઇ જરૂર નથી.
આગથી કથીર ડરે... કંચનને શાનો ડર?
તમે જો આરસના પત્થર છો તો દુ:ખના શિલ્પીથી ડરવાની કોઇ જરૂર નથી. ટાંકણાથી માટીનું ઢેકું ડરે, આરસને શાનો ડર?
તમે જો બી છો તો દુ:ખની ધરતીમાં પ્રવેશથી ડરવાની કોઇ જરૂર નથી. કારણ કે ધરતીમાં પડેલો કાંકરો અંદરને અંદર પડ્યો રહે.. પણ બી તો ઘેઘૂર વૃક્ષ બનીને બહાર આવે ! તમે જો માટી છો તો દુઃખના કુંભારથી ડરવાની કોઈ જરૂર નથી... એ તમારામાંથી નવી-નવી ડિઝાઇનના ઘડા બનાવશે ! દુઃખના ત્રણ ઉપકાર : ૧. પ્રભુનું સ્મરણ (ભક્તિ). ૨. સ્વની શુદ્ધિ (શુદ્ધિ). ૩. જીવો પ્રત્યે હમદર્દી (મૈત્રી).
| આકાશગંગા • ૨૦૬ |
જ મોટા કેમ થવાય ?
બીજામાં વિશ્વાસ પેદા કરાવી વધારે કામ કરાવવાથી, કામ કર્યા પછી અહંકાર ન કરવાથી, બીજાની સફળતા જોઇ આશ્ચર્ય ન પામવાથી. મહાનતાના વિઘાતક છ દોષ : ૧. આળસ ૨. સ્ત્રી મોહ ૩. માંદગી ૪. જન્મભૂમિનો પ્રેમ ૫. સંતોષ ૬. ભય
- હિતોપદેશ ન આકાશગંગા • ૨૦૦
Page #109
--------------------------------------------------------------------------
________________
* મહાત્મા :
C▸
હાથમાં સુપાત્ર દાન.
મસ્તકમાં ગુરુના આશીર્વાદ. મુખમાં સત્યવચન. ભુજામાં પરાક્રમ. હૃદયમાં પવિત્ર ભાવના.
∞કાનોમાં શાસ્ત્ર શ્રવણ.
* મોટાની વાત ન્યારી !
ગાયનું દૂધ બીજે દિવસે દહીં બની જાય અથવા તો બગડી જાય, પણ ક્ષીરસમુદ્રનું દૂધ આજ સુધી એમને એમ પડ્યું છે. કોઇ વિકાર નહિ, બગાડ નહિ. મોટામાં વિકાર ન હોઇ શકે મારા ભાઇ !
ૐ ભમતી નારી...
***
૪૮. તારી
ભમતો રાજા પૂજાય.
ભમતો વિદ્વાન પૂજાય.
ભમતો યોગી પૂજાય.
પણ ભમતી નારી નષ્ટ થઇ જાય.
* સ્ત્રીના છ દૂષણો :
૧.
મદિરા પાન ૨. દુષ્ટનો સંપર્ક
૩. પતિનો વિરહ
આકાશગંગા ૬ ૨૦૮ -
૪. ઘેર ઘેર ભટકવું
૫. સમય વિના સૂવું
૬. પર ઘરમાં રહેવું.
આ છ નિમિત્તો સ્ત્રીઓને બગાડનારા છે.
* આનું નામ નારી :
પતિ માટે ચરિત્ર.
→ પુત્રો માટે મમતા.
સમાજ માટે શીલ. વિશ્વ માટે દયા. જીવ માત્ર માટે કરુણા.
∞ આનું નામ ‘નારી’.
* સ્ત્રીનો નશો :
- રમણ મહર્ષિ
લક્ષ્મીનો સંગ્રહ કરો તો નશો ચડે. શરાબ પીઓ તો નશો ચડે. પણ સ્ત્રીને તો જુઓ તો પણ નશો ચડે.
* ચંચળ નારી :
રાજા ચંચલ હોય, ચૂપ કર શહર બસાવે; પંડિત ચંચલ હોય, સભા બીચ જ્ઞાન સુણાવે. હાથી ચંચલ હોય, સૂંડ સૂં ચમર ઝુલાવે; ઘોડો ચંચલ હોય, ફેર મેદાન દિખાવે.
એ ચારૂં ચંચલ ભલા, રાજા, પંડિત, ગજ તુરી; ‘વેતાલ’ કહે વિક્રમ સુનો, નારી ચંચલ અતિ બુરી. આકાશગંગા • ૨૦૯ -
Page #110
--------------------------------------------------------------------------
________________
* પુરુષોથી સ્ત્રીઓને આહારાદિ...
પુરુષોની અપેક્ષાએ સ્ત્રીઓનો આહાર બમણો, લજ્જા ચાર ગણી, સાહસ છ ગણો અને કામ આઠ ગણો કહેલો છે.
- ચાણક્ય નીતિ ૧/૧૭
* અબલા ! તારું જીવન !
અબલા જીવન ! હાય ! તુમ્હારી યહી કહાની; આંચલ મેં હૈ દૂધ ભરા, આંખો મેં પાની.
* કૂવડ નારી :
મૈં પૂરવકો જાતા હું તો વહ પશ્ચિમ કો પાંવ ઊઠાતી હૈ,
મૈં નીમ જિસે કહતા હૂં, વહ આમ ઉસે બતલાતી હૈ; પૈરોં કી જૂતી પગડી પર, અપના અધિકાર જમાતી હૈ, અર્ધાંગિની કાહે કી હૈ, સર્વાંગિની બનના ચાહતી હૈ. * પતિ બિન સૂની કામિની :
શશી બિન સૂની રૈન, જ્ઞાન બિન હિરદો સૂનો; કુલ સૂનો બિન પૂત, પત્ર બિન તરુવર સૂનો.
ગજ સૂનો બિન દંત, સલિલ બિન સાગર સૂનો; દ્વિજ સૂનો બિન વેદ, વાસ બિન પુપ જુ સૂનો.
- મૈથિલીશરણ ગુપ્ત
હરિનામ ભજન બિન સંત, અરૂ ઘટા શૂન્ય બિન દામિની; ‘વેતાલ’ કહે વિક્રમ સુનો, પતિ બિન સૂની કામિની,
♦ સ્ત્રીનું રૂપ કયું ?
→ કોયલને અવાજ એ જ રૂપ છે.
કદરૂપાને વિદ્યા એ જ રૂપ છે. – આકાશગંગા ૦ ૨૧૦ -
*
તપસ્વીને ક્ષમા એ જ રૂપ છે. સ્ત્રીને પતિવ્રતાપણું એ જ રૂપ છે.
* પતિવ્રતા :
કાર્યમાં દાસી, રતિમાં રંભા, ભોજનમાં માતા, દુઃખમાં મંત્રી આનું નામ પતિવ્રતા સ્ત્રી.
ચાણક્યનીતિ ૩/૯
૫૬. સૃષ્ટિ. ૪૭/૫૬
***
‘દાંપત્ય સુખ’ પર પ્રવચન આપી રહેલા મહિલાને કોઇકે
કહ્યું : ‘તમારા ઘરે આગ લાગી છે.’
કંઇ વાંધો નહિ. વીમો ઉતરાવેલો છે.'
‘તેમાં તમારા પતિ પણ છે.’
‘તેમનો પણ વીમો ઉતરાવેલો છે. ડોન્ટ વરી.’
***
એક કરતાં વધુ પત્ની શા માટે ન કરી શકાય ? આવો કાયદો કેમ ?
‘પહેલા એક પત્ની કરી તો જુઓ. પછી બધું સમજાઇ જશે.’
***
દારૂડિયા પતિને સુધારવા ડાકણના વેષમાં છૂપાઇને ગલીમાં રહેલી પત્નીએ હી... હી... કરતાં પેલાએ પૂછ્યું : ‘તું કોણ ?’ ‘હું ડાકણ.’
‘અચ્છા... તો તો મારી પત્નીની બેન જ લાગે છે.' ***
આકાશગંગા - ૨૧૧
Page #111
--------------------------------------------------------------------------
________________
૪૯. લોકસંજ્ઞા
જેટલું જીવન સારું તેટલા વિરોધીઓ વધારે. ઊંચું જોશો તો લોકો કહેશે : અભિમાની છે. નીચું જોશો તો કહેશે : કાંઇ જોતો જ નથી. આંખો બંધ કરશો તો કહેશે : ભજન-કીર્તનનું નાટક કરે છે. આંખો ફોડી નાખશો તો કહેશે : જોયું? કરેલા ભોગવવા જ પડે. આ દુનિયા રીઝવી ન શકાય :
અરે મહાત્મા ! પૂર્વ દિશા તરફ પગ કેમ કર્યા છે? એ દિશામાં તો કાશી જેવું પવિત્ર તીર્થ છે.'
મહાત્માએ પશ્ચિમ તરફ પગ કરતાં બીજા એ કહ્યું : “અરે બાવાજી ! કંઇક સમજો તો ખરા... પશ્ચિમમાં તો દ્વારકા જેવું મહાન તીર્થ છે.'
મહાત્માએ ઉત્તર તરફ પગ કરતાં ત્રીજાએ કહ્યું : ‘બાવાજી... ! તમને આટલીયે ખબર નથી કે ઉત્તર દિશામાં તો બદ્રિનારાયણ છે ?'
દક્ષિણ તરફ પગ કરતાં ચોથાએ કહ્યું : “અય... જોગી...! કંઇક વિચારો. દક્ષિણમાં તો રામેશ્વરમ્ નામનું અતિ પવિત્ર તીર્થ છે. તે તરફ પગ કરાય ?'
મહાત્માજી ઊભા થઇ જતાં પાંચમાએ કહ્યું : “અરે... અરે... તમે આ શું કરો છો ? નીચે તો શેષ ભગવાન છે.'
હવે મહાત્માએ માથું નીચે અને પગ ઉપર (શીર્ષાસન) કરતાં છઠ્ઠાએ કહ્યું : “બાવાજી ! આ શું માંડ્યું છે ? ઉપર તો વૈકુંઠ છે. કંઇક તો વિચારો.”
ન આકાશગંગા • ૨૧૨ +
અકળાઇ ગયેલા મહાત્માજીને સત્ય સમજાયું : દુનિયાને કદી રાજી કરી શકાય નહિ. તમે ગમે તે કરો, પણ એ કંઇક તો દોષ શોધી જ કાઢશે.
તમે જો ચૂપ રહેશો તો દુનિયા કહેશે : જોયો આ બિરાદર? કેવો મીંઢો છે ?
તમે જો બહુ બોલ-બોલ કરશો તો કહેશે : આ બંદાને કંઇ કામ જ નથી. આખો દિવસ બકવાસ ચાલુ ને ચાલુ !
તમે જો મિતભાષી બનશો તો પણ દુનિયા કહેશે : સાવધાન ! આ માણસ બહુ જ ધૂર્ત છે. એની પાસે બોલવા ગયા તો ફસાયા સમજો . દેખાદેખી :
કહેવાય છે કે ઇંગ્લેન્ડના રાજાને ગળે કંઠમાળાનો રોગ થયો. કંઠ ખરાબ ન દેખાય માટે ડૉકટરે સરસ લટકતો પટ્ટો બાંધી આપ્યો. રાજાનો પટ્ટો જોઇ બીજાએ પણ તેનું અનુકરણ કર્યું અને ટાઇની ફેશન નીકળી પડી ! દેખાદેખી તે આનું નામ !
( ૫૦. નીતિ] આ ત્રણ દુઃખના મૂળ : ૧. અહંકાર ૨. અંધકાર ૩. અધિકાર પાંચ સાથે યુદ્ધ કરો : ૧. દેહના રોગ ૨. મનના અજ્ઞાન
| આકાશગંગા • ૨૧૩
Page #112
--------------------------------------------------------------------------
________________
૩. દેહની વાસનાઓ ૪. શહેરના રાજદ્રોહો ૫. કુટુંબના કલેશો સાથે
- પાયથાગોરસ દુશમનો બનાવવાની સરળ રીતો ! ૧. કોઇને બિનજરૂરી શિખામણ આપો. ૨. સામી વ્યક્તિનો દૃષ્ટિકોણ સમજયા વિના જ મોટા
અવાજે બૂમાબૂમ કરી મૂકો. ૩. કડવી ટીકાઓ કરવાની એક પણ તક જતી કરશો નહિ. ૪. ધારદાર અને મર્મવેદી સત્ય બોલો. ૫. દોઢ ડહાપણ કરવાનું તો કદીયે ચૂકશો નહિ. ૬. કોઇ દિવસે કોઇની પૂરી વાત તો સાંભળશો જ નહિ. ૭. પોતાની જાત સિવાય કોઇને મહત્ત્વ આપશો નહિ. ૮. પોતાના સ્વાર્થ સિવાય કોઇનેય આગળ કરશો નહિ. ૯. બીજાની પ્રશંસા ભૂલે-ચૂકે પણ કરશો નહિ અને છેલ્લી
વાત... કાનમાં કહી દઉં ? પોતાની પ્રશંસા કરવાનો
એક પણ અવસર છોડશો નહિ. જો તમે આવું કરતા રહેશો તો તમારા દુશ્મનોની સંખ્યા વધતી જ રહેશે. તમારું જીવન અસત્ય, અશિવ અને અસુંદરંથી ભર્યું-ભર્યું થઇ જશે. પેલી નરક તો કોણે જોઇ છે ? પણ તમને તો અહીં જ નરકના પ્રત્યક્ષ દર્શન થશે ! અરે ! તમારું જીવન જ નરક બની જશે ! આ અમારા આગમનથી તેઓ ભાગી જાય છે...
જંગલમાં જતા કોઇ માણસને ચાર સ્ત્રીઓ મળી. એમના નામો હતા : બુદ્ધિ, લજજા, હિંમત અને તંદુરસ્તી.
| આકાશગંગા • ૨૧૪ -
માણસે પૂછ્યું : ‘તમે ક્યાં રહો છો ?”
અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.”
જવાબ સાંભળીને તે આગળ ચાલ્યો ત્યારે તેને ચાર પુરુષ મળ્યા. તેમના નામ હતા : ક્રોધ, લોભ, ભય અને રોગ. માણસે પૂછ્યું : ‘તમે ક્યાં રહો છો ?'
અમે ચારેય ક્રમશ: મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.”
અરે ! ત્યાં તો પેલી સ્ત્રીઓ રહે છે !' ‘તમારી વાત ખરી... પણ અમારું આગમન થતાં જ તેઓ ઘર છોડીને ભાગી જાય છે.”
ક્રોધથી બુદ્ધિ, લોભથી લજજા, ભયથી હિંમત અને રોગથી તંદુરસ્તી નષ્ટ થાય છે.
આળસ : આળસ અવગુણોનો બાપ છે. ગરીબાઇની મા છે. રોગની બહેન છે અને જીવતાની કબર છે. ૪ થી શરમાશો નહિ : ૧. જૂના કપડાથી. ૨. જૂના મિત્રોથી. ૩. ઘરડા મા-બાપથી. ૪. સાદાઇપૂર્વક રહેવાથી.
| આકાશગંગા • ૨૧૫
Page #113
--------------------------------------------------------------------------
________________
ત્રણ વાતો ભૂલશો નહિ : ૧. પ્રતિજ્ઞા કરીને. ૨. કરજ લઈને. ૩. વિશ્વાસ આપીને. ચિંતા દૂર કરવા ૪ મુદ્દા પર વિચારો : ૧. ચિંતા શું છે ? ૨. ચિંતાનું કારણ શું છે? ૩. ચિંતાને દૂર કરવાના સંભવિત ઉપાયો શું છે ? ૪. સંભવિત ઉપાયોમાં ઉત્તમ ઉપાય શો છે ? - ચાણક્ય કહે છે...
ધ્યાન કરવું છે ? તો એકલા કરો. અભ્યાસ કરવો છે? તો બે મળીને કરો. ગીત ગાવા છે ? તો ત્રણ જણ જો ઇશે. પદયાત્રા (પ્રવાસ) કરવો છે? તો ચાર જણ જો ઇશે. ખેતી કરવી છે ? તો પાંચ જોઇશે. યુદ્ધ કરવું છે? તો તો ભઇ ! ઘણા જણ જો ઇશે. ક વિશ્વાસ કરશો નહિ : ૧. શત્રુના પ્રેમ પર. ૨. લુચ્ચાના સદાચાર પર. ૩. સ્વાર્થીની પ્રશંસા પર.
૪. જોષીની ભવિષ્યવાણી પર. છે ખબર પડે છે.. ૧. આચારથી કુલની. ૨. શરીરથી ભોજનની.
| આકાશગંગા • ૨૧૬F
૩. સંભ્રમથી સ્નેહની. ૪. ભાષાથી દેશની. ઉચિત વર્તનનો મહિમા : તમારે ત્રણ કલાક સુખી થવું હોય તો ઉત્તમ પીણું પીઓ. ત્રણ દિવસ સુખી રહેવું હોય તો ઉત્તમ ભોજન કરો. ત્રણ મહિના સુખી રહેવું હોય તો લગ્ન કરો. અને જીવનભર સુખી રહેવું હોય તો ઉંમર પ્રમાણે વર્તન કરો.
- ચીની લોકોક્તિ સફળતાના સૂત્રો : છે ઝગડો થાય તેવું બોલવું નહિ. છે પેટ બગડે તેવું ખાવું નહિ. છે લોભ થાય તેવું કમાવું નહિ. છે દેવું થાય તેવું ખર્ચવું નહિ. cછે મન બગડે તેવું વિચારવું નહિ.
જીવન બગડે તેવું આચરવું નહિ. Cછે આવડે તેટલું બોલવું નહિ. છે દેખીએ તેટલું માંગવું નહિ. છે સાંભળીએ તેટલું માનવું નહિ.
છે હસાય તેટલું હસવું નહિ. છે. શત્રુ :
છે કંજૂસનો શત્રુ : યાચકે... છે મૂર્ખનો શત્રુ : હિતોપદેશક. છે કુલટા સ્ત્રીનો શત્રુ : પતિ. છે ચોરનો શત્રુ : ચંદ્ર.
| આકાશગંગા • ૨૧૦ |
Page #114
--------------------------------------------------------------------------
________________
કોણ શત્રુ? છે અધર્મનો વારસો આપનાર પિતા શત્રુ છે. છે વ્યભિચારિણી માતા શત્રુ છે. છે રૂપવતી પત્ની શત્રુ સમી બની શકે છે.
છે મૂર્ખ પુત્ર પણ શત્રુ થઇ શકે છે. જ હોઇ શકે નહિ...
છે નિઃસ્પૃહ માણસમાં સત્તા-લાલસા હોઇ શકે નહિ. છે કામુકતા રહિત માણસમાં ટાપ-ટીપ (વિભૂષા) હોઈ
શકે નહિ. Cછે ચતુર માણસમાં કડવી વાણી હોઇ શકે નહિ. છે સ્પષ્ટ વક્તામાં છેતરપિંડી હોઇ શકે નહિ.
- ચાણક્ય નીતિ ૫/૫ તક અને મુશ્કેલી : દરેક મુશ્કેલીમાં તક જુએ તે આશાવાદી.
દરેક તકમાં મુશ્કેલી જુએ તે નિરાશાવાદી. આ છ દરિદ્ર : ૧. તનથી ૨. મનથી ૩. ધનથી ૪. વચનથી ૫. બુદ્ધિથી ૬. સદાચારથી લક્ષ્મી ત્યાં રહેતી નથી : cછે ગંદા વસ્ત્રવાળો. છે મેલા દાંતવાળો.
| આકાશગંગા • ૨૧૮ F
છે ઘણું ખાવાવાળો. Cછે કઠોર બોલવાવાળો. cછે સૂર્યોદય – સૂર્યાસ્ત સૂવાવાળો. માણસ મને ગમતો નથી – એમ લક્ષ્મી કહે છે.
- ચાણક્ય નીતિ આ ત્રણ નિધિ : મારી પાસે ત્રણ નિધિ છે : ૧. સહિષ્ણુતા ૨. આત્મ સંયમ ૩. સંસારમાં પ્રથમ થવાનો સાહસ ન કરવો તે.
- લાઓત્રે જ જરૂર નથી :
છે ક્ષમા હોય તો બખરની. છે ક્રોધ હોય તો શત્રુની. છે જ્ઞાતિ હોય તો આગની. Cછે મિત્ર હોય તો દિવ્ય ઔષધિની. Cછે દુર્જનો હોય તો ઝેરની. Cછે લજજા હોય તો ઘરેણાની. છે સુકાવ્ય હોય તો રાજયની.
લોભ હોય તો અવગુણોની. Cછે પિશુનતા હોય તો પાપની. cછે સત્ય હોય તો તપની. Cછે પવિત્ર મન હોય તો તીર્થની. છે સૌજન્ય હોય તો ગુણોની. છે સ્વ મહિમા હોય તો આભૂષણની.
આકાશગંગા • ૨૧૯ -
Page #115
--------------------------------------------------------------------------
________________
છે સુવિદ્યા હોય તો ધનની. છે અપયશ હોય તો મૃત્યુની.
- ભતૃહરિ નથી... નથી... છે શક્તિશાળી માટે કોઇ ચીજ બોજ નથી. છે વ્યવસાયી લોકો માટે કોઇ દૂર નથી. છે વિદ્વાનો માટે કોઇ વિદેશ નથી. Cછે મધુરભાષીઓ માટે કોઇ શત્રુ નથી. ઘોષણા થાય છે : છે ધજાથી રથની (કે મંદિરની). cછે ધૂમાડાથી આગની.
રાજાથી રાષ્ટ્રની. Cછે સ્વામીથી સ્ત્રીની. સ્થિર રહેતા નથી :
વેપાર વિના ધન. છે તર્ક વિના વિદ્યા. છે રાજનીતિ વિના દેશ.
- શેખ સાદી જ ત્યાગ કરો : Cછે કુલ માટે એકનો ત્યાગ કરો. છે ગામ માટે કુલનો ત્યાગ કરો. છે દેશ માટે ગામનો ત્યાગ કરો. છે આત્મા માટે પૃથ્વીનો ત્યાગ કરો.
