Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 319
________________ ૬૫૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક રીતે આપે છે એ જાણવા માટે તમે એમ સમજો કે, પરમાત્માને પતિતપાવન કહેવામાં આવે છે, પતિતનાશક કહેવામાં આવતા નથી. શું પરમાત્મા પતિતાને નષ્ટ કરી ન શકે? તે નષ્ટ તેા કરી શકે છે પણ એ તેા રાજા પણ કરે છે. જો ઈશ્વર પણ એવુ' જ કરે તે। પછી તેની મહત્તા શી ? ઈશ્વર એમ કરે તો તે ઈશ્વર રહી ન શકે. તે ઈશ્વર ત્યારે જ છે જ્યારે તે મોટું કામ કરે છે. પિતાને નષ્ટ કરવા એ કાંઈ મોટું કામ નથી; પર’તુ પતિતાને પાવન કરવા એ જ મેટું કામ છે. આ મારું કામ કરવાને કારણે જ ક્ષિર પતિતપાવન કહેવાય છે. જે સામાન્ય કામે બીજા લેાકા કરે છે તે સામાન્ય કામ ઈશ્વર કરે તે એમાં તેનું શું ઈશ્વરત્વ છે ? અપરાધના બદ્લા દંડ દ્વારા આપવા એ જધન્ય ઉપાય છે. આ જઘન્ય ઉપાયને ઉપયેગ કરનાર તે ધણા છે, પરંતુ અપરાધના બદ્લા ઉત્કૃષ્ટ ઉપાય દ્વારા આપવા અર્થાત્ ક્ષમા દ્વારા આપવા એમાં જ ખરી ખૂબી છે. સંસારમાં આ પ્રમાણે કર્માંને નષ્ટ કરવા માટે શાસ્ત્રકારાએ જે ઉપાયા બતાવ્યાં છે એ ઉપાયાદ્વારા ક્ષમાની માફક તાત્કાલિક લાભ પણ થાય છે. ક્ષમા, અહિંસા આદિ જે ગુણા કૉવરણાને દૂર કરવા માટે શાસ્ત્રકારાએ બતાવ્યાં છે એ ગુણાથી જગતને પણ ધણી શાન્તિ મળે છે. જો સંસારમાંથી આ ચુણા એક ક્ષણભરને માટે દૂર કરવામાં આવે તા આ સંસાર તપાવેલા લાઢાની માફક સંતપ્ત બની જાય. અહિંસા-ક્ષમા આદિ ગુણાને કારણે જ સંસારમાં સુખ અને શાન્તિ છે. અનાથી મુનિના અધિકાર—૭૪ ધર્મના ઉપદેશ સાંભળી રાજા શ્રેણિકના હૃદયપલટા કેવા થઈ ગયા તે જુઓ. તેણે મુનિની પાસે પોતાનાં અપરાધાની ક્ષમા માગી. મુનિતા કાઈ ને અપરાધી માનતા જ ન હતા. જો તે રાજાને અપરાધી માનતા હેાત તેા તેને ઉપદેશ જ શા માટે સંભળાવત ? પરંતુ જે બીજાના અપરાધને માનતા નથી તેમના ભક્તો તેમની ક્ષમાથી પેાતાના ઉપર વધારે ભાર સમજે છે અને એમ વિચારે છે કે અમે આ ઋણુથી ક્યારે મુક્ત થઈ શકીએ ? અપરાધની ક્ષમા માંગતા રાજા શ્રેણિક પોતાને શું અપરાધ છે તે બતાવતાં કહે છે કે, “ હૈ! મુનિવર ! આપ સમાધિમાં બેસી ધ્યાન કરી રહ્યા હતા ત્યારે મે' આપે દીક્ષા કેમ ધારણ કરી! એવા તુચ્છ પ્રશ્ન કર્યાં. મને આપનું ધ્યાન તેાડવાના અને આવા પ્રશ્ન પૂછવાના શા અધિકાર હતા ? પણ મને અધિકાર ન હેાવા છતાં મેં આપનું ધ્યાન તાયું. મારા એ અપરાધ છે. આપ મારા એ અપરાધને માફ કરે।. શું પ્રશ્ન પૂછવા એ પણ અપરાધ છે કે, રાજા શ્રેણિક તેને માટે ક્ષમા માંગે છે ? રાજા શ્રેણિક પ્રશ્ન પૂછવાનેા અને ધ્યાનભંગ કરવાના પણ પોતે અપરાધ કર્યો છે, એમ માની પેાતાની સીમાતીત નમ્રતાના પરિચય આપી રહ્યો છે! તે કહે છે કે, મારા પ્રશ્ન તુચ્છ હતેા અને આપનું ધ્યાન માટું હતું. મેં તુચ્છ કામને માટે મેટા કામની હાનિ કરી છે એ મારા અપરાધ છે. રાજા આ પ્રમાણે કહી પાતા ઉપર મુનિના ઉપકારને વધારે ભાર છે એમ બતાવે છે. આ ઉપકારનું પૂર્ણ રહસ્ય તા કોઈ જ્ઞાની જ ખતાવી શકે છતાં હું સ્વબુદ્ધિ અનુસાર તેને સમજાવવાના પ્રયત્ન કરું છું.

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364