Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
પ૧૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
ધાય પ્રાણુ હે ભગી મહલમેં, પટના પહુંચી જાય;
વેશ્યા ઘરમેં નીચ ભાવસે, રહ કર ઉદર ભરાય. ધન ૧૨૫ રાણીએ જ્યારે એમ સાંભળ્યું કે, સુદર્શનની રક્ષા થઈ છે અને રાજા-પ્રજા બધા લોકે તેનો મહિમા ગાઈ રહ્યા છે ત્યારે તે બહુ ભયભીત થઈ અને વિચારવા લાગી કે, મારા શત્રુને જયજયકાર થયો છે, એટલા માટે હવે મારી કેણ જાણે કેવી અવદશા થશે ? જે સુદર્શન મહાપાપીને પણ ક્ષમા આપનાર છે તેને પણ અભયા પિતાને શત્રુ માની રહી છે. આત્મામાં જયારે પાપ ભરાઈ જાય છે ત્યારે તે મહાન પુણ્યવાનને પણ લાભ લઈ શકતા નથી પણ ઊલટો પાપને બંધ કરે છે. આત્મા પિતાની દ્વારા જ પિતાનું કલ્યાણ કરી શકે છે. અનાથી મુનિએ કહ્યું જ છે કે –
अप्पा कत्ता विकत्ता य दुहाण य सुहाण य ।
अप्पा मित्तममित्तं य दुप्पठ्ठियो सुप्पठ्ठियो॥ આ જ પ્રમાણે ગીતામાં પણ કહ્યું છે કે, તમારા આત્માદ્વારા જ તમારા આત્માને ઉદ્ધાર કરે. આત્મા જ શત્રુ કે મિત્ર છે. એટલા માટે તમારા આત્માને જ જુઓ.
અભયાની રક્ષા માટે સુદર્શને પહેલાં જ રાજાની પાસે અભય વચન માંગી લીધું હતું. પરંતુ કદાચિત રાજા અભયાને ક્ષમા ન આપત અને અભયાને દંડ ભેગવવો જ પડત તે પણ તે પિતાનું પાપ આ જ જન્મમાં ભોગવી લેત. પણ તેને એવી બુદ્ધિ જ પેદા ન થઈ તે તે સુદર્શન જેવાને પણ પિતાને શત્રુ માની રહી હતી. પણ તે એટલું વિચારતી ન હતી કે, તેને શત્રુ તેને જ આત્મા છે કે સુદર્શન! જે સમજદાર વ્યક્તિ હશે તે તે સર્વ પ્રથમ પિતાના આત્માને જ જશે અને વિચારશે કે, જે પાડોશીના ઘરમાં આગ લાગી છે તે તે પણ મારા જ પાપથી આગ લાગી છે; કારણ કે જ્યારે તેના ઘરમાં આગ લાગી છે તે તે આગ મારા ઘરમાં પણ લાગશે. આ પ્રમાણે વિચાર કરી તે આગને શાંત કરવાને જ પ્રયત્ન કરશે. તમે લેકે દ્રવ્ય આગની વાતને તે જલ્દી સમજી જાઓ છો પણ ભાવ આગને સમજતા નથી. જે આગ સમાજ, દેશ અને જાતિને બાળી રહી છે એ આગને ન હારવી એ કવી ગંભીર ભૂલ છે! જેમનામાં અનુકંપા હોય છે તે બીજાના દુઃખને પિતાનાં જ દુઃખ માને છે. અનુકંપા એટલે શું ? એને માટે કહ્યું છે કે, જે બીજાના દુઃખને જેઈ પિતાનાં દુખ માની કાંપી ઉઠે તે અનુકંપાવાળે છે. સમજદાર માણસ આ પ્રમાણે બીજાઓનાં દુઃખને પિતાનાં દુઃખે માને છે અને તે દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે.
અભયાને ડર લાગે કે, હમણાં રાજા અત્રે આવશે ત્યારે ન જાણે મારી કેવી અવદશા થશે અને એ દશામાં હું તેમને મેટું કેમ બતાવી શકીશ ? તે ક્ષત્રિયાણી હતી એટલે તેને અપમાનનું દુઃખ મરણના દુઃખ કરતાં વધારે લાગ્યું. અને તેથી અપમાનિત થવાના ભયથી તે ગળે ફાંસે લગાવી મરી ગઈ. જે બીજાને શૂળીએ ચડાવી રહી હતી તે અભયા પોતે જ ગળે ફાંસો લગાવી મરી ગઈ. રાણુની સહાયિકા પંડિતા ધાય વિચારવા લાગી કે, રાણી તો મરી ગઈ છે અને રાજાને બધો ભેદ જાણમાં આવી ગયો છે એટલા માટે ન જાણે હવે મારી કેવી અવદશા થશે! આ પ્રમાણે વિચાર કરી તે અવસર જાણી ભાગી અને પટના શહેરમાં ગઈ