- ચાણક્ય નીતિ | આકાશગંગા • ૨૨૦/
છે નાશ થાય છે :
છે રૂપથી સ્ત્રીનો. એ રાજાની સેવાથી બ્રાહ્મણનો. છે રખડવાથી ગાયાનો. ce લોભથી પૈસાનો. મારે છે : cછે સ્પર્શતો હાથી છે સુંઘતો સાપ છે હસતો રાજા છે સન્માન પામતો દુર્જન
પ્રાપ્ત કરી શકતા નથી : છે આળસુ Cછે શઠ ce કપટી cછે લોકોથી ડરનારા cછે હંમેશા રાહ જોનારા સ્થાનભ્રષ્ટ થયેલા શોભતા નથી : Cણ દાંત Cછે વાળ Cછે નખ
જે માણસ * જીવને કા ખતરો : Cછે દુષ્ટ સ્ત્રી છે ઠગ મિત્ર
| આકાશગંગા • ૨૨૧F
Page #116
--------------------------------------------------------------------------
________________
છે સામે બોલનાર નોકર cછે સાપવાળું ઘર છે મૃત્યુના દ્વાર : cછે અનુચિત કાર્યનો પ્રારંભ. છે સ્વજનોનો વિરોધ. છે બલિષ્ઠોની ઇર્ષ્યા. છે સ્ત્રીઓનો વિશ્વાસ.
- હિતોપદેશ
જીવતા છતાં મરેલા : છે દરિદ્ર & રોગી છે મૂર્ખ છે વિદેશમાં ભમનાર Cછે બીજાની સેવા (વેઠ) કરનાર મર્દનથી વધે છે : cછે ઇક્ષુ Cછે તલ cછે શૂરવીર જે સ્ત્રી
સોનું cક ધરતી cછે ચંદન • દહીં # તાંબૂલ
મર્દનનો મહિમા : Cછે શેરડીને પીલો તો રસ નીકળે . Cછે તલને પીલો તો તેલ નીકળે. Cછે શૂરવીરને લલકારો તો શૌર્ય ચડે. cછે સ્ત્રીને અનુશાસનમાં રાખો તો સીધી રહે. cછે સોનાને તપાવો તો શુદ્ધ થાય.
છે ધરતીને ખેડો તો પાક થાય. cછે ચંદનને ઘસો તો સુગંધ પ્રગટે. છે દહીંને વલોવો તો માખણ નીકળે . cછે તાંબૂલને ચાવો તો સ્વાદ મળે. છે મેંદીને પીસો તો લાલાશ મળે.
પીપરને પુટ આપો તો ગરમી આવે. Cછે અગરબત્તીને સળગાવો તો સુગંધ પ્રગટે. છે દીપકને સળગાવો તો પ્રકાશ રેલાય. સાત સૂતેલા સારા : છે સાપ છે રાજા c• વાધ cઆ વરૂ cઆ બાળક cછે કૂતરો (બીજાનો) છે મૂરખ મૂર્ખ : છે સાંઢથી આગળથી બચો. છે ઘોડાની પાછળની બાજુથી બચો. છે પણ મૂર્ખની ચારેબાજુથી બચો.
આકાશગંગા • ૨૨૩ |
- સામાન્ય નીતિ
| આકાશગંગા • ૨૨૨ -
Page #117
--------------------------------------------------------------------------
________________
હાસ્ય : છે ઉત્તમનું આંખોમાં. છે મધ્યમનું હોઠમાં.
છે સામાન્યનું દાંતમાં. • ઓળખાય :
છે ઉત્તમ : પોતાના નામથી. છે મધ્યમ : પિતાના નામથી. છે અધમ : મામાના નામથી.
છે અધમાધમ : સસરાના નામથી. ક કઇ રીતે ચાલવું ? (જીવવું ?) :
• દૃષ્ટિપૂત પગ મૂકો. છે વસંપૂત પાણી પીઓ. એ સત્યપૂત વાણી બોલો. છે હૃદયપૂત વાત આચરો.
- મનુસ્મૃતિ ૬/૪૬ જ સાચા આંખ, તપ વગેરે : Cછે વિદ્યા સમાન આંખ નથી. છે સત્ય સમાન તપ નથી. - રાગ સમાન દુ:ખ નથી. છે ત્યાગ સમાન સુખ નથી.
- મહાભારત શાંતિપર્વ ૧૨ જ સભ્યતા :
છે ખૂબ જ જોરથી હસવું નહિ. Cછે શબ્દયુક્ત અપાન વાયુ છોડવો નહિ. છે મોં ઢાંક્યા વિના છીંક, બગાસું, ખાંસી ખાવા નહિ.
ન આકાશગંગા • ૨૨૪ |
છે આંગળીથી નાક ખોતરવો નહિ. છે દાંત કચકચાવવા નહિ. છે નખો દ્વારા અવાજ કરવો નહિ.
- ચરક સંહિતા સૂત્રસ્થાન ૮/૧૯ ખરીદ-વેચાણના સમયે : આજે ભલે મણિ પગમાં રગદોળાય અને કાચ ભલે મસ્તક પર શોભે પણ જયારે ખરીદ-વેચાણનો સમય આવશે ત્યારે કાચ કાચ રહેશે, મણિ મણિ રહેશે.
- ચાણક્યનીતિ ૧૫/૯ ગુપ્ત યોજના (મંત્રણા) ફૂટી જવાના સ્થાનો : ૧. ઇગિત : ગુપ્ત વિચારણા કરનારની શરીર ચેષ્ટા. ૨. આકાર : શરીરની સૌમ્ય કે રૌદ્ર આકૃતિ.
મદિરા પાન : દારૂ પીતા માણસ બધુ બકી નાખે છે. ૪. પ્રમાદ : અસાવધાનીથી માણસના મુખમાંથી વાત
નીકળી જાય છે. નિદ્રા : સૂતેલો માણસ પણ ઘણીવાર મનની વાત બોલી જતો હોય છે.
- નીતિ વાક્યામૃત ૧૦/૩૫
જેને બધા આપવા ઇચ્છે છે, પણ પ્રાયઃ કોઇ લેવા નથી ઇચ્છતું તે કઈ ચીજ ? ઉપદેશ, સલાહ !
- રામતીર્થ | આકાશગંગા • ૨૨૫ -
Page #118
--------------------------------------------------------------------------
________________
વિચાર નહિ બદલનાર : પોતાનો વિચાર ક્યારેય નહિ બદલનાર બે જણ છે : ૧. મૂર્ખ ૨. મૃતક (મરેલો)
- લાવેલ મનુષ્યના વિચારોને બદલનાર : ૧. અનુભવ ૨. જ્ઞાન ૩. ઉન્મેષ ૪. ઉંમર
- હરિ ઑ વિચારથી જ સફળ થાય છે : cછે બળ
ટકતા નથી :
& ભણનારની પાસે મૂર્ખતા ટકતી નથી. cછે જ૫નારની પાસે પાપ ટકતા નથી. Cછે મૌન રહેનારની પાસે ઝગડો ટકતો નથી. Cછે સાવધ રહેનારની પાસે ભય ટકતો નથી.
- નીતિ વાક્ય ચાર ભોજન : ૧. ધર્મ ભોજન : આત્મસાધનામાં પરાયણ મુનિઓ
ભિક્ષાથી નિર્વાહ ચલાવે છે. ૨. કર્મ ભોજન : કામ કરીને પૈસા મેળવીને પેટ ભરે તે
ગૃહસ્થોની આજીવિકા. ૩. રામ ભોજન: આંધળા, પાંગળા લોકો ભીખ માંગીને
ચલાવે છે. ૪. હરામ ભોજન : કાંઇ પણ કર્યા વિના આળસુ થઇને
પડ્યા પડ્યા ખાય તે. • છોડી દો :
છે દયાહીન ધર્મને. Cછે ક્રિયાહીન ગુરુને. cછે સમર્પણહીન પત્નીને, છે સ્નેહહીન બાંધવોને.
- ચાણક્ય નીતિ જ આંધળા, બહેરા, મૂંગા કોણ? છે આંધળો કોણ ? અકાર્ય ન જુએ તે.
બહેરો કોણ ? પર-પીડા ન સાંભળે તે. છે મૂંગો કોણ ? અવસરે પણ મધુર ન બોલે તે.
ન આકાશગંગા • ૨૨૦ |
& સમય પ્રમાણે સ્કૂર્તિ
ક્રિયા છે ક્રિયાનું ફળ
- યોગ વાશિષ્ઠ-૨ મહાન કાર્ય : મહાન વિચાર કાર્યમાં પરિણમે ત્યારે તે મહાન કાર્ય બની, જાય છે.
- હેજલિટ | આકાશગંગા • ૨૨૬ +
Page #119
--------------------------------------------------------------------------
________________
સાચા લક્ષ્મી, સુખ અને મિત્રો : છે લક્ષ્મી કઇ ? જેનાથી ગર્વ ન આવે તે. cછે સુખી કોણ ? જેણે તૃષ્ણા છોડી છે તે. છે મિત્ર કોણ ? જયાં વિશ્વાસ મૂકી શકાય તે. પત્થરના ગુણો : છે દ્વેષ કરતા નથી. છે રાગ કરતા નથી. છે માંગણી કરતા નથી. cછે પર-નિંદા કરતા નથી. Cછે વિના બોલાવ્યે આવતા નથી. છે માણસમાં આટલું આવી જાય તો ? સફળતાનાં ચાર સૂત્ર : છે ઉત્સાહ : કાર્ય માટે થનગનાટ જોઇએ. છે નિયમિતતા : તે કરવા માટે સદા નિયમિતતામાં - તત્પરતા જોઇએ. છે નિષ્ઠા: કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી છોડવું ન જોઇએ. છે આદરપૂર્વક અભ્યાસ : ફરી-ફરી તેનો અભ્યાસ
(પ્રયત્નો કરવો જોઇએ. વશ કરવા હોય તો... Cછે લોભીને વશ કરવો હોય તો પૈસા આપો. છે અભિમાનીને વશ કરવો હોય તો નમ્ર બનો. છે મૂર્ખને વશ કરવો હોય તો તેની હા માં હા પાડો. • પંડિતને વશ કરવો હોય તો યથાર્થ કહો. છે મિત્રને વશ કરવો હોય તો સદ્ભાવ આપો.
| આકાશગંગા • ૨૨૮ |
Cછે બાંધવોને વશ કરવા હોય તો સન્માન આપો. Cછે સ્ત્રી અને નોકરને વશ કરવા હોય તો દાન-માન આપો. ce સામાન્ય લોકોને વશ કરવા હોય તો દાક્ષિણ્યવાન બનો. અન્ન સમાન કોઇ પ્રિય નથી : cછે મેઘ સમાન કોઇ જળ નથી.. Cછે આપ સમાન કોઇ બળ નથી. cછે આંખ સમાન કોઇ તેજ નથી. cછે અન્ન સમાન કોઇ પ્રિય નથી.
- ચાણક્ય નીતિ પ/૧૭ ...સારો રાખો... છે આધિથી દૂર રહેવા વ્યવહાર સારો રાખો. છે વ્યાધિથી દૂર રહેવા શરીર સારું રાખો. છે ઉપાધિથી દૂર રહેવા મન સારું રાખો. લોકપ્રિય થવાના છ માર્ગો : ૧. બીજા લોકોમાં ખરા જીગરથી રસ લો. ૨. હસો (સ્મિત વેરો). ૩. યાદ રાખો કે શબ્દકોષના બધા શબ્દો કરતાં દરેકને
પોતાનું નામ વધુ મધુર લાગે છે. ૪. શાંત શ્રોતા બનો. બીજાને તેમની વાત કરવાનું
ઉત્તેજન આપો. ૫. સામા માણસના લાભની નજરે વાત કરો.
સામા માણસને તેની વિશિષ્ટતાનું ભાન કરાવો, તે પણ પ્રમાણિક પણે.
- ડેલ કાર્નેગી આકાશગંગા • ૨૨૯ -
Page #120
--------------------------------------------------------------------------
________________
જે લોકોને તમારા વિચારના બનાવવાના અગિયાર માર્ગો : ૧. વાદ-વિવાદમાં જીતવાનો એકમાત્ર માર્ગ દલીલબાજીથી
દૂર રહેવાનો છે. ૨. સામા માણસના અભિપ્રાયને માન આપજો . તે ખોટો
છે, એમ કદી કહેતા નહિ. ૩. તમારી ભૂલ થાય તો તેનો તરત એકરાર કરજો . ૪. મિત્રાચારીપૂર્વક શરૂઆત કરો. ૫. સામા માણસ પાસેથી તરત જ “હા... હા...' કહેવરાવો. ૬. સામા માણસને જ મોટે ભાગે બોલવા દો. ૭. સામા માણસને એમ જ લાગવા દો કે તે પોતાના જ
વિચારનો અમલ કરે છે. ૮. બીજાના દષ્ટિબિંદુથી પ્રમાણિકપણે પરિસ્થિતિ
નિહાળવા પ્રયાસ કરો. ૯. બીજાઓની ઇચ્છા અને વિચારો તરફ દિલસોજી બતાવો. ૧૦. તમારા વિચારોને નાટકીય રૂપ આપો. ૧૧. ચેલેન્જ ફેંકો.
- ડેલ કાર્નેગી (ડેલ કાર્નેગીએ જો કે આ બધી વાતો આ જ લોક પૂરતી કરી છે, પણ જો ધર્મી આત્મા સાચા હૃદયથી મૈત્રીભાવપૂર્વક વ્યવહાર કરે તો તેને અહીં તો સફળતા મળે જ, ઉપરાંતમાં તેનો પરલોક પણ સુધરે.
આ લોકના જીવનને સફળ બનાવવું હોય તો પણ તમારે ધાર્મિકનો બુરખો પહેરવો જ પડે છે ! ધાર્મિકનો બુરખો નકલી ધર્મ) પણ જો આટલું કામ કરતો હોય તો વાસ્તવિક ધર્મ શું ન કરી શકે ?)
ને આકાશગંગા • ૨૩૦ –
લોકોને ગુસ્સે કર્યા વિના સુધારવાના નવ માર્ગો : ૧. ખરા જીગરથી પ્રશંસાપૂર્વક વાત શરૂ કરો . ૨. લોકોની ભૂલ તરફ આડકતરી રીતે ધ્યાન ખેંચો. ૩. બીજાના દોષો કાઢતાં પહેલા પોતાની ભૂલ બતાવો. ૪. સીધો હુકમ કરવાને બદલે સવાલ પૂછો. ૫. સામા માણસને ચાટ પડતો બચાવો. ૬. નાનામાં નાની સુધારણાની તારીફ કરો. વખાણ
કરવામાં કંજૂસાઇ ન કરો. ૭. સામો માણસ માનવંત છે – એમ માનીને તેને માનવંત
બનાવો. ૮. ઉત્તેજન આપો. ભૂલ સુધારવી સહેલી છે – એમ બતાવો. ૯. તમારું કામ કરતાં સામા માણસને આનંદ થાય તેમ કરો.
- ડેલ કાર્નેગી જ સુંદર વ્યક્તિત્વ માટે શું કરશો ? Cછે મન લગાવીને વાંચો. છે સંબંધને શોધો. છે સંકેતનો પરિચય વધારો. ce વિવેકશક્તિ વિકસિત કરો. cછે પોતાના સિદ્ધાંતમાં સ્પષ્ટ રહો.
છે વિચારો પર કાબૂ રાખો. સુખી થવાના ચાર સૂત્રો : ૧. વ્યસ્ત રહો, મસ્ત રહો. ૨. સુખ વહેંચો, દુઃખમાં ભાગીદાર બનો. ૩. હળીમળીને ખાઓ. ૪. સલાહ લો, સન્માન આપો.
| આકાશગંગા • ૨૩૧ -
Page #121
--------------------------------------------------------------------------
________________
* કોણ શું પૂછે છે ?
→
CO
કાયરતા પૂછે છે : શું સ્વાર્થ પૂછે છે : શું આ
અહંકાર પૂછે છે : શું અંતઃકરણ પૂછે છે : શું
* કામ કરતાં :
૪.
૫.
..
આ સલામત છે ?
રાજકીય છે ?
આ લોકપ્રિય છે ? આ સાચું છે.
કામ કરતાં પહેલાં વિચારવું તે બુદ્ધિમત્તા. કામ કરતાં-કરતાં વિચારવું તે સતર્કતા. કામ કર્યા પછી વિચારવું તે મૂર્ખતા.
- વિલયન માર્કે
* કાર્ય-સિદ્ધ માટેના સાત સોપાન :
૧. શું જોઇએ છે ? કેવા બનવું છે ? તે સ્પષ્ટ કરો.
૨. ધ્યેયમાં વારંવાર ફેરફાર ન કરો.
૩.
૧. યોગ્યતા
૨. સ્વચ્છ હાથ
સંકલ્પને શ્રદ્ધાના જળથી સિંચતા રહો. પરમાત્મા પર પરમ શ્રદ્ધા રાખો.
તે મુજબનું માનસ ચિત્ર (સ્પષ્ટ અને સુરેખ) ખડું કરો.
- શિવાનંદ
માનસ ચિત્રમાં મન સ્થિર કરો.
માનસ ચિત્રમાં જે તમે ઇચ્છો છો, તે વર્તમાનકાળમાં બની રહ્યું છે, તેમ જુઓ.
૭. તેવું જ બન્યું છે, તે રીતે જીવન જીવો.
♦ અધિકારીના પાંચ ગુણ :
આકાશગંગા = ૨૩૨
૩. શીઘ્રતા
૪. ધૈર્ય
૫.
* કોણ શું આપે ?
નિષ્પક્ષતા
Cỡ
કવિતા મૃદુતા અને વાણી-વિદગ્ધતા આપે.
ગણિત સૂક્ષ્મતા આપે. વિજ્ઞાન ગહનતા આપે. નીતિશાસ્ત્ર બહાદૂરી આપે.
→ તર્કશાસ્ત્ર વક્તૃત્વ આપે. (ધર્મ બધું જ આપે.)
* સહન કરવા મુશ્કેલ :
→ બુટમાં કાંકરી. કાનમાં કીડો.
ઇતિહાસ ડહાપણ આપે.
co
Co
* જરૂર હોય છે :
આંખમાં ફૂડો (કચરો). પગમાં કાંટો.
પલંગમાં માંકડ. ઘરમાં લડાઇ.
સંગ્રામમાં શૂરવીરની.
મંત્રણામાં ગંભીરની.
ભોજનમાં ઇષ્ટ વ્યક્તિની.
સમસ્યામાં બુદ્ધિમાનની.
- વિલિયમ પેન
આકાશગંગા = ૨૩૩
બેંકન
Page #122
--------------------------------------------------------------------------
________________
* રાખો :
→ યુદ્ધમાં દૃઢ સંકલ્પ. પરાજયમાં વિદ્રોહ, વિજયમાં ઔદાર્ય.
શાંતિમાં સદ્ભાવના.
*
* વૃદ્ધિના છ પ્રકાર :
આત્મવૃદ્ધિ, મિત્રવૃદ્ધિ, મિત્ર મિત્રવૃદ્ધિ, શત્રુક્ષય, શત્રુમિત્ર ક્ષય, શત્રુ મિત્રમિત્ર ક્ષય. (મિત્ર : જ્ઞાન, દર્શન, ચારિત્ર) (શત્રુ : રાગ, દ્વેષ, મોહ)
* મોક્ષ શા માટે ?
***
૫૧. પ્રકીર્ણક
‘શા માટે કમાવ છો ?
ખાવા માટે.
‘શા માટે ખાવ છો ?’
જીવવા માટે.
‘શા માટે જીવો છો ?'
ધર્મ કરવા માટે.
‘શા માટે ધર્મ કરો છો ?'
મોક્ષ માટે.
આકાશગંગા • ૨૩૪ -
- ચર્ચિલ
- ચાણકય
‘શા માટે મોક્ષ મેળવવો છે ?’
કારણ કે મોક્ષની પ્રાપ્તિથી જ જીવની મૂળભૂત પાંચ
ઇચ્છાઓ સફળ થાય છે.
‘કઇ પાંચ ઇચ્છાઓ ?'
૧.
૨.
૩. સુખની
૪. સત્તાની
૫.
સ્વતંત્રતાની
સંસારમાં રહીને આ પાંચ ઇચ્છાઓ કદી પરિપૂર્ણ બની શકે
તેમ નથી. સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જીવન, સંપૂર્ણ સુખ, સંપૂર્ણ સત્તા અને સંપૂર્ણ સ્વતંત્રતા માત્ર મોક્ષમાં જ છે.’
* ત્રણ પ્રકારના જીવો :
૧.
.
જીવવાની
જાણવાની
સંજ્ઞાપ્રધાનઃ આહારાદિ સંજ્ઞામાં જ મસ્ત, કીડી વગેરે અસંશી જીવો.
૨. પ્રજ્ઞાપ્રધાન : બુદ્ધિ પ્રમાણે ચાલનારા. સંજ્ઞી પંચેન્દ્રિય (મિથ્યાર્દષ્ટિ).
૩. આજ્ઞાપ્રધાન : પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનાર સમ્યગ્દષ્ટિ જીવો.
* ભવ્ય - અભવ્ય - જાતિભવ્ય :
ભવ્ય : સધવા સ્ત્રી જેવો. મોક્ષની શક્યતા ખરી. અભવ્યઃ વંધ્યા સ્ત્રી જેવો. મોક્ષની કદી જ શક્યતા નહિ. જાતિભવ્ય : બાલવિધવા સતી સ્ત્રી જેવો. મોક્ષની યોગ્યતા ખરી, પણ શક્યતા નહિ. આકાશગંગા = ૨૩૫ -
Page #123
--------------------------------------------------------------------------
________________
ચાર અનુયોગથી ચાર દોષ જાય : ૧. દ્રવ્યાનુયોગથી શંકા જાય. ૨. ગણિતાનુયોગથી જડતા જાય. ૩. ચરણકરણાનુયોગથી પ્રમાદ જાય. ૪. કથાનુયોગથી કષાય જાય. મોતની કેદ ક્યાંય ખરી ? છે શબ્દને ટેપમાં પૂરી શકાય. છે ચિત્રને કેમેરામાં કેદ કરી શકાય. છે સુગંધને બાટલીમાં મૂકી શકાય. Cછે સ્વાદને ફ્રીજમાં રાખી શકાય.
છે પણ મૃત્યુને કેદ કરવાનું કોઇ મશીન ખરું? ઘર કહે છે... છે પગથીઆ : અહીં પાંચ ગઠીઆ (હિંસા, જૂઠ, ચોરી,
કામ, પરિગ્રહ) રહેલા છે. અહીં આવશો નહિ. Cછે ઓટલો : ઓ ચેતન ! ટળો. અહીંથી ટળો, ભાગો.
