________________
૨૬૮ .
મહાકવિ શ્રી જયશેખરસૂરિ– ભાગ ૨ વાસુપૂજ્ય વસુધા તુમ્હારડઈ, વિશ્વપૂજ્ય ગુણરૂપ હારડ, જે મહાકવિ અહ અલકરિયા, સિદ્ધિ સુંદરિય વેગિ તે વરિયા. ૫ તૂ ચડાવઈ જિ ફૂલ પાંખુડી, તીહ પાપ ઝટકઈ પડિયાંખુડી, ' જે વિચારઈ ચરિતુ તાહરહ, ઘન્ય માહિ યુરિ તે ઉદાહરહં. ૬
વિષય કસાયતઈ મન માહિતી, શમ સુધારસિ ધોઈ માહિતી, ઈશુઈ પ્રભુ શાનિત જુહારિયઈ,વિફલ માણ્ય જમ્મુ ન હારિગઈ. ૭ સહસ ચઉસકિનારી નિરાકરી, વ્રત વિષઈ મનસા પ્રભુ તઈ ધરી, નગર લક્ષ સમક્ષ સ ત્યજી, શિવપુરી પરમેશ્વર નઈ ભજી. ૮ પાર્શ્વનાથ તુ જે પાદ પૂજઈ, તીહનઈ સુકલ સંપદ પૂગઈ તઈ જિ ભેટ અનાહત ૨ગિઈ, તે ન વાહિચઇ મોહ તરંગિઈ. ૯ વ્યાધિ વાહિન વિષ વૈરિ નિવારઈ, ચાર ચારહટ માંડ વિકાર, શેક સંકટ ભલિ પરિભાઈ, તુ પ્રભાવુ ભુવન ત્રીય ગાજઈ. ૧૦ એ પાંચ તીર્થકર હાથ જોડી, મઈ વીનવ્યા મચ્છર માન મેડી, નહીં પૃહા રાજિ ન લેગિ ભાઉ, સ્વ સેવતાં નિંકરિવુ પસાઉ. ૧૧ ઇતિ શ્રી યશેખરસૂરિકૃતા પચ તીર્થકર રતુતિ.
વિવરણ આ કાવ્યમાં ઋષભદેવ, પવપ્રભુ, વાસુપૂજ્ય સવામી, શાંતિનાથ અને પાર્શ્વનાથ પ્રભુ એ પાંચ તીર્થંકરની સ્તુતિ કરવામાં આવી છે.
કવિ કહે છે કે આદિનાથ પ્રભુ! આપ જ એક કલ્પવૃક્ષ સમાન છે. આપનાથી લેકો સર્વે સનાથ બને છે. હે સુકતાવતાર ! આપનાં ચરણેની અમે સદાચાર અને વિવેકયુક્ત હમેશાં પૂજા કરીએ છીએ.
જે દેવ માન, માયા અને માંથી મુક્ત છે તે દેવની સાચા 'ચિત્તની હું સેવા કરું છું. હે જગતનાથ યુગાદિદેવ ! હું આ સંસારમાં એક તમારી સેવાને જ શ્રેષ્ઠ માનુ છુ.