Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૧૩ મું
૧૪૩ જૂના પગથીયાને બદલે નવીન પગથીનું કામ ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યું છે. બની શકે ત્યાં સીધે રસ્તે કરવા પ્રયાસ કરવામાં આવે છે. અને નવીન પગથી ઘણી સુંદર બનાવવામાં આવી છે. રસ્તાને વિશેષ સુંદર બનાવવા માટે બન્ને તરફ વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. બે ત્રણ વર્ષમાં તે બધી તરફની પગથી અને વૃક્ષરાજી યાત્રાળુઓને આનંદ અને શાંતિ આપી રહેશે.
પહેલો કુંડ યાને ન કુંડ–બાબુના દહેરામાંથી નીકળતાં ફકત પાંચ ડગલાં રસ્તે ચાલ્યા કે એક બાંકાકારે એટલે આવે છે તેની સામે ઘણીવારે દરબારી સીપાઈ બેસીને રસ્તે જનારા મજુર વર્ગ વિગેરે માણસો પાસેથી દિવાસળી બાકસ લઈ લે છે. કારણ કે ગાળી માંહેના ઉભા ઘાસ-ખડને ભય ન રહે તે સારૂ ઉપર મુજબ વર્તે છે. ત્યાંથી અકેક પાવડીયા પ્રમાણ ઉંચે ચડતાં ચેડા પગથી ચડવા કે પહેલા હડાની દેહરી આવે છે. ત્યાં વિસામે અને પાણીની પરબ બેસે છે. ત્યાંથી થોડે દૂર ચડતાં “ધોળી. પરબ” ને વિસામે આવે છે. ત્યાં ધોરાજીવાળા અમુલખ ખીમજીવાળાના નામની પાણીની પરબ બેસાડેલી છે. તેની પાસે જમણે હાથ ઉપર દેહરી નં. ૧ છે. તે મધ્યે ભરતચક્રવતીનાં પગલાં જેડ એક છે. તે સંવત ૧૬૮૫ માં સ્થાપન કરેલાં છે, અહીં આગળ પહેલે હડી પૂર્ણ થાય છે. આ હડાને રસ્તે પચાસ વરસને આશરે બંધાએલે છે તે પહેલાં પગવાટી-કેડી રસ્તે હતે. પેળી પરબથી સપાટી જેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org