અંદર આવશો નહિ. નકુચો ન ચૂકો. હજુ કહું છું કે ચૂકશો નહિ. અંદર આવવા જેવું નથી. ઓરડો : ના પાડી છતાં અંદર આવ્યા ? ઓ આતમરામ ! રડો. હવે જીવનભર રડ્યા જ કરો. ચાર દિવાલઃ શું બળ્યું છે અહીં ઘરમાં? અહીં તો માત્ર ચાર દી' હાલ છે. બસ... પછી બધો જ વ્હાલ ઊડી જવાનો. ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત !
ન આકાશગંગા • ૨૩s |
લૌકિક અને લોકોત્તર પર્વો : છે નાગપાંચમ : ભયથી (નાગ ન કરડે માટે). છે શીતળા સાતમ : ભયથી (શીતળા ન થાય માટે). છે લક્ષ્મી પૂજનઃ લાલચથી (લક્ષ્મી પૂજનથી પૈસા મળશે). છે હોળી-દિવાળી મનોરંજનથી (ફટાકડા-રંગછાંટવા વગેરે). પરંતુ જૈનોના પોં તો માત્ર આત્મશુદ્ધિ માટે જ હોય છે. આથી જ તે પર્વો લોકોત્તર કહેવાય છે. છે શૂન્ય અંતઃકરણ :
શૂન્ય અંતઃકરણવાળા દેખાવ ખૂબ કરે છે. સુતરાઉ કે ઊનના વસ્ત્રો કરતાં વોટરપ્રુફ પ્લાસ્ટિક વગેરે પાણીથી ભીંજાવાનો ખૂબ જ દેખાવ કરે છે. * મરે છે : Cછે ગૃહસ્થ મરે છે :
પરિવારથી વ્યવહારથી લોભની મારથી સાધુ મરે છે : અહંકારથી સત્કારથી
મિથ્યાચારથી તપાગચ્છના છ નામો : cછે આઠ પાટ સુધી નિર્ચન્થ. Cછે નવમી પાટે ક્રોડ મંત્રના જાપથી કોટિક ગચ્છ. Cછે ૧૫મી પાટે ચંદ્રસૂરિથી ચંદ્રગચ્છ.
ન આકાશગંગા • ૨૩૦ -
Page #124
--------------------------------------------------------------------------
________________
Cછે ૧૬મી પાટે વનવાસી સામંતભદ્રસૂરિથી વનવાસી ગચ્છ. છે ૩૬મી પાટે સર્વદેવસૂરિથી વડગચ્છ. છે ૪૪મી પાટે હીરલા જગચંદ્રસૂરિથી તપાગચ્છ. ૩ વાતો ધ્યાનમાં રાખો : ૧. ભગવાનનું નામ. ૨. બીજાનું સન્માન. ૩. પોતાના દોષ. ૩ વાતો ભૂલો નહિ : ૧. સુખનું મૂળ ધર્મ છે. ૨. ધર્મનું મૂળ દયા છે. ૩. દયાનું મૂળ વિવેક છે. આ ત્રણ વાતો કરો : ૧. પ્રેમ સર્વથી કરો. ૨. વિશ્વાસ થોડાનો કરો. ૩. બુરું કોઇનું ના કરો. આ ત્રણ ના જુઓ : ૧. પોતાના ગુણો. ૨. બીજાના દોષ.
૩. દુર્જનનું મહત્ત્વ. આ ત્રણને જુઓ : ૧. પોતાના દોષો. ૨. બીજાના ગુણો. ૩. સજજનનું મહત્ત્વ.
| આકાશગંગા • ૨૩૮ |
ત્રણથી બચો : ૧. હાથથી ૨. કાનથી ૩. જીભથી ત્રણ વસ્તુઓ એકવાર મળે છે : ૧. મા-બાપ ૨. રૂપ ૩. યૌવન ત્રણને કદી નાની ન માનશો : ૧. શત્રુ ૨. દેવું
૩. બિમારી જ ૩ મંત્ર : ૧. કમ ખાના ૨. ગમ ખાના ૩. નમ જાના સદા કરો : ૧. મૌન ૨. અલ્પ પરિગ્રહ ૩. આત્મ નિરીક્ષણ જ જલ્દી કરો : ૧. પ્રભુ પૂજા ૨. શાસ્ત્રાધ્યયન ૩. દાન
| આકાશગંગા • ૨૩૯
-
Page #125
--------------------------------------------------------------------------
________________
* દયા કરો :
૧.
દીન
૨.
અપંગ
૩. ધર્મભ્રષ્ટ પર
* વશ કરો :
૧. ઇન્દ્રિય
૨.
જીભ
૩. મન
* ત્યાગ કરો :
૧. અહંકાર
૨. નિર્દયતા
૩. * પરિહરો :
૧. કુદેવ
૨. કુરુ
૩. કુધર્મ * નીડર બનો :
૧. સત્ય ૨. ન્યાય
૩. પરોપકારમાં
કૃતઘ્નતા
♦ ધિક્કારો નહિ ઃ
૧. રોગી
૨. નિર્ધન
૩. દુઃખી
આકાશગંગા ૨ ૨૪૦
* ભૂલો નહિ :
૧.
મૃત્યુ
૨. ઉપકારી
૩. ગુરુજનોને
* સદા ઉદ્યમી રહો :
૧. સગ્રન્થ
૨. સત્કાર્ય
૩. સન્મિત્રની પ્રાપ્તિમાં
* ઘૃણા ના કરો :
૧. રોગી
૨. દુઃખી
૩. નીચ જાતિવાળાની
* ઘૃણા કરો :
૧. પાપ
૨. અભિમાન
૩. મનની મલિનતાથી
* સહુથી શ્રેષ્ઠ :
સહુથી શ્રેષ્ઠ દિવસ : આજનો.
→ સહુથી શ્રેષ્ઠ મનોરંજન : કલ્પના, પુરુષાર્થ અને સિદ્ધિ. → સહુથી મોટો કોયડો : જીવન.
સહુથી મોટું રહસ્ય : મૃત્યુ.
સહુથી મોટી ભૂલ : હિંમત હારીને પુરુષાર્થ છોડવો તે.
→ સહુથી મોટું સ્થાન : જ્યાં તમને સફળતા મળે તે.
સહુથી મોટો ચોર : જાતને છેતરે તે. આકાશગંગા - ૨૪૧
Page #126
--------------------------------------------------------------------------
________________
છે સહુથી મોટો જ્ઞાની : જાતને જાણે તે. છે સહુથી મોટો દેવાળિયો : આત્મવિશ્વાસ ગુમાવે તે. છે સહુથી સહેલી વસ્તુ : બીજાના દોષો જોવા તે. છે સહુથી મુશ્કેલ બાબત : જાતને સુધારવી તે.
» સહુથી શ્રેષ્ઠ : પ્રેમ... પ્રેમ... અને પ્રેમ. છે “ગોડ’ એટલે?
છે Gઃ જનરેટર, સર્જક. શુભ-ભાવોના સર્જક (બ્રહ્મા). છે o : ઓપરેટર – પોષક. પુણ્યના પોષક (વિષ્ણુ) ce D: ડીસ્ટ્રોયર-વિસર્જક, કર્મોનું વિસર્જન કરનાર (મહેશ). જ તમને કયો રંગ ગમે છે?
લ્યુ રંગની પસંદગીવાળો બોલવામાં દક્ષ, સહૃદયી અને શાંત હોય છે. તે મનોવિકૃતિ, ઉત્સાહ આદિ
લાગણીઓ પર નિયંત્રણ લાવી શકે છે. ૨. પીળા રંગની ચાહનાવાળો વિચારક અને આદર્શવાદી,
હોય છે. ૩. લાલ રંગનો પ્રેમી સાહસિક, આશાવાદી, સહિષ્ણુ
અને વ્યવહાર કૌશલ્યવાળો હોય છે. ૪. કાળા રંગનો શોખીન હીન ભાવનાથી યુક્ત હોય છે. ૫. સફેદ રંગનો ઇચ્છુક સત્ત્વશીલ અને ભાવનાશીલ હોય છે. ૪ નિક્ષેપા : ૧. નામ નિક્ષેપો ન માનીએ તો બોલી જ ન શકાય. ૨. સ્થાપના ન માનીએ તો ઓળખાણ ન થાય. ૩. દ્રવ્ય ન માનીએ તો પ્રયત્ન જ ન થઇ શકે. ૪. ભાવ ન માનીએ તો બધું જ અવ્યવસ્થિત થઇ જાય.
| આકાશગંગા • ૨૪૨ |
ક આયુર્વેદની દૃષ્ટિએ છ પ્રકારે નિદ્રા : ૧. તમોભવા : મરણ સમયે આવે તે. ૨. વિકૃતિભવા : કફની વૃદ્ધિના કારણે આવે તે. ૩. શ્રમજવા : શારીરિક શ્રમના કારણે આવે તે. ૪. અકસ્માભવાઃ કારણ વિના આવે તે. (અનિષ્ટ સૂચક) ૫. રોગમવા : રોગના કારણે આવે તે. ૬. સહજા : રાત્રે સ્વાભાવિક આવે તે. છે સફળતાના સાત સૂત્રો : ૧. વ્યસનોથી મુક્તિ. ૨. વ્યવસાયમાં નીતિ. ૩. વ્યવહારમાં શુદ્ધિ. ૪. વ્યવસ્થાની શક્તિ. ૫. વફ્તત્વમાં નમસ્કૃતિ. ૬. પ્રતિકૂળતામાં ધૃતિ. ૭. પરમાત્માની ભક્તિ. દર્શન કરો :
છે જાણવા માટે જગતું દર્શન કરો. Cછે જીવવા માટે જીવ દર્શન કરો.
જીતવા માટે (ક) જિન દર્શન કરો. આધુનિક પાંચ વાદ : ૧. સમાજવાદ : બે ગાય હોય તો એક પાડોશીને આપો. ૨. સામ્યવાદ : બંને ગાયો સરકારને આપી દો. તેમાંનું
જરૂર પૂરતું દૂધ તમને મળી જશે. ૩. ફાસિસ્ટવાદઃ ગાયો તમારી પાસે રાખો. દૂધ સરકારને આપો. તેમાંથી થોડુંક દૂધ તમને વેંચાતું મળશે.
ન આકાશગંગા • ૨૪૩ |
Page #127
--------------------------------------------------------------------------
________________
૪. નાઝીવાદ : તમારી ગાયો સરકારને આપી દો. નહિ
તો ગોળી મારીને લઈ લેવામાં આવશે. ૫. પુંજીવાદઃ બે ગાયમાંથી એકને વેચીને સાંઢ ખરીદી લો. દુર્લભ અને દુષ્કર : છે દરિદ્રતામાં દાન. છે શક્તિ હોવા છતાં ક્ષમા. છે યૌવનવયમાં તપ. Cછે જ્ઞાન હોવા છતાં મૌન. Cછે સુખમાં ઊછરેલ હોવા છતાં ઇચ્છા નિરોધ. આ પાંચ ચીજો અત્યંત દુર્લભ અને દુષ્કર છે. સમુદ્રોનું પાણી : Cછે ત્રણ સમુદ્રોનું પાણી પીવાલાયક પાણી જેવું જ હોય છે :
૧. કાલોદધિ ૨. પુષ્કરોદધિ
૩. સ્વયંભૂરમણ સમુદ્ર Cછે ત્રણ સમુદ્રોમાં માછલા વગેરે જલચરો ઘણા હોય છે :
૧. લવણ સમુદ્ર ૨. કાલોદધિ ૩. સ્વયંભૂરમણ સમુદ્ર
- ઠાણંગ સૂત્ર ૩/૨ પાણીની વિશિષ્ટતા : પાણી સમદર્શી છે. રાજા હોય કે ગરીબ... સૌની એક સરખી. તરસ છીપાવે છે. એ કદી પક્ષપાત કરતું નથી.
પાણી ખૂબ જ મિલનસાર છે. જેની પાસે રહે, તેના જેવું બની જાય. ગ્લાસમાં રાખો તો ગ્લાસના આકારવાળું બની જાય અને થાળીમાં રાખો તો તેવા આકારનું બની જાય.
ન આકાશગંગા • ૨૪૪ |
પાણીની નીચે ગમે તેટલી ઊંચી-નીચી જગ્યા હોય, પણ તે સપાટી પર કદી ઊંચાણ કે નીચાણ બતાવતું નથી. પાણીની સપાટી હંમેશા સમતલ જ રહેવાની.
પ્રાયશ્ચિત એટલે શું? ‘પ્રાયઃ' એટલે લોકો. ‘ચિત્ત’ એટલે મન. જે ક્રિયા દ્વારા લોકોના મનમાં આદર થાય તે “પ્રાયશ્ચિત્ત'.
- પ્રાયશ્ચિત્ત સમુચ્ચયવૃત્તિ નવ અમૃત કુંડો : ૧. કરૂણાયુક્ત ચિત્ત. ૨. મધુરતાયુક્ત વચન. ૩. પ્રસન્નતાયુક્ત દૃષ્ટિ. ૪. ક્ષમાયુક્ત શક્તિ.
શ્રતયુક્ત મતિ. ૬. દાનયુક્ત લક્ષ્મી. ૭. શીલયુક્ત રૂપ. ૮. નમ્રતાયુક્ત શ્રત. ૯. કોમળતાયુક્ત સત્તા. શોકનો પરિવાર : છે કાયામાં કૃશતા. છે લોકમાં લઘુતા. છે મનમાં દીનતા. છે બુદ્ધિમાં વિસ્મૃતિ.
{ આકાશગંગા • ૨૪૫ |
Page #128
--------------------------------------------------------------------------
________________
આ જીવને નીકળવાના પાંચ સ્થાનો : ૧. પગેથી નીકળે તો નરક. ૨. સાથળથી નીકળે તો તિર્યચ. ૩. હૃદયથી નીકળે તો મનુષ્ય. ૪. મસ્તકથી નીકળે તો દેવ. ૫. સર્વ અંગોમાંથી નીકળે તો સિદ્ધ. પાંચ સકાર : ૧. સખ્યત્વ ૨. સામાયિક ૩. સંતોષ ૪. સંયમ ૫. સ્વાધ્યાય જ નથી :
છે જન્મ જેવો રોગ નથી. છે ઇચ્છા જેવું દુ:ખ નથી. Cછે સુખ જેવું પાપ નથી. છે સ્નેહ જેવું બંધન નથી. ત્રણનો ઉપકાર ચૂકવવો મુશ્કેલ છે : ૧. માતા-પિતા ૨. સ્વામી ૩. ધર્માચાર્ય
૩. ગાથાપતિ ૪. પુરોહિત ૫. વધેકિ ૬. અશ્વ ૭. હસ્તી ૮. અસિ ૯. દંડ ૧૦. ચક્ર ૧૧. છત્ર ૧૨. ચર્મ ૧૩. મણિ ૧૪, કાકિણી રત્ન સમુદ્રમંથન કરતાં નીકળેલા ૧૪ રત્નો (પૌરાણિક મત પ્રમાણે) : ૧. લક્ષ્મી ૨. કૌસ્તુભમણિ ૩. કલ્પવૃક્ષ ૪, મદિરા ૫. ધવંતરી વૈદ
ચંદ્રમાં ૭. કામધેનુ ૮, ઐરાવત હાથી ૯. રંભાદિ અપ્સરા ૧૦. સાત મુખવાળો ઉચ્છે:શ્રવા ઘોડો ૧૧. અમૃત
આકાશગંગા • ૨૪o F
- હોસ્પ્રંગ
ચક્રવર્તીનાં ૧૪ રત્નો : ૧. સ્ત્રી ૨. સેનાપતિ
| આકાશગંગા • ૨૪૬ +
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨. વિષ્ણુનું ધનુષ્ય ૧૩. શંખ ૧૪. વિષ - આઠ પ્રકારના આત્મા : ૧. દ્રવ્યાત્મા ૨. કષાયાત્મા ૩. યોગાત્મા ૪. ઉપયોગાત્મા ૫. જ્ઞાનાત્મા ૬. દર્શનાત્મા ૭. ચારિત્રાત્મા ૮. વીર્વાત્મા આ આઠ પ્રકારના અંધ : ૧. રાત્રિ અંધ ૨. દિવાંધ ૩. જન્માંધ ૪. માનાંધ ૫. માયાન્ય ૬. ક્રોધાન્ય ૭. કામાન્ય ૮. લોભાબ્ધ
- શંકર પ્રશ્નોત્તરી મનની નવ શક્તિ : ૧. ધર્ય ૨. તર્ક-વિતર્કમાં નિપુણતા
ન આકાશગંગા • ૨૪૮ +
૩. સ્મરણ ૪. બ્રાંતિ ૫. કલ્પના ૬. ક્ષમા ૭. શુભ સંકલ્પ ૮. અશુભ સંકલ્પ ૯. ચંચળતા
- મહાભારત શાંતિપર્વ અંગુલના ત્રણ ભેદ : ૧. આત્માંગુલઃ જે કાળમાં માનવોની આંગળીનું જે માપ
હોય તે. આત્માંગુલથી વસ્તુઓ મપાય છે. ૨. ઉત્સધાંગુલ : સાત હાથની ઊંચાઇવાળાની એક
આંગળીથી ઉત્સધાંગુલનું માપ થાય છે. તેના દ્વારા શરીર મપાય છે. પ્રમાણાંગુલ : એક હજાર ઉત્સધાંગુલ = એક પ્રમાણાંગુલ. આનાથી શાશ્વત પર્વત, પૃથ્વી, વિમાન
વગેરે મપાય છે. આધ્યાત્મિક વીર્યના દસ પ્રકાર : ૧. ઉદ્યમ ૨. ધૃતિ ૩. ધીરતા ૪. પરાક્રમ ૫. ક્ષમા ૬. ગંભીરતા ૭. ઉપયોગ
| આકાશગંગા • ૨૪૯ -
Page #130
--------------------------------------------------------------------------
________________
૮. યોગ
૯. તપ
૧૦. સંયમ
* પાંચ મહોત્સવ :
૧.
૨.
ધર્મ મહોત્સવઃ ઊજમણું, પ્રતિષ્ઠા આદિ નિમિત્તે થતો
હોય તે.
દ્રવ્ય મહોત્સવ : ધન પ્રાપ્તિની ખુશીમાં, કીર્તિની લાલસાથી અથવા કોઇના આગ્રહથી ઇચ્છા વિના કરાતો મહોત્સવ તે દ્રવ્ય મહોત્સવ.
કામ મહોત્સવ : લગ્નાદિના નિમિત્તે થતો હોય તે.
પર્વ મહોત્સવઃ પર્વદિનની ઊજવણી નિમિત્તે થતો હોય તે.
મોક્ષ મહોત્સવ : મોક્ષગમન પછી થતો હોય તે.
૩.
૪.
૫.
* આહાર સંજ્ઞાના ચાર કારણ :
પેટ ખાલી રહેવાથી.
ક્ષુધા વેદનીયના ઉદયથી.
૧.
૨.
૩.
આહાર-કથાના શ્રવણ-દર્શનથી.
૪. નિરંતર આહારના સ્મરણથી.
* મૈથુન સંજ્ઞાના ચાર કારણ :
૧. શરીરની હૃષ્ટપુષ્ટતા ૨. વેદોદય
૩.
કામોત્તેજક કથા-શ્રવણ
8.
કામ વિષયક ચિંતન
ૐ દેશ કથાના ચાર ભેદ :
૧.
દેશના વિધિ-વિધાનની ચર્ચા.
૨. ધાન્યોત્પત્તિ, કૂવા, મકાન વગેરેની ચર્ચા.
- આકાશગંગા - ૨૫૦
૩. દેશ-વિદેશના છોકરા-છોકરીઓની ચર્ચા. ૪. દેશ-વિદેશની વેષભૂષા શૃંગારની ગર્યા. * રાજકથાના ચાર ભેદ :
૧.
૨.
અતિયાન કથા : રાજાના નગર પ્રવેશ વિષયક. નિર્માણ કથા : રાજાના પ્રયાણ વિષયક.
બલવાહન કથા : શક્તિ-સેના વિષયક.
૩.
૪. કોશ કથા : કોશ-કોઠાર-ભંડાર-અન્ન વિષયક.
* સ્ત્રી કથાના ચાર ભેદ :
૧. જાતિ
૨. કુલ
૩. રૂપ
૪.
વેષ
* હાસ્યના ચાર કારણ :
૧.
૨.
૩.
૪.
દર્શન : વિદૂષક વગેરે જોવાથી.
ભાષણ : હાસ્યકારી વચનથી.
શ્રવણ : હાસ્યકારી વચનના શ્રવણથી.
સ્મરણ ઃ હાસ્યકારી ચિંતનથી.
* જાણવાલાયક દસ વાતો :
૧. એક વાળના અગ્રભાગમાં આકાશાસ્તિકાયની અસંખ્ય
શ્રેણિ.
૨. એક શ્રેણિમાં અસંખ્ય પ્રતર.
૩. એક પ્રતરમાં નિગોદના અસંખ્ય ગોળા.
૪.
એક ગોળામાં અસંખ્ય શરીર.
૫.
એક શરીરમાં અનંત જીવ.
..
એક જીવમાં અસંખ્ય પ્રદેશ. - આકાશગંગા ૦ ૨૫૧
Page #131
--------------------------------------------------------------------------
________________
૭. એક પ્રદેશમાં અનંત કાર્મણ વર્ગણા. ૮. એક વર્ગણામાં અનંત પરમાણુ. ૯. એક પરમાણુમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શના અનંત પર્યાયો. ૧૦. એક પર્યાયમાં કેવળજ્ઞાનના અનંત પર્યાયો. સિદ્ધગિરિ પર આદિનાથ કેટલીવાર આવ્યા ? સરેરાશ દર દશ હજાર અને દશ વર્ષે ભગવાન પધારતા હતા. બધું મળીને સિદ્ધાચલ પર ૬૯ કોટાકોટિ ૮૫ ક્રોડ લાખ, ૪૪ ક્રોડ હજાર વાર આવ્યા.
પૂર્વની રીત : ૮૪ લાખને ૮૪ લાખ ગુણવાથી એક પૂર્વની સંખ્યા : ૭૦૫૬૦OOOOOOOOO. આ સંખ્યાને ૯૯થી ગુણવાથી ૬૯૮૫૪૪OOOOOOOOOO સંખ્યા થશે.
મીઠા લાગે છે :
છે પરિશ્રમ પછીની ઊંઘ. Cછે તોફાની દરિયા પછીનું બંદર. cછે યુદ્ધ પછીની શાંતિ. છે- જીવન પછીનું સમાધિભર્યું મૃત્યુ. આળસ અને એકાકીપણું : છે તમે આળસુ છો ? એકલા રહેશો નહિ.
