________________
કૂવો - તળાવ : ‘ઓ કૂવા ! આમ સંકુચિત થઇને શું પડ્યો છે ? મારી જેમ વિશાળ થઇને દાન આપ.'
‘ભાઇ તળાવ ! હું પારકો માલ લૂંટાવતો નથી. ઘરની ચીજનો તો ઉચિત ઉપયોગ જ થાય.'
‘શિષ્ય : તે જ ગુરુ સમર્થ છે, જે ગમે તેને પલટાવી શકે.'
ગુરુ : તરંગ પાણીમાં પેદા થાય છે, પત્થરમાં નહિ, છે કાદવ : ‘ઓ કાદવ ! તું મારા પગને ખરાબ કરતો નહિ.'
‘મને તું છેડતો નહિ.' છે કાદવ : ‘કાદવ ! તું કોની સાથે સારું વર્તન કરે છે ?' ‘જે મારાથી દૂર રહે છે તેની સાથે.'
ખેતર - સડક :
ઓ ખેતરો ! તમે પણ મારા જેવા સફાઇદાર (કાદવકીચડથી રહિત) બની જાવ.”
‘ઓ સડકો ! તો પછી તમારા પર કોઇ ચાલનારું પણ નહિ રહે.' પૃથ્વી - પર્વત :
‘ઓ પૃથ્વી ! તું તો બધું જ પાણી ચૂસી લે છે. જયારે હું તો બધું જ પાણી છૂટથી વહેવા દઉં છું. તું તો ચૂસ્યા પછી પણ તરસી ને તરસી જ રહે છે. કેટલી લોભી છે તું ?'
ઓ પર્વત ! સામર્થ્ય હોવા છતાં પણ ત્યાગ કરવો તે ત્યાગ છે. તારો ત્યાગ તો આંધળો ટી.વી.-સિનેમાનો ત્યાગ કરે તેના જેવો છે.”
માખણ : ‘દૂધ : માખણ ! તું ક્યાં રહે છે ?' ‘તારામાં.'
મેં તો કદી તને જોયો જ નથી.” ‘તીવ્ર તપ કરી નામ-રૂપનું અસ્તિત્વ મિટાવી દે અને પછી સંઘર્ષોની વચ્ચે મારું દર્શન કર.”
જાંબુ - દાડમ : જાંબુએ દાડમને કહ્યું : ‘પ્રિય ભાઈ ! તારા દાણાને લોક પ્રેમથી આરોગે છે, મારા દાણાને કેમ ફેંકી દે છે ?” | ‘કઠોર હૃદયવાળાને આ જ સજા મળે છે.'
કુસંગનું પ્રાયશ્ચિત્ત :
‘ઓ વસ્ત્રો ! તમને કાલે ધોકાથી પીટ્યા હતા. હજુ આજે પણ પીટશે. શરમ નથી આવતી ?'
ગંગાસ્નાન કરતા વસ્ત્રોએ કહ્યું : “કુસંગનું પ્રાયશ્ચિત્ત તો કરવું જ પડતું હોય છે.'
ન આકાશગંગા • ૨૬૦ -
‘કાદવ : ભગવનું ! મારી શુદ્ધિ શી રીતે થશે ? ભગવાન : પર સંયોગો છોડી આતાપના લેતો રહે. મિતભાષણ : ‘અય સોના ! મારી ટંકારવાળી લાંબી ભાષા શીખી લે.”
કાંસા ! વધુ બોલવું જ વસ્તુનું મૂલ્ય ઘટાવે છે.' જ કોલસો :
‘ઓ કોલસા ! તેં કદી સ્નાન કર્યું કે નહિ? આવ... હું તને નવડાવું.' ‘જવા દો ભાઇ ! મને નવડાવવાવાળાએ જાતે ફરીથી ન્હાવું
| આકાશગંગા • ૨૬ -