Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૯૬
શ્રી શત્રુંજય સૌભ
ચાલે છે, જેનુ' સંચાલન કાર્યદક્ષ, ખાહાશ મુનીમ કરે છે. અને અનેક મહેતા કારકુનાથી સંસ્થાની વ્યવસ્થા સુંદર રીતે ચલાવે છે.
શ્રી ચોાવિજયજી જૈન ગુરૂકુળ
મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી (કચ્છી)એ બત્રીસ વર્ષ પહેલાં આ સંસ્થાની શરૂઆત સ ંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા તરીકે કરી હતી. સં. ૧૯૭૩ માં શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળના નામથી સંસ્થા શરૂ થઈ. આજે સંસ્થા સુંદર પ્રગતિ સાધી રહી છે. સ્ટેશન સામે ગુરૂકુળના ભવ્ય મકાના યાત્રાળુએને આવકારે છે. સંસ્થામાં ૧૫૦ વિદ્યાથી એ કલેાલ કરે છે. ત્રણ વર્ષ પહેલાં સંસ્થા તરફથી વેપારી શિક્ષણ વધારવાની દૃષ્ટિએ એક વાણિજય વિદ્યા મંદિર ( Commercial High School) શરૂ કરેલ છે. કાઠીઆવાડમાં આવી સંસ્થા શરૂ કરવાને યશ ગુરૂકુળને છે. ધાર્મિ ક સંસ્કાર, ધાર્મિક શિક્ષણ, વ્યાયામની તાલીમ, સંગીતના વર્ગ તથા એન્ડની તાલીમ વિગેરે દ્વારા સસ્થા દિનપ્રતિદિન સુંદર વિકાસ સાધી રહેલ છે. વાણિજ્ય વિદ્યામંદિરના ભવ્ય મકાનનું ખાતમુહૂત થઈ ગયુ છે. પાંચેક વર્ષોંમાં આ સંસ્થા કાઠિયાવાડમાં પ્રગતિશીલ સંસ્થા બનવાના કેડ સેવે છે.
શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ
૪૦ વર્ષ પહેલાં શરૂ થએલી આ સસ્થા તળેટીના રસ્તા ઉપર આવેલી છે. સેા જેટલા વિદ્યાથી ઓને માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org