છે તમે એકલા છો ? આળસુ રહેશો નહિ. જ જવું સહેલું છે :
છે વિજ્ઞાનના નામે આધુનિક ફેશન તરફ. છે પરિવર્તનના નામે પરંપરાના દ્રોહ તરફ, છે સંતુલનના નામે અતિવાદિતા તરફ. છૂપાયેલા છે : & રાજામાં ફકીર. ફકીરમાં રાજા . Cછે પંડિતમાં મૂર્ખ, મૂર્ખમાં પંડિત. છે વીરમાં કાયર, કાયરમાં વીર.
છે મહાત્મામાં પાપી પાપીમાં મહાત્મા . કે ચૂંટણી :
ચૂંટણી પદ્ધતિ દૂષિત છે. જયાં બુદ્ધિ, જ્ઞાન, અનુભવ, વિદ્યા, આચરણ, ભાવ, સદ્દગુણ આદિ સૌની ઉપેક્ષા કરીને માત્ર સંખ્યાને જ પ્રધાનતા આપવામાં આવે છે, ત્યાં ઉત્તમ ફળ અસંભવ છે.
- હનુમાન પ્રસાદ | આકાશગંગા • ૨૫૩ -
છે જરા રૂપને છે આશા ધર્મને Cછે મૃત્યુ પ્રાણને Cછે અસૂયા ધર્મચર્યાને છે કામ લજજાને Cછે નીચસેવા સદાચારને છે ક્રોધ લક્ષ્મીને હરે છે. પારમાર્થિક જીવનની ત્રિસૂત્રી : ૧. સત્ય (સત્યમ્) ૨. સંયમ (શિવમ્) ૩. સેવા (સુંદરમ્)
ન આકાશગંગા • ૨૫૨ -
Page #132
--------------------------------------------------------------------------
________________
વિચારોના દાસ કે ગુલામ ? Cછે સામાન્ય વ્યક્તિ : વિચારોનો દાસ, છે અસામાન્ય વ્યક્તિ : વિચારોનો સમ્રાટ.
- શિવાનંદ મને માફી મળવી જોઇએ : તેણે માતા-પિતાની હત્યા કરી. જયારે તેને ફાંસીની સજા થવાની હતી ત્યારે તેણે કહ્યું : મને માફી મળવી જોઇએ. કારણ હું અનાથ છું. પંચ સકાર ચૂર્ણ (ભવરોગ-નાશક) : ૧. સહિષ્ણુતા ૨. સન્માનદાન ૩. સ્વાર્થત્યાગ ૪. સેવા ૫. સમતા ત્રણ ઉત્તમ પુરુષ : ૧. ધર્મ પુરુષ : તીર્થંકર. ૨. ભોગ પુરુષ : ચક્રવર્તી. ૩. કર્મ પુરુષ : વાસુદેવ.
- હાશંગ સંક્ષિપ્ત ભારતીય ઇતિહાસ : છે ઇ.સ. પૂર્વે ૩૨૭ : સિકંદરનું આક્રમણ. છે ઇ.સ. પૂર્વે ૩૨૨ : ચંદ્રગુપ્ત મૌર્ય છે ઇ.સ. ૨૭૩ : અશોકનું શાસન. છે ઇ.સ. ૩૩૫ : સમુદ્રગુપ્તનું શાસન. cછે ઇ.સ. ૪૦૫ : ફા-હી-યાનની ભારત યાત્રા..
ને આકાશગંગા • ૨૫૪F
છે ઇ.સ. ૬૦૬ : હર્ષનું શાસન. ce ઇ.સ. ૧000 : ગીઝનીનું આક્રમણ. Cછે ઇ.સ. ૧૧૯૨ : પૃથ્વીરાજનું મૃત્યુ. cછે ઇ.સ. ૧૨૨૧ : ચંગીઝખાન. છે ઇ.સ. ૧૩૬૮ : તૈમૂર લંગનું આક્રમણ.
ઇ.સ. ૧૫૫૬-૧૬૦૫ : અકબર. ઇ.સ. ૧૫૬૬ : હલ્દીઘાટનું યુદ્ધ.
ઇ.સ. ૧૫૬૭ : રાણા પ્રતાપનું મૃત્યુ. ce ઇ.સ. ૧૬૦૦ થી ૧૮૫૮ : ઇસ્ટ ઇન્ડીયા કંપની. Cછે ઇ.સ. ૧૬૦૫ થી ૧૬૨૭ : જહાંગીર.
ઇ.સ. ૧૬૧૨ : અંગ્રેજોની સુરતમાં પ્રથમ કોઠી.
ઇ.સ. ૧૬ ૨૮ થી ૧૬૫૮ : શાહજહાં. cછે ઇ.સ. ૧૭૮૦ : રણજીતસિંહ. ce ઇ.સ. ૧૭૩૬ : નાદિર શાહ. ce ઇ.સ. ૧૬૫૮ થી ૧૭૦૭ : ઔરંગઝેબ.
છે ઇ.સ. ૧૯૪૭ : આઝાદી. જે નવ પ્રકારના સ્વપ્ન : ૧. અનુભૂત : જીવનમાં અનુભવેલું સ્વપ્નમાં જોવા મળે . ૨. શ્રુત : સાંભળેલું જોવા મળે, ૩. દષ્ટ : જોયેલું જોવા મળે . ૪. પ્રકૃતિ વિકારજ : વાત, પિત્ત કે કફાદિના વિકારથી
આવતા સ્વપ્ન.. ૫. સ્વાભાવિક : સહજ રીતે આવતું સ્વપ્ન. ૬. ચિંતાજન્ય : ચિંતાના કારણે આવતું સ્વપ્ન. ૭. દેવ પ્રભાવજન્યઃ દેવતાના પ્રભાવથી આવતું સ્વપ્ન.
આકાશગંગા • ૨૫૫ -
Page #133
--------------------------------------------------------------------------
________________
૮. ધર્મ પ્રભાવજન્ય : ધર્મક્રિયાના પ્રભાવથી આવતું
સ્વપ્ન.
૯.
પાપોદયજન્ય : પાપના ઉદયથી આવતું સ્વપ્ન. આ નવ સ્વપ્નોમાંથી પ્રથમના છ નિષ્ફળ છે.
છેલ્લા ત્રણનું અવશ્ય ફળ મળે.
* સ્વપ્નના પાંચ પ્રકાર :
૧. યથાતથ્ય સ્વપ્ન ઃ સ્વપ્નમાં જેવું જોયેલું હોય તેવું જ શુભાશુભ વાસ્તવિક જીવનમાં ઘટે.
૨.
૩.
૪.
૫.
- કલ્પસૂત્ર સુબોધિકા ટીકા
પ્રતાન સ્વપ્ન : ખૂબ જ લાંબું ચાલતું સ્વપ્ન.
ચિંતા સ્વપ્ન : ચિંતાના કારણે આવતું સ્વપ્ન.
તવિપરીત સ્વપ્ન ઃ સ્વપ્નમાં જે જોયેલું હોય તેનાથી વિપરીત વાસ્તવિક જીવનમાં ઘટે.
અવ્યક્ત સ્વપ્ન ઃ સ્વપ્નમાં જોયેલી ચીજ જાગ્યા પછી સ્પષ્ટ યાદ ન રહે.
* વિદેશના વિચારકો :
ફ્રાંસના કામટે.
રશિયાના ટોલ્સ્ટોય.
ચીનના લાઓત્સે કન્ફ્યુશિયસ.
મિસના પ્રોફિરી, રેમિસસ.
ગ્રીસના સોક્રેટીસ, પ્લેટો, પાયથાગોરસ.
ઇંગ્લેન્ડના બેકનજાન, સ્ટુઅર્ટ, સ્પેન્સર, વર્કલે.
જર્મનીના કાન્ટ.
- ભગવતી ૧૬/૯
આકાશગંગા = ૨૫૬
* સુવર્ણ અને માણસની પરીક્ષા :
સોનાની પરીક્ષા
માણસની પરીક્ષા
ઘસવાથી
ત્યાગથી
છેદથી
શીલથી
તાપથી
ગુણથી
તાડનથી
કાર્યથી
* કોણ શું જુએ ?
બાળ વેષને.
સામાન્ય માણસ આચારને. જ્ઞાની પુરુષ સત્ય તત્ત્વને.
***
પીળું તેટલું સોનું નહિ.
ધોળું તેટલું દૂધ નહિ.
કાળા એટલા ભૂત નહિ.
જનોઇ એટલા બ્રાહ્મણ નહિ.
* હું મૂર્ખ શી રીતે ?
હું ખાતો-ખાતો ચાલતો નથી. બોલતાં-બોલતાં હસતો નથી.
ચાણક્ય નીતિ પર
દાસી સાથે વાત કરતી રાણી પાસે વચ્ચે ડોકું ઘાલતા ભોજ રાજાને રાણીએ ‘મૂર્ખ' કહીને સંબોધ્યો. આથી ગુસ્સાથી ઉકળતો રાજા તરત જ ત્યાંથી નીકળી ગયો અને બધા પંડિતોને મૂર્ખ કહેવા લાગ્યો. કાલિદાસને પણ મૂર્ખનું સંબોધન કર્યું ત્યારે તેણે કહ્યું :
આકાશગંગા ૦ ૨૫૦ -
- ષોડશક પ્રકરણ
Page #134
--------------------------------------------------------------------------
________________
ચાર પ્રકારનો સંસાર : ૧. દ્રવ્ય સંસાર : ષડૂ દ્રવ્યરૂપ જગત. ૨. ક્ષેત્ર સંસાર : ચૌદ રાજલોક રૂપ જગત. ૩. કાળ સંસાર: દિવસ-રાત-વર્ષ વગેરે સમય રૂપ જગત. ૪. ભાવ સંસાર છ કર્મોદયજન્ય રાગ-દ્વેષાદિ વિચારરૂપ જગત.
* * *
પ૨. રૂપક |
છત્રી : અરે છત્રી ! તું આટલી લાંબી પહોળી ટટાર થઇને કેમ ઊભી
ગયેલી વાતનો શોક કરતો નથી. કરેલા ઉપકારને યાદ રાખતો નથી.
બે જણ વાત કરતા હોય ત્યારે વચ્ચે ઘૂસણખોરી કરતો નથી. તો હે ભોજ ! હું મૂર્ખ શી રીતે ?
ભોજ સ્તબ્ધ થઇ ગયો ! પાંચ કલ્યાણકની પ્રતિમાઓ ક્યાં છે ? ૧. બ્રાહ્મણ કુંડ (ચ્યવન કલ્યાણક)ની મૂર્તિ બ્રાહ્મણવાડામાં. ૨. ક્ષત્રિય કુંડ (જન્મ કલ્યાણક)ની મૂર્તિ નાદિયા (નંદી
વર્ધનપુર)માં. ૩. દીક્ષાસ્થળની મૂર્તિ મોરથલા (મુંડસ્થલ)માં. ૪. ઋજુવાલિકા (કેવળજ્ઞાન કલ્યાણક)ની મૂર્તિ નાણા
(જ્ઞાન-નાણ)માં. ૫. પાવાપુરી (મોક્ષ કલ્યાણક)ની મૂર્તિ દીયાણા (દીપ
નિર્વાણ)માં. પૂર્વ ભારતમાંથી હિજરત કરીને આવેલા જૈનોએ પશ્ચિમ ભારતમાં આવી અરવલ્લી અને આબુના વચ્ચેના ભાગમાં એ બધી મૂર્તિઓ સ્થાપી તીર્થોની સ્થાપના કરી.
- “જૈન પરંપરાનો ઇતિહાસ'ના આધારે પાંચ પ્રકારનો સંસાર (સંસરણ) : ૧. દ્રવ્ય સંસાર : એક દ્રવ્ય (પદાર્થ)થી બીજા દ્રવ્યમાં
જવું. દા.ત. રોટલી પરથી મીઠાઇમાં. ૨. ક્ષેત્ર સંસાર : એક સ્થાનથી બીજા સ્થાને જવું. ૩. કાળ સંસાર : એક કાળથી બીજા કાળમાં જવું. ૪. ભાવ સંસાર: રાગાદિ ભાવમાંથી દ્વેષાદિ ભાવમાં જવું. ૫. ભવ સંસાર : એક ભવમાંથી બીજા ભવમાં જવું.
ન આકાશગંગા • ૨૫૮ |
‘પ્રતિપક્ષીઓ સાથે મુકાબલો કરવો હોય ત્યારે ટટાર જ થવું પડે છે. આમ તો તમે જાણો છો કે હું સમેટાયેલી જ રહું છું.”
ઘડો : લોકો કહે છે કે અંદર ‘પોલ’ ન રાખો. પણ પોલના કારણે તો ઘડાની કિંમત છે. જે દિવસે ‘પોલ’ નીકળી જાય છે, તે દિવસે ઘડો ઠીકરું બની જાય છે.
દવા : “ઓ દર્દી ! તમે ન હો તો કેટલું સારું ?' દર્દ : તો તમારો ભાવ કોણ પૂછત ? * સાવરણી : સાવરણી : “મને બાંધો કેમ છો ?” તારું મૂલ્ય બંધનમાં જ છે. નહિ તો તું ઘાસ છે.
| આકાશગંગા • ૨૫૯ -
Page #135
--------------------------------------------------------------------------
________________
* બળદ :
ખેડૂત ઃ ‘અરે બળદો ! હું આ ખેતી માત્ર મારા માટે જ નથી
કરતો. એનો મોટો ભાગ તમારે જ ખાવાનો હોય છે.'
બળદ : ‘એટલું સારું છે કે માણસ ઘાસ ખાઇ શકતો નથી. નહિ તો પશુઓની ઉદરપૂર્તિ પણ મુશ્કેલ બની જાત.’ * ગાય :
‘ગાય માતા ! હું તને ઘેર લાવી સેવા કરીશ.' ‘રહેવા દે. મારા વાછરડાનું સુખ છીનવી લેવાનું રહેવા દે. તું મારી નહિ, દૂધ-દેવની સેવા કરીશ.'
* આકાશ :
ફાનસઃ ‘હે આકાશ ! હું કાળા ધુમાડાથી તને કાળું બનાવી દઇશ.’
‘અનંત અરૂપીને કાળું કોણ બનાવી શક્યું છે ? પણ બેટા ! ખ્યાલ રાખજે તું સ્વયં કાળી ન બની જાય.’ * પતંગ :
પતંગ : આ દોરી મને ઊંચે જવા દેતી નથી. નહિ તો સૂર્યચંદ્રની મુલાકાત લઇ આવું.
ફટ... દોરી તૂટી અને પતંગ નીચે કાદવમાં
જે તમને ઊંચે લઇ જનારું છે, તેને બંધન ન માનો.
* નાળિયેર :
દ્રાક્ષ : નાળિયેર ભાઇ ! સાંભળો. આ વિશ્વમાં જેટલા ફળો છે એમાં કાંઇને કાંઇ ફેંકવા લાયક હોય જ છે. જેમ કે કેરીના ગોટલા-છોતરા, કેળાની છાલ, સફરજનમાં પણ થોડાક બી... પણ હું જ આ જગતમાં એવું ફળ છું કે જેનો એક પણ ભાગ ફેંકવો પડતો નથી. બાળક-બુઢા બધા આનંદથી મારો આસ્વાદ માણી શકે છે અને ઓ નાળિયેર ! તારું તે કાંઇ જીવન છે ? – આકાશગંગા ૦ ૨૬૦ -
ઉપર કેવી બાવા જેવી જટા છે. અંદર કેવી હાડકા જેવી કઠણ કાચલી છે ? અને અંદર થોડુંક જ કામ આવે તેવું હોય છે. તારા જેવાનું વિશ્વમાં અસ્તિત્વ જ ન હોય તો કેટલું સારું ?'
ઊંચી ખાનદાનીવાળો નાળિયેર બોલ્યો : બહેન દ્રાક્ષ ! તને શી ખબર છે ? સાચી વાત સમજ તો ખરી. હું આસન, વાસન (વસ) અને પ્રાશનમાં કામ આવું છું. મારી જટાથી સુંદર આસન બને છે, દોરડા બને છે. મારી ખોપરીથી પ્યાલા આદિ બને છે અને હું ખાવામાં અને પીવામાં - બંનેમાં કામ લાગું છું. મારા તેલની કેટલીયે સુંદર મીઠાઇઓ બને છે. માણસોના વાળને મારું તેલ સુગંધી બનાવે છે. મારી મહત્તાનું મૂલ્યાંકન તું ક્યાંથી કરી શકે ? આખરે તો તું દારૂની જનેતા છે ને ? તારામાં ઉન્મત્ત બકવાસ સિવાય શું હોઇ શકે ?
* ચંદન :
‘ચંદન!તારી સુગંધટાઢ-તડકો કે પવનથી ઊડી કેમ જતી નથી.' ‘કારણ કે મેં તારી જેમ અત્તરના પુમડા કાનમાં ખોસ્યા નથી. મારી સુગંધ સહજ છે.'
* પાંદડું :
પાંદડું : ‘પપ્પા !’ ફળની જેમ મને પણ બહાર ફરવા દો ને ?’ વૃક્ષ : ‘પોતાની યોગ્યતા જોયા વિના દેખાદેખીથી બીજાના રવાડે ચડવું ઠીક નથી. ફળનું મૂલ્ય છે. તારું કોઇ મૂલ્ય નહિ થાય. કચરા ટોપલીમાં ફેંકાઇ જઇશ. અહીં રહે તેમાં જ તારી શોભા છે.'
* તળાવ :
‘તળાવ ! તું કેવો હતભાગી છે ? થોડી અનુકૂળતાથી ભરાઇ જાય છે ને થોડી પ્રતિકૂળતાથી સૂકાઇ જાય છે. હાય રે ! કેવું તારું જીવન !'
આકાશગંગા - ૨૬૧ -
Page #136
--------------------------------------------------------------------------
________________
‘દરિયાલાલ ! હું ભલે નાનો છું, તો પણ તરસ છીપાવવા માટે તો માણસોને મારી પાસે જ આવવું પડે છે.” આ ઘડિયાળ :
હે માનવ ! હું ન હોત તો તને સાચો સમય કોણ બતાવત?” ‘ઓ ઘડિયાળ ! મેં જ તો તને સાચો સમય બતાવનાર તરીકે બનાવી છે.”
ઘડો : “ઘડાભાઇ ! મોઢાની અપેક્ષાએ તમારું પેટ ખૂબ જ મોટું છે. તો ઓપરેશન કેમ કરાવતા નથી.’
‘પેટ મોટું છે માટે તો તેમાં કંઇક સમાય છે. જો તેનું ઓપરેશન થયું તો તમે તરસ્યા રહેશો. બધે જ ઓપરેશન કરવાના નથી હોતા પાગલો !'
ખેતર : ‘અમે હરિયાળીથી શોભી રહ્યા છીએ. અમારી ચારેબાજુ કાંટાની વાડ કેમ કરો છો ?'
‘સુરક્ષા માટે કાંટા જરૂરી છે ઓ ખેતરો !' કાચો ઘડો :
અરે તમે કાચા ઘડાને કેમ ટીપો છો? બિચારાને કેટલું કષ્ટ થાય ? ટીપવા જ હોય તો પાકા ઘડાને ટીપો ને !' | ‘પરિવર્તન કાચી અવસ્થામાં જ થઇ શકે છે.' બાળક :
ઓ બાળક !તારી થોડીક મજાની મસ્તી મને પણ આપી દેને !” ‘દાદા ! પહેલા તમે મારા જેવા બની જાવ, પછી મસ્તી પોતાની મેળે આવી જશે - છવાઇ જશે.”
ન આકાશગંગા • ૨૬૨ +
* બાળક : ‘બાળક ! તું દરેક વાત સાચી કેમ માની લે છે ?' કારણ કે જૂઠું કોને કહેવાય તેની મને ખબર જ નથી.' અનાસક્તિ : ‘ઓ બાળક ! તે કેટલું-કેટલું રોઇ-રોઇને પેલું રમકડું મેળવેલું ? પણ થોડીવારમાં તે તેને તોડી-ફોડીને ફેંકી દીધું... હવે તો તું યાદ પણ નથી કરતો.' ‘આનું નામ તો અનાસક્તિ છે.” મા : મા ! તને યાદ છે ? તે કેટલીવાર દૂધ પીવડાવ્યું ?' પ્રેમમાં હિસાબ નથી હોતો.’ કે પશુ : ‘કોઇ એવો છે જેને માતા અને ગુરુએ શિક્ષા ન કરી હોય ?'
‘પશુ'.
છે મુન્નો : છે “મુન્ના ! તારો સંસાર ક્યાં છે ?”
માના ખોળામાં. છે ‘તારો અધિકાર ક્યાં છે ?'
માના ખોળામાં. છે. બાળક :
‘તારી માએ પેલીની સાથે ઝગડો કરેલો ને તું એની સાથે રમવા ચાલ્યો ગયો ?” ‘હું ભૂતકાળ યાદ રાખતો નથી.’
| આકાશગંગા • ૨૬૩ +
Page #137
--------------------------------------------------------------------------
________________
પણ દુધ પીવડાવે છે માટે, પોતાના બચ્ચાને તો વાઘણ પણ દૂધ પીવડાવે છે, પણ તમે તેને “માતા” કહેશો ?'
વૃક્ષ : ‘ઓ વૃક્ષ ! તેં કેટલીવાર કેટલા ફળોનું દાન કર્યું ?' ‘હિસાબ કોણ રાખે ? હતું તેટલું આપી દીધું.' ધૂળ : “મુન્ના ! તને ધૂળમાં રમવાનું કેમ બહુ ગમે છે ?”
આખરે તો એમાં જ મળી જવાનું છે ને ?' જ ચક્કર : ‘ઓ મોટરના પૈડાઓ! તમે કેટલા ચક્કર ખાધા તે ખ્યાલ છે?' ‘તમારા કરતાં ઓછા.'
બાળક : ‘બાળકો ! તમે સારાનું અનુકરણ કરો, ખરાબનું નહિ.'
આ વાત તો વડીલોએ ખ્યાલમાં રાખવાની છે. જેથી અમને ખરાબ જોવા જ મળે નહિ.” દૂધ - દહીં - ઘી - છાસ : દૂધ : હું મહાન છું. કહ્યું છે : અમૃત ક્ષીર ભોજનમ્ | દહીં જવા દે હવે. મધુર પદાર્થોમાં હું પ્રથમ છું. ‘દધિ મધુરમ્' ઘી : તમે બંને ચૂપ બેસો. સાર તો હું જ છું. ‘ઘુતમાયુ.'
