Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
રાણી કહેવા લાગી કે, “હે ! પ્રભે ! જ્યારે મારા પેટમાં ગર્ભ આવ્યો ત્યારે મારા જોવામાં ચૌદ મહાસ્વપ્ન આવ્યાં. વળી ગર્ભના પ્રતાપથી મારામાં ઘણી જ સારી ભાવનાઓ પેદા થવા લાગી છે. જે પ્રમાણે કાચની હાંડીમાં દીપક જ્યાં સુધી કરવામાં આવતું નથી ત્યાં સુધી તે કાચની હાંડી પ્રકાશિત થતી નથી તે જ પ્રમાણે ગર્ભની શક્તિ જ મારામાં આવી છે અને તેથી જ મારામાં ઉત્તમોત્તમ શુભ ભાવનાઓ પેદા થવા લાગી છે. હું તે આપની સેવિકા અને ધર્મ સહાયિકા છું. એટલા માટે આપની અને ગર્ભની શક્તિના પ્રતાપથી જ દુભિક્ષ મટી સુભિક્ષ થયો છે અને જ્યાં જરાપણ અન્નોત્પત્તિની સંભાવના ન હતી ત્યાં અન્ન પેદા થયું છે.”
રાણીની વાત સાંભળી રાજાએ કહ્યું કે, વાસ્તવમાં તમારા ગર્ભમાં રહેલા મહાપુરુષની શક્તિને જ આ બધો પ્રતાપ છે. એટલા માટે હું એ મહાપુરુષને જન્મ થયે તેમનું નામ સંભવનાથ જ પાડીશ.
ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પાડવામાં આવ્યું એ વાતની ચર્ચા આવશ્યક ભાષ્યમાં કરવામાં આવી છે. તમે લેકે લેગસ્સનો પાઠ બોલે છે તેમાં પણ ભગવાન સંભવનાથનું નામ આવે છે અને ત્યાં પણ આ જ અર્થ બતાવવામાં આવ્યો છે.
ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ પાડવાનું બીજું કઈ કારણ પણ હશે પણ અન્નોત્પત્તિને સંભવ થવો એ મુખ્ય કારણ છે. અન્નનું ઘણું જ મહત્વ છે. હીરા-મેતીથી પણ અન્નની કીંમત વધારે છે. હું માને એ ધાતુ ઉપરથી “અન્ન” શબ્દ બન્યું છે, અને કાન wારે એ ધાતુ ઉપરથી “પ્રાણ” શબ્દ બને છે. અન્ન અને પ્રાણને પારસ્પરિક ઘનિષ્ટ સંબંધ છે. હીરાબેતી વિના તે પ્રાણ ટકી શકે છે પણ અન્ન વિના પ્રાણ ટકી શક્તા નથી. એટલા જ માટે ભગવાને જે નવ પ્રકારનું પુણ્ય બતાવેલ છે તેમાં અન્નપુણ્યને પ્રથમ સ્થાન આપેલ છે.
અન્ન વિના કેવી ભયંકર સ્થિતિ થાય છે એનું કેટલુંક વર્ણન પટ્ટાવલીમાં પણ મળે છે. તેમાં લખ્યું છે કે, પિતાએ પિતાની પુત્રીને સેનામહોરની ટોપલીના બદલામાં પણ અન્નની ટપલી આપી નહિ. આ પ્રકારની વિષમ પરિસ્થિતિમાં ધર્મની પણ કેવી દશા થઈ હશે તે કેણ કહી શકે? આવા સમયમાં ધર્મ કોણ કહે અને કોણ સાંભળે. એટલા જ માટે પ્રાર્થના કરતાં તુલસીદાસજીએ કહ્યું છે કે –
તુલસી તબહિં જાનિકે, રામ ગરીબનિવાજ,
મેતકણ મહંગા કિયા, સસ્તા કિયા અનાજ લેકે કહે છે કે, અન્નમાં શું છે? પણ જે મોતીની માફક અન્ન પણ મોઘું હેત તે લેની દશા કેવી હતી? અને કદાચિત ખેતીને ભાવ આજે જે છે તેથી પણ વધારે મે હત તે લેકેને શું હાનિ થાત? પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજે કહ્યા કરતા કે, જ્યારે અન્ન સતું હોય અને સોના-ચાંદી વગેરે મેધું હોય ત્યારે તે જમાને પુણ્યને માનવામાં આવે છે અને જ્યારે અન્ન મોહ્યું હોય અને સોના-ચાંદી સસ્તા હોય ત્યારે તે જમાનો પાપ માનવામાં આવે છે. આ પ્રમાણે અન્ન મતીઓથી વધારે મોંધું છે. છતાં અન્નની કીંમત જે મેતીની માફક મેંઘી હોત તે દુનિયામાં હાહાકાર મચી જાત. એટલા માટે અન્ન સસ્તું હોય એ જ જમાને સારું માનવામાં આવે છે. ઇતિહાસ કહે છે કે, ભારતમાં એક સમયે એક રૂપિયાના