Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૮] રાજકેટ–ચાતુર્માસ
[૬૪૯ હેય તે કટુ શબ્દો તેને શું કરી શકે? પિતાનામાં રહેલા ક્રોધને ક્ષમાદ્વારા દબાવી દેવામાં આવે તો ગમે તેવા કટુ શબ્દથી તેને ક્રોધ પેદા નહિ થાય.
આ પ્રમાણે ક્ષમા આશરે લેવાથી તાત્કાલિક લાભ થયો કે નહિ ? ક્રોધને કારણે પેદા થતી આ માં બળતરા, માથાનું ભમવું અને છાતીનું ધડકવું ક્ષમાથી બંધ થઈ ગયું કે નહિ ? - ક્ષમાને આશરો લેવાથી આ પ્રમાણે તાત્કાલિક લાભ પણ થાય છે. જે ક્ષમાને આશરો લેવામાં આવે તે માનસિક શાન્તિ પણ રહે અને એ દિશામાં ચહેરા ઉપર ફીકાશ પણું ન રહે. તમને લેકીને ખાવાની કોઈ ખામી નથી પરંતુ માનસિક શાન્તિની ખામી છે અને એ કારણે જ તમારા ચહેરા ઉપર ફીકાશ જોવામાં આવે છે. આ ઉપરથી એ પણ સ્પષ્ટ જણાય છે કે, શારીરિક ખોરાકની સાથે જ માનસિક શાન્તિના ખોરાકની પણ આવશ્યક્તા રહે છે. જે લોકોને માનસિક શાંતિ મળે છે તે લેકેને શારીરિક ખોરાક તમારા જે ન મળવા છતાં તેઓ આનંદમાં રહે છે. અને જેમને શારીરિક ખોરાક તે પૂરત મળે છે પણ માનસિક શાન્તિ તેટલા પ્રમાણમાં મળતી નથી તેઓ હાય–વય કરતા જ રહે છે અર્થાત તેઓ દુઃખી જ રહ્યા કરે છે. ક્ષમા માનસિક શાન્તિ આપે છે. જે પ્રમાણે પવન ન લાગે તે દીપક અખંડરૂપે બળે છે તે જ પ્રમાણે હૃદયમાં જો ક્ષમાનો અખંડ દીપક પ્રજવલિત કરવામાં આવે તો તે વખતને આનંદ અને તે વખતની શાન્તિની વાત જ શી કરવી ?
મતલબ કે, ક્રોધ કટુ શબ્દોથી આવતું નથી પરંતુ પોતાનામાં જ ક્રોધ છે, કે જે કટુ શબ્દોની અથડામણથી એકદમ પેદા થઈ જાય છે. પણ આપણે પિતાને જોતા નથી એ જ મેટી ભૂલ થાય છે. જે આપણે પિતાને જોતા રહીએ તે પછી ગમે તેવા કટુ શબ્દો કઈ કહે તે પણ ક્રોધ પેદા થઈ શકે નહિ. ઉદાહરણ તરીકે કોઈ માણસ ઘરમાં જઈ રહ્યો છે પણ અસાવધાનીને કારણે થાંભલા સાથે તેનું માથું ભટકાયું. થાંભલે લાગવાને કારણે શું તે માણસ થાંભલા ઉપર ક્રોધ કરશે કે તેને મારશે ? નહિ. તે તે એમ જ વિચારશે કે એ તે મારી જ ભૂલ થઈ હતી. આ જ પ્રમાણે જ્યારે સંસારનાં જડ પદાર્થો કે શબ્દો વગેરેની અથડામણ થાય છે ત્યારે જ્ઞાનીઓ પોતાની જ ભૂલ માને છે અને એમ વિચારે છે કે, મારા ઉપાદાનની જ ખામી છે. આ જ પ્રમાણે તમે પણ તમારા આત્માને તપાસ અને ક્રોધ પેદા થાય ત્યારે તમારી જ ખામી છે એમ માને તે તમને ક્રોધ જ પેદા નહિ થાય !
આ ઉપરથી કદાચ કોઈ એમ કહે કે, જે પિતાની જ ભૂલ માનવામાં આવે તે પછી રાજવ્યવસ્થા બગડી જશે! જ્યારે બીજાને અપરાધ જ માનવામાં ન આવે અને પિતાને જ
અપરાધ માનવામાં આવે તે કોઈને દંડ આપવો પણ નકામે જશે અને જે કંઈ અપરાધીને દંડ જ આપવામાં ન આવે તે તે ગજબ જ થઈ જાય ને !
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કોઈને દંડ આપવો એ અપરાધને બદલે આપવા બરાબર છે. પરંતુ અપરાધને બદલે બે રીતે આપવામાં આવે છે. એક તો અપરાધને બદલે અપરાધ કરીને જ આપવામાં આવે છે અને બીજો અપરાધને બદલે અપરાધને દૂર કરી ક્ષમાદ્વારા આપવામાં આવે છે. એક તે થપ્પડને બદલે થપ્પડ મારીને આપવામાં આવે છે અને બીજો થપ્પડને બદલે ક્ષમાદ્વારા આપવામાં આવે છે. અપરાધને બદલે રાજા દંડ દ્વારા આપી અપરાધને બદલે અપરાધથી આપે છે પરંતુ જ્ઞાનીજનો અપરાધનો બદલો બીજી જ રીતે આપે છે. જ્ઞાનીજને અપરાધને બદલે કેવી
૩૭