છાસ: તમે બધા મારો મહિમા ભૂલી ગયા ? કહ્યું છે : ‘તકં શક્રય દુર્લભમુ”
માણસ : તમે બધા વ્યક્તિગત મહત્તા ગાવાનું છોડો અને બધા સાથે મળીને બોલો : અમે ગોરસ છીએ. આ તાળું - ચાવી - કબાટ : તાળું: “ઓ ચાવી ! હું ન હોઉં તો તારો શો ઉપયોગ ?' ચાવી : ‘હું હોઉં તો તારો પણ શો ઉપયોગ ?” કબાટ : ‘હું ન હોઉં તો તારો પણ શો ઉપયોગ ?'
માણસ : ‘વિવાદ છોડો. સૌ સ્વ-સ્વ સ્થાને ઉપયોગી છે.” આ બાવળ :
“ઓ બાવળ ! તેં આવનાર મહેમાનનું કાંટાથી સ્વાગત કેમ કર્યું ? આ તારી કેવી મહેમાનગીરી ?'
અહીં ફૂલ ક્યાંથી હોઇ શકે ? સ્વાગત તો હંમેશા ઘરને અનુરૂપ જ થાય.' છે. ગાય માતા : ‘ગાય માતા કેમ કહેવાય છે ?” ‘તે પોતાના બચ્ચાને દૂધ પીવડાવે છે માટે નહિ, પણ બીજાને
ને આકાશગંગા • ૨૬૪F
મનુષ્ય દુ:ખી કેમ છે ?' ભૌતિકવાદી : ‘જેવું તે ઇચ્છે છે તેવું નહિ થવાથી.' અધ્યાત્મવાદી : ‘ઇચ્છે છે માટે જ તે દુઃખી છે.' - મણિ :
‘ઓ મણિ ! તારો કેટલો ઝાંખો પ્રકાશ છે ? મારો કેવો ઝળહળતો છે ?'
‘દીપક ! તો પણ તારો પરનો છે, મારો ઘરનો છે.” ક મૂલ્ય :
કાગળ ! વંચાઈ ગયા પછી તારું શું મૂલ્ય ?' ‘મૂલ્ય તો બધાયનું અવસરે જ થાય છે.” ક કૂવો :
‘સૂકા તળાવે કૂવાને કહ્યું : “ભાઇ ! અમે તો સાવ સુકાઈ ગયા અને તું તો હજુ પણ પાણીવાળો છે.”
ન આકાશગંગા • ૨૬૫E
Page #138
--------------------------------------------------------------------------
________________
કૂવો - તળાવ : ‘ઓ કૂવા ! આમ સંકુચિત થઇને શું પડ્યો છે ? મારી જેમ વિશાળ થઇને દાન આપ.'
‘ભાઇ તળાવ ! હું પારકો માલ લૂંટાવતો નથી. ઘરની ચીજનો તો ઉચિત ઉપયોગ જ થાય.'
‘શિષ્ય : તે જ ગુરુ સમર્થ છે, જે ગમે તેને પલટાવી શકે.'
ગુરુ : તરંગ પાણીમાં પેદા થાય છે, પત્થરમાં નહિ, છે કાદવ : ‘ઓ કાદવ ! તું મારા પગને ખરાબ કરતો નહિ.'
‘મને તું છેડતો નહિ.' છે કાદવ : ‘કાદવ ! તું કોની સાથે સારું વર્તન કરે છે ?' ‘જે મારાથી દૂર રહે છે તેની સાથે.'
ખેતર - સડક :
ઓ ખેતરો ! તમે પણ મારા જેવા સફાઇદાર (કાદવકીચડથી રહિત) બની જાવ.”
‘ઓ સડકો ! તો પછી તમારા પર કોઇ ચાલનારું પણ નહિ રહે.' પૃથ્વી - પર્વત :
‘ઓ પૃથ્વી ! તું તો બધું જ પાણી ચૂસી લે છે. જયારે હું તો બધું જ પાણી છૂટથી વહેવા દઉં છું. તું તો ચૂસ્યા પછી પણ તરસી ને તરસી જ રહે છે. કેટલી લોભી છે તું ?'
ઓ પર્વત ! સામર્થ્ય હોવા છતાં પણ ત્યાગ કરવો તે ત્યાગ છે. તારો ત્યાગ તો આંધળો ટી.વી.-સિનેમાનો ત્યાગ કરે તેના જેવો છે.”
માખણ : ‘દૂધ : માખણ ! તું ક્યાં રહે છે ?' ‘તારામાં.'
મેં તો કદી તને જોયો જ નથી.” ‘તીવ્ર તપ કરી નામ-રૂપનું અસ્તિત્વ મિટાવી દે અને પછી સંઘર્ષોની વચ્ચે મારું દર્શન કર.”
જાંબુ - દાડમ : જાંબુએ દાડમને કહ્યું : ‘પ્રિય ભાઈ ! તારા દાણાને લોક પ્રેમથી આરોગે છે, મારા દાણાને કેમ ફેંકી દે છે ?” | ‘કઠોર હૃદયવાળાને આ જ સજા મળે છે.'
કુસંગનું પ્રાયશ્ચિત્ત :
‘ઓ વસ્ત્રો ! તમને કાલે ધોકાથી પીટ્યા હતા. હજુ આજે પણ પીટશે. શરમ નથી આવતી ?'
ગંગાસ્નાન કરતા વસ્ત્રોએ કહ્યું : “કુસંગનું પ્રાયશ્ચિત્ત તો કરવું જ પડતું હોય છે.'
ન આકાશગંગા • ૨૬૦ -
‘કાદવ : ભગવનું ! મારી શુદ્ધિ શી રીતે થશે ? ભગવાન : પર સંયોગો છોડી આતાપના લેતો રહે. મિતભાષણ : ‘અય સોના ! મારી ટંકારવાળી લાંબી ભાષા શીખી લે.”
કાંસા ! વધુ બોલવું જ વસ્તુનું મૂલ્ય ઘટાવે છે.' જ કોલસો :
‘ઓ કોલસા ! તેં કદી સ્નાન કર્યું કે નહિ? આવ... હું તને નવડાવું.' ‘જવા દો ભાઇ ! મને નવડાવવાવાળાએ જાતે ફરીથી ન્હાવું
| આકાશગંગા • ૨૬ -
Page #139
--------------------------------------------------------------------------
________________
વિના સહકાર નહિ ઉદ્ધાર :
હાથની આંગળીઓમાં એક દિવસ જોરદાર ઝગડો થઇ પડ્યો. બધી આંગળીઓ કહેવા માંડી : ‘જ મોટી છું.'
તર્જની : હું કેટલું કામ કરું છું? ચિત્ર દોરવામાં મારી જરૂર પડે. લખવામાં, સંકેત કરવામાં, ચૂપ કરાવવામાં, નિષેધ કરવામાં, ચૂંટી ખણવામાં મારી જરૂર પડે જ. માટે હું જ સૌથી મોટી છું. મારા વિના કશું થઇ શકે જ નહિ.
મધ્યમાં : વીણા, વાયોલીન, હાર્મોનિયમ વગેરે વાઘો મારા વિના ક્યાં વાગી શકે તેમ છે ? કદાચ એ કામ મારા વિના પણ થઇ શકતું હોય છતાં પણ મારી મોટાઈ ઘટતી તો નથી જ. કારણ કે કુદરતે મને સ્વાભાવિક રીતે જ મોટાઇ આપી છે, જે કોઈ પણ દૂર કરી શકે તેમ નથી. માટે હું જ મોટી છું.
અનામિકા : તમે બધા રહેવા દો. ખરી મોટાઇ તો મને જ મળી છે. ભગવાનની પૂજા કરવાનો અધિકાર મને જ મળ્યો છે અને ભગવાન કરતાં મોટું બીજું કોણ છે ? માટે હું જ મોટી છું. પ્રભુને સ્પર્શ કરવાનો હક મને જ મળ્યો છે.
કનિષ્ઠા : હું ભલે દેખાવમાં નાની હોઉં, પણ મારું મૂલ્ય જરાય ઓછું નથી હોં ! કાન ખંજવાળવામાં હું કામ આવું છું. કષ્ટ પડે તે વખતે સૌથી પહેલું હું જ બલિદાન આપી દઉં છું. ડાકણ વગેરેના ઉપદ્રવને દૂર કરવામાં મારો ઉપયોગ થાય છે. હું પણ કાંઇ કમ નથી.
આંગળીઓની વાત સાંભળી અત્યાર સુધી મૂંગો રહેલો અંગૂઠો બોલી ઊઠ્યો : ઓ બેનો ! પરસ્પર ઝગડો છો શા માટે? તમારો પતિ હું અહીં બેઠો છું. હું જો સહયોગ ન આપું તો પ્રાય: કોઇ કામ થઇ શકે નહિ. બોલો, મારા વિના તમે લખી શકો ?
ન આકાશગંગા • ૨૬૮ -
ચૂંટી ભરી શકો? કાંતી શકો? પીંજી શકો? મૂઠી વાળી શકો? ગાંઠ ખોલી શકો? શસ્ત્ર ચલાવી શકો ? કપડા ધોઇ શકો? શરીર લૂછી શકો? કાંટો કાઢી શકો ? ગાય દોહી શકો ? અરે... શત્રુનું ગળું દબાવી શકો ? કયું મહત્ત્વનું કામ તમે મારા વિના કરી શકો છો ? એ બતાવો તો ખરા ? અને તિલક વગેરે કામ તો હું જ કરું છું. છતાં હું એમ નથી કહેતો કે હું જ સર્વસ્વ છું. મારે તમને બધાને એટલું જ કહેવું છે કે આપણે ઝગડા છોડીને સંપથી, પરસ્પર સહાનુભૂતિથી જ કામ કરવાનું છે. સમજ્યા ?
અંગૂઠાની વાત સાંભળી આંગળીઓ ચૂપ થઇ ગઇ. મનોમન તેઓ બોલી ઊઠી : સંપ ત્યાં જંપ... વિના સહકાર નહિ ઉદ્ધાર !
ફૂલોનો જવાબ :
અત્તરનો બનાવનારો ખરલમાં ગુલાબના ફૂલોને પીસી રહ્યો હતો. કોઇ તત્ત્વદ્રષ્ટાએ ફૂલોને પૂછ્યું :
મહાનુભાવો ! તમે તો સદા હસતા રહો છો. માનવજાતનો કોઇ અપરાધ કરતા નથી છતાં પીસાવું કેમ પડે છે ?'
‘પ્રિય બંધુ ! અમે હસતા રહ્યા તે જ અમારો ગુનો ! ઇર્ષ્યાળુ માનવ-જાત કોઇનું મધુર સ્મિત જોઇ શકતી નથી, પણ અમે તો હસતા જ રહેવાના, સુગંધ ફેલાવતા જ રહેવાના. સુગંધ ફેલાવતા-ફેલાવતા જીવીશું અને મરીશું. તેમજ મર્યા પછી પણ સુગંધ ફેલાવીશું. - દીવો કહે છે : ૧. મારામાં અને હૃદયમાં એટલો સ્નેહ ભરજો કે સૂવાના
| (મરવાના) સમય સુધી ખૂટે નહિ. ૨. હું અને વિરહી બળી-બળીને જીવીએ છીએ. ૩. જો કે સ્નેહપૂરતો છે, છતાં બહારની હવા ન લાગવા દો.
આકાશગંગા • ૨૬૯ |
Page #140
--------------------------------------------------------------------------
________________
૪. સ્નેહીઓને મારી જેમ સળગવું પડશે. ૫. મને સળગાવ્યા વિના તમારું મંગળ કામ નથી થતું ?
સળગાવો. ૬. હું સળગવાની આદત છોડી શકતો નથી. ૭. મેં મારી જીંદગીમાં અંધારું જોયું નથી. ૮. જેના માટે મને સળગાવ્યો તેને (અંધકારને) મારી
સામે તો લાવો. ૯. દુનિયા કહે છે કે : અંધકાર છે. વગર જોયે પણ
વિશ્વાસ મૂકવો પડશે. ૧૦. અંધારાથી મારું તેજ ખમાતું નથી. ૧૧. ચિંતા ન કરશો. હું તમારું ચરિત્ર જોઉં છું, લખતો નથી. ૧૨. શયનગૃહમાં પણ મને છૂટ છે. ૧૩. મારી જેમ બીજાને ફેરવી-ફેરવીને ઘર બતાવશો નહિ. ૧૪. મારી અને મનુષ્યની કાયા માટીની છે, પણ આત્મા
જયોતિર્મય છે. ૧૫. જે મારી ઉપર રહેશે તેને કાળો કરી નાખીશ. ૧૬, જે દેહમાં અને માટીમાં જયોતિ છે, તેની કિંમત ઓછી નથી. ૧૭. મારો અને માનવજીવનનો કોઈ ભરોસો નથી. ક દરજી કહે છે : ૧. સીવવા માટે મેં ફાડવાનું શીખ્યું છે. ૨. જેને ફાડતાં નથી આવડતું તેને સીવતાં ક્યાંથી આવડશે ? ૩. જે સીવી શકે છે, તેને સોંપી દો, ભલે એ ફાડે, ભલે
એ કાપે. ૪. પ્રભો! મને જીવતો રાખવો હોય તો ફાડનારને જીવાડજે. ૫. સોય અને સ્ત્રી કામ નહિ કરે તો કાટ લાગી જશે.
| આકાશગંગા • ૨૦૦ +
૬. જરા બેધ્યાન થતાં જ સોય અને સ્ત્રી વાંકા ચાલવા
લાગે છે. ૭. ફાડવાવાળાને સીવનાર ક્યાં સુધી પહોંચી શકશે ? સોય કહે છે... ૧. સરળ વ્યક્તિમાં પણ છિદ્ર મળી જાય છે. ૨. જે ગુણવાન (દોરાવાળો) બનશે તે જ બે ભાગને જોડી
શકશે. ૩. ગુણવાન (ગુણ-દોરો)ને તરત જ શોધી શકાય છે. નદી કહે છે : ૧. હું ઉંચા કુળની છું તેથી કંઇક કરી છૂટવાનો મારામાં
જોશ છે. ૨. મારા પપ્પાએ મને કદી નથી કહ્યું : બેટા ! આ રસ્તેથી જજે. ૩. તુચ્છ નારીની જેમ હું પણ ક્યારેક ગુસ્સે થઇ મર્યાદા
તોડી નાખું છું. ૪. યોગિનીની જેમ વિકટ વનમાં પણ હું એકલી ફરું છું. ૫. નારીની જેમ પિયર (પર્વત)થી ઘણું ધન (પાણી)
મળતાં હું નાચવા માંડું છું. એકની એક દીકરીની જેમ મને મારા મા-બાપ બધું જ આપી દે છે. હું મારા પિતાની લાડકી હોવા છતાં પણ પિયરમાં
રહેતી નથી. તરત જ ચાલતી પકડું છું. ૮. મારા પતિદેવ (સાગર) મારા વિના બધાય ને ખારા
લાગે છે. ૯, વહેમી પતિની જેમ મારા પતિએ કદી નથી કહ્યું : તેં વાર કેમ લગાડી ?
આકાશગંગા • ૨૦૧F
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦. પતિવ્રતાની જેમ પતિ પાસે જતાં જ હું મારો સ્વભાવ
તેવો જ (ખારો) બનાવી દઉં છું. ૧૧. નારી ! ૨ડ નહિ. આજનો પુરુષ તારી જેમ મને પણ
બાંધીને ગમે ત્યાં લઇ જવા લાગ્યો છે. ૧૨. ઠીક છે. જો મને બાંધતાં-બાંધતાં માણસ પોતાની
વૃત્તિને પણ બાંધવાનું શીખી જાય. ૧૩. હોઇ શકે છે કે બંધાયેલી કોઇ નારીએ જ પુરુષને કહ્યું
હોય કે તમે મને બાંધીને જેમ ઘર વસાવ્યું તેમ નદીને
પણ બાંધીને રાષ્ટ્ર વસાવો. ૧૪. જે પોતાની મેળે ‘કંઇક' બની શકે છે, તે જ આગળ
વધી શકે છે, જેમ કે હું. ૧૫, જે બીજા વડે ભલે ને કેટલાય મહાન બનાવી દેવાય !
પણ તે ત્યાં જ રહી જાય છે. જેમ કે તળાવ. ૧૬ , નારીની તો ખબર નથી, પણ મારો તો અનુભવ છે
કે બંધાયા પહેલા હું અધિક પવિત્ર હતી. ૧૭. એ તો છે જ કે બંધાયા પછી પણ મારો અને નારીનો
ઘણો ભય રહ્યા જ કરે છે. ૧૮. મને લેવા કોઇ આવતું નથી, પણ આજની સ્ત્રીની જેમ
હું સ્વયમેવ સાસરે ચાલી જાઉં છું; શરમ વિના ! ૧૯. મારા પતિદેવ કહે છે કે આત્મામાં ડૂબો તો ગુણરત્નો
મળે તેમ મારામાં ડૂબકી મારો તો રત્નો મળે. ૨૦. અસ્પૃશ્યતા નિવારણની બાંગ પોકારનારા લોકો પણ
મારા સાસરાનું પાણી પીતા નથી. ૨૧. ભોળી સ્ત્રીની જેમ હું પણ જાણી શકી નહિ કે મારા પતિદેવ અંદરથી કેવા છે.
ન આકાશગંગા • ૨૦૨ -
૨૨. જે સ્ત્રીએ મારી જેમ સમર્પણ શીખ્યું નથી, તે સુખ
શાંતિની આશા છોડી દે. છે ખબર નથી :
ફૂલ : હું તો સુવાસ રેલાવીશ. દુનિયાની દુર્ગધ દૂર થશે કે નહિ ? તેની મને ખબર નથી,
તારા : હું તો પ્રકાશ ફેલાવતો રહીશ. જગતનો અંધકાર દૂર થશે કે નહિ ? તેની મને ખબર નથી.
બિંદુ: હું તો વરસીશ. તળાવ ભરાશે કે નહિ ? ખેતી થશે કે નહિ ? તેની મને ખબર નથી. - એક સૂત્રમાં શ્વાન, યુવાન અને મધવા(ન) :
‘ઓ બાળા ! તું એક જ સૂત્ર (દોરા)માં કાચ, મણિ અને સોનાને કેમ પરોવી રહી છે ?'
મને શું ટોકો છો? પેલા મહાન વૈયાકરણી પાણિનિએ તો વ્યાકરણના એક જ સૂત્રમાં શ્વાન, યુવાન અને મઘવા (ઇન્દ્ર)ને પરોવી દીધા છે !” કલી બોલી : ‘કલી ! તું કેમ હસે છે ?' ‘હું ફૂલ બનવાની છું માટે.' ‘ફૂલ બન્યા પછી તો તને માળી તોડી નાખશે.” ‘આખરે મરવાનું તો છે જ... પરંતુ મર્યા પહેલા સુગંધ તો ફેલાવતી જાઉં !' છે બારી અને દરવાજો :
દરવાજો : હું મોટો છું. મારા દ્વારા જ પ્રવેશ-નિર્ગમ થઇ શકે છે. મારું જગતમાં માને છે.
ન આકાશગંગા • ૨૦૩F
Page #142
--------------------------------------------------------------------------
________________
બારી : શાની ડંફાસ ઠોકે છે? તું ભલે ગમે તેટલો મોટો હોય તોય માલિકને તારા પર જરાય વિશ્વાસ નથી. રાતે કે બહાર જાય ત્યારે તરત જ તને બંધ કરી દેવામાં આવે છે. કારણ કે તું ચોર-ડાકુને રોકી શકતો નથી. હું તો માલિકની પરમ વિશ્વાસુ છું. તેથી મને સદા ખુલી રાખવામાં આવે છે અને હું માલિકને સદા હવા અને પ્રકાશ આપું છું. સોય અને ચારણી : ચારણી : અલી સોયબેન ! તમારામાં તો કાણું છે.
સોય: ભલી ચારણીબેન ! મારામાં તો એક જ કાણું છે, પણ તમારામાં તો કાણી જ કાણા છે. - ઊંટ અને હાથી :
ઊંટ : ભલે લોકો તને મારા કરતાં મોટો ગણતા હોય કે કિંમતી ગણતા હોય, પણ તારા દેદાર તો જો . તારી સૂંઢ વાંકી છે અને દાંત પણ વાંકા છે.
હાથી : મારા તો એક-બે અંગ જ વાંકા છે, પણ તારા તો અઢારેય અંગ વાંકા છે, એનું શું ? - રાત “પડી’ :
રાતરાણી સૂરજ નારાયણ સાથે લગ્ન કરવા દોડી... સૂરજ પશ્ચિમમાં ડૂબી ગયો, પણ તે પહોંચી શકી નહિ. સૂરજને પકડી શકી નહિ. એક જોરદાર ઠેસ વાગતાં તે પડી ગઇ. તેના વિખરાયેલા વાળ અંધકાર બની બધે જ ફેલાઇ ગયા. તેના તૂટેલા હારના મણિઓ તારા બની ગયા. તેને નીચે પડી ગયેલું સિંદૂર સંધ્યા બની ગઇ. તેની તૂટેલી બંગડી ચંદ્ર બની ગઇ ! સાચે જ રાત પડી’ ગઈ !
| આકાશગંગા • ૨૦૪F
* ચકોરનો આપઘાત :
સવારે ચિત્તામાં સળગી મરવા તૈયાર થયેલા ચકોરને જોઇને કોઇએ પૂછ્યું : ‘તું આ શું કરે છે ?”
આપઘાત કરું છું.' કંઇ કારણ ?” ‘ચંદ્રના વિરહના કારણે.' ‘પણ મરવાથી ચંદ્ર મળશે ?'
હા... જરૂર મળશે.' ‘શી રીતે ?”
‘સાંભળો ! મરી ગયા પછી હું રાખ બની જઇશ અને ક્યારેક પાર્વતી સાથે ફરતા-ફરતા શંકર અહીં આવી પહોંચશે. તેઓ શરીરે રાખ (મને) લગાડશે ત્યારે મને ચંદ્રનું દર્શન જ નહિ, પણ મિલન પણ થઇ જશે. મેં સાંભળ્યું છે કે શંકરની જટા પર ચંદ્ર છે. તેમનું નામ પણ ચંદ્રશેખર છે. બસ આ જ કારણે હું બળી રહ્યો છું.” ને ચકોરે અગ્નિમાં ઝંપલાવ્યું.
