________________ ( 157 ) એકાદશ પરિચછેદ. કરવા આવશે. જેની અંદર આટલાં ગુણ અને આકર્ષણ હોય તેના દર્શન કરવા એ પણ કંઈ ઓછું સૈભાગ્ય છે ?" શ્રીમતી સખીએ આગ્રહ દાખજો. “બહેને, એવો બેટે આગ્રહ જવા ઘ. મને પણ હવે બહું મોડું થાય છે. મારો ભાઈ અત્યારે વિદ્યા સાધવામાં રાકાએ હશે. તેની સાધનામાં સાએ સાથે જઈને વિઘભૂત ચવું એ ઠીક ન ગણાય. તમે રાખો. દેવ અનુકૂળ હશે તા હું પોતે તેને લઈ આવીશ. " પ્રિયંવદાએ કહ્યું.' " આ બધી સખીઓ તે મારી મશ્કરી કરે છે. હું આ ચિત્રમાંની આકૃતિ જોઈને જ સ્તબ્ધ બની ગઈ છું. તું પોતે એમની મશ્કરીને શા સારુ ઉત્તેજન આપે છે ? " મેં કૃત્રિમ રોષ બતાવ્યું. - " બરાબર છે. અમે એ ચિત્રમાંની આકૃતિ વિષે જ વાત કરીએ છીએ. તે પ્રિયંવદાની પાસેથી એ ચિત્ર લઈ લે. નિરાંત એના રૂપ-રંગને અભ્યાસ કરજે. " કુમુદિનીએ ચિત્રપટ પડાવવાની યુક્તિ આરંભી. બહેન પ્રિયવંદા. એ ચિત્રપટની હવે તમારે શી જરૂર છે ? અમારી બહેન સુરસુંદરીને એ ન આપો ? " બીજી એક સખીએ ઉમેર્યું. હું પોતે પ્રિયંવદાની પાસેથી એ ચિત્રપટ લઈ શકી નહીં. મને લીધે મ્હારા હાથ જકડાઈ ગયા. કુમુદિનીએ પોતે એ ચિત્રપટ લઈ લીધું. પ્રિયંવદા પણ પછી તે આકાશમાગે ઉઠે ગઈ. હું મારી સખીઓ સાથે આનંદકીડા કરતી ઘર તરફ વળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust