Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૨] રાજકેટ–ચાતુર્માસ
| [૫૭૩ ભગવાનને આ ઉપદેશ સાંભળી અભયા વિચારવા લાગી કે, મેં આવા પ્રભુને પણ કષ્ટ આપ્યું. તેમને પહેલાં પણ શૂળીએ ચડાવવાને હુકમ અપાવ્યું અને હવે મુનિ થયા બાદ અહીં પણ કષ્ટ આપ્યાં. આ પ્રમાણે વિચાર કરી તે કહેવા લાગી કે, “હે! પ્રભો! મારા જેવી પાપિણને આપ ક્ષમા આપે. મેં બહુ પાપ કર્યું છે. મારા પાપને માફ કરે. હે આપના શરણે આવી છું.”
ભૂલે તે તમારાથી પણ થઈ હશે અને પૂર્વભવમાં તે ન જાણે તમે કેવી કેવી ભૂલે કરી હશે ! ન જાણે કયાં કયાં પાપ કર્યો હશે? અભયાની માફક તમે પણ તમારાં દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપ કરો. ભૂતકાળમાં કરેલાં પાપને દબાવો કે છુપાવો નહિ. ભક્ત કહે છે કે, “કેવો છું કે હું ઇચ્છાપૂર્વક જે પાપ કૃત્ય કરું છું તે પાપને તે હું દબાવું છું-છુપાવું છું અને કેઈના કહેવાથી જે થોડું ઘણું સુકૃત કરું છું તેને ચારે બાજુ કહેતે ફરું છું.”
તમે આ પદ્ધતિને ત્યાગ કરી પિતાનાં દુષ્કા માટે પશ્ચાત્તાપ કરે છે તેમાં કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૨ રવિવાર
પ્રાર્થના વિશ્વસેન નૂપ “અચલાયરાનીજી, તસુ સુત કુલસિણગાર હે અભાગી ! જતાં શાંતિ થઈ નિજ દેશ, મૃગી માર, નિવાર હે, સુભાગી;
શાન્તિ જિનેશ્વર સાહબ સેલમા. ૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી
શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાન શાન્તિનાથ પણ શાન્ત છે અને આત્મા પણ શાન્ત છે; એટલા જ માટે આત્મા ભગવાન શાન્તિનાથની પ્રાર્થના કરે છે. આ વિષે વિવેકપૂર્વક વિચાર કરવામાં આવે તે અતુલ શાતિની પ્રાપ્તિ થાય.
અત્રે એક પ્રશ્ન થાય છે કે, જ્યારે હું શાન્ત છું તે પછી મારી પાછળ આધિભૌતિક. આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખો કેમ વળગેલાં છે? મારી પાછળ આ પ્રકારની અશાન્તિ કેમ વળગેલી છે તેમને રોગ પણ થાય છે અને મારે દુઃખ પણ સહન કરવો પડે છે. જો હું શાનું છું તો પછી મને રોગ અને દુઃખ કેમ થાય છે? બીજી બાજુ શાસ્ત્ર પણ એમ કહે છે કે, ભગવાન અને ભગવાનને ધર્મ મંગલમય છે. આ કથનાનુસાર મારામાં પણ. મંગલતા હોવી જોઈએ. જ્યારે હું પણ મંગલમય છું, મારામાં પણ મંગલતા છે. તે પછી, મારું અમંગલ કેમ થાય છે અને મને રોગો અને દુઃખો કેમ સતાવે છે ?