________________
નિર્ગુણનું લક્ષણ : છે સ્વશ્લાઘા છે પરનિંદા નિંદાનો કીડો : નિંદાના કીડાનો જન્મ કાનમાં થાય છે. તેનો ઉછેર જીભ પર થાય છે. કે ત્રણ આંગળી તારી તરફ : બીજાના દોષ તરફ આંગળી ચીંધનાર ઓ અભાગી !
બાકીની ત્રણ આંગળીઓ તારી તરફ ઝૂકેલી છે - તે તું કેમ ભૂલી જાય છે ?
(૩૭. ધૈર્ય - ઉતાવળ
નિંદા કરવી જ હોય તો ? નિંદા કરવી જ હોય તો પોતાની કરો. સામો માણસ ગાળો આપે તો પણ તેને ભાંડશો નહિ, નિંદશો નહિ. વિજય તમારો જ છે.
આવત ગાલી એક હૈ, ઉલટત હોત અનેક; કહે કબીર નહિ ઉલટીએ, વહી એક કી એક. ઇર્ષાળુથી અકળાશો નહિ : કોઇ તમારી ઇર્ષ્યા કરે છે ? અકળાશો નહિ. આ તમારી ચડતીની નિશાની છે. તમારી ઇર્ષા કરનારો તમને પોતાનાથી મોટો ગણે છે. ઇર્ષાળુથી અકળાશો નહિ. તેનો નાશ કરવા મથશો નહિ. તમે શું તેનો નાશ કરવાના છો ? ઇર્ષ્યા પોતે જ તેનો નાશ કરી નાખશે.
પ્રસન્ન બનો : કોઇની ઇર્ષ્યા શા માટે ? બીજાના સુખને અને ગુણને જોઇ અકળામણ શા માટે ? જેમ ખીલેલા ફૂલને જોઇને તમે પ્રસન્ન બનો છો, તેમ બીજાના સુખો અને ગુણો જોઇ પ્રસન્ન બનો. લખીએ છીએ : બીજાના દુર્ગુણો આપણે તાંબાની પ્લેટ પર લખીએ છીએ અને સગુણો પાણીની સપાટી પર લખીએ છીએ.
- શેક્સપીઅર બે કામ : આપણા બે જ મુખ્ય કામ છે : ૧. જીવતા પ્રસિદ્ધ માણસની નિંદા કરવી. ૨. મરી ગયા પછી તેની પ્રશંસા કરવી.
| આકાશગંગા • ૧૮૨ |
ધીરજ ન રાખો : Cછે ધર્મ કરવામાં . છે કરજ ઉતારવામાં . છે કન્યા આપવામાં. Cછે શત્રુતાના ઘાતમાં. છે અગ્નિ શમાવવામાં .
છે રોગ દબાવવામાં. * ઉતાવળ :
આગ, ઝેર કે કાંટાનો ઇલાજ થઇ શકે, પણ ઉતાવળથી કરાયેલા કાર્ય બદલ પસ્તાવાનો કોઇ ઇલાજ નથી.
ન આકાશગંગા • ૧૮૩ -