Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 338
________________ ( 328 ) - સતી સુરસુંદરી. જાતને બાળી દે છે. દૂધ ઉભરાઇ જાય છે અને અગ્નિમાં પડવા તૈયાર થાય છે ત્યારે તેને શાંત કરવાને સારૂ અંદર જળ નાખવું પડે છે. જળરૂપી પોતાના મિત્રને આવેલું જેમાં દૂધ તરત જ શાંત બને છે. પુરૂષની મિત્રી વસ્તુતઃ આવી જ હોય છે. પિતાના મિત્રના સુખે સુખી અને દુઃખે દુઃખી બનવું એ મિત્રને ધર્મ છે. આદર્શ કુલવધુ निर्व्याजा दयितादौ, भक्ता श्वश्रुषु वत्सला स्वजने / स्निग्धा च बन्धुवर्गे, विकसितवदना कुलवधूटी // . પિતાના પતિ વિગેરે પૂજ્ય પુરૂષની ઉપર નિખાલસ બુદ્ધિ રાખવી, સાસુ-સસરાની વિનયપૂર્વક સેવા કરવી, સ્વજન - ઉપર વત્સલતા રાખવી, બંધુજનેની ઉપર સ્નેહદ્રષ્ટિ રાખવી અને હમેશાં પ્રફુલ્લ મુખાકૃતિ રાખવી એ કુળવધૂને ધર્મ કહ્યો છે. દુખમાત્ર દૂર રહે. उत्तमैः सह साङ्गत्यं, पण्डितैः सह सत्कथाः / अलुब्धैः संह मित्रत्वं, कुर्वाणो न विनश्यति / / ઉત્તમ પુરૂષની સંગતિ, પંડિત સાથે વાર્તાલાપ અને ! સરલ સ્વભાવી માણસ સાથેની મિત્રીથી દુઃખ માત્ર દુર રહે. એટલે કે એ પ્રમાણે પ્રવૃત્તિ કરનારને કઈ દિવસ દુઃખી થવું ન પડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354