- કાલિદાસ * ફૂલ અને ફળ : ફૂલે ફળને પૂછ્યું : તું મારાથી કેટલે દૂર છે? ફળે કહ્યું : હું તારા દિલમાં જ છૂપાયેલો છું. (તમારા કાર્યની પાછળ જ ફળ છૂપાયેલું છે. ફળ માટે અધીરા ન બનો - એવું સૂચિત કરેલું છે.)
- ટાગોર * * * આકાશગંગા • ૨૦૫ -
Page #143
--------------------------------------------------------------------------
________________
છે ગ્રીકમાં હોમર. & ફ્રાંસીસીમાં સુલીપ્રાદ હોમેં. રતનચંદ નાગોરમેં : રતનચંદજી નામના કવિએ નાગોરમાં કોઇ ગીત બનાવ્યું : ‘રતનચંદ નાગોર મેં રે ચેતનિયા !'
એક વખત જયારે તેઓ જંગલમાં એકલા હતા ત્યારે તેમને ચોરોએ લૂંટી લીધા, વસ્ત્રો સુદ્ધા ખેંચી લઇ પૂર્ણ નગ્ન બનાવી દીધા. લોકોએ જયારે આ વાત જાણી ત્યારે તેઓ એમના જ ગીતને આ રીતે ગાવા લાગ્યા : ‘રતનચંદ નાગો રમે રે ચેતનિયા !”
કવિયો કા કામ : યહ કામ હૈ કેવલ કવિયોં કા, પાની મેં આગ લગા દેના; પત્થર કો મોમ બના દેના, ઔર આગ મેં બાગ લગા દેના.
[ ૫૩. કાવ્યો કવિ અને પાગલ : છે જેનું કહ્યું સૌને લાગે તે “કવિ'. Cછે જેનું કહ્યું માત્ર પોતાને લાગે તે “પાગલ'. છે સૌને લાગે તે ‘અર્થ'.
છે એકને જ લાગે તે ‘અનર્થ'. * કવિત્વની આઠ માતાઓ : ૧. સ્વસ્થતા ૨. પ્રતિભા ૩. અભ્યાસ
ભક્તિ ૫. વિદ્રકથા ૬. બહુશ્રુતતા ૭. સ્મૃતિદઢતા ૮. ઉત્સાહ ક જુદી-જુદી ભાષાઓના મહાન કવિઓ : Cછે સંસ્કૃતમાં કાલિદાસ. છે હિન્દીમાં તુલસીદાસ. છે ઊર્દૂમાં ગાલિબ. છે અંગ્રેજીમાં શેક્સપિયર. છે જર્મનમાં ગાયથે. 8 ઇટાલિયનમાં દાંતે. છે બંગાળીમાં રવિન્દ્રનાથ ટાગોર. CA ફારસીમાં શેખ સાદી.
| આકાશગંગા • ૨૪s |
કવિઓ શું ન જોઇ શકે ? સ્ત્રીઓ શું ન કરી શકે ? દારૂડિયા શું ન બોલી શકે ? કાગડા શું ન ખાઈ શકે ?
- ચાણક્ય નીતિ ૧0/૪ ચાર પ્રકારના કાવ્ય : ૧. ગદ્ય ૨. પદ્ય ૩. કથ્ય (કથામય) ૪. ગેય (ગાવા લાયક)
- ઠાણંગ ૪/૪/૩૩૯ * * * ન આકાશગંગા • ૨૦૦ F
Page #144
--------------------------------------------------------------------------
________________
૫૪. પધ
રામ કે જમાને મેં રાવણકા વંશ થા, કૃષ્ણ કે યુગમેં ભી મૌજુદ કંસ થા; ઇતિહાસમેં ઐસા સમય કભી નહિ આયા, જબ સરોવર પર બક નહિ, કેવલ હંસ થા. તલવાર કી કિંમત મ્યાનસે નહિ, ધાર સે હોતી હૈ, કપડોંકી કિંમત રંગ સે નહિ, તારે સે હોતી હૈ; કહીં ભી દેખો મહત્ત્વ મૂલકા હોતા હૈ, છિલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ, સદાચાર સે હોતી હૈ. આગે તાલી બજાતે હૈ, પીછે ગાલી દેતે હૈ, રૂપયા નકદ લેતે હૈં, આશ્વાસન જાલી દેતે હૈ, વહ નેતા હૈ તો કચ્ચી ગોલીયા હમને ભી નહિ ખેલી. મૌકા આતા હૈ મતોં કા મુસ્કુરાહટ ખાલી દેતે હૈ, - બિના વરકી બારાત બેકાર હોતી હૈ, બિના સમયકી બરસાત બેકાર હોતી હૈ; મુલ બિના અપરકી કોઈ કદ્ર નહિ હોતી, બિના પ્રેમની મુલાકાત બેકાર હોતી હૈ. આ રોગ હૈ તો રોગકા ઉપચાર ભી હૈ, ફટકાર હૈ તો અતિશય પ્યાર ભી હ; ઘબરાનેકી જરા ભી જરૂરત નહિ, જહર ભી હૈ તો અમૃત કી ધાર ભી હૈ. અંધકાર છે તો પ્રખર પ્રકાશ ભી હૈ, ઔર વિનાશ હૈ તો નવ વિકાસ ભી હૈ; નિરાશ હોને કી કોઇ ભી બાત નહિ, પતન હૈ ઉત્થાન કા અવકાશ ભી હૈ.
| આકાશગંગા • ૨૪૮ |
અસફલ ભી સફલ હો જાતા હૈ. નિર્બલ ભી સબલ હો જાતા હૈ, પરિવર્તનકી હૈ ગજબ ક્ષમતા, કીચડ ભી કમલ હો જાતા હૈ. - લક્ષ્ય નહિ હૈ તો રફતાર બઢાને સે ક્યા હોગા ? બીજ નહિ હૈ તો જલધારા બહાને સે ક્યા હોગા ? બાહ્ય કો છોડકર પહલે મૂલ કો સુસ્થિર કરો,
જીવ નહિ હૈ તો શૃંગાર સજાને સે ક્યા હોગા ? છે સહજતાકા સ્થાન સજાવટ ને કે લિયા હૈ, મૌલિકતાકા સ્થાન મિલાવટને કે લિયા હૈ; આંખ ઊઠાકર દેખો, કિતના બડા વ્યત્યય હો ગયા, આજ ધાર્મિકતા કા સ્થાન દિખાવટને કે લિયા હૈ. કામ ધોખકા હૈ બાત ઇમાન કી હૈ, પૂજા શેતાનકી હૈ ચર્ચા ભગવાનકી હૈ; દુનિયા કી દુ:ખ દુવિદ્યા મિટે તો કૈસે મિટે ? સીરત હેવાન કી હૈ સૂરત ઈન્સાન કી હૈ. કિધર હી દેખો, થોથા પ્રચાર હો રહા હૈ, ધોખે હી ધોખે કા વિસ્તાર હો રહા હૈ; ચાહે શયતાનસે ભી ગયા ગુજરા હો પર, હર કોઇ ભગવાનકા અવતાર હો રહા હૈ. આ દુનિયાકો તલવારસે નહિ પ્યારસે જીતો. વિષકો વિષસે નહિ અમૃત કી ધાર સે જીતો; તુમ યદિ કિસીકા દિલ જીતના ચાહતે હો તો. ફિટકાર સે નહિ મૃદુ વ્યવહાર સે જીતો.
ન આકાશગંગા • ૨૦૯ |
Page #145
--------------------------------------------------------------------------
________________
* હારકો જીતમેં બદલનેકી કલા શીખો,
રુદન કો ગીતમેં બદલનેકી કલા શીખો; અગર જીંદગીકી અસલિયતકો પાના હૈ તો, બૈરકો પ્રીતમેં બદલનેકી કલા શીખો. * ઇતિહાસ સદા ઉનકે ગુણ ગાતા હૈ,
જો દીપકકી તરહ તિલ તિલ જલતે હૈ; ઔર વિષકી ઘુંટે પી-પી કર ભી પ્રતિપલ અમૃત કી ધાર ઊગલતે હૈ;
બીજલી કડકે તૂફાન સતાઇ ધરતી-અંબર
જગકા કણ કણ રૂઠ જાયે,
ફિર ભી અપને નિર્ણીત પથકો,
અંતિમ સાંસ તક કભી નહિ બદલતે હૈ.
* યહાં ૫૨ જન-જનકી જીભ પર તુમ્હારા નામ હૈ, લાખો કે જીવનકા આધાર તુમ્હારા પૈગામ હૈ;
પર જાને કે બાદ તુમને દીદાર ભી નહિ દિખાયા, દેવતા ! બતાઓ તો સહી યહ કૈસા વિરામ હૈ. * તલહટી મેં ખડા હૂ પર માનતા હૂં કિ શિખર પર ચઢ ગયા હૂં જાનતા કુછ ભી નહિ પર માનતા હૂં કિ સબ કુછ પઢ ગયા હૂં; અભિમાન કા ધૂંઆ કૈસા છાયા હૈ કિ કુછ દિખાઇ નહિ દેતા, સબસે પીછે હું પર માનતા હૂં કિ સબસે આગે બઢ ગયા હૂં. * દુ:ખ કો સુખમેં બદલને કી કલા શીખો,
વિરહ કો મિલન મેં બદલનેકી કલા શીખો;
અભાવ કો ભાવસે કર દો મંડિત,
રાગ કો વિરાગ મેં બદલને કી કલા શીખો.
આકાશગંગા • ૨૮૦
* ભગવાનકો પહિચાનના હૈ તો પહલે ઇન્સાન કો પહિચાનો, ઔર અધ્યાત્મકો જાનના હૈ તો પહલે ઇમાનકો જાનો; બિંદુ કો પહચાને બિના બોલો, સિન્ધુકો કૈસે પહચાનોગે ? ભગવાન કે એહસાનસે પહલે આદમી કે એહસાન કો માનો.
* કિસીકે બિના બુલાએ કભી મત બોલો,
ઔર કિસ દાતા કે બિના જોલી મત ખોલો; યહ બાત શાયદ તુમ્હે મુશ્કિલ સે જંચે,
પર રેતાલે દિલ પર કભી ધૃત મત ઘોલો.
* જો અપની પહચાન કરા દે વહ જ્ઞાન હૈ, જો ઉલઝે કો સુલઝા દે વહુ ધ્યાન હૈ; સબસે તો પ્રતિપલ મિલતા હૈ આદમી, પર જો અપને સે મિલા દે વહ નિર્વાણ હૈ.
* વર્તમાનકી દુનિયાકા પ્રાણ હૈ પૈસા, ઔર સબસે બડા સન્માન હૈ પૈસા; પૈસા હી પ્રેમ ઔર પૈસા હી ન્યાય, આજ કલકે લોગોંકા ભગવાન હૈ પૈસા.
* જીંદગીકા સર્વોત્તમ ઉલ્લાસ હૈ પૈસા, મહાન સે મહાનતમ વિકાસ હૈ પૈસા; બિના પૈસે કે પગ-પગ પર હૈ અંધેરા, આજકે સંસારકા પ્રકાશ હૈ પૈસા.
* સબ સમસ્યાઓં કા સમાધાન હૈ પૈસા, સારે હી સદ્ગુણોંકી ખાન હૈ પૈસા; ઔર કસોટીકી જરૂરત નહિ,
અચ્છે બૂરેકી પહચાન હૈ પૈસા.
આકાશગંગા : ૨૮૧ -
Page #146
--------------------------------------------------------------------------
________________
* સબસે ઊંચી આવાજ હૈ પૈસા,
સબ સંબંધોંકા સરતાજ હૈ પૈસા; સ્વર્ગકી સીટકા મિલતા હૈ સર્ટિફિકેટ, કુછ પતા નહિ ક્યા રાજ હૈ પૈસા ? * અમાવસ્યા કિસ માસમેં નહિ આતી, થકાવટ કિસ રાહ મેં નહિ આતી ? ઇસ સંસારમેં કોઇ બતાઓ તો સહી, સમસ્યા કિસ ચાહમેં નહિ આતી ?
* ઐસા દીપ જલાઓ કિ કભી બુઝે હી નહિ, ઐસા ફૂલ ખીલાઓ કિ કભી મુરઝે હી નહિ; સુલઝાકર અપની હર ચેતનાકા તાર,
ઐસા હાર બનાઓ કિ કભી ઉલઝે હી નહિ.
* ભૂખ લગના આદમીકી પ્રકૃતિ હૈ, છીન ખાના આદમીકી વિકૃતિ હૈ; અપને અતિથિ કો ખિલાયે પ્રેમસે, બાંટ ખાના આદમીકી સંસ્કૃતિ હૈ. * જીવન મેં મિલા ઉસે જીના શીખો, કપડા ફટ ભી ગયા તો સીના શીખો; આદમી બને હો તો રોને સે ક્યા હોગા ? જીવન યદિ જહર હૈ તો પીના શીખો.
* હર જલતે દીપકકે તલે અંધેરા હોતા હૈ, હર અંધેરી રાત કે પીછે સબેરા હોતા હૈ; ઘબરા જાતે હૈ લોગ મુસીબત કો દેખકર, હર મુસીબત કે પીછે સુખકા ડેરા હોતા હૈ. આકાશગંગા • ૨૮૨ -
* ઊડતા હુઆ પંખી કહ રહા હૈ, મુઝસે ઊંચે ઊડના શીખો, ખીલતા હુઆ ફૂલ કહ રહા હૈ કિ મુઝસે મહેકના શીખો; કહ રહી હૈ પ્રકૃતિકી હર મૂર્તિ-અમૂર્ત દાસ્તાનેં હમકો, ઇન્સાન હોકર ઇન્સાનકી તરહ તુમ જીના શીખો.
* યદિ પેટમેં ભોજન પચ જાય તો શક્તિ કોઇ દૂર નહિ, યદિ ધર્મમેં જીવન રંગ જાય તો મુક્તિ કોઇ દૂર નહિ; જિન્હોંને બેપરિજ સે ખાયા ઔર ધર્મકા ઢોંગ દિખાયા, તો ઇસકે લિયે પાતાલ ઔર અસ્પતાલ દૂર નહિ.
• આદમી કે હૃદયમેં અનુરાગ હોના ચાહિએ, આદમીકે જીગરમેં એક આગ હોની ચાહિએ. ઇન સારી બાતોંકો બનાયે રખને કે લિએ, આદમી કે જીવનમેં કુછ ત્યાગ હોના ચાહિએ. * પ્રાકૃતિક સૌંદર્ય કે તાજકો કશ્મીર કહતે હૈ, દિખાયે રણમેં કૌશલતા ઉસે રણવીર કહતે હૈ;
હર કાર્યમેં પુરુષાર્થ વ કર્મ કે સંયોગ સે જો,
મિટાએ પાપ કર્મો કો ઉસે (મહાવીર) કર્મવીર કહતે હૈ.
* ઇન્સાન ઇન્સાન નહિ હૈ વહ ભગવાન હૈ,
કુદરતકી સબસે ઊંચી મુસ્કાન હૈ;
ઉસ સમય બડા દર્દ હોતા હૈ, મેરે દિલમેં, જબ કોઇ કહતા હૈ આદમી હૈવાન હૈ.
* આજકી ચતુરાઇકા યહ અદ્ભુત નમૂના હૈ, દિખાતે સિમેન્ટ હૈ લગાતે ચૂના હૈ;
બહુત બડા વિપર્યય આ ગયા જીવન વ્યવહારમેં, આદમી બતાતા દિલ્હી ઔર પહુંચતા પૂના હૈ. આકાશગંગા • ૨૮૩ -
Page #147
--------------------------------------------------------------------------
________________
તુમને કહા : ઉચ્ચતાકા આધાર જાતિ નહિ આચાર હૈ, તુમને કહા : ઉત્ક્રાંતિકા આધાર તલવાર નહિ પ્યાર હૈ; અક્કડ કર ઉંચે ખંભે પર બૈઠનેવાલોં ! જરા ધ્યાન દો, બડપ્પનકા આધાર અહં નહિ મૃદુ વિનમ્ર વ્યવહાર હૈ. - આદમી અબ જાનવરકી સરલ પરિભાષા બના હૈ, ભસ્મ કરને વિશ્વકો આજ દુર્વાસા બના હૈ;
ક્યા જરૂરત હૈ રાક્ષસોંકી ચૂસને ઇન્સાનાંકો, જબ આદમી હી આદમી કે ખૂનકા પ્યાસા બના હૈ. પિંજરા તો ખુલ ગયો મગર પાંખ તૂટી ગઇ, દિયા તો જલ ગયા મગર આંખે ફુટ ગઇ, જીંદગી મેં આદમી કો બૈઠને કે લિએ, પંથ તો મિલ ગયા પર રફતાર છૂટ ગઇ. જીંદગી ભર મજદૂરી કરકે તિજોરી ભર દી હૈ, પરિવાર બઢાકે બડી ફોજ ખડી કર દી હૈ; કિંતુ જીવનમેં ધર્મધ્યાન નહિ કિયા તો,
માન લો કે નર્કકી સીટ ભી રિઝર્વેશન કર લી હૈ. ક સો ફૂલ કમ હૈ દુલ્હન કો સજાને કે લિયે,
એક ભૂલ કાફી હૈ ઉન્માર્ગ મેં ગિર જાને કે લિએ; સો સો ખુશીયાં કમ હૈ જીંદગી કો હસાને કે લિએ, એક ગમ કાફી હૈ જીંદગીભર સલાને કે લિએ. સ્વરકે બિના સંગીત નહિ મિલતા, દિલકે બિના મીત નહિ મિલતા; ધર્મક બિના શાંતિ ચાહનેવાલો, દૂધ કે બિના નવનીત નહિ મિલતા.
| આકાશગંગા • ૨૮૪ |
આ દીપકો તપે બિના પ્રકાશ નહિ મિલતા, (મંત્ર) બીજકો જપે બિના વિકાસ નહિ મિલતા; આદમી હી તપ-જપ સે બનતા હૈ સબ કુછ, કિસીકા બનાયા ઇતિહાસ નહિ મિલતા. યદિ મૂલ મજબૂત નહિ તો કુછ નહિ, ઔર પૂત-સપૂત નહિ તો કુછ નહિ; ઇધર-ઉધર કી દલીલે ભલે પેશ કરો, પર કોર્ટ મેં સબૂત નહિ તો કુછ નહિ. જન ગણ મન અધિનાયક જ્ઞાતપુત્ર ! નમસ્કાર હૈ, ઔર સમતા સંગાયક ધર્મપુત્ર ! તુર્તે નમસ્કાર હૈ; કાબિલ એ ગૌર’ નહિ ‘કાબિલ એ અમલ' હૈ તેરા પૈગામ, સત્યં શિવ સુંદર અહિંસા-પુત્ર તુમ્હ નમસ્કાર હૈ. સવાલ જલનેકા નહિ પ્રકાશ કા હૈ, સવાલ પલનેકા નહિ વિશ્વાસ કા હૈ; કાંટો સે આકીર્ણ વિહડ પથ પર, સવાલ ચલનેકા નહિ વિકાસકા હૈ.. બિના ચાંદની, ચાંદ ખિલતે ન દેખા, બિના સ્નેહકે દીપ જલતે ન દેખા; બિના બાદલકે રહી ભૂમિ પ્યાસી, બિના પ્યાર જીવન સંભવતે ન દેખા. કે મેધાવી કભી ગમગીન નહિ હોતા, પરિસ્થિતિયોં કે આધીન નહિ હોતા; ધાગા પરોઇ હુઈ સૂઇકી તરહ, ઇસિલિએ વહ કહી વિલીન નહિ હોતા.
| આકાશગંગા • ૨૮૫ |
Page #148
--------------------------------------------------------------------------
________________
છે ધરા પુકારને લગી :
ગગન પુકારને લગા, ઊઠો મનુષ્ય, ચેતનાકા સ્વન પુકારને લગા. નએ દિવસકે આદિ મેં, નિશાકા અંત હો ગયા, હંસી વિભા, સમસ્ત સૃષ્ટિ મેં વસંત હો ગયા, ગલી-ગલી ખિલે સુમન, યહાં ચમન વહાં ચમન, ફબન ધરાકી દેખ લો, ગગન પુકારને લગા, ઊઠો મનુષ્ય, ચેતનાકા સ્વન પુકારને લગા, હરે-ભરે સુરંગ ભરે, અસંખ્ય સ્વપ્ન કો જુટા, પડે રહે હો સેજ પર, અમોલ જીંદગી લુટા, સ્વપ્ન તો નહિ સ્વજન, કુવ્યંગ-વ્યંગકા છલન, લુટે ગયે બહુત, ઊઠો... સૃજન પુકારને લગા, ઊઠો મનુષ્ય ! ચેતનાકા સ્વન પુકારને લગા, કિ દાગદાર જીંદગીકી, માગ અબ સંવર રહી, અભી ઊઠેગી પાલકી, કિ ઢોલકી ઊભર રહી, પાયલોંકા રૂનૂન-ઝૂનૂન, પિયા મિલન-પિયા મિલન, ઊઠો બરાત દેખ લો, સગુન પુકારને લગા, ધરા પુકારને લગી, ગગન પુકારને લગા, ઊઠો મનુષ્ય, ચેતનાકા સ્વન પુકારને લગા.
જીંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી. જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે જાતે મન, થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી. જોઇ લેવું આપણે, જોનારને પણ છૂટ છે, આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી. ભાન ભૂલી વેદનાઓને વલૂરી નાખવી; જવાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી. જામમાં રેડાય તેને પી જવાનું હોય છે, ઘૂંટડે ને ઘૂંટડે તાસીર પૂરી રાખવી. કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું થોડુંક રહેવું ઘેનમાં થોડીક ઘુરી રાખવી. ઝંખનાઓ જાગતી બેઠી રહે છે. રાત-દિન, જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી. એમના દરબારમાં તો છે શિરસ્તો ઓર કંઇ, ફંક સૂરીલી અને બંસી મધુરી રાખી. બાજ થઇને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર, દર્શક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી. દશા પર દાઝનારને દશા પર દૂઝનારાઓ ! નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ; દશા તો છે સડક જેવી, સડક ચાલી નથી શકતી,
સડકને ખુંદનારાને સડક ઝાલી નથી શકતી. જ ફૂલ પર બેઠા હતા કેટલા ફોરા હતા ! ચાંદની ફીક્કી પડે, એટલા ગોરા હતા ! ફૂંક પણ મેલા કરે, એટલા કોરા હતા !
