SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વદ ૯ ] રાજકેટ–ચાતુર્માસ [૪૯૧ છે પણ સૌથી પહેલાં તમારે જ મુસલમાન થવું પડશે ! લાલદાસે ઉત્તર આપ્યો કે, હું તમારાથી ક્યાં દૂર છું. જ્યારે હું તમને સલાહ આપું છું અને તમે જબરજસ્તીથી જ બધાને મુસલમાન બનાવો છો તે પછી હું તેમાંથી કેમ બચી શકું! આ પ્રમાણે વાતચીત થયા બાદ લાલદાસ પિતાના સ્થાને ગયે અને વિચારવા લાગે કે, બાદશાહને કેવી રીતે સમજાવવા? આખરે તેણે એક ઉપાય વિચારી લીધો અને એ ઉપાય પ્રમાણે જ કરવા માટે તેણે પિતાના ચેલાને સમજાવી દીધે. બીજે દિવસે લાલદાસ બાદશાહની પાસે બેઠા હતા તે જ વખતે તેને ચેલે ત્યાં આવ્યો અને લાલદાસને કહ્યું કે, અહીંના શરાફ બહુ જ બદમાશ થઈ ગયા છે. લાલદાસે પૂછયું કે કેમ ! ચેલાએ ઉત્તર આપ્યો કે, હું આ રૂપિયા લઈ પૈસા લેવા ગયો હતો પરંતુ એ લોકોએ પૈસા ન આપ્યા. લાલદાસે ચેલાને પૂછયું કે, એ લેકેએ શું કહ્યું ? ચેલાએ ઉત્તર આપ્યો કે, એ લકે કહે છે કે, આ રૂપિયા ખોટા છે એટલા માટે અમે તેના પૈસા આપી શકીએ નહિ. એ લેકે એમ પણ કહેતા હતા કે, જો તમે બાવાજીના ચેલા ન હતા તે તમારી ઉપર કેસ કરી તમને દંડ અપાવત. એ તે અમારે ઉપકાર માનો કે, અમે તમારી ઉપર કેસ કરતા નથી. માટે તમે આ ખોટા રૂપિયા લઈ ચૂપચાપ પાછા ચાલ્યા જાઓ. બાદશાહ આ વાત સાંભળી રહ્યો હતો. તેણે બાવાજીને પૂછયું કે શું વાત છે.. બાવાજીએ ઉત્તર આપ્યો કે, અહીંના શકે એવા બદમાશ થઈ ગયા છે કે બાદશાહના સિક્કાને પણ માનતા નથી. આ જુઓ ! મારે ચેલે રૂપિયા લઈને પાછા આવ્યા છે. આ રૂપિયા ઉપર બાદશાહી સિક્કો હોવા છતાં તે લેકે આ રૂપિયા બેટા છે એમ કહી ફેંકી દે છે. આલમગીરીને કાયદો પ્રસિદ્ધ છે. કહેવાય છે કે અંગ્રેજોએ પણ એ કાયદાને ઘણખરે ભાગ પિતાના કાયદામાં પણ દાખલ કર્યો છે. બાદશાહે બાવાજી પાસેથી રૂપિયા લઈ જોયો અને કહ્યું કે, આ રૂપિયે તમને કેણે આપો ? તમે મારા કાયદાથી વાકેફ નથી? આ રૂપિયો ખોટે છે અને ખોટા રૂપિયાને ચલાવનારને હું ભારે દંડ આપું છું. તમને તે હું સારી રીતે જાણું છું કે તમે આ ખોટ રૂપિયો બનાવ્યા નહિ હોય પરંતુ તમને આ રૂપિયો કોણે આપ્યો છે? લાલદાસે જવાબ આપ્યો કે, આ ખોટ છે તેથી શું થયું ? આ ખોટી રૂપિયા ઉપર બાદશાહી સિક્કો તે છે ને? બાદશાહે ઉત્તર આપ્યો કે, મારા સિક્કો સાચો હોવો જોઈએ. બેટે સિક્કો મારા નામનો હોવા છતાં તેને બનાવે કે ચલાવવો એ અપરાધ છે. બાવાજીએ કહ્યું કે, જે એમ છે તે શું ખુદાના નામે કોઈને ઉપર જુલ્મ ગુજારો કે કાઈને જબરજસ્તી માર મારીને મુસલમાન બનાવવા એ શું અપરાધ નથી ? શું આમ કરવું તે બેટે સિક્કો ચલાવવા જે અપરાધ નથી ? | બાદશાહ સમજી ગયો. તેણે પૂછયું કે, ત્યારે શું કરવું? લાલદાસે ઉત્તર આપ્યો કે, કોઈ પોતાની મેળે મુસલમાન બને એ વાત જુદી છે નહિ તે ધર્મને માટે બધાને સ્વતંત્રતા હેવી જોઈએ. બાદશાહે બાવાજીની આ વાતને સ્વીકાર કર્યો. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ ખોટા સિક્કાનું ઉદાહરણ આપી રહ્યા છે. તેઓ કહે છે કે જેમની ઉપર તે ચાંદી ચડાવવામાં આવેલ છે અને અંદર તાંબું ભરેલું છે. એવા
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy