Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૯] રાજકોટ–ચાતુર્માસ
| [૪૯૭ ઉઘરે અન્ત ન હાઈ નિબાહૂ, કાલનેમિ જિમિ રાવણ રાહુ. તુલસીદાસજી કહે છે કે, રાવણ સાધુ બન્યો હતો પરંતુ તે સાધુપણું પાળવા માટે નહિ પણ રામ અને સીતાને ઠગવા માટે. તે એમ વિચારતો હતો કે, આ વેશદ્વારા રામ સીતા ઠગાઈ જશે. કામ કાઢવા માટે જેમ ઠીક લાગે તેમ કરવું જોઈએ. આ દૃષ્ટિએ તે સાધુ બન્યા હતા પણ આખરે સાધુ બનવા પાછળ રહેલો બધે ભેદ ખુલ્લું થઈ ગયું. આખરે તેનું પરિણામ શું આવ્યું ? તેણે ધર્મના નામે ઠગાઈ કરી પણ તેની ઠગાઈ શું ચાલી શકી ? નહિ. આ પ્રમાણે વિચાર કરી સમજદાર લેકે ઉપરથી કાંઈ બીજું બતાવતા નથી તેમ યુક્તિથી લોકોને ઠગતા પણ નથી. તેઓ તે આત્માને શાન અને સરલ બનાવવામાં
જ મશગૂલ રહે છે. - એક યોગીએ યોગસાધના શીખી લીધા બાદ બીજા યોગીને કહ્યું કે, હું કેવો યોગ શીખ્યો છું તેને ચમત્કાર હમણાં તમને બતાવું છું. ત્યારે બીજા યોગીએ કહ્યું કે, જે યોગ શીખેલે હોય છે તે પિતાના મોઢે એમ કહેતા નથી. તમારા કહેવા ઉપરથી તે એમ જણાય છે કે, તમે યોગ શીખ્યા નથી. પહેલા યોગીએ કહ્યું કે, જે એમજ તમે માનતા હે તે હું કેવો વેગ શીખે છું તે હમણાં બતાવું છું. આ પ્રમાણે કહીને તેણે સામે આવતાં એક હાથીની તરફ દષ્ટિ ફેંકી, તેને મૂર્શિત કરી દીધો એટલે તે હાથી જમીન ઉપર ઢળી પડ્યો. ત્યારે પેલા યોગીએ કહ્યું કે, જે, મારા ગને પ્રભાવ? બીજા યોગીએ કહ્યું કે, આમાં શું ગ છે? આ કામ તે બીજી રીતે પણ થઈ શકે છે. ત્યાં જ એક બીજો હાથી ઉમે હતું. તે બીજા ગીની પાસે કોઈ રાસાયનિક વસ્તુ હતી જે રાસાયનિક વસ્તુ હાથીની પૂછડીના વાળને લગાવતાં જ તે હાથી મૂછ પામી નીચે પડી ગયે. ત્યારે બીજા યોગીએ પેલા મેગીને કહ્યું કે, જોયું ! હાથીને મૂછિત કરી નીચે પાડવાનું કામ તે રસાયનઠારા પણ થઈ શકે છે. સાચે વેગ તે તેમાં છે કે જ્યારે પિતાના માનહાથીને પાડવામાં આવે અને તેનું દમન કરવામાં આવે. આવા ચમત્કારે કરવામાં અને બતાવવામાં વેગની સફળતા રહેલી નથી. - સાધુઓ, આવાં ચમત્કારે બતાવવામાં અને લેકેને ઠગવામાં કદાપિ પ્રવૃત્ત થતા નથી. કેટલાક લેકે કહે છે કે, ચમત્કારને નમસ્કાર થાય છે એટલા માટે ચમત્કાર તે બતાવે જ જોઈએ પણ સાધુઓએ અહંકાર છતવાને ચમત્કાર બતાવવો જોઈએ એમાં જ તેમનું શ્રેય રહેલું છે. સુદર્શન ચરિત્ર –૫૪
અભયાએ સુદર્શન ઉપર ખોટું કલંક ચડાવ્યું હતું અને તે સુદર્શનને સૂળીને દંડ અપાવી એવું અભિમાન કરી રહી હતી કે, મારું કહેવું ન માન્યું તે મેં તેને શૂળીએ ચડાવવાને દંડ અપાવ્યો. અભયા આ પ્રમાણે અહંકાર કરતી હતી પણ સુદર્શન તે પિતાના અને અભયાના આત્માને સમાન માની રહ્યો હતે. એટલા માટે તે મનમાં એમ વિચારતે હતું કે, આ માતા જે કાંઈ કરી રહી છે તે મારા કલ્યાણને માટે કરી રહી છે. જ્ઞાની અને અનાની વચ્ચે આ જ અંતર રહેલું છે. કહ્યું છે કે –
या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी। અજ્ઞાની લો કે જેને રાત કહે છે, જ્ઞાનીજને તેને દિવસ માને છે અને અજ્ઞાની લેકે જેને દિવસ કહે છે, જ્ઞાની જને તેને રાત સમજે છે.