આકાશગંગા • ૨૮૦ -
| આકાશગંગા • ૨૮૬ -
Page #149
--------------------------------------------------------------------------
________________
અવસર જાસી ચાલ : આજ કહે હર કાલ ભજુંગા, કાલ કહે ફિર કાલ; આજ હી કાલ કરતડા, અવસર જાસી ચાલ.
- કબીર પપ્પા નહિ, ડેડી : શિષ્યા કો સમઝા રહે, ત્રિગુણાચાર્ય ત્રિશૂલ, ડેડી કહને કી પ્રથા, સંસ્કૃતિ કે પ્રતિકૂલ. સંસ્કૃતિ કે પ્રતિકૂલ ? લાડલી લડકી ભોલી; કરકે નીચી નજર, મંદ સપ્તમી મેં બોલી. પાપા કહને સે હમકો, મુશ્કિલ આતી હૈ; ટકરાતે હૈ હોઠ, લિપસ્ટિક હટ જાતી હૈ.
આંખ પણ આઘી પડે, એટલા ઓરા હતા ! હે પ્રભુ ! તુજ રૂપનાં, કેટલાં મહોરાં હતાં ! - કૈસે શીખા ? ન હંસ કે શીખા હૈ, ન રોકે શીખા છે: જો કુછ ભી શીખા હૈ, કિસીકા હો કે શીખા હૈ. છે દુઃખમય સંસાર : હર સાંઝ વેદના એક નઈ, હર ભોર સવાલ નયા દેખા; દો ઘડી નહીં આરામ કહીં, મૈને ઘર ઘર જાકર દેખા. તિતલિયાં હૈ ફૂલ ભી હૈ કોકિલાએ ગાન ભી હૈ, ઇસ ગગનકી છાહ માનો, મહલ ઉદ્યાન ભી હૈ; પર જિન્હેં કવિ ભૂલ બૈઠે, વે અભાગે મનુજ ભી હૈ, હૈ સમસ્યાઍ વ્યથાઍ ભૂખ હૈ અપમાન ભી હૈ. ફૂલ થોડે હૈ પાત બહુત હૈ, કામ અલ્પ હૈ બાત બહુત હૈ, પ્યાર લેશ આઘાત બહુત હૈ, યત્ન સ્વલ્પ વ્યાઘાત બહુત હૈ; મંજિલ મેં પગ-પગ પર દેખા, વિજય અલ્પ હૈ હાર બહુત હૈ, સાર સ્વલ્પ નિઃસાર બહુત હૈ, સુંદર કમ ભંગાર બહુત હૈ, ..જો ચરણ જલતે નહિ : સિદ્ધિ સે પહલે કભી જો બીચ મેં સકતે નહિ, જો કભી દબકર કિસી કે સામને ઝૂકતે નહિ; જો હિમાલય સે અટલ હૈ સત્ય પર હિલતે નહિ, આગ પર ચલતે હુએ ભી જો ચરણ જલતે નહિ, ઉન પગો કે રજકણોં કા નામ કેવલ જીંદગી.
- રામાવતાર | આકાશગંગા • ૨૮૮ -
જાત ન પૂછો સાધુ કી, પૂછ લીજિયે જ્ઞાન; મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન.
- કબીર
ઇન્સાન કી પહિચાન : શસ્ત્ર કી પહિચાન ધાર સે હોતી હૈ, વસ્ત્ર કી પહિચાન તાર સે હોતી હૈ, ઇન્સાન કા પૈર્ય કૈસા હે ? ઇસકી પહિચાન. જીત સે નહિ, હાર સે હોતી હૈ. વડા વડા’ કેમ બન્યા ? પહલે થે હમ મર્દ, મર્દ સે નાર કહાયે, કર ગંગામેં સ્નાન, પાપ સબ દૂર ગમાયે; કર પત્થર સે યુદ્ધ, ઘાવ બરછી કે ખાય, નીકલ ગયે જબ પાર, તબ હમ ‘બડે’ કહાયે.
આકાશગંગા • ૨૮૯ -
Page #150
--------------------------------------------------------------------------
________________
* જગત દિવાના :
ઝૂઠા સાચા કર લિયા, વિષ કો અમૃત જાના; દુઃખ કો સુખ સબ કોઇ કહે, ઐસા જગત દિવાના.
* સબ જગ દેખ્યો છાન :
દામ વિના નિર્ધન દુ:ખી, તૃષ્ણાવશ ધનવાન; કછુ ના સુખ સંસાર મેં, સબ જગ દેખ્યો છાન.
- કબીર
* ઐસા કોઇ ત્યૌહાર નહિ :
સૂર્ય ગરમ હૈ ચાંદ દગીલા, તારોં કા સંસાર નહિ હૈ; જિસ દિન ચિતા નહિ સુલગેગી, ઐસા કોઇ ત્યૌહાર નહિ હૈ. * હાય રે !
- કબીર
છોડકર નિઃશ્વાસ કહતા હૈ નદી કા યહ કિનારા, ઉસ કિનારે પર જમા હૈ, જગત ભર કા હર્ષ સારા;
મેરા એક ન સહ સકા, કહાં રખું દૂજા વીસ ? * માલિક કો યાદ કર :
લડકપન જીંદગાની કી સહર હૈ,
જુવાની જીંદગી કી દોપહર હૈ;
બૂઢાપા શામ હૈ માલિક કો યાદ કર,
યહ દમ કિસ વક્ત નીકલે ક્યા ખબર હૈ ?
વહ કિનારા કિંતુ લંબી સાંસ લેકર કહ રહા હૈ, હાય રે ! હર એક સુખ ઉસ પાર હી ક્યા બહુ રહા હૈ ? * સુખીઆ મિલા ન કોઇ...
સારી દુનિયા ઢૂંઢ ફિરા, સુખીઆ મિલા ન કોઇ; જિસકે આગે ભૈ ગયા, પહલે સે વહ રોઇ; મૈંને કહા મેરા એક દુઃખ, ઉસને કહા એકબીસ,
***
આકાશગંગા = ૨૯૦ -
સાહિત્યને આવકાર
-: શાલિભદ્ર મહાકાવ્યમ્ :
જૈન જગત માટે શાલિભદ્ર જેટલા પરિચિત છે, એથી કઇ ગણું વધુ અપરિચિત હોય તો આ ‘શાલિભદ્ર મહાકાવ્ય' છે. અનેક દૃષ્ટિએ આ કાવ્ય અવનવું છે. શબ્દ, છટા, કાવ્યકલ્પના, અદ્ભુત કવિત્વ, ચિત્તને ચમત્કૃત કરે તેવી ગૂંથણી આ અને આવી અનેક વિશેષતાઓથી આ કાવ્ય અદ્ભુત હોવા છતાં બહુ પ્રસિદ્ધ ન હતું. પ્રસ્તુત નવ સંસ્કરણ-નવનિર્માણ દ્વારા હવે આ કાવ્યનું વાંચન વધુ વ્યાપક બનશે. સંસ્કૃત સાહિત્યનું પ્રકાશન અને સંસ્કૃત-ટીકાનું સર્જન આજે જ્યારે વિરલ-ઘટના સમું બની રહ્યું છે, ત્યારે પૂજ્ય મુનિરાજશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ દ્વારા થયેલ આ સર્જન પ્રકાશનને બિરદાવવા શબ્દો જડતા નથી. સુંદર શુદ્ધ ઓફસેટ મુદ્રણ, અત્યંત ટકાઉ કાગળ અને મનોહર મુખપૃષ્ઠ ધરાવતા આ દળદાર પ્રકાશનમાં કચ્છના ઉપકારી ગુરુદેવોના પરિચય સાથે મનફરાનો ઇતિહાસ, ભવ્ય પ્રતિકૃતિ સાથે જિનાલયની ગૌરવગાથા, મનફરાના દીક્ષિતોની નામાવલિ, પૂ.આ. શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ., પ.પૂ.પં. શ્રી પુણ્યપાલ વિ.ગ. (હાલ આચાર્ય) તથા પૂ.મુ. શ્રી મહાબોધિ વિ.મ.ના આશીર્વાદ પ્રસ્તાવનાત્મક લખાણો, શાલિભદ્ર ચરિત્રોની સૂચિ, શ્રી મુનિચંદ્રવિજયજી મ.ના વિદ્વત્તાભર્યા સંસ્કૃત-ગુજરાતી ‘કિંચિત્’ લખાણ, શાલિભદ્ર કાવ્યસાર, વિસ્તૃત અનુક્રમ આદિ રજૂ થયેલ છે. આ પછી કાવ્ય, એની પરથી નવ્ય ટીકા અને પછી ગુજરાતી શ્લોકાર્થઃ આ પદ્ધતિથી ૧૨૨૪ શ્લોક પ્રમાણ શાલિભદ્ર મહાકાવ્ય રજૂ થયું છે.
આકાશગંગા ૦ ૨૯૧ -
Page #151
--------------------------------------------------------------------------
________________
આ મહાકાવ્યની મનોહરતા સંસ્કૃતના અભ્યાસી જ જાણી શકે, છતાં માત્ર વાંચન કરવા દ્વારા પણ જેનું શબ્દ લાલિત્ય આકર્ષી જાય એવું આ કાવ્ય છે. અપ્રસિદ્ધ અને ઓછું પઠનીય આ કાવ્ય પ્રસ્તુત ‘શાલિભદ્ર મહાકાવ્યમ્'ના પ્રકાશન દ્વારા જરૂર વધુ પ્રસિદ્ધ અને પઠનીય બની રહેશે, એ નિઃશંક છે. આ બદલ પૂ. મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મહારાજની જ્ઞાન સાધનાને જેટલી બિરદાવીએ, એટલું ઓછું જ ગણાય.
- ‘કલ્યાણ’ વર્ષ ૪૮, અંક-૧૨, માર્ચ-૧૯૯૨
: આવો બાળકો વારતા કહું :રમૂજ, ચતુરાઇ, સાહસ વગેરેને આલેખતી કુલ ૧૭ બાળવાર્તાનું આ એક રૂપકડું પ્રકાશન છે. એક સરખી દેખાતી ત્રણ પૂતળીઓ સાંભળવા બાબતમાં કઈ રીતે જુદી પડે છે, તે કવિ કાલિદાસે કેવી રીતે શોધી કાઢયું કે બકરાના ટોળામાં ઊછરતાં સિંહનાં બચ્ચાંને એના સિંહત્વની ખબર કેવી રીતે પડી, તેવી બાળ વાચકને સમજાય, રસ પડે તેવી આ કથાઓ મુનિશ્રી મુનિચંદ્રવિજયજીએ અહીં અત્યંત રસાળ શૈલીમાં આલેખી છે. બાળકના વિસ્મય અને જિજ્ઞાસાથી ભર્યા વિશ્વમાં એને રસ પડે તેવા કથા-વસ્તુને પ્રાસાદિક શૈલીમાં આલેખવાની લેખકમાં સરસ ફાવટ હોઇ તેઓ અહીં એક કુશળ બાળવાર્તાના સર્જક તરીકે ઉપસ્યા છે. કથાનકને અનુરૂપ અને રંગ-બેરંગી ચિત્રો આ વાર્તાઓને હોંશે-હોંશે વાંચવી ગમે તેવી આકર્ષક બનાવે છે. પ્રત્યેક વાર્તાનો અંતે એમાંથી નીકળતો જીવન-બોધ લેખકે આપ્યો છે. આત્માની મુક્તિ, માનવ-દેહનું મૂલ્ય, જિનાજ્ઞામાંથી ભાગવાની સજા, સુખ-દુ:ખની સમજણ, લોભી વૃત્તિ વગેરેના
ન આકાશગંગા • ૨૯૨ -
મૂળમાં પ્રવેશવાની સમજૂતી લેખકે આપી છે. ચાર-પાંચ વર્ષના બાળક માટે આવો અર્થ-બોધ ભારેખમ બની રહે તેવી શક્યતા છે. પણ એથી મૂળ વાર્તાઓનો રસ બિલકુલ ઓછો થતો નથી. એટલે ફક્ત રસપૂર્વક વાર્તાઓ વાંચવા માટે પણ બાળકોને અવશ્ય ગમે તેવું આ પુસ્તક બન્યું છે. એમાંથી તારવેલો ઉપદેશ મોટેરા વાચકોને અવશ્ય માર્ગદર્શક બની રહેશે.
સુઘડ છાપકામ, આકર્ષક ચિત્રો અને સરળ રજૂઆત પુસ્તકનું આકર્ષણ વધારે તેવાં છે. - “જન્મભૂમિ-પ્રવાસી’ મુંબઈ, રવિવાર, તા. ૪-૧૧-૧૯૯૦
* * * -: વાંચવા અને વસાવવા યોગ્ય આ પુસ્તક :
પુસ્તકના આરંભમાં નવકાર મંત્ર તથા ‘એક ધૂન’ આપવામાં આવેલ છે. પંચોતેર પૃષ્ઠોમાં સત્તર વાર્તાઓ સરળ, સાદી શૈલીમાં રોચક તથા ગ્રાહ્ય બને તે રીતે ભિન્ન ભિન્ન વાર્તાઓના પાત્રોના ભાવોચિત ચિત્રો સાથે આપવામાં આવેલ છે.
જ્ઞાન સાથે ગમ્મત પમાડે એવી પ્રેરક આ પ્રત્યેક વાર્તાઓના અંતે તાત્ત્વિક રીતે છણાવટપૂર્વક બોધ-જ્ઞાનસભર ટૂંક સસાર તથા શૈક્ષણિક હેતુને પાર પાડે તેને અનુરૂપ સ્વાધ્યાય આપવામાં આવેલ છે.
- કચ્છમિત્ર
-: ઇસે જીંદગી કહતે હૈ... :આ પુસ્તકમાં ગુજરાતના ઇતિહાસની સુપ્રસિદ્ધ બંધુબેલડી વસ્તુપાળ-તેજપાળની જીવન-કથા તથા તે સમયના
ન આકાશગંગા • ૨૯૩ |
Page #152
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસ-પ્રવાહને મુનિશ્રી મુનિચંદ્રવિજયજીએ નિજી પ્રાસાદિક શૈલીમાં આલેખન કરેલ છે.
અનેક કવિઓ, લેખકો, વિદ્વાનો, કલાકારોએ નિજી રચનાઓ દ્વારા ગુજરાતી ઇતિહાસના આ બંને પ્રતાપી પુરુષોના યશોગાન કરતા રહ્યા છે.
એમ કહેવાયું છે કે ‘સંતોને લોક-સુલભ ભાષામાં ઉપદેશ આપવાની હથોટી હોય જ છે.' જેની પ્રતીતિ આ પુસ્તકના વાચકને પણ થાય છે – મુનિશ્રીએ પ્રયોજેલી ને આ પુસ્તકના પાને-પાને પથરાયેલી સુબોધક ચિંતન કણિકાઓ દ્વારા.
- કચ્છમિત્ર
***
-: જ્ઞાનસાર ઃ(ગદ્યપદ્યાનુવાદ સહિત)
અનુવાદક : પૂ. મુનિરાજશ્રી મુનિચંદ્રવિજયજી મ. પ્રકાશક : ગાગોદર જૈન સંઘ
તા. રાપર, જી. કચ્છ, ગાગોદર - ૩૭૦ ૧૪૫, ૩૨ પેજી ડેમી સાઇઝ,
પેજ : ૧૩૬, મૂલ્ય : ૧૦
પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરશ્રીની અમરરચના જ્ઞાનસાર ચિંતન કાવ્ય પર ગદ્ય અને પદ્યમાં શ્લોકાનુવાદ રજૂ કરતી આ પ્રથમ જ કૃતિ પ્રસિદ્ધિ પામી રહી છે. જે જ્ઞાનસારનો શ્લોકાર્થ સમજવા ખૂબ જ ઉપયોગી નીવડી શકે એવી છે. આકર્ષક રૂપ-રંગમાં પ્રસિદ્ધ થયેલ આ પુસ્તિકાનું મુખપૃષ્ઠ પણ આકર્ષક છે. ચતુરંગી સ્ક્રીનમાં મુદ્રિત મુખપૃષ્ઠ ધરાવતી આ કૃતિ દ્વારા પૂ. મુનિશ્રીએ ટૂંકા છતાં ચોટદાર શબ્દોમાં આકાશગંગા ૦ ૨૯૪ -
જ્ઞાનસારને પદ્ય-ગદ્યમાં રૂપાંતરિત કરીને મુમુક્ષુ-જીવોને સ્વાધ્યાયનું એક સુંદર આલંબન પૂરું પાડ્યું છે. પૂ.આ.શ્રી કલાપૂર્ણ સૂ.મ.ના આશીર્વાદથી પ્રકાશિત આ કૃતિ ‘જ્ઞાનસાર’ના પ્રચાર - પ્રસારમાં પોતાનો ફાળો નોંધાવી જશે, એ નિઃશંક છે. 'કલ્યાણ', નવેમ્બર-૧૯૮૭
✰✰✰
-: ઇસે જિંદગી કહતે હૈ :
પૂ. મુનિશ્રી મુનિચંદ્રવિજયજી મ. (આ.વિ. કલાપૂર્ણસૂરિજી મ.ના સમુદાયના) પ્રકાશક : કારીઆ મણસી લખધીર પરિવાર, મુ.પો. મનફરા, તા. ભચાઉ (જિ. કચ્છ), કિંમત : રૂા. ૩૦/-, પૃષ્ઠ : ૧૬૦, પાકું બાઇન્ડીંગ, લેઝરપ્રિન્ટ, વસ્તુપાળ-તેજપાલની તેજસ્વી ઐતિહાસિક તવારીખ જૈન જગતની જાહોજલાલી વધારતી આજ સુધી અકબંધ રહી છે. તેને પૂજ્ય મુનિરાજશ્રી ઓજસ્વી ભાષામાં અહીં રજૂ કરી રહ્યા છે. મુનિરાજશ્રીની વાર્તા રજૂ કરવાની રીત ખૂબ રઢિયાળી છે. સહેજ પણ કંટાળો ન આપતી ભાષા પદ લાલિત્ય સહિત - નિર્મળ ગંગાની જેમ વહેતી રહે છે. જૈન જગતના દૈદિપ્યમાન સૂરજ-ચાંદા જેવી બંધવબેલડીનાં પુણ્યતેજનો નિખાર પાને પાને જોવા મળશે. જૈન જગતના ઇતિહાસને વફાદાર રહી સુચારૂ રૂપે કથાને વહેતી મૂકવી - ક્યાંય પરિધિ બહાર ન જવું - એ જ મુનિશ્રીનું સાત્ત્વિક બળ છે. અનેક ગ્રંથોમાં વર્ણવાયેલી આ કથા અહીં સુંદર રીતે સજાવટ પામી બહાર આવી છે. લેખક - પ્રકાશક આપણા અભિનંદનના અધિકારી બન્યા છે. શાંતિસૌરભ, એપ્રિલ-૧૯૯૨
**
આકાશગંગા ૦ ૨૯૫ -
Page #153
--------------------------------------------------------------------------
________________
છે. ભાવવાહી શબ્દો ઘણું કહી જાય તેવા છે. આ પ્રકાશનોની એક વખત ઉડતી મુલાકાત લેવા જેવી છે.
- શાંતિસૌરભ, એપ્રિલ-૧૯૯૨
-: બજે મધુર બંસરી :(લેખક ઉપર મુજબ), પ્રાપ્તિ સ્થાન : ચંદ્રકાંત જે. વોરા, ‘ફૂલવાડી’ ભચાઉ-૩૭૦ ૧૪૦ (જિ. કચ્છ), પૃષ્ઠ : ૨૦૦, ‘શાંતિસૌરભ' માસિકમાં પ્રકટ થયેલા ૨૮ કથા પ્રસંગો આ પ્રકાશનમાં સંગૃહીત કરવામાં આવ્યા છે. જૈન શાસનના સાગરમાં સંઘરાયેલા અણમોલ રત્નો જેવા આકમનીય કથા પ્રસંગો ખૂબ જ હૃદયંગમ બને તેવા છે. - વિદ્વાન-પ્રવચનકાર-લેખક પૂજયશ્રીની કલમે આલેખાયેલા આ કથાલેખો ઘણું ઘણું કહી જાય તેવા છે. શાં સૌ ના વાચકો પૂજયશ્રીની કલમથી સુપેરે પરિચિત છે. પૂજયશ્રીનાં પ્રકાશનો ખાસ વાંચવા વસાવવા જેવા છે. (કિંમત લખી નથી).
- શાંતિનાથ સૌરભ, એપ્રિલ-૧૯૯૨
-: બજે મધુર બંસરી :‘કલ્યાણ'ના વાચકો માટે જેમની લેખિની જાણીતી જ નહિ, માણીતી પણ છે, એ શ્રદ્ધેય લેખકશ્રીએ જૈન ઇતિહાસમાંથી વીણી-વીણીને રજૂ કરેલી ૨૮ વાર્તાઓનો સંગ્રહ, આકર્ષક ટાઇટલ અને મુદ્રણમાં ‘બજે મધુર બંસરી'ના નમણાં નામ સાથે રજૂ થયો છે. એક એક વાર્તાનું શબ્દઘડતર દિલ-દિમાગને આશ્ચર્યથી ભરપૂર બનાવી દે એવું રસાળ અને માર્મિક છે. જૈન ઇતિહાસના તેજસ્વી પાત્રોના પુણ્યદર્શન પામવા હોય તો આ પ્રકાશનના માધ્યમે જે મધુર બંસરી વાગી રહી છે એના નાદ કાન દઈને સાંભળવા જેવા છે. પૂજ્યશ્રીની કલમમાં પ્રાચીન કથાને અર્વાચીન ઘાટ આપવાની જે કળા વરેલી છે, એના દર્શન પાને-પાને કરાવતો આ વાર્તા સંગ્રહ જરૂર લોકપ્રિય નીવડશે. પૂજયશ્રીની સાહિત્ય યાત્રા અવિરત આગેકૂચ કરતી રહે અને આવા પ્રકાશનો આપણને મળ્યા કરે, એ જ કામના. - ‘કલ્યાણ’ વર્ષ-૪૯, અંક-૪-૫, જુલાઇ-ઓગષ્ટ, ઇ. સ. ૧૯૯૨
-: કભી ધૂપ કભી છાંવ :(લેખક ઉપર મુજબ), પ્રાપ્તિ સ્થાન : સિલ્વર એન્ટર પ્રાઇઝ-૨૩૧, નરશી નાથી સ્ટ્રીટ, ભાતબજાર, દેરાસરની સામે, મુંબઇ (મૂલ્ય છાપેલ નથી), પૃષ્ઠ : ૬૪ - પ્રાચીન કથા સાહિત્યની રસપ્રદ ધનદત્તની કથા ‘કભી ધૂપ કભી છાંવ' અને ચારૂદત્તની કથા - ‘થોભો ! નહિતર થાકી જશો'ના હેડીંગથી અનુક્રમે ‘કલ્યાણ’ અને ‘સમાજધ્વનિ' સામાયિકમાં છપાયેલ – જે કથા અહીં પ્રકાશિત થાય છે. બંને રસપ્રદ કથાઓ વાંચવા માટે શરૂ કર્યા પછી એક જ ધડાકે પૂરી કર્યા વિના ચાલે તેવી નથી. પૂજય મુનિશ્રી કથા આલેખનની શૈલી સૌમ્ય અને રસપ્રદ
| આકાશગંગા • ૨૯૬ +
‘જ્ઞાન ભણવું સહેલું છે, પણ તેમાં અહંકાર ન આવવા દેવો મુશ્કેલ છે. ક્રિયા કરવી સહેલી છે, પણ તેમાં નિંદા ન આવવા દેવી મુશ્કેલ છે. શક્તિ પ્રાપ્ત કરવી સહેલી છે, પણ તેમાં
| આકાશગંગા • ૨૯૦ |
Page #154
--------------------------------------------------------------------------
________________
શોષણવૃત્તિ ન આવવા દેવી મુશ્કેલ છે. તપ કરવું સહેલું છે, પણ તેમાં ક્ષમા રાખવી મુશ્કેલ છે. વત્સ ! તું ક્ષમા રાખ. ક્ષમા એ જ તારા માટે ઉત્તમોત્તમ તપ છે.'
