Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 277
________________ ૬૦૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આસો જે પ્રમાણે ક્ષત્રિયો બધાનું પાલન કરવાની સાથે બધાને પિતાના વશમાં રાખે છે તે જ પ્રમાણે સાધુઓ પણ બધી ઇન્દ્રિયનું પાલન કરવાની સાથે તે ઈન્દ્રિયોને પિતાના વશમાં રાખે છે. અનાથી મુનિ ઇન્દ્રિયનું દમન કરનારા મહાતપસ્વી હતા. ઈન્દ્રિો અને કષાયોને છતવાને કારણે જ તેઓ તપસ્વી હતા. સાચું તપ કરોડ ભવનાં કર્મોને પણ ભસ્મીભૂત કરી નાંખે છે. કેવલ ઉપવાસ કરવાં એ જ તપ નથી. ઉપવાસ એ તે તપનું એક અંગ છે. ભગવાને બાહ્ય અને અભ્યન્તર એમ તપના બાર પ્રકાર બતાવેલ છે. તપમહિમા સમજવાથી ઘણે લાભ થઈ શકે છે, ગણધર મહારાજ કહે છે કે આવા મહાતપસ્વી અને ઈન્દ્રિયોનું દમન કરનાર દાન્ત મહામુનિએ આ મહાકથા સંભળાવેલ છે. હવે આ મહાકથાને સાંભળનાર કોણ છે તે બાબતને વિચાર હવે પછી કરવામાં આવશે. સુદર્શન ચરિત્ર-૬૭ મહામુનિને પ્રતાપ કેવો હોય છે એ વાત સુદર્શન મુનિના ચરિત્ર ઉપરથી જુઓ. હરિણી વેશ્યા પંડિતાની વાતેથી ભરમાઈ ગઈ અને મુનિને વિચલિત કરવાને નિશ્ચય કરી, તે મુનિને વિચલિત કરવાનો પ્રયત્ન કરવા લાગી. જ્યારે મુનિ તે સામા તેણીને તારવાને પ્રયત્ન કરવા લાગ્યા. હરિણીને પ્રયત્ન તે નિષ્ફળ નીવડ્યો પણ મુનિને પ્રયત્ન સફળ નીવડો. હરિણી ઉપર મુનિની અદશ્ય શક્તિને પ્રભાવ પડ્યો. પંડિતા હરિણી પાસે આવી કહેવા લાગી કે, તમને તમારા પ્રયત્નમાં સફળતા મળી કે કેમ ? હરિણીએ જવાબ આપ્યો કે, હા, મને મારા પ્રયત્નમાં સફળતા મળી. પંડિતાએ ફરી પૂછયું કે, શું તમે મુનિને ભ્રષ્ટ કર્યા ? હરિણીએ ઉત્તર આપ્યું કે, અરે ! એ તું શું બોલી રહી છે? શું મુનિઓ કઈ દિવસ ભ્રષ્ટ થઈ શકે ? શું સૂર્ય કોઈ દિવસ અંધકાર આપી શકે? આ જ પ્રમાણે કઈ દિવસ મુનિ ભ્રષ્ટ થઈ શકે ખરા ? મારા જેવી પાપિણને ઉદ્ધાર તે એવા મુનિઓ અવશ્ય કરે છે પણ ભ્રષ્ટ થઈ શકતા નથી. પંડિતાએ પૂછયું કે, શું તમારો ઉદ્ધાર થયો ? હરિણી આંખમાંથી આંસુઓ પાડતી કહેવા લાગી કે, હા, મારો ઉદ્ધાર થયો. મને હવે મારા પાપને પશ્ચાત્તાપ થાય છે. મારા જેવી પાપિણી બીજી કેણું હશે અને મુનિ જેવા બીજા ઉપકારી કોણ હશે? મુનિ ઉપર ફેંકેલાં મારાં કામબાણે તે નકામાં ગયાં પણ મુનિને પ્રભાવ મારા ઉપર અવશ્ય પડ્યો. હું તેમને મહિમા શું વર્ણવું? હું ગાયિકા છું અને ગાયને ગાઈ પણ શકું છું. છતાં એ મુનિને મહિમા વર્ણવવામાં સમર્થ થઈ ન શકી. હું અત્યાર સુધી શેતાનના રાજ્યમાં હતી પરંતુ મુનિની કૃપાથી હવે પરમાત્માના રાજ્યમાં આવી શકી છું. હવે હું દંભ અને મેહના રાજ્યમાંથી બહાર નીકળી આવી છું. પંડિતા કહેવા લાગી કે, તમે શું કહી રહ્યા છો? તમે તમારું જીવન વેશ્યાવૃત્તિમાં વ્યતીત કર્યું છે તે હવે શું શૃંગાર સજી લેકેનું ચિત્તરંજન નહિ કરે ? આ વાતને તમે બરાબર વિચારી જુઓ. | હરિણીએ ઉત્તર આપ્યો કે, હવે હું જુદા જ પ્રકારને શૃંગાર સજીશ અને કોઈ બીજાનું ચિત્તરંજન નહિ કરતાં મુનિનું જ ચિત્તરંજન કરીશ. મેં એ મુનિને મારા હૃદયમાં ધારણ કરી લીધા છે. એ મુનિ મને ભલે તુચ્છ માને પરંતુ હું તે તેમને મારા પ્રભુ માનું છું. હવે

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364