Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
.
વદ ૮] રાજકોટ–ચાતુર્માસ
[ ૪૮૭ ભૂલ માનવી એ કાંઈ ઓછું નથી. હે ! રાજન ! તમે રાજા થઈને આટલા માણસોની વચ્ચે તમારી અપૂર્ણતા અને ભૂલનો સ્વીકાર કરે છે એ કાંઈ ઓછા હર્ષની વાત નથી. તમારા જે રાજા થવો પણ મુશ્કેલ છે. રાજાની સહાયતાથી જ ધર્મનું પાલન થઈ શકે છે. તમારા રાજ્યમાં અને તમારી રક્ષામાં જ મેં ધર્મનું પાલન કર્યું છે. જે રાજસત્તા, એક દિવસ માટે પણ ન હોય તો ગજબ થઈ જાય. પાણી ન વરસવાથી તે જેમતેમ એક વર્ષ ચલાવી શકાય છે પણ રાજસત્તા વિના એક દિવસ પણ કાઢવો મુશ્કેલ થઈ જાય છે. માટે હે ! રાજન ! તમારે મારા ઉપર ઘણે ઉપકાર છે. તમારી સહાયતાથી જ હું ધર્મનું પાલન કરી શક્યો છું.”
શ્રી સ્થાનાંગ સૂત્રમાં સાધુઓ ઉપર પણ પાંચ જણાને ઉપકાર બતાવવામાં આવ્યો છે. જેમાં સૌથી પહેલો ઉપકાર રાજા છે. એટલા માટે સુદર્શન રાજાને ઉપકાર માને છે. સુદર્શન મનમાં વિચાર કરે છે કે, મેં માતાનો ભેદ ખેલ્યો નથી પરંતુ શુળીનું સિંહાસન બની જવાને કારણે માતાને ભેદ ખુલ્લે થઈ ગયા છે. રાજા ક્ષત્રિય છે, એટલે જ્યારે તે માતાની સામે જશે અને માતા તેની સામે જશે ત્યારે માતાનું માથું કેવું નીચું નમી જશે. અને તે વખતે માતા રાજાને શો ઉત્તર આપી શકશે! માટે રાજા પાસેથી માતાના માટે અભય વચન માંગી લેવું જોઈએ. પિતાના સ્વાર્થને ન જોતાં બીજાના હિત માટે માંગવું એ કાંઈ ઓછો ત્યાગ નથી. ધર્મ આ જ વાત શીખવે છે. - સુદર્શને પોતાને સ્વાર્થ ન જે પણ પરાર્થ જોયો. તેણે રાજાને કહ્યું કે, “હે ! રાજન ! મારી માતાને મારી ઉપર ઘણું જ ઉપકાર છે. જે માતા મારી પરીક્ષા ન કરત તે મારી ધર્મપરીક્ષા કેવી રીતે થાત ! એટલા માટે આપને એવી પ્રાર્થના છે કે, આપ મારી માટે મારી માતાને કાંઈ ન કહો પણ અભયા માતાને આપ અભયતા આપે. બસ! આપની પાસે હું આ જ વસ્તુ માંગું છું, બીજું કાંઈ માંગતા નથી.”
સુદર્શનની આ માંગણીને જવાબમાં રાજા શું કહે છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.
* રાણા, જવ, છ, જળ, શરીરે અર્થાત્ રાજાને, ગાથા પતિને, છક્રાચને, ગણને તથા શરીરનો–આ પાંચ જણાને ઉપકાર છે,