________________
દશ અવસ્થાઓ : ૧. બાલા: ૧ થી ૧૦ વર્ષ, સુખ-દુ:ખની વિશેષ સમજણ
ન હોવાથી તે બાલ અવસ્થા કહેવાય છે. ૨. ક્રીડા : ૧૧ થી ૨૦ વર્ષ. આ ઉંમરમાં રમત-ગમત
વગેરે વધુ પ્રિય હોય છે. ૩. મંદા: ૨૧ થી ૩૦ વર્ષ. ભોગો ભોગવવામાં સમર્થ
હોવા છતાં નવા ભોગોનું અર્જન કરવામાં મંદ
હોવાથી આ અવસ્થા “મંદા' કહેવાય છે. ૪. બલાઃ ૩૧ થી ૪૦ વર્ષ જીવનનો આ કાળ સુવર્ણયુગ
છે. વધુમાં વધુ શક્તિ માણસ આ ઉંમરમાં બતાવી શકે
છે. માટે જ આ અવસ્થાને ‘બલા’ કહેવાય છે. ૫. પ્રજ્ઞા : ૪૧ થી ૫૦ વર્ષ. આ ઉંમરે બુદ્ધિ તેની
ચરમસીમાએ હોય છે. આ દિશામાં પોતાની તથા કુટુંબની પ્રતિષ્ઠા જમાવવા માણસ પ્રયત્નશીલ રહેતો
હોય છે. ૬. હાયની : ૫૧ થી ૬૦ વર્ષ. હવે જીવનશક્તિ
ક્ષીણતાના માર્ગે ગતિ કરે છે. કાન, આંખ વગેરે
ઇન્દ્રિય-શક્તિ ક્ષીણ બને છે. ૭. પ્રપંચા: ૬૧ થી ૭૦ વર્ષ. રોગોનો પ્રપંચ (વિસ્તાર)
ખાંસી વગેરે વધતા જાય છે. ૮. પ્રાગુભારા : ૭૧ થી ૮૦ વર્ષ. શરીર વાંકુ વળી જાય
છે. સ્ત્રીઓને અપ્રિય બને છે. ઘડપણ પૂરી રીતે ઘેરી
૧૦. શાયની : ૯૧ થી ૧૦૦ વર્ષ. મોટે ભાગે પથારીમાં પડ્યો રહે છે. તે દીન, હીન અને કંગાળ બની જાય છે.
- ઠાણંગ ૧ol૭૭૨ સર્વોપરિ માનવ : તિજોરીમાં રહેલા ચાંદીની વાટકી, સોનાની વાટકી, હીરા વગેરેમાં ચર્ચા ચાલુ થઇ.
ચાંદીની વાટકી : હું એટલે હું જ ! મારા જેવું જગતમાં કોઇ જ નથી.
સોનાની વાટકી : હવે રહેવા દે તું ! હું જો હાજર હોઉં તો તને કોણ પૂછે છે ?
હીરા : અય ! તુંયે બહુ બડાઇ ન ઠોક. અમારા તેજ પાસે તું સાવ ઝાંખી છે. સમજી ?
તિજોરી : અરે.. તમે બધા ઝગડો છો શા માટે ? આખરે તો તમે સૌ મારા જ પેટમાં રહેલા છો ને ?
તાળું : રહેવા દે... રહેવા દે... ઓ તિજોરી ! મારા વિના તારી કિંમત જ શી છે ?
ચાવી : તું પણ ડંફાસ મારવાનું રહેવા દે. આખરે તો તું મારા જ ઇશારે નાચે છે ને ?
આ ચર્ચા સાંભળી પાસે ઊભેલા શેઠનો હાથ બોલી ઊઠ્યો : ઓ ચાવી ! તું મારા વિના જરાય ચાલી શકતી નથી.... એ તો તને ખબર છે ને ? તને ઘૂમાવનાર હું હાથ છું... એ જરા યાદ કર.
શેઠ બોલ્યા : ઓ હાથ ! તું પણ તારું ડહાપણ રહેવા દે. આખરે તો તારો માલિક હું છું. હું જો તને આજ્ઞા કરું તો જ તું બધી પ્રવૃત્તિ કરી શકે... મારાથી જો તું છુટો પડી જાય તો તારો ભાવ પણ કોણ પૂછે છે?
આકાશગંગા • ૪૯
૯. મુમુહી : ૮૧ થી ૯૦ વર્ષ. જીવન તરફ ઉદાસીનતા આવે છે કે માણસ મૃત્યુની પ્રતીક્ષા કરતો રહે છે.
આકાશગંગા • ૪૮ F