Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૩૬
શ્રી શત્રુંજ્ય સૌરભ કરે છે તે તમારા સ્વરૂપને વેત્તા થાય છે. ૩૧. હે દેવ !
જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય ચંદ્રના કિરણને સમૂહ પ્રદીપ્ત છે, ત્યાં સુધી આ તમારૂં તેત્ર જગતમાં આનંદ પામે. (જયવંતુ વર્તે.) ૩૨.
પ્રકરણ ૫ મું નવાણું યાત્રાને અનુભવ અને સૂચના.
આ તીર્થો આવીને નવાણું યાત્રા કરવાની પ્રવૃત્તિ થવાનું મૂળ કારણ શ્રી ઋષભદેવ ભગવંત નવાણુ પૂર્વવાર આ તીર્થે પધાર્યા. રાયણ વૃક્ષની નીચે ભગવંતનું સમવસરણ થયું, એમણે આપેલી દેશનાથી અનેક જ પ્રતિબંધ પામ્યા, જેથી એ તીર્થનું માહાસ્ય પણું ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યું. આ કારણને લઈને અલ્પ આયુષ્યના પ્રમાણમાં માત્ર ૯૯ યાત્રા કરીને આ તીર્થની ભક્તિને, તીર્થાધિરાજની સેવાને લાભ લેવાની પ્રવૃત્તિ પૂર્વ પુરૂએ શરૂ કરેલી હાલમાં પ્રવર્તે છે. શ્રી ઋષભદેવ ભગવંતનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું, તેમાં એક લાખ પૂર્વ મુનિપણે વ્યતીત કર્યા, તેની અંદર ૯૯ પૂર્વ એટલે તેનાં જેટલાં વર્ષો થાય તેટલાં વર્ષ ફાગણ શુદિ ૮ મેજ સિદ્ધાચળ મહા તીર્થે પધાર્યા, અને પ્રાયે રાયણ વૃક્ષ તળેજ તેમનું સમવસરણ થયું. એઓ પોતે તે કેવળજ્ઞાન પામેલા હોવાથી કૃતકૃત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org