Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 337
________________ ૬૬૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક મારે અને તમારે બન્નેએ સાવધાન રહેવું જોઈએ. આ સાવધાની રાખવા માટે જ હું તમને એમ કહું છું કે, વ્યાખ્યાન સાંભળી તમારામાં જે રમણીકતા આવે છે તે રમણીકતાને ધારણ કરી રાખજો. ઘેર જઈ અરમણીક બની જશે નહિ, જે તમે સત્કાર્યમાં રમણુક બન્યા રહેશે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૪ શુક્રવાર == = પ્રાર્થના વિમલ જિનેશ્વર સેવિએ થારી, બુદ્ધિ નિમલ હેય જાય રે, જીવા! વિષય-કષાય નિવારને, તૂ તે મેહની કર્મ ખપાયરે; જીવા! વિમલ જિનેશ્વર સેવિયે. –વિનયચંદ્રજી કુંભ, ચોવીશી શ્રી વિમલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનાને વિચાર કોઈએ અદ્દભુત છે કે, જેને શબ્દો દ્વારા વ્યક્ત કરે બહુ જ મુશ્કેલ છે; છતાં જ્યારે બેલવાનો પ્રસંગ આવે છે ત્યારે હું મારા આત્માને કહું છું કે, “હે! આત્મા! તું પ્રપંચમાં પડી જઈ પિતાને ભૂલી ન જા. સંસારમાં ફસાઈ ન જા અને સાધુતાના તત્ત્વને ભૂલી ન જા. તું કોઈપણ કારણે અભિમાન ન કર. તું અભિમાન કરે છે તે કોના ઉપર? તું તારી પૂર્વ સ્થિતિને જે કે તું ક્યાં ક્યાં રહ્યો છે? આજે તને જે માન મળી રહ્યું છે તેને જોઈ જે તું તારી પૂર્વ સ્થિતિ વિષે વિચાર કરે તે તને ખરી સ્થિતિનું ભાન થશે. હે ! આત્મા ! તું પૃથ્વી, પાણી, અગ્નિ આદિની સ્થિતિમાં અનંતકાળ સુધી રહ્યો છે અને આજે તને જે સન્માન આપે છે તેના હાથે ન જાણે તારી કેવી કેવી અવદશા થઈ છે ! હવે તું આગળ વધતાં વધતાં એ સ્થિતિને પ્રાપ્ત થયો છે કે, જે લોકો તારી અવહેલના કરતા હતા તે લોકો જ તારું સન્માન કરી રહ્યા છે ! એટલા માટે તું આ સન્માનને પામીને તારી પૂર્વ સ્થિતિને ભૂલી ને જ પરંતુ ભગવાન વિમલનાથના ચરણે જા.” આ પ્રમાણે આ ઉપદેશ મારા આત્માને માટે જ છે. આ ઉપદેશ ઘણે જ પ્રેરક છે. સંસારમાં જે કોઈ વસ્તુ પ્રિય લાગે છે તે વસ્તુ આત્માને માટે જ પ્રિય લાગે છે. વસ્તુને માટે વસ્તુ પ્રિય લાગતી નથી. આ જ પ્રમાણે આત્માના માટે જ આ પ્રાર્થના પણ પ્રિય લાગે છે; એટલા માટે આ પ્રાર્થના ઉપરથી આપણે આપણી પૂર્વ સ્થિતિનો વિચાર કરવો જોઈએ, આજે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં બીજાની જરા પણ ધમકી સહેવાને પણ તૈયાર રહેતા નથી. પરંતુ પૂર્વ સ્થિતિમાં કેવી કેવી ધમકીઓ સહી છે એને વિચાર કરવામાં આવે તે કોઈની ધમકી ત્રાસદાયક નહિ લાગે ! આજના વૈજ્ઞાનિકો પણ વિકાસવાદને માને છે. તેઓ જડવાદી છે એટલા માટે જડને વિકાસ માની એમ કહે છે કે,

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364