Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૮]
રાજકોટ–ચાતુર્માસ
| [૪૪૧
- રાજાનું કથન સાંભળી શેઠ વિચારવા લાગ્યો કે, હવે મારે શું કરવું જોઈએ? હું પોતે તે સંસારનો ત્યાગ કરવાને વિચાર કરી રહ્યો છું તો પછી હું સંસારની ચીજ કેવી રીતે માંગી શકું? પણ હા, મારે એક ચીજ તે માંગવી જ છે. મેં મારી જીભે તે ધંઈ રાજાને કહ્યું નથી પરંતુ શુળીનું સિંહાસન થઈ જવાને કારણે મારી અભયા માતાનું બધું પાપ ખુલ્લું થઈ ગયું છે એટલા માટે રાજા ન જાણે તેને શું દંડ આપશે! માટે જ્યારે રાજા પિતે જ મને કાંઈ માંગવાને અનુરોધ કરી રહ્યા છે તે પછી હું રાજની પાસે અભયા માતાનું કલ્યાણ જ શા માટે ન માગું ?
સુદર્શન આ પ્રમાણે વિચાર કરે છે. હવે આગળ શું થાય છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૮ ગુરુવાર
પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવ તણુ દેવ કે, તરણ તારણ પ્રભૂ તે ભણી, ઉજ્જવલ ચિત્ત સમરું નિત્યમેવકે
શ્રી મુનિસ્કૃવત સાહબા –વિનયચંદ્રજી કુંભટ વીશી
. મુનિસુવ્રતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - પરમાત્મા પ્રત્યે ભક્ત શું કહે છે? તે કહે છે કે, એક બાજુ તે પરમાત્મા દેવાધિદેવ છે અને બીજી બાજુ દીનદયાળુ છે. આ ઉપરથી કઈ એમ કહે કે, એ બનેય વાત એક સાથે કેવી રીતે હોઈ શકે ? પણ ભક્ત લેકે કહે છે કે, અમને એ જાણી ઘણી પ્રસન્નતા થાય છે કે, પરમાત્મા દેવાધિદેવ હોવા છતાં પણ દીનદયાળુ છે. જે મહાન હોવા છતાં નાના, લોકોની સાથે પ્રીતિ રાખે છે તે જ જગતને ઉદ્ધાર કરી શકે છે. મહાન થઈને નાના, લેકેની અવહેલના કરનાર લેકે તે સંસારમાં ડગલે ને પગલે જોવામાં આવે છે. એમાં કાંઈ વિશેષતા નથી. વિશેષતા તે એમાં છે કે, જે પોતે મહાન થઈને પણ નાના લોકે ઉપર કૃપાભાવ રાખે છે. હે ! પરમાત્મા ! તમે દેવાધિદેવ હોવા છતાં દીનદયાળુ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે પરમાત્મા દીનદયાળ છે એનું શું પ્રમાણુ? કારણ કે પરમાત્મા જોવામાં તે આવતા નથી એટલા માટે એનું પ્રત્યક્ષ પ્રમાણુ તે નથી. આ પ્રશ્નને, ઉત્તર એ છે કે, પરમાત્માના વિષયમાં લૌકિક પ્રમાણોદ્વારા કોઈ પ્રકારનો નિર્ણય થઈ શકતા નથી. પરમાત્માના વિષે મહાત્મા લેકોનાં વચને જ પ્રમાણભૂત છે. મહાત્માઓ કહે છે કે, પરમાત્માના શરણે જવાથી દુ:ખ મટી જાય છે. અમે ગુરુના મુખેથી એવું જ સાંભળ્યું છે. અને અમારો અનુભવ પણ એ જ છે કે, પરમાત્મા દીનદયાળુ છે. તે દેવાધિદેવ હવા છતાં દીનદયાળુ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “પરમાત્મા જગજનું ઉત્પત્તિસ્થાન પણું જાણે છે. જીવ સંસારમાં શા માટે જન્મ લે છે, જન્મ લઈને કેવી રીતે તે ક ભોગવે છે અને