________________
પણ દુધ પીવડાવે છે માટે, પોતાના બચ્ચાને તો વાઘણ પણ દૂધ પીવડાવે છે, પણ તમે તેને “માતા” કહેશો ?'
વૃક્ષ : ‘ઓ વૃક્ષ ! તેં કેટલીવાર કેટલા ફળોનું દાન કર્યું ?' ‘હિસાબ કોણ રાખે ? હતું તેટલું આપી દીધું.' ધૂળ : “મુન્ના ! તને ધૂળમાં રમવાનું કેમ બહુ ગમે છે ?”
આખરે તો એમાં જ મળી જવાનું છે ને ?' જ ચક્કર : ‘ઓ મોટરના પૈડાઓ! તમે કેટલા ચક્કર ખાધા તે ખ્યાલ છે?' ‘તમારા કરતાં ઓછા.'
બાળક : ‘બાળકો ! તમે સારાનું અનુકરણ કરો, ખરાબનું નહિ.'
આ વાત તો વડીલોએ ખ્યાલમાં રાખવાની છે. જેથી અમને ખરાબ જોવા જ મળે નહિ.” દૂધ - દહીં - ઘી - છાસ : દૂધ : હું મહાન છું. કહ્યું છે : અમૃત ક્ષીર ભોજનમ્ | દહીં જવા દે હવે. મધુર પદાર્થોમાં હું પ્રથમ છું. ‘દધિ મધુરમ્' ઘી : તમે બંને ચૂપ બેસો. સાર તો હું જ છું. ‘ઘુતમાયુ.'
છાસ: તમે બધા મારો મહિમા ભૂલી ગયા ? કહ્યું છે : ‘તકં શક્રય દુર્લભમુ”
માણસ : તમે બધા વ્યક્તિગત મહત્તા ગાવાનું છોડો અને બધા સાથે મળીને બોલો : અમે ગોરસ છીએ. આ તાળું - ચાવી - કબાટ : તાળું: “ઓ ચાવી ! હું ન હોઉં તો તારો શો ઉપયોગ ?' ચાવી : ‘હું હોઉં તો તારો પણ શો ઉપયોગ ?” કબાટ : ‘હું ન હોઉં તો તારો પણ શો ઉપયોગ ?'
માણસ : ‘વિવાદ છોડો. સૌ સ્વ-સ્વ સ્થાને ઉપયોગી છે.” આ બાવળ :
“ઓ બાવળ ! તેં આવનાર મહેમાનનું કાંટાથી સ્વાગત કેમ કર્યું ? આ તારી કેવી મહેમાનગીરી ?'
અહીં ફૂલ ક્યાંથી હોઇ શકે ? સ્વાગત તો હંમેશા ઘરને અનુરૂપ જ થાય.' છે. ગાય માતા : ‘ગાય માતા કેમ કહેવાય છે ?” ‘તે પોતાના બચ્ચાને દૂધ પીવડાવે છે માટે નહિ, પણ બીજાને
ને આકાશગંગા • ૨૬૪F
મનુષ્ય દુ:ખી કેમ છે ?' ભૌતિકવાદી : ‘જેવું તે ઇચ્છે છે તેવું નહિ થવાથી.' અધ્યાત્મવાદી : ‘ઇચ્છે છે માટે જ તે દુઃખી છે.' - મણિ :
‘ઓ મણિ ! તારો કેટલો ઝાંખો પ્રકાશ છે ? મારો કેવો ઝળહળતો છે ?'
‘દીપક ! તો પણ તારો પરનો છે, મારો ઘરનો છે.” ક મૂલ્ય :
કાગળ ! વંચાઈ ગયા પછી તારું શું મૂલ્ય ?' ‘મૂલ્ય તો બધાયનું અવસરે જ થાય છે.” ક કૂવો :
‘સૂકા તળાવે કૂવાને કહ્યું : “ભાઇ ! અમે તો સાવ સુકાઈ ગયા અને તું તો હજુ પણ પાણીવાળો છે.”
ન આકાશગંગા • ૨૬૫E