Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૭] રાજકેટ ચાતુર્માસ
[૫૫૫ તમ લાભ મોહ અહંકારા, મદ કેહ મેહ રિપુ મારા
અતિ કરહિં ઉપદ્રવ નાથા, મર્દહિં મેહિં જાનિ અનાથા. “હે ! પ્રભો ! મારા હૃદયમાં ઘુસી ગએલા ચોરોને તે આપ જાણો જ છો છતાં હું આપને તેમનાં નામ બતાવું છું. એ ચારેમાં એક તે તમ છે કે જેને અજ્ઞાન પણ કહેવામાં આવે છે. તે અનેક ગુણોનો નાશ કરી નાખે છે. આ સિવાય મોહ, લેભ, અહંકાર વગેરે પણ ચોર છે કે જે મારા હૃદયમાં ઘુસી બેસી ગયા છે. મેં એ ચોરેને ખૂબ પ્રાર્થના કરી અને ખૂબ ધમકાવ્યા છતાં તેઓ મારું કહ્યું માનતા નથી. એટલું જ નહિ મને અનાથ સમજીને કચડી નાંખે છે એટલા માટે હે ! પ્રભો ! તું મારા હૃદય તરફ નજર કર કે જેથી તારી નજર પડતાં જ તે ભાગી જાય.”
ભક્તજનો પરમાત્માને આ પ્રકારની આશા પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે. હવે તમે તમારા વિષે વિચાર કરે કે, તમે પરમાત્માની પ્રાર્થના કઈ આશાએ કરો છો ? અને પરમાત્મા પાસે કઈ આશા પૂરી કરાવવા ચાહે છે? આ જ પ્રમાણે સાધુઓની પાસે તમે કઈ ભાવનાએ જાઓ છો ? શાસ્ત્ર કહે છે કે, સાધુની પાસે જતાં પહેલાં ઘરમાંથી નીકળતી વખતે નિરૂહી નિસ્સહી” કરીને અર્થાત સંસાર વ્યવહારને નિષેધ કરી રવાના થવાય છે. ત્યારે બાદ રસ્તામાં જતાં આવતાં જે ક્રિયા થાય છે તેને નિષેધ કરવા માટે સાધુના સ્થાને પહોંચી, ફરી “નિરૂહી નિસહી” કરી, સાંસારિક કામની ભાવનાને નિષેધ કરવામાં આવે છે. અને ત્રીજી વાર સાધુઓની સમીપ જઈ “નિસહી-નિરૂહી” કરવાને ઉદ્દેશ એ છે કે અત્યાર સુધી હું ગમનાગમનમાં હતો પણ હવે ગમનાગમન આદિ સંસારનાં સમસ્ત કામોને નિષેધ કરું છું. આ પ્રમાણે સાધુઓની પાસે સંસારનાં બધાં કામને નિષેધ કરી અવાય છે, આજે આ “નિસ્સહી-નિસહી” કરવાને ઉદ્દેશ સમજનારા ઘણું એાછા લેક હશે પણું શાસ્ત્ર તે સ્પષ્ટ કહે છે કે, સાધુઓની પાસે સંસારની કઈ પણ ભાવના લઈને જવું ન જોઈએ.
હવે સાધુઓની પાસે જઈ શું કરવું જોઈએ? એને માટે કહ્યું છે કે, પરમાત્માની પ્રાર્થના કરવી. પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી ? એને માટે મેં પહેલાં ભકતેનું કથન સંભળાવ્યું છે કે જેમાં તેઓ કહે છે કે, “હે! પ્રભ! મારા હૃદયમંદિરમાં ઘણા રે ઘુસી ગયા છે. તારી કૃપાથી એ ચેરે ભાગી જાય એ જ મારી આશા છે અને આ આશાને પૂરી કરવા માટે હું તારી પ્રાર્થના કરું છું.”
જે તળાવને કાગડા-બગલા આદિ નીચ પક્ષીઓએ ઘેરી લીધું હોય તે તળાવ ઉપર રાજહંસ શું ઉતરે ખરો? તમારું ઘર ગંદુ હેય તે શું ત્યાં કઈ રાજાને લાવે ખરા! આ જ પ્રમાણે આપણા હૃદયને ભગવાનનું મંદિર બનાવવું હોય તે આપણું હૃદય કેવું સ્વચ્છ હેવું જોઈએ એ જુઓ. જ્યારે આપણું હૃદય ગંદુ હોય ત્યારે શું તેમાં પરમાત્માને વસાવી શકાય ખરા ! નહિ. એટલા જ માટે ભક્ત કહે છે કે, “હે ! પ્રભો ! મારા હૃદયમાં કામ
ધાદિ ચોર ઘુસી ગયા છે. આ ચારે મારા હૃદયમાંથી નીકળી જાય એ જ તારી પાસેથી હું આશા કરું છું અને આશાની પૂર્તિ કરવા માટે આપની પ્રાર્થના કરું છું.”