Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
જં૮૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા કર્મબંધના તાડીને તે કઈ સ્થિતિને પામે છે વગેરે વાતને જાણનાર જગદ્ગુરુ કહેવાય છે. એ જગદ્ગુરુએ પડેલાં પાતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેમણે તપ કરી કૈવલજ્ઞાનની જે સંપદા પ્રાપ્ત કરી છે તે દ્વારા તેઓ આત્મકલ્યાણ કરવાની સાથે જ જગતનું કલ્યાણ પણ સાધે છે.”
છે કે,
જગદ્દગુરુ ભગવાનની અમૃત વાણી સાંભળી વિચારવાન માણસના હૃદ્યમાં એવા વિચાર આવે છે કે, “ હું ! પ્રભા ! આપ તે અમારી ઉપર ઘ્યા કરી અમને જાગ્રત કરે છે. પણ અમે કેવા છીએ કે આપ અમને જાગ્રત કરે છે છતાં અમે નિદ્રામાં પડયા રહીએ છીએ. આ અમારી કેવી નિ`ળતા છે.” આ પ્રમાણે વિચાર કરી, ભક્ત લાકા પોતાની નિબળતા પ્રગટ કરી પોતાની નમ્રતા બતાવે છે. સ'સારમાં એવા પણ માણસે છે કે જેઓ વિનમ્ર થઈ ને પોતાની નિ`ળતા ઋજીભાવે પ્રગટ કરી દે છે અને સંસારમાં એવા પણ માણસેr અહંકારને વશ થઈ પેાતાના સગુણાને તે પ્રગટ કરે છે પણ દુર્ગુણોને દબાવી રાખે છે. આ બન્ને પ્રકારના માણસામાં સારા માણસ તા તે છે કે જે પેાતાની નિળતાને પ્રગટ કરે છે પણ જે પેાતાના દુર્ગુણાને દબાવી રાખે છે તે તે કાયર છે. સત્પુરુષ તે તે જ છે કે જે પેાતાના દુર્ગુણાને પ્રગટ કરી તેને દૂર કરવાનેા પ્રયત્ન કરે છે. ઘઉં વીણતી વખતે ઘઉંના દાણાને વીણી બહાર ફેંકી દેવામાં આવતા નથી, પરંતુ ઘઉંમાં રહેલા કાંકરાને વાણી ફેંકી દેવામાં આવે છે. આ જ પ્રમાણે વ્યવહારમાં એવી ભૂલ થતી નથી પરંતુ આત્માતે વિષે એવા જ પ્રકારની ભૂલ થઈ જાય છે. હૃદયનાં પાપાન છુપાવી ખડાર ખીજું જ બતાવવુ એ આત્માની નિંભળતા કે કાયરતા છે. જે આત્મા એ કાયરતાને દૂર કરવા ચાહે તે તેણે એવી પ્રાર્થના કરવી જોઈએ કેઃ—
હું અપરાધી અનાદિના, જનમ જનમ ગુના કયા ભરપૂર કે, લૂટિયા પ્રાણ છે:કાયના, સેવિયા પાપ અઢાર કર કે.
જે
નમ્રતાને ધારણ કરી સરલ હૃદયથી પરમાત્માની એવી પ્રાર્થના કરો કે, “ હે ! પ્રભા ! હું અપરાધી છું. હું પેાતાનેા જ અપરાધી છું. હું દુગુણાને તે ખાવું છું અને સદ્ગુણાને પ્રગટ કરું છું. મને દુર્ગુણા તા પ્રિય લાગે છે અને સગુણા પ્રિય લાગતા નથી. એટલા માટે હું તમારા શરણે આવ્યા છું. તેા શરણાગતની રક્ષા કરા અને મારી આ કાયરતા દૂર કરવા હું ચાહું છું, તે તેમાં મને સહાય કરેા. મને ઘણી વાર એ ભય લાગે છે કે, મારા દુર્ગુણા પ્રગટ થઈ ન જાય તેા સારું, નહિ તે મારી પ્રતિષ્ઠા ઉપર પાણી ફરી વળશે. આ ભયને કારણે હું મારી નિĆળતાને કારણે મારા પાપને દબાવી રાખુ છું. મારી આ નિર્બળતાને દૂર કરવા માટે મારે એવા વિચાર કરવા જોઈએ કે, હું પાપને બધાથી તે છુપાવુ છું પણું શું પરમાત્માથી પણ પાપને છુપાવી શકીશ ! જગતની તે પરવા કરું છું પણ પરમાત્માની પરવા કેમ કરતા નથી ? અને જો મને જગતની પરવા નથી, પરંતુ પરમાત્માની પરવા છે તેા પછી પાપને શા માટે આવું છું ! અને હૃદયમાં પાપને શા માટે સંગ્રહી રાખું છું ! પણ હૈ ! પ્રભા ! મને આવા વિચાર આવતા નથી, એ મારી કાયરતા છે. આ મારી કાયરતાને દૂર કરવા માટે જ હું તમારા શરણે આવ્યો છું.”
અત્રે એક પ્રશ્ન થાય છે કે, પરમાત્મા જોવામાં આવતા નથી અને જ્યાંસુધી તે જોવામાં આવતા નથી ત્યાંસુધી તેમની પ્રાર્થના કેવી રીતે કરવી ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પરમાત્મા છે છતાં લેાકેા કહે છે કે, તે જોવામાં આવતા નથી. પરંતુ તે કાંઈ સ્થૂલ ચીજ નથી કે તેને ચર્મ