________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વ્યાખ્યાન બીજું
)
શ્રી સિદ્ધચક્રના ઉપાસક બનો :
પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી શ્રી શ્રીપાળકથાના પ્રારંભમાં કહે છે : “હૃદય કમળમાં અરિહંતાદિ નવપદોનું ધ્યાન ધરીને હું સિદ્ધચક્રનો મહિમા કહીશ' તે મહિમા બતાવીને સંસારના જીવોને સિદ્ધચક્રના આરાધક અને ઉપાસક બનાવવા છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કાર્ય છે. બીજા જીવોને નવપદના આરાધક-ઉપાસક બનાવીને, તેમને મોક્ષમાર્ગ પર ચલાવવા, એ શ્રેષ્ઠ કાર્ય છે. આ મહત્ત્વપૂર્ણ કાર્ય કરવા માટે મનુષ્યમાં આધ્યાત્મિક શક્તિ જોઈએ; તે શક્તિ વિના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થતું નથી. સારી રીતે સંપન્ન થતું નથી. તેવી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા માટે અનંત શક્તિના ભંડાર અરિહંતાદિ પરમેષ્ઠિઓ સાથે સંબંધ સ્થાપિત કરવો અનિવાર્ય છે. તેમની પાસેથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી શકાય છે. ઉપાસનામાં ધ્યાન અનિવાર્ય :
શ્રી સિદ્ધચક્ર અનંત શક્તિનો ભંડાર છે! તેમની સાથે સંબંધ સ્થાપિત કરવાનો છે? આ સંબંધ સ્થાપિત કરવા માટે એક અદ્ભુત ઉપાય છે. તે છે નવપદનું ધ્યાન, સિદ્ધચક્રજીનું ધ્યાન.
જ્યારે જીવ સિદ્ધચક્રનું ધ્યાન ધરે છે, ત્યારે સિદ્ધચક્રની શક્તિ તેની (આરાધકની) શક્તિ બની જાય છે. શક્તિનું સંક્રમણ થાય છે! ધ્યાન ધરનારમાં શક્તિનો સંચાર થાય છે!
સિદ્ધચક્રનું ધ્યાન ધરવું સરળ નથી. તે માટે ગુણોની મૌલિકતા, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, વિશિષ્ટ પ્રકારની શ્રદ્ધા, વિશિષ્ટ પ્રકારની મનની શક્તિ અને સદાચારોની જરૂર હોય છે.
મયણા અને શ્રીપાળને સિદ્ધચક્રના શ્રેષ્ઠ આરાધક બતાવ્યાં છે, કારણ? તેમનામાં મૌલિક ગુણોની યોગ્યતા હતી, વિશિષ્ટ જ્ઞાન અને શ્રદ્ધા હતાં, સદાચાર દઢતા હતી. અપૂર્વ મનોબળ હતું. માટે સિદ્ધચક્રના ધ્યાન માટે તેઓ શક્તિમાન બન્યાં.
For Private And Personal Use Only