આવા પ્રેરક ચિંતનાંશોથી સભર પ્રસ્તુત પુસ્તકમાં ‘તપ કરીએ સમતા રાખી ઘટમાં, ઉપબૃહણાના અભાવે, મહાકવિશ્રી ધનપાલ, મહાન સત્યવાદી મહણસિંહ' ઇત્યાદિ ૨૮ જૈન ઇતિહાસમાં સંઘરાયેલી સુંદર કથાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જૈન દર્શનના તત્ત્વજ્ઞાન, ઉપદેશ અને સાધના-માર્ગનો પરિચય મળી રહે છે, એવી આ કથાઓની સરળ તથા ચિંતનાત્મક શૈલી રસિક વાચકોને માટે આકર્ષક બોધસભર છે.
- કચ્છમિત્ર * * *
# 150 #
PROOF : 2 (PAGE:HTo150) (DATE:19-04-07)
| આકાશગંગા • ૨૯૮ +
Page #155
--------------------------------------------------------------------------
Page #156
--------------------------------------------------------------------------
________________
રાખો :
છે યુદ્ધમાં દેઢ સંકલ્પ. Cછે પરાજયમાં વિદ્રોહ, છે વિજયમાં ઔદાર્ય. છે શાંતિમાં સદ્ભાવના.
- ચર્ચિલ
વૃદ્ધિના છ પ્રકાર : આત્મવૃદ્ધિ, મિત્રવૃદ્ધિ, મિત્ર મિત્રવૃદ્ધિ, શત્રુક્ષય, શત્રુમિત્ર ક્ષય, શત્રુ મિત્રમિત્ર ક્ષય. (મિત્ર : જ્ઞાન, દર્શન, ચારિત્ર) (શત્રુ : રાગ, દ્વેષ, મોહ)
- ચાણક્ય
& ‘શા માટે મોક્ષ મેળવવો છે ?'
કારણ કે મોક્ષની પ્રાપ્તિથી જ જીવની મૂળભૂત પાંચ
ઇચ્છાઓ સફળ થાય છે. છે ‘કઇ પાંચ ઇચ્છાઓ ?'
૧. જીવવાની ૨. જાણવાની ૩. સુખની ૪. સત્તાની
૫. સ્વતંત્રતાની સંસારમાં રહીને આ પાંચ ઇચ્છાઓ કદી પરિપૂર્ણ બની શકે તેમ નથી. સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જીવન, સંપૂર્ણ સુખ, સંપૂર્ણ સત્તા અને સંપૂર્ણ સ્વતંત્રતા માત્ર મોક્ષમાં જ છે.' - ત્રણ પ્રકારના જીવો : ૧. સંજ્ઞાપ્રધાન : આહારાદિ સંજ્ઞામાં જ મસ્ત. કીડી વગેરે
અસંજ્ઞી જીવો. પ્રજ્ઞાપ્રધાન : બુદ્ધિ પ્રમાણે ચાલનારા. સંજ્ઞી પંચેન્દ્રિય | (મિથ્યાદેષ્ટિ). ૩. આજ્ઞાપ્રધાન : પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનાર
સમ્યગ્દષ્ટિ જીવો. ભવ્ય - અભવ્ય - જાતિભવ્ય : Cછે ભવ્ય : સધવા સ્ત્રી જેવો. મોક્ષની શક્યતા ખરી.
અભવ્યઃ વંધ્યા સ્ત્રી જેવો. મોક્ષની કદી જ શક્યતા નહિ. cછે જાતિભવ્ય : બાલવિધવા સતી સ્ત્રી જેવો, મોક્ષની યોગ્યતા ખરી, પણ શક્યતા નહિ.
આકાશગંગા • ૦૦૦)
[ ૫૧. પ્રકીર્ણક
મોક્ષ શા માટે ? » ‘શા માટે કમાવ છો ?”
ખાવા માટે. » ‘શા માટે ખાવ છો ?”
જીવવા માટે, Cછે ‘શા માટે જીવો છો ?'
ધર્મ કરવા માટે. » ‘શા માટે ધર્મ કરો છો ?” મોક્ષ માટે.
(આકાશગંગા , ૦૦૦)
Page #157
--------------------------------------------------------------------------
________________
* રાખો :
→ યુદ્ધમાં દૃઢ સંકલ્પ. પરાજયમાં વિદ્રોહ, વિજયમાં ઔદાર્ય.
શાંતિમાં સદ્ભાવના.
*
* વૃદ્ધિના છ પ્રકાર :
આત્મવૃદ્ધિ, મિત્રવૃદ્ધિ, મિત્ર મિત્રવૃદ્ધિ, શત્રુક્ષય, શત્રુમિત્ર ક્ષય, શત્રુ મિત્રમિત્ર ક્ષય. (મિત્ર : જ્ઞાન, દર્શન, ચારિત્ર) (શત્રુ : રાગ, દ્વેષ, મોહ)
* મોક્ષ શા માટે ?
*****
૫૧. પ્રકીર્ણક
‘શા માટે કમાવ છો ?'
ખાવા માટે.
‘શા માટે ખાવ છો ?’ જીવવા માટે.
‘શા માટે જીવો છો ?'
ધર્મ કરવા માટે.
શા માટે ધર્મ કરો છો ?’
મોક્ષ માટે.
આકાશગંગા * ૦૦૦
- ચર્ચિલ
- ચાણકય
‘શા માટે મોક્ષ મેળવવો છે ?’
કારણ કે મોક્ષની પ્રાપ્તિથી જ જીવની મૂળભૂત પાંચ
ઇચ્છાઓ સફળ થાય છે.
‘કઇ પાંચ ઇચ્છાઓ ?'
૧.
૨.
૩. સુખની
૪. સત્તાની
૫.
સ્વતંત્રતાની
સંસારમાં રહીને આ પાંચ ઇચ્છાઓ કદી પરિપૂર્ણ બની શકે
તેમ નથી. સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જીવન, સંપૂર્ણ સુખ, સંપૂર્ણ સત્તા અને સંપૂર્ણ સ્વતંત્રતા માત્ર મોક્ષમાં જ છે.’
* ત્રણ પ્રકારના જીવો :
૧.
.
જીવવાની
જાણવાની
સંજ્ઞાપ્રધાનઃ આહારાદિ સંજ્ઞામાં જ મસ્ત, કીડી વગેરે અસંશી જીવો.
૨. પ્રજ્ઞાપ્રધાન : બુદ્ધિ પ્રમાણે ચાલનારા. સંજ્ઞી પંચેન્દ્રિય (મિથ્યાર્દષ્ટિ).
૩. આજ્ઞાપ્રધાન : પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનાર સમ્યગ્દષ્ટિ જીવો.
* ભવ્ય - અભવ્ય - જાતિભવ્ય :
ભવ્ય : સધવા સ્ત્રી જેવો. મોક્ષની શક્યતા ખરી. અભવ્યઃ વંધ્યા સ્ત્રી જેવો. મોક્ષની કદી જ શક્યતા નહિ. જાતિભવ્ય : બાલવિધવા સતી સ્ત્રી જેવો. મોક્ષની યોગ્યતા ખરી, પણ શક્યતા નહિ. આકાશગંગા o ૦૦૦
Page #158
--------------------------------------------------------------------------
________________
છે. ભાવવાહી શબ્દો ઘણું કહી જાય તેવા છે. આ પ્રકાશનોની એક વખત ઉડતી મુલાકાત લેવા જેવી છે.
- શાંતિસૌરભ, એપ્રિલ-૧૯૯૨
-: બજે મધુર બંસરી :(લેખક ઉપર મુજબ), પ્રાપ્તિ સ્થાન : ચંદ્રકાંત જે. વોરા, ‘ફૂલવાડી’ ભચાઉ-૩૭૦ ૧૪૦ (જિ. કચ્છ), પૃષ્ઠ : ૨૦૦, ‘શાંતિસૌરભ' માસિકમાં પ્રકટ થયેલા ૨૮ કથા પ્રસંગો આ પ્રકાશનમાં સંગૃહીત કરવામાં આવ્યા છે. જૈન શાસનના સાગરમાં સંઘરાયેલા અણમોલ રત્નો જેવા આકમનીય કથા પ્રસંગો ખૂબ જ હૃદયંગમ બને તેવા છે. - વિદ્વાન-પ્રવચનકાર-લેખક પૂજયશ્રીની કલમે આલેખાયેલા આ કથાલેખો ઘણું ઘણું કહી જાય તેવા છે. શાં સૌ ના વાચકો પૂજયશ્રીની કલમથી સુપેરે પરિચિત છે. પૂજયશ્રીનાં પ્રકાશનો ખાસ વાંચવા વસાવવા જેવા છે. (કિંમત લખી નથી).
- શાંતિનાથ સૌરભ, એપ્રિલ-૧૯૯૨
-: બજે મધુર બંસરી :‘કલ્યાણ'ના વાચકો માટે જેમની લેખિની જાણીતી જ નહિ, માણીતી પણ છે, એ શ્રદ્ધેય લેખકશ્રીએ જૈન ઇતિહાસમાંથી વીણી-વીણીને રજૂ કરેલી ૨૮ વાર્તાઓનો સંગ્રહ, આકર્ષક ટાઇટલ અને મુદ્રણમાં ‘બજે મધુર બંસરી'ના નમણાં નામ સાથે રજૂ થયો છે. એક એક વાર્તાનું શબ્દઘડતર દિલ-દિમાગને આશ્ચર્યથી ભરપૂર બનાવી દે એવું રસાળ અને માર્મિક છે. જૈન ઇતિહાસના તેજસ્વી પાત્રોના પુણ્યદર્શન પામવા હોય તો આ પ્રકાશનના માધ્યમે જે મધુર બંસરી વાગી રહી છે એના નાદ કાન દઈને સાંભળવા જેવા છે. પૂજ્યશ્રીની કલમમાં પ્રાચીન કથાને અર્વાચીન ઘાટ આપવાની જે કળા વરેલી છે, એના દર્શન પાને-પાને કરાવતો આ વાર્તા સંગ્રહ જરૂર લોકપ્રિય નીવડશે. પૂજયશ્રીની સાહિત્ય યાત્રા અવિરત આગેકૂચ કરતી રહે અને આવા પ્રકાશનો આપણને મળ્યા કરે, એ જ કામના. - ‘કલ્યાણ’ વર્ષ-૪૯, અંક-૪-૫, જુલાઈ-ઓગષ્ટ, ઇ.સ. ૧૯૯૨
-: કભી ધૂપ કભી છાંવ :(લેખક ઉપર મુજબ), પ્રાપ્તિ સ્થાન : સિલ્વર એન્ટર પ્રાઇઝ-૨૩૧, નરશી નાથી સ્ટ્રીટ, ભાતબજાર, દેરાસરની સામે, મુંબઇ (મૂલ્ય છાપેલ નથી), પૃષ્ઠ : ૬૪ - પ્રાચીન કથા સાહિત્યની રસપ્રદ ધનદત્તની કથા ‘કભી ધૂપ કભી છાંવ' અને ચારૂદત્તની કથા - ‘થોભો ! નહિતર થાકી જશો'ના હેડીંગથી અનુક્રમે ‘કલ્યાણ’ અને ‘સમાજધ્વનિ' સામાયિકમાં છપાયેલ – જે કથા અહીં પ્રકાશિત થાય છે. બંને રસપ્રદ કથાઓ વાંચવા માટે શરૂ કર્યા પછી એક જ ધડાકે પૂરી કર્યા વિના ચાલે તેવી નથી. પૂજય મુનિશ્રી કથા આલેખનની શૈલી સૌમ્ય અને રસપ્રદ
આકાશગંગા ૦ ૦૦૦
‘જ્ઞાન ભણવું સહેલું છે, પણ તેમાં અહંકાર ન આવવા દેવો મુશ્કેલ છે. ક્રિયા કરવી સહેલી છે, પણ તેમાં નિંદા ન આવવા દેવી મુશ્કેલ છે. શક્તિ પ્રાપ્ત કરવી સહેલી છે, પણ તેમાં
આકાશગંગા , ૦૦૦
Page #159
--------------------------------------------------------------------------
________________
છે. ભાવવાહી શબ્દો ઘણું કહી જાય તેવા છે. આ પ્રકાશનોની એક વખત ઉડતી મુલાકાત લેવા જેવી છે.
- શાંતિસૌરભ, એપ્રિલ-૧૯૯૨
-: બજે મધુર બંસરી :(લેખક ઉપર મુજબ), પ્રાપ્તિ સ્થાન : ચંદ્રકાંત જે. વોરા, ‘ફૂલવાડી’ ભચાઉ-૩૭૦ ૧૪૦ (જિ. કચ્છ), પૃષ્ઠ : ૨૦૦, ‘શાંતિસૌરભ' માસિકમાં પ્રકટ થયેલા ૨૮ કથા પ્રસંગો આ પ્રકાશનમાં સંગૃહીત કરવામાં આવ્યા છે. જૈન શાસનના સાગરમાં સંઘરાયેલા અણમોલ રત્નો જેવા આકમનીય કથા પ્રસંગો ખૂબ જ હૃદયંગમ બને તેવા છે. - વિદ્વાન-પ્રવચનકાર-લેખક પૂજયશ્રીની કલમે આલેખાયેલા આ કથાલેખો ઘણું ઘણું કહી જાય તેવા છે. શાં સૌ ના વાચકો પૂજયશ્રીની કલમથી સુપેરે પરિચિત છે. પૂજયશ્રીનાં પ્રકાશનો ખાસ વાંચવા વસાવવા જેવા છે. (કિંમત લખી નથી).
- શાંતિનાથ સૌરભ, એપ્રિલ-૧૯૯૨
-: બજે મધુર બંસરી :‘કલ્યાણ'ના વાચકો માટે જેમની લેખિની જાણીતી જ નહિ, માણીતી પણ છે, એ શ્રદ્ધેય લેખકશ્રીએ જૈન ઇતિહાસમાંથી વીણી-વીણીને રજૂ કરેલી ૨૮ વાર્તાઓનો સંગ્રહ, આકર્ષક ટાઇટલ અને મુદ્રણમાં ‘બજે મધુર બંસરી'ના નમણાં નામ સાથે રજૂ થયો છે. એક એક વાર્તાનું શબ્દઘડતર દિલ-દિમાગને આશ્ચર્યથી ભરપૂર બનાવી દે એવું રસાળ અને માર્મિક છે. જૈન ઇતિહાસના તેજસ્વી પાત્રોના પુણ્યદર્શન પામવા હોય તો આ પ્રકાશનના માધ્યમે જે મધુર બંસરી વાગી રહી છે એના નાદ કાન દઈને સાંભળવા જેવા છે. પૂજ્યશ્રીની કલમમાં પ્રાચીન કથાને અર્વાચીન ઘાટ આપવાની જે કળા વરેલી છે, એના દર્શન પાને-પાને કરાવતો આ વાર્તા સંગ્રહ જરૂર લોકપ્રિય નીવડશે. પૂજયશ્રીની સાહિત્ય યાત્રા અવિરત આગેકૂચ કરતી રહે અને આવા પ્રકાશનો આપણને મળ્યા કરે, એ જ કામના. - ‘કલ્યાણ’ વર્ષ-૪૯, અંક-૪-૫, જુલાઈ-ઓગષ્ટ, ઇ.સ. ૧૯૯૨
-: કભી ધૂપ કભી છાંવ :(લેખક ઉપર મુજબ), પ્રાપ્તિ સ્થાન : સિલ્વર એન્ટર પ્રાઇઝ-૨૩૧, નરશી નાથી સ્ટ્રીટ, ભાતબજાર, દેરાસરની સામે, મુંબઇ (મૂલ્ય છાપેલ નથી), પૃષ્ઠ : ૬૪ - પ્રાચીન કથા સાહિત્યની રસપ્રદ ધનદત્તની કથા ‘કભી ધૂપ કભી છાંવ' અને ચારૂદત્તની કથા - ‘થોભો ! નહિતર થાકી જશો'ના હેડીંગથી અનુક્રમે ‘કલ્યાણ’ અને ‘સમાજધ્વનિ' સામાયિકમાં છપાયેલ – જે કથા અહીં પ્રકાશિત થાય છે. બંને રસપ્રદ કથાઓ વાંચવા માટે શરૂ કર્યા પછી એક જ ધડાકે પૂરી કર્યા વિના ચાલે તેવી નથી. પૂજય મુનિશ્રી કથા આલેખનની શૈલી સૌમ્ય અને રસપ્રદ આકાશગંગા
૦૦૦
‘જ્ઞાન ભણવું સહેલું છે, પણ તેમાં અહંકાર ન આવવા દેવો મુશ્કેલ છે. ક્રિયા કરવી સહેલી છે, પણ તેમાં નિંદા ન આવવા દેવી મુશ્કેલ છે. શક્તિ પ્રાપ્ત કરવી સહેલી છે, પણ તેમાં ૦૦૦
આકાશગંગા
Page #160
--------------------------------------------------------------------------
________________
| આકાશગંગા * ૦૦૦ F
- આકાશગંગા • ૦૦૦
- આકાશગંગા . ૦૦૦ –
– આકાશગંગા ૦ ૦૦૦ -
આકાશગંગા
આકાશગંગા
આકાશગંગા: ooo
આકાશગંગા , ooo
આકાશગંગા , ooo.
આકાશગંગા . ૦૦૦
(આકાશગંગા : ૦૦૦)
( આકાશગંગા , ૦૦૦ )
Page #161
--------------------------------------------------------------------------
________________ ચિંતન ક ...રક્ષા માટે : 1. પ્રકૃતિ : જીવરક્ષા માટે. 2. સંસ્કૃતિ : મૂલ્ય રક્ષા માટે (અહિંસાદિ મૂલ્યો). 3. નમસ્કૃતિ : આત્મરક્ષા માટે છે. વિજ્ઞાન શક્તિની સામે ધર્મ શક્તિ : 1. યંત્ર શક્તિની સામે મંત્ર શક્તિ, 2. ઊર્જા શક્તિની સામે યોગ શક્તિ. 3. અણુ શક્તિની સામે આત્મ શક્તિ. 4. શસ્ત્ર શક્તિની સામે અહિંસા શક્તિ, 5. પરિગ્રહ શક્તિની સામે પરોપકાર શક્તિ. 6. રાજય શક્તિની સામે અનેકાંત શક્તિ. ચિંતનની વિવિધ ભૂમિકાઓ : Cછે વિચારી જ ન શકે તે મૂર્ખ છે. cછે વિચારવાની ઇચ્છા જ ન થાય તે અંધવિશ્વાસુ છે. cછે વિચારવાની હિંમત ન હોય તે ગુલામ છે. વિચારવાની ઇચ્છા કરે તે જિજ્ઞાસુ છે. cછે વિચારવાની પ્રવૃત્તિ કરે તે બુદ્ધિશાળી છે. છે (સમ્યગુ) વિચાર્યા મુજબ આચરવાની હિંમત કરે તે સત્ત્વશાળી છે. સુખનો માર્ગ : જગત આખુંય સુખ શોધી રહ્યું છે. સુખ ક્યાંથી મળે ? શાંતિથી મળે. શાંતિ ક્યાંથી મળે ? ચિત્તની સ્થિરતાથી મળે. ચિત્તની સ્થિરતા ક્યાંથી મળે ? આશાઓ છોડી દેવાથી મળે. આશા શી રીતે છૂટે ? અનાસક્તિ આવવાથી. અનાસક્તિ શી રીતે મળે ? બુદ્ધિમાંથી મોહ હટાવવાથી મળે. ચિંતનના સાત ફળ : 1. વૈરાગ્ય 2. કર્મક્ષય 3. વિશુદ્ધ જ્ઞાન 4. ચારિત્રના પરિણામ 5. સ્થિરતા 6. આયુષ્ય 7. બોધિ પ્રાપ્તિ ચારેય યુગ અહીં જ છે : 1. તમે સૂતા રહો છો ત્યારે કલિયુગ. 2. બેઠા થાવ છો ત્યારે દ્વાપર યુગ. 3. ઊભા થાવ છો ત્યારે ત્રેતા યુગ. 4. ચાલતા થાવ છો ત્યારે સત્ યુગ. ચાર માતા : 1. શબ્દ : જ્ઞાનની માતા. 2. અર્થ : પુણ્યની માતા. 3. ચિંતન : ચારિત્રની માતા. 4. ધ્યાન : ધ્યાનની માતા. (શબ્દથી અર્થ ચડિયાતો છે. અર્થથી ચિંતન ચડિયાતું છે. ચિંતનથી ધ્યાન ચડિયાતું છે. શબ્દાદિ ઉત્તરોત્તર વધુને વધુ સૂક્ષ્મ છે.) આત્માના મૂળભૂત પાંચ ગુણો : 1. સત્ (જીવવાની ઇચ્છા) 2. ચિત્ (જાણવાની ઇચ્છા) 3. આનંદ (સુખની ઇચ્છા) 4. ઇશિત્વ (સ્વતંત્રતાની ઇચ્છા) 5. વશિત્વ (સત્તાની ઇચ્છા)