Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૧૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
" શ્રી જ્ઞાતા સૂત્રમાં કહ્યું છે કે, ગ્વાલિકા સતી સુકુમાલિકાને ઘેર ગોચરીને માટે ગઈ. સુકુમાલિકાએ વિચાર્યું કે, આની પાસે કોઈ ચમત્કાર તે હશે જ માટે પહેલાં આહાર પાણી આપી દઉં અને પછી ચમત્કાર પૂછીશ. આ પ્રમાણે વિચાર કરી તેણીએ સ્વાલિકા સતીને સારી રીતે આહારપાણી વહેરાવ્યાં અને પછી હાથ જોડી તેની પ્રશંસા કરતી કહેવા લાગી કે, “તમે સાધ્વી છો, ગુપ્ત બ્રહ્મચારિણી છો એટલા માટે હું તમારી પાસે મારું દુઃખ દૂર કરવા ચાહું છું. હું કોઈ બીજા પુરુષને ચાહતી નથી. મારા પિતાએ યોગ્ય પતિની સાથે મારો વિવાહ કરાવ્યો હતો પણ તે પણ મને છોડી બહાર ચાલ્યો ગયો; પછી મને એક ભિખારીને આપી દેવામાં આવી હતી, તે પણ મને છોડીને ચાલ્યો ગયો. એટલા માટે તમે એ કોઈ ઉપાય બતાવે છે, જેથી મારું આ દુઃખ દૂર થઈ જાય.”
સુકુમાલિકાનું આ કથન સાંભળી વાલિકા સતીએ કાનોમાં આંગળી નાંખી સુકુમાલિકાને કહ્યું કે, “આ સંબંધમાં અમને કાંઈ સાંભળવું પણ કલ્પતું નથી તે પછી કાંઈ કહેવું એ કલ્પી જ કેમ શકાય ? હા, જે તને સંસાર ખાર લાગતું હોય તે અમે તને ધર્મને ઉપદેશ સંભળાવી શકીએ.” સુકુમાલિકાએ નિરાશ થઈને કહ્યું કે, “ઠીક આપ તેમ કરે.” ત્યારે ગ્રાલિકા સતીએ તેને એ ધર્મોપદેશ સંભળાવ્યો કે જેથી તેની વિષયવાસના મટી ગઈ અને તે કહેવા લાગી કે, પરમાત્માને મૂકીને આ શરીર હવે બીજાને શા માટે સેંપવું? ' મતલબ કે, સંસારમાં આવા પણ લોકો હોય છે. તમારે આવી ભાવના રાખવી ન જોઈએ. પણ કદાચિત તમો એમ કરવું છોડી ન શકે તે અમારે સાધુઓએ તો એમાંથી બચવું જ જોઈએ. સાથે તમારે પણ એ વિશ્વાસ રાખવો જોઈએ કે, જે ધર્મમાં અનંત શક્તિ છે તે ધર્મની પાસે અમે તુચ્છ સંસારની આશા-લાલસા શા માટે કરીએ? જે મળવું હશે તે તે લાલસા કર્યા વિના પણ મળી જશે. લાલસા ન કરવાથી ફળ ન મળે એ બની જ શકે નહિ. બલ્કિ લાલસા ન કરવાથી તે ફળ અનન્તગણું મળે છે. એટલા માટે અમારે લાલસા રાખવી ન જોઈએ એ તમે નિશ્ચય કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર-પ૬
કોઈએ કોઈ પ્રકારની લાલસા કરવી ન જોઈએ એ જ વાત સુદર્શનની કથાદ્વારા સમજાવું છું. સુદર્શન ધર્મ ઉપર કે દઢ રહ્યો એ જુઓ. તેને લૌકિક વ્યવહાર પણ કાંઈ ઓછો ન હતો. તે નગરશેઠ હતા પણ તેણે વ્યવહાર પણ સાધ્યો અને ધર્મ પણ સાધો.
* ધર્મના પ્રતાપથી શૂળીને સિંહાસન થએલું જોઈ ઘણું લેકેની ભાવના બદલાઈ ગઈ હશે. બધાં લેકે સુદર્શનની પ્રશંસા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, આ શેઠમાં જે ધર્મભાવના છે, એના પ્રતાપે જ આ શુળીનું સિંહાસન બની ગયું. આ શેઠ અભયા રાણીની કપટજાળમાં ન ફસાયા પણ જે અભયા રાણીએ તેની સાથે શત્રુતા બાંધી હતી તેની ઉપર પણ આ શેની કેવી કરુણું દૃષ્ટિ છે! જે શેઠ ચાહત તે અભયાના શરીરનાં ટૂકડે ટૂકડાં કરાવી શકતા હતા, પણ તેમણે રાજાની પાસે એ જ માંગ્યું કે, અભયારે આપ અભય વચન આપે, તેને કોઈ પ્રકારનું કષ્ટ ન થાય અને તેના પ્રત્યે દુર્ભાવ પણ ન થાય એ જ હું આપની પાસે માંગું છું.
તમે આ ચરિત્રમાં શું જુઓ છો ! સિંહાસન જુઓ છો કે સુદર્શનની ભાવના જુઓ