Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૦)) ] રાજકેટ-ચાતુર્માસ
[૫૧૭ કહી પોતે જે ત્યાગ કર્યો છે, અને સંયમે ધારણ કર્યો છે એ જ સંસારમાં ફરી ફસાઈ જવા જેવું છે.
કેઈ સાધુ લક્ષણનિમિત્તદ્વારા ચમત્કાર બતાવે અને એ ચમત્કારદ્વારા જે ધનની પ્રાપ્તિ થાય તે ધન અમે સંધના હિતમાં જ વાપરીશું, એમ કઈ કહે તે તમે તે વિષે શું કહેશો? એમ જ કહેશે કે જે આમ કરવું એ ઠીક હોય છે તો પછી સટ્ટો, લીલામ અને જુગાર વગેરે રમવામાં શું વાંધો છે ? બસ! તો પછી એમ જ કહી દેવામાં આવે કે, આજે ચોકાને દાવ લાગશે માટે તે ઉપર રૂપિયા લગાવો અને જે આવે તે સંધના હિતમાં ખર્ચ કરી દે. શું આમ કરવું એ યોગ્ય કહેવાશે ? આ જ પ્રમાણે સ્ત્રીપુરુષને માટે પણ એમ કહી શકાય કે, અમે તેમનાં લક્ષણ બતાવીએ છીએ. એમનું જોડું મળી જશે તે એ શ્રાવક-શ્રાવિકા બનશે અને ધર્મને ઉદ્યોત થશે. આ પ્રમાણે તે બધામાં લાભ બતાવી શકાય છે.
આવા પ્રકારના લેભથી જ યતિસમાજને નીચે પાડવામાં આવ્યો છે, નહિ તે તે સમાજ પણ પંચ મહાવ્રતધારી હતી. પહેલાં સંઘહિતનું નામ લેવામાં આવ્યું અને થોડું સારું લાગ્યું, પણ આખરે તેનું એવું માઠું પરિણામ આવ્યું કે, જે પાંચ મહાવ્રતના પાલણહાર હતા, તેઓ આજે સંસારનું પાલન કરનારા થઈ રહ્યા છે. કેઈ કહે કે, કપડાંને રક્તથી ભરી દેવામાં આવે અને પછી તેને જોઈ નાંખવામાં આવે તે શું વાંધો છે? જે પ્રમાણે આમ કરવું તે ઠીક કહી શકાય નહિ, તે જ પ્રમાણે સંઘહિતના નામે કઈ અનુચિત કામ કરવું એ પણ ઠીક કહી શકાય નહિ. પહેલાં તે સંઘહિતનું નામ લઈ ધન રાખવામાં આવશે, પણ આખરે આ પદ્ધતિનું પરિણામ કેવું માઠું આવશે તેને પણ ખ્યાલ રાખવો જોઈએ.
જે આ કાર્ય હિતાઁ હેત તે શાસ્ત્રમાં આ પ્રકારનાં કાર્યને નિષેધ કરતા નહિ. ગૌતમ સ્વામી મહાન લબ્ધિધારી હતા. જો તેઓ પિતાની લબ્ધિને ઉપયોગ કરતાં તે એક જ દિવસમાં સકળ સંસારને જૈન બનાવી શક્યા હતા. તેમનામાં એવી લબ્ધિ હતી કે, ડી.જ ખીરમાં પોતાને અંગૂઠો મૂકી રાખે તે એટલી ખીરમાંથી ચક્રવર્તીની આખી સેના પણ જમી શકે અને છતાં તે ખીર તે તેટલી જ રહે. આ પ્રકારની શક્તિ હોવા છતાં પણ તેમણે એ શક્તિનો ઉપયોગ ન કર્યો, પણ ભિક્ષા લેવા માટે પિતે ગોચરી જતા હતા. શું તેમને સંઘના હિતને વિચાર થતું ન હતું એટલા માટે સંઘહિતના નામે લક્ષણદિને ઉપયોગ કરે અનુચિત છે.
કહેવાનો આશય એ છે કે, કોઈ સાધુ લક્ષણ બતાવે, કૌતુહલ બતાવે કે આમ કરવાથી ધન-પુત્રાદિની પ્રાપ્તિ થશે એવું નિમિત્ત બતાવે, તે એ સાધુતાથી પતિત થવા જેવું છે. શાસ્ત્રકાર આવી વિદ્યાને કુત્સિત વિદ્યા કહે છે. આ કુત્સિત વિદ્યાઓદ્વારા પિતાની આજીવિકા ચલાવનારને શાસ્ત્રકારોએ આશ્રવઠારદ્વારા આજીવિકા ચલાવનાર તરીકે વર્ણવ્યા છે. આવી વિદ્યા અન્ત સમયે શરણદાત્રી બનતી નથી પરંતુ સંયમમાર્ગને નાશ કરનારી નીવડે છે. એટલા માટે જે આવી કુત્સિત વિદ્યાદ્વારા આજીવિકા ચલાવે છે તે અનાથ છે એમ સમજવું જોઈએ.
આ કુત્સિતવિઘામાંથી બચવા માટે પહેલાં એ જોવું જોઈએ કે નાથ કેણુ છે ? અને લક્ષણ, સ્વમ, નિમિત્ત કૌતુહલ આદિને જાણકાર અને તેનો ઉપયોગ કરનાર સનાથ છે કે અનાથ? આ વિદ્યા સનાથ બનાવે છે કે અનાથ ? નાથ બનવાનો અર્થ એ છે કે, આત્માને