________________
દુ:ખમાં ઓળખાય : છે મિત્ર છે સ્વજન છે પોતાની બુદ્ધિ
દુઃખ કોને વધુ આવે ? ગ્રહણ ગ્રહ, નક્ષત્ર, તારા કે ચૌદસના ચંદ્રનું નહિ. પણ પૂર્ણિમાના ચંદ્રનું જ થાય. મોટા દુ:ખ મહાપુરુષોને જ આવે, નાનાને નહિ. દુઃખ - પાપ : દુઃખના ઉદયમાં દુશ્મન પણ દોસ્ત બને. પાપના ઉદયમાં દોસ્ત પણ દુશ્મન બને. ભયંકર દુઃખો પણ અહીં જ રહી જાય. પાપો ભવાંતરમાં પણ સાથે ચાલે.
[ ૪૭. મહેતા
દુઃખ આગ છે. તમે કથીર છો કે કંચન ? દુઃખ શિલ્પી છે. તમે માટી છો કે પત્થર ? દુ:ખ ધરતી છે. તમે બી છો કે કાંકરા ? દુ:ખ કુંભાર છે. તમે રેતી છો કે માટી ?
જો તમે સુવર્ણ છો તો દુઃખની આગથી તમારે ગભરાવાની કોઇ જરૂર નથી.
આગથી કથીર ડરે... કંચનને શાનો ડર?
તમે જો આરસના પત્થર છો તો દુ:ખના શિલ્પીથી ડરવાની કોઇ જરૂર નથી. ટાંકણાથી માટીનું ઢેકું ડરે, આરસને શાનો ડર?
તમે જો બી છો તો દુ:ખની ધરતીમાં પ્રવેશથી ડરવાની કોઇ જરૂર નથી. કારણ કે ધરતીમાં પડેલો કાંકરો અંદરને અંદર પડ્યો રહે.. પણ બી તો ઘેઘૂર વૃક્ષ બનીને બહાર આવે ! તમે જો માટી છો તો દુઃખના કુંભારથી ડરવાની કોઈ જરૂર નથી... એ તમારામાંથી નવી-નવી ડિઝાઇનના ઘડા બનાવશે ! દુઃખના ત્રણ ઉપકાર : ૧. પ્રભુનું સ્મરણ (ભક્તિ). ૨. સ્વની શુદ્ધિ (શુદ્ધિ). ૩. જીવો પ્રત્યે હમદર્દી (મૈત્રી).
| આકાશગંગા • ૨૦૬ |
જ મોટા કેમ થવાય ?
બીજામાં વિશ્વાસ પેદા કરાવી વધારે કામ કરાવવાથી, કામ કર્યા પછી અહંકાર ન કરવાથી, બીજાની સફળતા જોઇ આશ્ચર્ય ન પામવાથી. મહાનતાના વિઘાતક છ દોષ : ૧. આળસ ૨. સ્ત્રી મોહ ૩. માંદગી ૪. જન્મભૂમિનો પ્રેમ ૫. સંતોષ ૬. ભય
- હિતોપદેશ ન આકાશગંગા • ૨૦૦