Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૮૦
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
પરમાત્માને નમસ્કાર તો તમે પણ કરતા હશે। પણ ઉપરથી નમસ્કાર કરે। છે કે હૃદયથી નમસ્કાર કરો છો ? આ આત્મા સંસારના પદાર્થોમાં ફસાઈ રહ્યો છે એ કારણે તે પરમાત્માને સાચી રીતે નમસ્કાર કરતા નથી. જો આત્મા એક વાર પણ સાચા હૃદયથી પરમાત્માને નમસ્કાર કરે તે તેનું કલ્યાણ થઈ જાય. પરમાત્માને સાચા હૃદયથી નમસ્કાર કરવાના એ જ અર્થ છે કે, પરમાત્માને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવું. પોતાની શક્તિને ખરાબ ક્રમામાં ન લગાડવી એ જ પરમાત્માને સર્વસ્વ સમર્પણુ કરવા બરાબર છે; અને પેાતાની શક્તિને ખરાબ કામેામાં વાપરવી એ પરમાત્મા સાથે વૈર કરવા બરાબર છે.
જે પ્રમાણે કૈ કેયીષ્મે જંગલમાં જઈ રામની પાસે ક્ષમાપ્રાના કરી હતી તે જ પ્રમાણે બન્તરી પણ સુઈશન ભગવાનને ક્ષમાપ્રાર્થના કરવા લાગી કેઃ—
મુનિવર તુમકા મેરી લાજ,
અધમ ઉધારન મિરદ તિહારા શ્રવણ સુની હૈ અવાજ; હૂં. તા અધમ પુરાતન કહિયે પાર લગા
જહાજ. મુનિ
*
આ કવિતા એવી છે કે તેના જ્યાં ઉપયાગ કરવા ચાહે ત્યાં કરી શકાય છે; કૈકયીએ રામને કહ્યું હતું કે, ‘રઘુવર તુમકા મેરી લાજ.' આ જ પ્રમાણે ભક્તો પણ ભગવાનને કહે છે કે, ‘ પ્રભુજી તુમકા મેરી લાજ. ' તે જ પ્રમાણે વ્યન્તરી કહે છે કે, હે ! મુનિવર ! તુમા મેરી લાજ, ” તમે પણ પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરે કે, ‘હું ! પ્રભા ! તમે અમારી લાજ રાખા.' હું વ્યાખ્યાન સંભળાવું છું તે વખતે મને જે ભાવ આવે છે તે ભાવ જો સદાને માટે ટકી જાય તા મારું કલ્યાણ થઈ જાય.
*
સ્મશાનમાં અને કાના મન્તમાં જે વિચાર આવે છે તે વિચાર શ્રેાડી વાર પણ ટકી શકતા નથી. જો તે વિચાર ટકી જાય તેા કલ્યાણ થવામાં વાર ન લાગે. એટલા માટે વ્યાખ્યાન સાંભળતી વખતે જે વિચાર આવે તે વિચારને ટકાવી રાખેા અને અભક્ષ્ય-અનીતિથી બચતા રહે। તે કલ્યાણુ થવામાં વાર ન લાગે.
અભયા સુદ્દÖન મુનિને પ્રાર્થીના કરે છે કે, હે ! પ્રભો! મને ક્ષમા કરશ. હું મારાં પૂર્વ પાપાને યાદ કરું તે હું આપને કાંઈ કહી શકું' નહિ. પરંતુ હું આપની સિવાય ખીજા કાની પાસે જાઉં" ! એટલા માટે હું આપના જ શરણે આવી છું.”
ભગવાન સુદનના ઉપદેશ–ઔષધની અસર અભયા વ્યન્તરીતે થઈ અને તેથી તેને મિથ્યાત્વ તાવ ઉતરી જ્યાં તે કહેવા લાગી કે, “ હૈ ! પ્રભા ! મને ક્ષમા કરો. મેં ઘણું જ પાપ કર્યું છે, અને આપ જેવા મહાપુરુષને ઘણું જ કષ્ટ આપ્યું છે. હવે હું આપના શરણે આવી છું.”
<<
અભયાનું આ કથન સાંભળી ભગવાન સુદન ત્યાં ઉપસ્થિત દેવાને કહેવા લાગ્યા કે, મારી પ્રાર્થના કરવાની અધિકારીણી તમારા બધાં કરતાં આ પહેલી છે. ધર્માંને કારણે અને જે અવસ્થા પ્રાપ્ત થઈ છે તે અવસ્થા પ્રાપ્ત કરવામાં આ માતા મારી પરમ સાયિકા છે.” આ પ્રમાણે કહીને ભગવાન મુદ્દેને પોતાને અને અભયાને બધે હાલ સંક્ષેપમાં કહી સભળાવ્યું અને પછી કહ્યું કે, આખરે હું એવા વિચાર પર આવ્યા કે, જે ધર્મના પ્રતાપથી શૂળીનું સિંહાસન બની ગયું છે એ ધર્મની સેવા હવે હું કરીશ. આ પ્રમાણે વિચાર