Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 221
________________ પપર] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો તેણે ખુદાને હુકમ મા નહિ. ત્યારે ખુદાએ તેને ધમકાવ્યો અને તે શેતાન બની ગયે. આ કથનને સાર માત્ર એટલો જ છે કે, ધર્મનું મહત્વ જાણનાર દેવ પણ મનુષ્યને નમસ્કાર કરે છે. જે ધર્મનું મહત્ત્વ જાણે છે તે દેવો પણ મનુષ્યજન્મની પ્રશંસા કરે છે પરંતુ જે દેવા ધર્મનું મહત્ત્વ જાણતા નથી તેઓ મનુષ્યજન્મની નિંદા કરે છે. જે ધર્મને સમજીને ધર્મને કારણે મનુષ્યને માથું નમાવે છે તેને તે શાસ્ત્ર પણ દેવ કહે છે પણ જે ધર્મનું મહત્વ જાણતો નથી પણ ધર્મને દ્રોહ કરે છે. શાસ્ત્ર તેને પિશાચ કહે છે. આ આ પ્રમાણે અભયાનું પતન થયું. તે વ્યન્તરી થઈ, પિશાચિની થઈ. તેણીએ સુદર્શન મુનિને ધ્યાનમાંથી વિચલિત કરવાનો નિશ્ચય કર્યો. અને એને માટે તેણીએ વિચાર્યું કે, પહેલાં મીઠા વિષ'ની જે અનુકૂલ પરિષહ આપો. ' કટુ વિષથી બચવું તે સરલ છે પણ મીઠા વિષથી બચવું બહુ જ મુશ્કેલ છે. એટલા માટે વ્યસ્તરીએ અનુકૂલ પરિષહ આપવા માટે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને સુદર્શનની પાસે જઈ તે નમ્રતાપૂર્વક કહેવા લાગી કે, “તમારું તપ ફળ્યું છે. તમે જે સુખને માટે તપાસાધના કરે છે તે સુખ આપવા માટે હું તમારી સામે હાજર થઈ છું, માટે તમે મારો સ્વીકાર કરે. આ પ્રમાણે કહીને વ્યન્તરી સ્ત્રીઓના હાવભાવ બતાવવા લાગી અને સુદર્શનને ડગા. વવાનો પ્રયત્ન કરવા લાગી; પણ સુદર્શન તે પહેલાંની માફક જ ધ્યાનમાં અડોલ રહ્યા. સુદર્શન મુનિ ધ્યાનમાં વિચારતા હતા કે, આ માતા સત્ય કહી રહી છે. મારી તપાસાધના ત્યારે જ સફળ થાય કે જ્યારે હું કામ-ક્રોધને જીતી લઉં. જ્યાં સુધી હું કામ-ક્રોધને છતી. ન શકું, ત્યાં સુધી મારી તપસાધના સફળ થઈ કહેવાય નહિ. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં સુદર્શન મુનિ ધ્યાનમાં વધારે મશગૂલ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે, “મેં ગ્રામ નગરને. તે ત્યાગ કર્યો છે પણ આ જંગલમાં પણ મારી પરીક્ષા થવાની બાકી છે. મારી પરીક્ષાને સારો સમય તે આ જ છે. આ માતા મારી કાંઈ હાનિ કરતી નથી તેમ કરી પણ ન શકે. હાનિ કે લાભ તે પિતાને આત્મા જ કરી શકે છે. જ્યારે હું મારા આત્માને જ પતિત થવા નહિ દઉં તે પછી આ માતા મારું શું કરી શકશે ? હું જંગલમાં રહેવા લાગે છું પણ મારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કેવલ અરણ્યવાસથી કાંઈ થઈ શકતું નથી. જે કાંઈ થાય છે તે આત્મતત્વને જાણવાથી જ થાય છે. જંગલમાં રહેવા છતાં પણ જે આત્મતત્ત્વને ન જાણ્યું તે જંગલમાં રહેવું નકામું છે.” અભય વ્યક્તરી હાવભાવ બતાવતી હતી પણ જ્યારે તેણીએ જોયું કે, તે મુનિ તે. અડોલ ધ્યાનમાં બેઠા હતા. આ જોઈ વ્યન્તરી કહેવા લાગી કે, “આ કે પત્થર જેવો છે! તે તે મારા સામું જેતે પણ નથી અને એ રીતે તે મારા રૂપયૌવનનું પણ અપમાન કરે છે. આમ તે સીધી રીતે નહિ માને એને તે બીજી જ રીતે મનાવે પડશે.” આ પ્રમાણે વિચાર કરી વ્યન્તરીએ ભયંકર પિશાચિનીનું રૂપ ધારણ કર્યું. તે હાથમાં તલવાર લઈ અને જીભને બહાર કાઢી સુદર્શન મુનિને કહેવા લાગી કે, હે ! અપથપ્રાથી ! તું આ બે ઢગ કરી બેઠો છે અને મારી સામે જે પણ નથી. કાં તે તું મારા પગમાં પડ અને હું કહું તેમ કર નહિ તે આ મારી તાતી તલવાર જોઈ લે.

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364