Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
કાકા કા = કે કઈ
ગાડી
કે,
',
'
૬૧૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો માને છે, કેઈ એક અંધારા ઘરમાં એક દેરી પડેલી છે. એ દેરીને સાપ સમજી એક માણસ ભય પામ્યો. આ માણસને જે ભય પેદા થયો તે કેવી રીતે થયો? અવિદ્યાને કારણે જ ભય પેદા થયો ને ? એટલા માટે દેરીના વિષે સાપની કલ્પના થવી એ જ અવિદ્યા છે અને આ અવિદ્યાને કારણે જ ભય પેદા થાય છે. ભ્રમ, વિપરીતજ્ઞાન કે અવિધા કહે એ એક જ વાત છે. તે માણસ દેરીને સર્પ માની ભય પામતે હતો એટલામાં જ એક બીજે માણસ આવ્યા. બીજા માણસે તે ભયભીત થએલા માણસને કહ્યું કે, તું ભય કેમ પામે છે. તે ભયભીત થએલા માણસે કહ્યું કે, આ મકાનમાં સાપ છે. ત્યારે બીજા માણસે કહ્યું કે, એ સાપ નથી; પણ દેરી છે. આ પ્રમાણે બન્ને વચ્ચે વિવાદ થવા લાગ્યો. એટલામાં જ કે બત્તી લઈને આવ્યું અને જોયું તે તે સર્પ નહિ પણ દેરી હતી. આ પ્રમાણે દેરી છે એ નિર્ણય થવાથી સાપને ભય ચાલ્યા ગયા.
' - આ પ્રમાણે અવિદ્યાને કોરણે જ ભય પેદા થવા પામે છે અને અવિદ્યા દૂર થતાં જ ભય પણ મટી જાય છે. આ જ પ્રમાણે આત્માને જે દુઃખ છે તે અવિદ્યાને કારણે જ છે. અવિદ્યા દૂર થતાં આત્મામાં કોઈ પ્રકારને કલેશ રહેવા પામતે નથી. કે તેરમાં ગુણસ્થાને ચડેલા ભગવાન અહો અવિદ્યાને નષ્ટ કરી દીધેલી હોય છે. અવિદ્યા
જ કર્મનું મૂળ છે. જ્યારે મૂળ જ નષ્ટ થઈ ચૂક્યું હોય ત્યારે કર્મો કયાંથી હોય? જો કે તેઓ હાલચાલે છે પણ કર્મો પેદા કરવા માટે હાલતા ચાલતા નથી, પરંતુ પૂર્વ કમેને નષ્ટ કરવા માટે જ હાલે ચાલે છે. ' ' કર્મો ત્રણ પ્રકારનાં છે. વિહિત, અવિહિત અને વિહિતાવિહિત. અર્થાત પુણ્ય, પાવ અને મિશ્ર એમ કર્મો ત્રણ પ્રકારનાં હોય છે. ભગવાન અહંત એ ત્રણેય કર્મોમાંનું એક પણ કર્મ બાંધતા નથી. તેમને કેવળ ઈર્યાવહીની ક્રિયા લાગે છે પણ તે ક્રિયા એક સમયમાં બંધાય છે. બીજા સમયમાં ભોગવાઈ જાય છે અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન અર્વતને સંપ્રરાયની અપેક્ષાએ કર્મો લાગતાં જ નથી. '
* કલેશ અને કર્મ તે ભગવાન અહંન્તમાં હેતાં જ નથી પણ વિપાક પણ હેત નથી. વિપાકને અર્થે કર્મનું ફલ એ થાય છે. કર્મફલરપિ જન્મમરણ આદિને વિપાક કહેવામાં આવે છે. પણ જ્યારે સંપ્રરાય કર્મો જ હેતાં નથી તે પછી ફલસ્વરૂપ જન્મ-મરણને વિપાક હોઈ જ કેમ શકે ?
ભગવાનમાં આશય અર્થાત સંસ્કાર પણ હોતા નથી. જેના દર્શન જેને સંસ્કાર કહેઃ છે, અન્ય દર્શને તેને આશય કહે છે. સંસ્કારથી જ કર્મ કે વિપાક થાય છે. સંસ્કાર ના હોય તે કર્મ કે વિપાક થાય જ નહિ. જેમકે વડથી પૃથક થએલ વડના ફળમાં અનેક બીજ હોય છે. કોઈ માણસ એ બીજોમાંથી એક બીજ લઈ એમ કહે કે, આ બીજમાં વડનું આખું ઝાડ સમાએલ છે તે શું કઈ એ વાતને માની શકે ? અને જો એમ કહેનારને એમ કહેવામાં આવે કે વૃક્ષ ક્યાં છે એ બતાવે તે શું તે વૃક્ષ બતાવી શકે ખરો ? જો કે એ બીજમાં વૃક્ષ પ્રત્યક્ષ દેખાતું નથી તેમ બતાવી પણ શકાતું નથી પણ જે તે જ બીજને માટી-પાણી આદિનો સંગ મળે તે શું એ જ બીજમાંથી વૃક્ષ પેદા થઈ ન શકે ? અવશ્ય થઈ શકે