Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 309
________________ ૬૪૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક ભગવાને બતાવેલ આ માર્ગને ભૂલી જઈ, જે ઇન્દ્રિયના વિષયમાં પડી જાય છે તે અનાથી મુનિના કથનાનુસાર અનાથ છે. એટલા માટે અમારે સાધુઓએ એ વાતને વિચાર કરવો જોઈએ કે જ્યારે અમે તાંબા-પિત્તળ કે સોના-ચાંદી આદિના પાત્રને ત્યાગ કર્યો છે તે પછી અમે કાષ્ઠના પાત્ર ઉપર મમત્વભાવ શા માટે રાખીએ ? જ્યારે અમે રંગીન વસ્ત્રોને ત્યાગ કર્યો છે તે પછી સફેદ વસ્ત્રો ઉપર મમત્વ શા માટે રાખીએ અને રેશમી વગેરે વસ્ત્રો શા માટે પહેરીએ ? આ પ્રમાણે સાધુઓએ તે સાદાઈ જે રાખવી જોઈએ. જે સાધુઓ સુખશીલ બની જાય છે તેઓ સાધુ બનવા છતાં અનાથ જ છે. એટલા માટે સાધુઓએ એ વાતની સાવધાની રાખવી જોઈએ કે, અમે સનાથ થઈને પાછા અનાથ શા માટે બનીએ? - અનાથી મુનિને માટે રાજા શ્રેણિક કહે છે કે, “હે ! મુનિ ! આપ બધા પ્રાણીઓનાં નાથ છો. અનાથી મુનિ બધા પ્રાણીઓના નાથ કેવી રીતે છે એનો વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે. વ્યાખ્યાન : સંવત ૧૯૯૩ કારતક સુદી ૭ શનિવાર પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવક ને તૂ ધણી; અબ તૌસું ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણી. મુઝ હેર કરે, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. –વિનયચંદ્રજી કુંભટ વીશી * ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - ભક્ત લે કે ભગવાનને કેવા રૂપમાં જુએ છે એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. એક દષ્ટિએ તે પરમાત્માનું કાંઈ રૂપ જ નથી અને બીજી દૃષ્ટિએ એવો ક પદાર્થ છે કે જેની દ્વારા પરમાત્માનું રૂપ જાણી ન શકાય ! ભક્તોને પ્રત્યેક પદાર્થમાં પરમાત્માનું રૂપ જોવામાં આવે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે – ' જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી.” ભક્ત કહે છે કે, હે પ્રભો ! હું તને જગતશિરોમણિના રૂપમાં જોઈ એમ ચાહું છું કે, હું સેવક રહું અને તે સ્વામી રહે. . . ભક્ત લકે પરમાત્માને જગતશિરેમણિના રૂપમાં જુએ છે એટલા માટે પરમાત્મા જે જગતના શિરેમણિ છે એ જગત શું છે તે જાણવું આવશ્યક છે. જગતનું સ્વરૂપ કેવું છે અને પરમાત્માને જગતની સાથે કેવો સંબંધ છે એ બતાવવા માટે હું તમને એક પરિચિત વાતનું ઉદાહરણ આપું છું. પરિચિત વાતના ઉદાહરણદ્વારા અપરિચિત વાત પણ જલ્દી સમજમાં આવી જાય છે. એટલા માટે પરિચિત વાતનું ઉદાહરણ આપીતમને સમજાવું છું;

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364