________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવપદ પ્રવચન
૧૦. આરાધના માટે એક સ્થાને આસન બાંધીને બેસતાં, આવી પડતા ભયોને અડોલપણે જીતવા તે “નિષદ્યા-પરિષહ” પર વિજય છે..
૧૧. કોમળ કે કઠિન, સમ કે વિષમ, જેવી સહજભાવે મળે તેવી જગામાં સમભાવપૂર્વક રહેવું તે “શચ્યા-પરિષહ” પર વિજય કહેવાય.
૧૨, કોઈ કટુ-કઠોર શબ્દ સંભળાવે, ગાળ દે, તેને સમતાભાવે સહન કરવી તે “આક્રોશ પરિષહ' પર વિજય કહેવાય.
૧૩, કોઈ તાડન-મારણ કરે તે સહન કરવું તે “વધ-પરિષહ” પર વિજય.
૧૪. ભિક્ષાવૃત્તિ કરતાં અપમાન કે લજ્જા ન રાખવા તે યાચના પરિષહ” પર વિજય.
૧૫. ભિક્ષામાં જોઈતી વસ્તુ ન મળે ત્યારે ખેદ ન કરવો તે “અલાભ પરિષહ' પર વિજય મેળવ્યો કહેવાય. ૧૬. સમતાભાવે રોગ સહન કરવો તે “રોગ-પરિષહ' પર વિજય છે.
૧૭. ઘાસ-તૃણ આદિની શય્યામાં પણ સમભાવ રાખવો તે “તૃણ-સ્પર્શ પરિષહ” પર વિજય કહેવાય.
૧૮. શરીર પર મેલ જામી જાય છતાં સ્નાનાદિ ન કરવાં અને મેલ સહન કરવો તે “મલ-પરિષહ' પર વિજય કહેવાય.
૧૯. સત્કાર મળતાં ખુશ ન થવું તે “સત્કાર પરિષહ” પર વિજય કહેવાય.
૨૦. તીવ્ર બુદ્ધિ હોય છતાં એનું અભિમાન ન કરવું તે “પ્રજ્ઞા-પરિષહ' પર વિજય મેળવ્યો કહેવાય.
૨૧. ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન હોય, છતાં તેનો ગર્વ ન કરવો તે “જ્ઞાનપરિસાહ' પર વિજય કહેવાય. એવી રીતે જ્ઞાનના અભાવમાં દીનતા ન કરવી તે અજ્ઞાન-પરિષદ' પર વિજય કહેવાય.
૨૨. સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થનું જ્ઞાન ન થવાથી ધર્મ નકામો લાગે ત્યારે વિવેકથી શ્રદ્ધા દઢ રાખવી તે “અદર્શન-પરિષહ' પર વિજય કહેવાય.
આ છે ૨૨ પરિષહ પરમાત્માએ આ બાવીસે બાવીસ પરિષહો પર વિજય મેળવ્યો! પરિષહ-વિજેતારૂપે પરમાત્માનું ધ્યાન ધરવાથી આપણે પણ વિજેતા બની શકીએ... “મારે “પરિષહ-વિજેતા બનવું છે.' આવું દઢ પ્રણિધાનદૃઢ સંકલ્પ હોવો જોઈએ.
એવી જ રીતે પરમાત્મા ઉપસર્ગ-વિજેતા છે! ઉપસર્ગ એટલે સંકટ-આપત્તિ
For Private And Personal Use Only