Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૯ ]
રાજકેટ–ચાતુર્માસ
[૪૯૧
છે પણ સૌથી પહેલાં તમારે જ મુસલમાન થવું પડશે ! લાલદાસે ઉત્તર આપ્યો કે, હું તમારાથી ક્યાં દૂર છું. જ્યારે હું તમને સલાહ આપું છું અને તમે જબરજસ્તીથી જ બધાને મુસલમાન બનાવો છો તે પછી હું તેમાંથી કેમ બચી શકું!
આ પ્રમાણે વાતચીત થયા બાદ લાલદાસ પિતાના સ્થાને ગયે અને વિચારવા લાગે કે, બાદશાહને કેવી રીતે સમજાવવા? આખરે તેણે એક ઉપાય વિચારી લીધો અને એ ઉપાય પ્રમાણે જ કરવા માટે તેણે પિતાના ચેલાને સમજાવી દીધે. બીજે દિવસે લાલદાસ બાદશાહની પાસે બેઠા હતા તે જ વખતે તેને ચેલે ત્યાં આવ્યો અને લાલદાસને કહ્યું કે, અહીંના શરાફ બહુ જ બદમાશ થઈ ગયા છે. લાલદાસે પૂછયું કે કેમ ! ચેલાએ ઉત્તર આપ્યો કે, હું આ રૂપિયા લઈ પૈસા લેવા ગયો હતો પરંતુ એ લોકોએ પૈસા ન આપ્યા. લાલદાસે ચેલાને પૂછયું કે, એ લેકેએ શું કહ્યું ? ચેલાએ ઉત્તર આપ્યો કે, એ લકે કહે છે કે, આ રૂપિયા ખોટા છે એટલા માટે અમે તેના પૈસા આપી શકીએ નહિ. એ લેકે એમ પણ કહેતા હતા કે, જો તમે બાવાજીના ચેલા ન હતા તે તમારી ઉપર કેસ કરી તમને દંડ અપાવત. એ તે અમારે ઉપકાર માનો કે, અમે તમારી ઉપર કેસ કરતા નથી. માટે તમે આ ખોટા રૂપિયા લઈ ચૂપચાપ પાછા ચાલ્યા જાઓ.
બાદશાહ આ વાત સાંભળી રહ્યો હતો. તેણે બાવાજીને પૂછયું કે શું વાત છે.. બાવાજીએ ઉત્તર આપ્યો કે, અહીંના શકે એવા બદમાશ થઈ ગયા છે કે બાદશાહના સિક્કાને પણ માનતા નથી. આ જુઓ ! મારે ચેલે રૂપિયા લઈને પાછા આવ્યા છે. આ રૂપિયા ઉપર બાદશાહી સિક્કો હોવા છતાં તે લેકે આ રૂપિયા બેટા છે એમ કહી ફેંકી દે છે.
આલમગીરીને કાયદો પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અંગ્રેજોએ પણ એ કાયદાને ઘણખરે ભાગ પિતાના કાયદામાં પણ દાખલ કર્યો છે.
બાદશાહે બાવાજી પાસેથી રૂપિયા લઈ જોયો અને કહ્યું કે, આ રૂપિયે તમને કેણે આપો ? તમે મારા કાયદાથી વાકેફ નથી? આ રૂપિયો ખોટે છે અને ખોટા રૂપિયાને ચલાવનારને હું ભારે દંડ આપું છું. તમને તે હું સારી રીતે જાણું છું કે તમે આ ખોટ રૂપિયો બનાવ્યા નહિ હોય પરંતુ તમને આ રૂપિયો કોણે આપ્યો છે? લાલદાસે જવાબ આપ્યો કે, આ ખોટ છે તેથી શું થયું ? આ ખોટી રૂપિયા ઉપર બાદશાહી સિક્કો તે છે ને? બાદશાહે ઉત્તર આપ્યો કે, મારા સિક્કો સાચો હોવો જોઈએ. બેટે સિક્કો મારા નામનો હોવા છતાં તેને બનાવે કે ચલાવવો એ અપરાધ છે. બાવાજીએ કહ્યું કે, જે એમ છે તે શું ખુદાના નામે કોઈને ઉપર જુલ્મ ગુજારો કે કાઈને જબરજસ્તી માર મારીને મુસલમાન બનાવવા એ શું અપરાધ નથી ? શું આમ કરવું તે બેટે સિક્કો ચલાવવા જે અપરાધ નથી ? | બાદશાહ સમજી ગયો. તેણે પૂછયું કે, ત્યારે શું કરવું? લાલદાસે ઉત્તર આપ્યો કે, કોઈ પોતાની મેળે મુસલમાન બને એ વાત જુદી છે નહિ તે ધર્મને માટે બધાને સ્વતંત્રતા હેવી જોઈએ. બાદશાહે બાવાજીની આ વાતને સ્વીકાર કર્યો.
આ જ પ્રમાણે અનાથી મુનિ પણ ખોટા સિક્કાનું ઉદાહરણ આપી રહ્યા છે. તેઓ કહે છે કે જેમની ઉપર તે ચાંદી ચડાવવામાં આવેલ છે અને અંદર તાંબું ભરેલું છે. એવા