SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક ભગવાને બતાવેલ આ માર્ગને ભૂલી જઈ, જે ઇન્દ્રિયના વિષયમાં પડી જાય છે તે અનાથી મુનિના કથનાનુસાર અનાથ છે. એટલા માટે અમારે સાધુઓએ એ વાતને વિચાર કરવો જોઈએ કે જ્યારે અમે તાંબા-પિત્તળ કે સોના-ચાંદી આદિના પાત્રને ત્યાગ કર્યો છે તે પછી અમે કાષ્ઠના પાત્ર ઉપર મમત્વભાવ શા માટે રાખીએ ? જ્યારે અમે રંગીન વસ્ત્રોને ત્યાગ કર્યો છે તે પછી સફેદ વસ્ત્રો ઉપર મમત્વ શા માટે રાખીએ અને રેશમી વગેરે વસ્ત્રો શા માટે પહેરીએ ? આ પ્રમાણે સાધુઓએ તે સાદાઈ જે રાખવી જોઈએ. જે સાધુઓ સુખશીલ બની જાય છે તેઓ સાધુ બનવા છતાં અનાથ જ છે. એટલા માટે સાધુઓએ એ વાતની સાવધાની રાખવી જોઈએ કે, અમે સનાથ થઈને પાછા અનાથ શા માટે બનીએ? - અનાથી મુનિને માટે રાજા શ્રેણિક કહે છે કે, “હે ! મુનિ ! આપ બધા પ્રાણીઓનાં નાથ છો. અનાથી મુનિ બધા પ્રાણીઓના નાથ કેવી રીતે છે એનો વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે. વ્યાખ્યાન : સંવત ૧૯૯૩ કારતક સુદી ૭ શનિવાર પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવક ને તૂ ધણી; અબ તૌસું ગાઢી બણી, પ્રભુ આશા પૂરે હમ તણી. મુઝ હેર કરે, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી. –વિનયચંદ્રજી કુંભટ વીશી * ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - ભક્ત લે કે ભગવાનને કેવા રૂપમાં જુએ છે એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. એક દષ્ટિએ તે પરમાત્માનું કાંઈ રૂપ જ નથી અને બીજી દૃષ્ટિએ એવો ક પદાર્થ છે કે જેની દ્વારા પરમાત્માનું રૂપ જાણી ન શકાય ! ભક્તોને પ્રત્યેક પદાર્થમાં પરમાત્માનું રૂપ જોવામાં આવે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે – ' જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી.” ભક્ત કહે છે કે, હે પ્રભો ! હું તને જગતશિરોમણિના રૂપમાં જોઈ એમ ચાહું છું કે, હું સેવક રહું અને તે સ્વામી રહે. . . ભક્ત લકે પરમાત્માને જગતશિરેમણિના રૂપમાં જુએ છે એટલા માટે પરમાત્મા જે જગતના શિરેમણિ છે એ જગત શું છે તે જાણવું આવશ્યક છે. જગતનું સ્વરૂપ કેવું છે અને પરમાત્માને જગતની સાથે કેવો સંબંધ છે એ બતાવવા માટે હું તમને એક પરિચિત વાતનું ઉદાહરણ આપું છું. પરિચિત વાતના ઉદાહરણદ્વારા અપરિચિત વાત પણ જલ્દી સમજમાં આવી જાય છે. એટલા માટે પરિચિત વાતનું ઉદાહરણ આપીતમને સમજાવું છું;
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy