Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 327
________________ ૬૫૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક પદાર્થોનું સ્વરૂપ સમજી મહાપુરુષોના પગલે ચાલશે તે પણ કલ્યાણ થશે. રેલ્વેના ડબાઓમાં પાવર હોતું નથી. પાવર તે કેવળ એજીનમાં જ હોય છે. પણ જ્યારે ડખ્ખાઓને એજીનની સાંકળની સાથે જોડી દેવામાં આવે છે, ત્યારે પાવર ન હોવા છતાં ડબ્બાઓ એજનની સાથે યથાસ્થાને પહોંચી જાય છે. આ જ પ્રમાણે સંસારનાં પદાર્થોને ત્યાગ કરી પિતે સનાથ ન બનવા છતાં, જે સનાથ બન્યા છે, તેમના આત્માની સાથે પિતાને સંબંધ જોડી દેવાથી એક દિવસ તમે પણ અવશ્ય સનાથ બની શકશે. શાસ્ત્રમાં કહ્યું છે કે -- दुल्लहाओ मुहादाई, मुहाजीवी वि दुल्लहा। મુહાવા મુદાનવીર, વો વિ જ છરિત પુરાણું –શ્રી દશવૈકાલિક સૂત્ર અર્થાત–પૂર્ણ પ્રેમથી, સદ્દબુદ્ધિથી અને નિસ્પૃહતાથી દાન આપનાર દુર્લભ છે અને શુદ્ધ ભાવથી કેવળ સંયમનું પાલન કરવા માટે દાન લેનાર પણ દુર્લભ છે. જો કે આવું દાન આપનાર અને આવું દાન લેનાર બને મળવાં દુર્લભ છે, પણ જો એવા બને મળી જાય તે બને સગતિને પામે છે. એટલા માટે સનાથ તે ન બની શકે તે જે મહાત્માઓ સનાથ બન્યા છે તેમની સાથે તમે સંબંધ જોડી લે તે તેમાં કલ્યાણ છે. રાજા શ્રેણિકે અનાથી મુનિની સાથે પોતાને સંબંધ જેવો છે અને એટલા જ માટે તેણે મુનિની પ્રાર્થના પણ કરી છે. રાજાએ મુનિની પ્રાર્થના કેવી રીતે કરી છે એ બતાવવા માટે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ एवं थुणित्ताण स रायसीहो, अणगारसीहं परमाइ भत्तीए । सओरोहो सपरियणो सबन्धवो, धम्माणुरत्तो विमलेण चेयसा ॥५८॥ રાજા શ્રેણિકે, મુનિ પાસેથી ધર્મબોધ પામી, પિતાને અપરાધ તેમની પાસે માફ કરાવ્યો એવો છે કે સ્પષ્ટ પાઠ નથી, જે પાઠ છે તે પણ ઉપરથી એમ જણાય છે કે, રાજા ઘેર ગયો અને પિતાની રાજસંપદા, બંધુ-બાંધવ કર્મચારીઓ વગેરે સહિત તે મુનિની પાસે આવી ક્ષમાપ્રાર્થના કરી અને બધા લેકેની સાથે પણ તે ધર્મને અનુરાગી થયો. મુનિએ જે સંપદાને મુક્તિમાં અવરોધક બતાવી હતી તે જ સંપદાને લઈ રાજા શ્રેણિક મુનિને ખમાવવા માટે આવ્યું. આ પ્રમાણે રાજાઓમાં સિંહસમાન એવા શ્રેણિક રાજાએ અનગારસિંહ એવા અનાથી મુનિની પાસે ક્ષમાપ્રાર્થના કરી. - રાજા શ્રેણિક રાજસિંહ હતા અને અનાથી મુનિ અનગારસિંહ હતા. શાસ્ત્રકારોએ બન્નેને સિંહની ઉપમા આપી છે. એટલા માટે અત્રે જોવાનું એ છે કે, સિંહ તે પશુ છે છતાં રાજા અને મુનિને માટે સિંહની ઉપમા કેમ આપવામાં આવી છે? સિંહમાં એવી કઈ વિશેષતા છે અને સિંહ તથા શ્વાન વચ્ચે શું અંતર રહેલું છે તે વિષે અત્રે વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. ઘણું કુતરાઓ એવા પણ હોય છે કે જે આકાર-પ્રકારમાં સિંહની જેવા દેખાય છે. સિંહના જેવો રંગ, તેના જેવું શરીર, અને તેના જેવી જ મુંછ તથા પુંછડી હોય છે, તથા દાંત પણ તેના જેવાં જ લાંબાં હોય છે. આ પ્રમાણે પ્રાયઃ ઘણી સમાનતા સિંહના જેવી હોય છે, છતાં શું તે કુતરે સિંહનું સ્થાન લઈ શકે ખરો? તે કુતરો જ્યાંસુધી ન ભસે ત્યાંસુધી ભલે તે સિંહ જેવો લાગે, પણ જ્યારે તે ભસે ત્યારે શું તે સિંહના જેવી ગર્જના કરી શકે ખરે? જ્યારે તે બે-ભે ભસે ત્યારે તે કુતરે જ છે એવી ખાત્રી થયા વગર

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364