________________
[પરમાગમસાર-૨૮૯] ને મહિમા સાંભળ્યાં છે, પણ સત્પુરુષ - પ્રમાણ પુરુષ' એમ કહે છે કે એને વળગવા જેવું નથી. એ તો ડાકણ ને ચૂડેલ જેવી જાત છે. એને વળગીશ તો ભરખાઈ જઈશ - ખવાઈ જઈશ. પછી એને કાંઈ લાગતું નથી કે આમ કેમ કહે છે ? આવું કઠણ કેમ કહે છે ? એ વાત રહેતી નથી.
(હવે કહે છે) ‘પાપરાગની તો શું વાત !” એની તો વાત કરવાની રહેતી નથી, એ તો નિર્વિવાદ છે. ‘...પણ શુભરાગ કે જેણે હજારો રાણી છોડીને રાજપાટ છોડીને પંચમહાવ્રતના શુભરાગમાં પ્રેમ કર્યો છે તે આનંદસ્વરૂપ આત્માને ઘાયલ કરે છે, મારી નાખે છે.' ખૂન કરે છે. ઠીક ! જે રાગના - અશુભરાગના પ્રપંચમાં રચ્યો પચ્યો છે એને આત્માનું હિત થાય છે, એવું તો કોઈ નથી કહેતું. (તો પછી) ધર્માત્મા કહે એ તો વાત જ રહેતી નથી. પરંતુ શુભરાગ અને તે પણ કેવો શુભરાગ ? કે વૈરાગ્યમાં આવીને જે હજારો રાણી છોડે છે અને એ હજારો રાણીના વિયોગના કલ્પાંતની સામે જોતો નથી. એ (રાણીઓને) છોડે ત્યારે એને વૈરાગ્ય આવ્યો છે, એના પરિવારને કોઈ વૈરાગ્ય આવ્યો છે, એમ તો છે નહિ. નિર્દય નથી ? એ દૃષ્ટિકોણ ત્યાં અપનાવી શકાય નહિ. જ્યારે નિર્દોષતામાં કોઈ આગળ વધવા ચાહે
છે ત્યારે રાગથી દુઃખી થનાર પ્રત્યે કોઈ નિર્દયતા છે, એમ એના ઉપર આરોપ કરી શકાય નહિ. એવો (આ) વિષય છે અને એ તો દરેક વિષયમાં બનવાનું.
દારૂનો નિષેધ કરે તો કલાલનો ધંધો તો ભાંગે, ભાંગે ને ભાંગે જ. કલાલ એટલે દારૂ વેચનાર. અત્યારે આ Wine shop (ચલાવે છે એ) બધાં સુધરેલા કલાલ છે. પણ એનો ધંધો ભાંગે છે) ને એના રોટલાં ઉપર તમે પાટુ મારો છો, એમ કોઈ કહે (તો) ? કહે છે કે ભાઈ ! એ તો અનિવાર્ય છે. એમાં કોઈ બીજો રસ્તો છે નહિ. એ વસ્તુ અનિવાર્ય છે. એના પુણ્ય હશે તો બીજો કોઈ વ્યવસાય કરીને પેટ ભરશે પણ એને લઈને દારૂને કાંઈ અનુમોદન કરાય, એમ ન બની શકે.
એમ સત્–અસના વિષયમાં પણ એવું જ છે. તમે સતુની પ્રસિદ્ધિ કરવા જાવ ત્યારે એની અંદર અસત્નો નિષેધ થાય છે. કોઈ એમ કહે કે તમે બીજાં ઉ૫૨ દ્વેષ કરો છો. પણ દ્વેષ કરવાનો ત્યાં હેતુ નથી. હેતુ સનું સ્થાપન કરવાનો છે, સત્ત્ને પ્રસિદ્ધ કરવાનો છે. ત્યાં અનિવાર્યપણે Side