Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૩૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
મહાત્મા લેાકા પવિત્ર હાય છે. તેઓ આવા કપટને જાણતા નથી; પણ જેમને આત્મા બલવાન હેાય છે તે ક્યાંય પણ ગાતા નથી. જે તેમને ઠગવા ચાહે છે તે પોતે ભલે ઠગાઈ જાય; પણ તે મહાત્મા ગાતા નથી.
વેશ્યાનું કપટ ન જાણતાં મહાત્મા સુદન તેના ઘેર ભિક્ષાર્થે ગયા; પણ જેવા તે ઘરમાં ગયા કે તરત જ પાછળથી ઘરનાં દ્વાર બંધ થઈ ગયાં. દ્વાર બંધ થઈ જવાથી મહાત્મા સમજી ગયા કે, અહીં કપટ છે, પણ તેઓ ગભરાયા નહિ, કિન્તુ ત્યાં યાગ્ય સ્થાન જોઈ ધ્યાનમાં એવી રીતે ખેસી ગયા કે જાણે તેમણે ઈશ્વરભજનનું કવચ પહેર્યું હાય અને એ કારણે તેમને કાઈ પ્રકારનો ભય રહ્યો ન હેાય ! મુનિને આ પ્રમાણે ધ્યાનારૂઢ થએલા જોઈ વેશ્યા કહેવા લાગી કે, “ ઠીક છે, તેમનું ધ્યાન ત્યાંસુધી જ સુરક્ષિત છે જ્યાંસુધી મે મારું ચરિત્ર બતાવ્યું નથી. જ્યારે હું મારું ચરિત્ર બતાવીશ, ત્યારે ન જાણે તેમનું ધ્યાન ક્યાંય ચાલ્યું જશે.” આ પ્રમાણે વિચાર કરી તે શ્રૃંગાર સજી ગાવા બજાવવાના સામાન લઈ મહાત્માનું ધ્યાન ચલિત કરવા પ્રયત્ન કરવા લાગી. તે નાચરંગ-હાવભાવ દ્વારા એવા પ્રયત્ન કરતી હતી કે જે પ્રયત્ન દ્વારા દેવતા પણ ડગી જાય. સમુદ્રને તરવા, વિષને પચાવવું અને શસ્ત્રના આધાત સહેવા તા સરલ કહી શકાય, પણ સ્ત્રીઓના ચંચલ નેત્રથી બચવું બહુ જ મુશ્કેલ છે. એક યાગીને માટે સાંભળ્યું છે કે, તે ૨૦ તાલા વિષ ખાઈને પચાવી ગયે। અને દાક્તરા તે જોતા જ રહી ગયા. આ જ પ્રમાણે મેટરને રાકનાર, પત્થરને તાડનાર એવા યેગીઓ તા ધણા જોવામાં આવ્યા હશે, પરંતુ એવા લેાકેા બહુ જ ઓછા જોવામાં આવ્યા હશે કે, જે હરિણી જેવી વેશ્યાના ચરિત્રથી પણ ડગ્યા ન હેાય અને જેમ જેમ તે પેાતાનું ચરિત્ર બતાવતી જાય તેમ તેમ ધ્યાન વધતું જાય !
હિરણી નાચરંગ બતાવતી થાકી ગઈ પણુ મહાત્મા ધ્યાનથી વિચલિત ન થયા. ત્યારે હરિણી પડિતાને કહેવા લાગી કે, આ તેા જાણે પત્થર જેવા છે? પડિતાએ કહ્યું કે, ‘મે તેા એના વિષે પહેલેથી જ કહ્યું હતું. એ તે તમે જ કહેતા હતા કે, એ રાણી હતી પણ હું તેા વેશ્યા છું એટલે એને હું વિચલિત કરીશ.' વેશ્યાએ કહ્યું કે, ઠીક છે. આ હજી અહીં જ બેઠા છે તે શું થયું પણ કડકડતી ભૂખ લાગશે ત્યારે તે ગભરાશે અને તે સમયે મારું કહ્યું માનશે જ.
આ પ્રમાણે વિચાર કરી વેશ્યા ભાજન કરી પાછી મહાત્માને વિચલિત કરવાના પ્રયત્ન કરવા લાગી. તે મહાત્માને કહેવા લાગી કે, આગળ જે થવાનું હશે તે તે। આગળ જોવાઈ જરો, પણ આ ષસ ભેાજન જે તૈયાર છે તેનું આપ ભોજન કરો.
જો વેશ્યાનું કહેવું માની મુનિ ભાજન કરી લેત તે તે તે પતિત થઈ જાત; પણ તે મહાત્મા પરમાત્માના ધ્યાનમાં એવા બેઠા હતા કે તેમને ભાજન કરવાના ખ્યાલ જ ન હતા. આજના સંસાર ખાવાના લાભથી જ ડૂખ્યા છે. લોકા સુધારા કરવા માટે કહે છે કે, “ અમારે આ સુધાર કરવા છે પણ તેમને એ પ્રશ્ન પૂછે કે, તેઓએ પોતાની જીભને પણુ વશમાં કરેલ છે ? જીભને વશ ન કરવાને કારણે ભલે ગમે તે થાય પણ અમારે તેા લાડવાઓ જોઈએ એ કામ તા થઈ જાય છે. તે મહાત્મા આવ્યા હતા તેા ભાજનને જ માટે પણ તેમને પહેલાં ધર્મનું પાલન કરવું હતું. ભાજનને માટે ધને જવા દેવા ચાહતા ન હતા.