Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩િ૭૦ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બી ના ભાદરવા આવ્યું કે, “જે મારા આ હુકમની સાથે નગરજને સહમત ન થાય અને તેઓ જે વિરોધ કરે તે ઠીક નહિ કહેવાય. નગરજનોના સહકારથી જ મારું રાજ્ય ચાલે છે એટલા માટે આ સંબંધમાં નગરજનોની પણ મારે સમ્મતિ લેવી જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી રાજાએ દૂત દ્વારા નગરમાં એવો ઢંઢેરો પીટાવ્યું કે, “સુદર્શન શેઠ રાતના સમયે રાણીના મહેલમાથી પકડાયા છે અને તેમણે રાણીની આબરૂ ઉપર હાથ નાંખે છે એ કારણે તેમને ફાંસીની સજા આપવામાં આવી છે. જે કોઈને આ વિષે કાંઈ કહેવું હોય તે રાજાની પાસે આવી કહે.”
પડી નગર જબ ખબર લેગ મિલ, આયે રાજ દરબાર રામ રાખ મહાસય ! શેઠ, વિનવે વારંવાર. એ ધન ૮૭ મા દાતા રા સિર સહેજે સરે, પુરજન-જીવન સાર;
સુદર્શક જે ચહે લી તે, જીના હમેં ધિક્કાર છે ધન ૮૮ છે દૂત દ્વારા આ ઢંઢરે સાંભળી નગરજનો આશ્ચર્ય કરવા લાગ્યા કે, આમ કેમ બન્યું? સુદર્શન શેઠ રાણીની આબરૂ લેવા મહેલમાં જાય એ સંભવિત નથી. ધર્માત્મા સુદર્શનને જે શળી ઉપર ચડાવવામાં આવે તે ગજબ જ થઈ જાય ને?
પ્રજાના પ્રતિનિધિ કે એકત્રિત થઈ રાજાની પાસે ગયા અને પૂછયું કે, “સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવવાને આપે હુકમ કર્યો છે એ વાત સાચી છે?” રાજાએ ઉત્તર આ કે, “હા, એ વાત સાચી છે.” પ્રજાના પ્રતિનિધિઓએ કહ્યું કે, “આપ એને શૂળી ઉપર ચડાવીને અમારા પ્રજાજનેના પ્રાણને પણ શૂળી ઉપર ચડાવો છે! તે કેવળ એકલા જ નથી. એની સાથે સમસ્ત પ્રજા છે.” રાજાએ હસીને જવાબ આપે કે, “હું સારી રીતે જાણું છું કે, તમે બધા લેકે એની સાથે છે અને એટલા જ માટે મેં તેને છૂપી રીતે ળી ઉપર ન ચડાવતાં તમને બધાને ખબર પડે એ માટે મેં ઢંઢેરો પીટાવ્યો
છે કે જેથી તમારે એ સંબંધમાં જે કાંઈ કહેવું હોય તે કહી શકે. ” નગરજને રાજાને ' કહેવા લાગ્યા કે, “મહારાજ! પહેલાં તે સુદર્શને એ અપરાધ કર્યો જ નહિ હોય, અને કદાચિત કર્યો હોય તે પ્રજાની વિનંતીને માન આપી આપ હુકમને રદ કરે અને તેમને છોડી મૂકે; કારણ કે એ શેઠ દાની પુરુષના મુગટરૂપ છે માટે એવા દાની પુરુષને શૂળી ઉપર ચડાવ ઠીક નથી.”
દાની પુરુષોને શિરમોર કોને કહે એ જોવા માટે સર્વ પ્રથમ “દાની” કોને કહે એ જાણવાની જરૂર રહે છે. આજે તે સમાચારપત્રમાં દાનવીરેની નામાવલિ બહુ જોવામાં આવે છે. લેકે ડુંક દાન કર્યું–ન કર્યું ત્યાં તે સમાચારપત્રોમાં દાનવીરોની શ્રેણિમાં પિતાનું નામ છપાવવાને પ્રયત્ન કરે છે. પણ સાચા દાનવીર બનવા તેઓ ચાહતા નથી. સાચો દાનવીર તે છે કે જે દાન દેવામાં કઈ દિવસ પાછી પાની કરતા નથી અને પિતે દાન આપ્યું છે તેની બીજાને ખબર પણ પડવા દેતા નથી. ફારસીમાં એક એવી કહેવત છે કે, “દાન એવી રીતે આપવું જોઈએ કે જમણા હાથે આપેલા દાનની વાત ડાબા હાથને પણ માલુમ ન પડે.” દાન બીજાને સહાયરૂપ થવા માટે દેવામાં આવે છે, બીજાની આબરૂના કાંકરાં